SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦. એટલું જ માગું ! શ્રીમદે ‘મોક્ષમાળા'થી પ્રારંભ કરીને અનેક પદો અને પત્રોમાં એમણે વીતરાગ પરમાત્માએ દર્શાવેલા માર્ગને સાચો અને શ્રેષ્ઠ માર્ગ કહ્યો. તેઓના જીવનપર્યંત એમનો આ નિશ્ચય દૃઢ રહ્યો. આથી જ એમણે કહ્યું, “મંત્ર, તંત્ર, ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય, વચનામૃત વીતરાગનાં, પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.” શ્રીમા શબ્દેશબ્દમાં એ પ્રતીત થાય છે કે તેઓ અન્ય દર્શનનું ખંડન કર્યા વિના જિનદર્શનની શ્રેષ્ઠતા દર્શાવે છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. શ્રીમદ્ પાસે જાતિસ્મરણજ્ઞાન, સ્મૃતિજ્ઞાન, જ્યોતિષજ્ઞાન અને એવી કેટલીય શક્તિઓ હતી, પરંતુ એમણે આ અસાધારણ શક્તિઓને ત્યજીને આત્માના અમર પંથે ચાલવાનો સંદેશ આપ્યો. આમ શ્રીમદ્ જીવનવ્યવહારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિઓનાં ચક્રમાં ફસાયેલા માનવીઓ માટે સુખનો વિસામો બની ગયા. બાહ્ય ઉપાધિમાં વધુ ને વધુ ડૂબતા જતા આધુનિક માનવીને માટે શ્રીમદ્ આંતરિક સમાધિનો સંદેશ બની ગયા. આડંબરો, વૈભવ-પ્રદર્શનો અને ઉત્સવો-મહોત્સવોમાં ધર્મ માનીને રાચનારાઓના હૃદયને ઢંઢોળનાર ધર્મોપદેશક બની ગયા. મતાર્થમાં ખૂંપેલા જ્ઞાનીઓને આત્માર્થ તરફ જવાનો સંકેત આપનારા બની રહ્યા. હિંસાથી સત્તા અને યુદ્ધથી સામ્રાજ્ય હાંસલ કરવાના નશામાં ડોલતા સત્તાધીશોને અહિંસાની અડગ અને પ્રબળ તાકાતનો અંદાજ આપનારા બની ગયા. જીવનના સ્થૂળ ભાવોની શબ્દલીલામાં રાચનારાને માટે આધ્યાત્મિક અપૂર્વ અવસર આલેખનારા કવિ બની ગયા. શ્રીમના જીવનનો પ્રકાશ જગત પર એવી રીતે ફેલાયો છે કે એમાંથી સહુ કોઈને જીવનની ઊર્ધ્વ યાત્રાનો વિરલ પંથ દૃષ્ટિગોચર થશે. આથી જ અનેક હૃદય એકસાથે બોલી ઊઠે છે “અપાર કરુણાસિંધુ એવા આપે અમ જીવો પર અનંત ઉપકાર કરી, જે જડ અને ચેતનનો ભેદ દર્શાવ્યો છે તે ઉપકારનો બદલો નમસ્કાર સિવાય બીજો શું વાળી શકીએ ? તમારા ચરણોમાં રહી દાસત્વભાવ પ્રગટે અને તમે જે નિજસ્વરૂપ દર્શાવી અનંત સુખ બતાવ્યું તે આનંદનો અવધિ અમે નિરંતર ભોગવતા રહીએ. આવા દેહ છતાં દેહાતીત સ્વરૂપે રહેલ જ્ઞાનીના ચરણોમાં અમારા અગણિત વંદન હો.” આજે શ્રીમદે બતાવેલો મૂળ માર્ગ મુમુક્ષુઓનો રાજમાર્ગ બન્યો છે. આવો, એ મૂળ ધર્મની ઉપાસનાની અખંડ જ્યોત આપણા હૃદયમાં પ્રગટાવવા માટે પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રને પ્રાર્થના કરીએ “હે પરમ કૃપાળુદેવ ! જન્મ-જરા-મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંતકૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું તે સફળ થાઓ.” Jain Education International ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ‘સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.' For Personal & Private Use Orily whine.Jainerary.org
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy