SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯. માત્ર મોક્ષ અભિલાષ પર્વાધિરાજ પર્યુષણ આવ્યા. વિ. સં. ૧૯૫૪ના શ્રાવણ વદમાં કાવિઠા ગામમાં શ્રીમદે પર્યુષણ પર્વની આરાધના કરી અને કરાવી. આ પરમ સત્પષના સાંનિધ્યનો લાભ શ્રી ઝવેરચંદભાઈ અને અન્ય મુમુક્ષુઓએ લીધો. ધર્મભાવનાનું અનુપમ વાતાવરણ સર્જાયું. શ્રીમદ્દ પ્રેમથી જેમને “શુકદેવજી' કહીને બોલાવતા હતા તે મહાનુભાવ શ્રી પોપટલાલભાઈ મહો કમચંદને કાવિઠામાં શ્રીમદૂની જ્ઞાની મહાત્મા તરીકે ઓળખાણ થઈ. શ્રીમદૂના સમાગમમાં શ્રી પોપટલાલભાઈ ઘણા મોડા આવ્યા, તો પણ તેમની મુમુક્ષતા, ભક્તિ આદિ વિશિષ્ટ યોગ્યતાને કારણે અલ્પ સમયમાં જ તેઓ ઘણું ગ્રહણ કરી શક્યા. કાવિઠામાં શ્રીમદ્દના ઉતારાનું મકાન અને શ્રી ઝવેરચંદ શેઠના મકાન વચ્ચે અંતર હતું. શ્રી ઝવેરચંદ શેઠના મકાનમાં અંબાલાલભાઈ શ્રીમદ્ માટે રસોઈ કરતો. આ સમયે પોતાના ઉતારાના મકાનમાં શ્રીમદ્ જે બોધ આપતા હોય તે ઝવેરચંદ શેઠના મકાનમાં રસોઈ બનાવતા અંબાલાલભાઈની સ્મૃતિમાં આવતો હતો. બીજે દિવસે એ સ્મૃતિના આધારે શ્રીમદ્જીએ કરેલો ઉપદેશ લખીને લાવતા હતા. કાવિઠાથી શ્રીમદ્ વસોની આસપાસના વનપ્રદેશમાં પધાર્યા અને એક મહિનો ત્યાં રહ્યા. પરમ વીતરાગભાવમાં નિમગ્ન શ્રીમદે અહીં ચાતુર્માસ કરી રહેલા મુનિશ્રી લલ્લુજી આદિ મુનિગણ તથા મોતીલાલભાઈ ભાવસાર વગેરેને બોધ આપ્યો. આત્મારામી શ્રીમદ્ વનમાં એકલા નીકળી પડતા હતા, ધ્યાનમાં લીન રહેતા અને પોતાની સુપ્રસિદ્ધ ધૂનોથી વન-વગડાઓ ગજવતા અને ભવ્યજનોને જગાવતા. વસોથી ઉત્તરસંડાના પ્રદેશમાં શ્રીમદ્જી પધાર્યા ત્યારે આ એકાંત નિર્જન સ્થળે આવેલી તળાવડીના કાંઠા પરના બાગની વચ્ચે એક નાનકડું મકાન ભક્તિવાન શ્રી મોતીલાલ ભાવસારે શોધી રાખ્યું હતું. શ્રીમદ્જી તેમાં રહેતા હતા. આ વનક્ષેત્રે સેવાભાવી શ્રી મોતીલાલ ભાવસારને શ્રીમદ્દ સાથે ઘણા સ્મરણીય પ્રસંગો બન્યા હતા. તેઓની જ્ઞાનવાર્તામાં મુમુક્ષુઓને એટલો બધો આનંદોલ્લાસ આવતો કે આખી રાત ક્યાં પસાર થઈ જાય તેનો ખ્યાલ પણ રહેતો નહિ. શ્રીમદ્ની નિદ્રા બહુ અલ્પ હતી. નિદ્રા એ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ છે અને એ આવરણ જેમ ઓછું થાય તેમ નિદ્રા ઓછી થાય. તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ તપશ્ચર્યા કરી તેમાં માત્ર અડધો કલાકે નિદ્રા લીધી હતી. એકાંત સાધના માટે જતા શ્રીમદ્ ક્યારેક મોતીલાલભાઈને સાથે લઈ જતા. એક વાર મોતીલાલભાઈ પર કરુણાભાવ રાખીને બોધ આપતાં શ્રીમદે કહ્યું, | “તમે પ્રમાદમાં શું પડ્યા છો ? વર્તમાનમાં માર્ગ એવા કાંટાથી ભર્યા છે કે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારો આત્મા જાણે છે. જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે તેમની પૂંઠે પૂંઠે ચાલી જાત. પણ તેમને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છે, છતાં એવા યોગથી જાગ્રત થતા નથી. પ્રમાદ દૂર કરો. જાગ્રત થાઓ. અમે જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોની ઓળખાણ ઘણી જ દુર્લભ છે.” નીતિ દિ SON - GOOGશે.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy