SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩. અાંતર-બાહ્ય સમાધિયોગ ૧૯૫૬ના પોષ મહિનામાં શ્રીમદ્દને અસાધ્ય રોગ લાગુ પડ્યો. એમનો દેહ વ્યાધિગ્રસ્ત બન્યો અને એ વ્યાધિ ઉત્તરોત્તર વધતી ગઈ. પ્રથમ તો શરીરમાં સામાન્ય અશક્તિ હોય તેમ લાગતું હતું, પણ થોડા સમયે નિદાન થયું કે મુખ્ય બીમારી તો સંગ્રહણીની છે. આ બીમારી વખતે ડૉ. પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા આદિની ઘણી કાળજીભરી સારવાર ચાલુ હતી. શ્રીમદ્ વખતોવખત ડૉ. પ્રાણજીવનદાસભાઈને તથા તેઓની કાળજી લેનાર સર્વને સૂચના કરતા કે હું આર્ય છું, આથી અનાર્ય ઔષધિ મારી સારવારમાં ઉપયોગમાં લેશો નહિ. અંબાલાલભાઈ, લીંબડીવાળા મનસુખભાઈ દેવશીભાઈ, મનસુખભાઈ કિરતુચંદ મહેતા, ધારશીભાઈ, વિરમગામવાળા સુખલાલભાઈ, મહાસુખરામ, મોતીલાલ ભાવસાર વગેરે ભક્તિભાવભર્યા મુમુક્ષુઓ ઊભા પગે સેવામાં હાજર હતા. સ્નેહાળ સ્વજનો સેવા-સુશ્રુષા કરતા હતા. જુદાં જુદાં સ્થળે હવાફેર માટે શ્રીમદ્ લઈ જવાનું પણ બન્યું. હવાફેર દરમિયાન માતા દેવમા તથા પત્ની ઝબકબા તેઓની સાથે રહેતાં હતાં, પણ શ્રીમની તબિયત થોડો સમય સારી તો થોડો સમય નાદુરસ્ત રહેતી હતી. શરીર ઉત્તરોત્તર ઘસાવા લાગ્યું. બીમારી એમના દેહની આસપાસ વધુ ને વધુ વીંટળાવા લાગી. શ્રીમદ્રની બીમારી જોઈને એમનાં માતુશ્રી પૂછતાં, “ભાઈ કેમ છે ?” ત્યારે શ્રીમદ્ કહેતા, “અમને સુખેય નથી અને દુઃખેય નથી.” એ પછી હવાફેર માટે શ્રીમદ્ ધરમપુરના પહાડી પ્રદેશમાં ગયા. તે સમયે ત્યાં પોલિટિકલ એજન્ટનો મુકામ હતો. સં. ૧૯૫૬ના ચૈત્ર માસનો એ સમય હતો. અંગ્રેજોનું શાસન હોવાથી પોલિટિકલ એજન્ટ ઘણી સત્તા ધરાવતા. તેઓ શાહી ઠાઠમાઠથી આવતા અને મોટાં મોટાં રાજ-રજવાડાંઓ એમનું ભવ્ય સ્વાગત કરતા. ૨ એજન્ટના માનમાં શિકારની ગોઠવણ થતી. આવી રીતે ધરમપુરના પહાડી પ્રદેશમાં અંગ્રેજ પોલિટિકલ એજન્ટ મોટા રસાલા સાથે શિકારે નીકળ્યા. ઘણી શોધ કરવા છતાં પોલિટિકલ એજન્ટને શિકાર માટે કોઈ પ્રાણી મળ્યું નહિ. દયાનું ઝરણું અને કરુણાની સરિતા વહેતી હોય ત્યાં ક્રૂર અને નિર્દય ભાવો કઈ રીતે ફાવી શકે ? જ્યાં સુધી શ્રીમદ્દ અહીં ઉપસ્થિત હતા ત્યાં સુધી રોજેરોજ શિકારે નીકળતા પોલિટિકલ એજન્ટને કોઈ શિકાર મળી શક્યો નહિ. ત્યારબાદ શ્રીમદ્ અન્યત્ર સ્થળે ગયા, ત્યારે મોડે મોડે અંગ્રેજ પોલિટિકલ એજન્ટને શિકાર મળ્યાના સમાચાર સાંભળ્યા. આમ શ્રીમની ઉપસ્થિતિને કારણે જીવો નિર્ભય બનીને વિહરતા હતા. ધરમપુરમાં શ્રી રણછોડદાસભાઈ મોદીને ત્યાં શ્રીમનો નિવાસ હતો. વનવિભાગના અધિકારી શ્રી રણછોડદાસભાઈએ આતિથ્યસત્કારનો અને સંત સમાગમનો મહાન લાભ લીધો. આ સમયે પણ શ્રીમદનો સ્વાધ્યાય ચાલતો હતો. એમના પત્રોમાં એમની આંતરપ્રવૃત્તિની છબી પ્રતિબિંબિત થાય છે. તેઓ લખે છે કે, “બાહ્ય અને આંતર સમાધિયોગ વર્તે છે.” (ક્રમાંક : ૯૧૨), ધરમપુરમાં શ્રી રણછોડભાઈની સેવા અને ડૉ. પ્રાણજીવનભાઈની સારવાર હોવા છતાં શ્રીમના શારીરિક સ્વાથ્યમાં ખાસ સુધારો થયો નહિ. Juin Education international For Personal For Personal & Private Use Only Private Use o g www.ainalibrary.one
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy