SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ My : ૪૯. અાત્માર્થીઅોની દીવાદાંડી શ્રીમદૂના મેળાપની તીવ્ર ઇચ્છાથી આવેલા મુનિશ્રી લલ્લુજીનો આશાભંગ થયો, પરંતુ એમના હૃદયમાં એવી દેઢ શ્રદ્ધા હતી કે ગુરુઆજ્ઞા સદૈવ કલ્યાણકારી હોય છે. શ્રીમજી પણ મુનિશ્રી લલ્લુજીના ગુરુદર્શનની પિપાસાને જાણતા હતા. એના અભાવે મુનિશ્રી લલ્લુજીની કેવી વિકટ સ્થિતિ થશે એનો એમને ખ્યાલ હતો. બીજે દિવસે સવારે શ્રીમદે શ્રી સોભાગભાઈ, ડુંગરશીભાઈ અને શ્રી અંબાલાલભાઈને ખંભાત મોકલ્યા. શ્રી સોભાગભાઈએ ઉપાશ્રયમાં આવીને લલ્લુજી મુનિને આશ્વાસનરૂપે કહ્યું કે શ્રીમદ્ જાતે જ ખંભાત પધારીને તમારી સત્સંગપિપાસા છિપાવશે. આ સાંભળીને મુનિશ્રી લલ્લુજીના આનંદની સીમા ન રહી. એ પછી શ્રી અંબાલાલભાઈના ઘેર એકાંતમાં શ્રી સોભાગભાઈએ શ્રીમદે જણાવેલો મંત્ર કહી સંભળાવ્યો અને સાથોસાથ કહ્યું, “તમને પાંચ માળા ફેરવવાની આજ્ઞા કરી છે.” - આ પરિસ્થિતિને કારણે મુનિશ્રી લલ્લુજીને શ્રીસંઘનો ઘણો વિરોધ સહન કરવો પડ્યો. તેઓ એક ગૃહસ્થને ગુરુ માનતા હોવાથી શ્રીસંઘના તેમના પ્રત્યેના ભાવમાં ઓટ આવી હતી. વળી મુમુક્ષુઓ દર પૂર્ણિમાએ રાત-દિવસ ગુરુભક્તિ કરતા હતા. એક વાર મુનિશ્રી લલ્લુજી એમની સાથે ભક્તિ માટે ઉપાશ્રયની બહાર રહ્યા હતા. કેટલાંક શ્રાવક-શ્રાવિકાને આ વાત પસંદ પડી નહીં. મુનિશ્રી લલ્લુજીની પરિસ્થિતિ એવી હતી કે તેઓ શ્રીમદ્ તરફ અગાધ ભક્તિભાવ અનુભવતા હતા અને વખતોવખત તેઓ પ્રત્યક્ષ અને પત્ર દ્વારા માર્ગદર્શન મેળવતા હતા. મુનિ તરીકેનો સામાન્ય શિરસ્તો એવો હતો કે એમણે વ્યાખ્યાન આપવું પડે, પરંતુ આત્માર્થી મુનિએ શું કરવું એવો સવાલ મુનિશ્રી લલ્લુજીના મનમાં ઘોળાતો હતો. એમણે શ્રીમદ્ પાસે આ અંગે માર્ગદર્શન માગ્યું, ત્યારે શ્રીમદે એમને લખ્યું, વ્યાખ્યાન કરવું પડે તો કરવું, પણ આ કર્તવ્યની હજ મારી યોગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે, એમ સમજતાં જતાં ઉદાસીન ભાવે કરવું. ન કરવા માટે જેટલા સામાને રુચિકર અને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા, અને તેમ છતાંય જ્યારે કરવું પડે તો ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું.” | ઉપદેશકનું કર્તવ્ય શું હોય ? એણે માત્ર પોતાની વક્તત્વ છટાથી આંજી નાખવાના હોય ? એનાથી અહમ પોષવાનો હોય ? કે પછી ઉપદેશક સર્વકાળના સર્વ આત્માર્થીઓને દીવાદાંડીરૂપ માર્ગદર્શકની જવાબદારી સંભાળે છે ? એવો સવાલ મુનિશ્રી લલ્લુજીના મનમાં હતો. ઉપદેશ આપવાની યોગ્યતા વિશે શ્રીમદ્ એમને લખે છે, | “યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશકપણું વર્તતું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગપ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે, અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદુ આગ્રહનો તથા કેવળ વેશ-વ્યવહારાદિનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે, ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે.” આ રીતે મુનિશ્રી લલ્લુજી શ્રીમદ્ પાસે પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતા અને શ્રીમદ્ તેઓને યથાસમયે યથાયોગ્ય માર્ગદર્શન આપતા રહ્યા. કરે છે. તે
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy