SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬. ઈડરનાં પહાડોમાં ઇડરના પહાડો અને ગુફાઓ મસ્ત અવધૂત શ્રીમની અલૌકિક ગાન-મસ્તીથી ગાજી ઊઠે છે. આ પુરાણપ્રસિદ્ધ ભૂમિના વાતાવરણમાં શ્રીમદ્ સાત મુનિઓ સાથે અપ્રમત્ત શુદ્ધ આત્માનો અહાલેક જગાવે છે. પૂર્વજન્મોની આરાધનાનાં નિવૃત્તિક્ષેત્રો ફરી સ્મરણમાં જાગે છે. ભૂતકાળના વન-ઉપવનનાં સંભારણાં અને યોગસમાધિના પ્રસંગો તેમજ સત્સંગની ઘટનાઓ દૃષ્ટિ સમક્ષ તર્યા કરે છે. આ ધન્ય ક્ષેત્રો ઉપર પુર્વ કાળમાં જે જે જ્ઞાની પુરુષનો સત્સંગસમાગમ થયો હતો એ કાળનું ધન્ય ભાવથી સ્મરણ કરે છે. શ્રીમદ્રની અખંડ આત્મધૂન ચાલે છે. એવામાં પર્વતની એક મોટી શિલા પર શ્રીમદ્ બેઠા અને બોલ્યા, ભગવાન પુઢવી શિલા પર બિરાજ્યા એવું શાસ્ત્રમાં કહેવામાં આવે છે તે આ પુઢવી શિલા.” ભગવાન મહાવીરે આ પુઢવી શિલા (પૃથ્વી શિલા) પર અઠ્ઠમનું તપ કરીને તપશ્ચર્યા કરી હતી. પોતાના પૂર્વભવમાં અનુભવેલા પૂર્વ ભાવનું સ્મરણ પુઢવી શિલા કરાવતી હતી. અહીં શ્રીમદે ‘દ્રવ્યસંગ્રહ ' ગ્રંથનું વાચન શરૂ કર્યું. એમણે લગભગ અડધો ગ્રંથ વાંચ્યો. શ્રીમદ્ સાથે આવેલા સાતેય મુનિઓએ અપાર આનંદ-ઉલ્લાસ અનુભવ્યો. મુનિશ્રી દેવકરણ તો તીવ્ર વૈરાગ્ય અનુભવવા લાગ્યા. તેઓ તો બોલી ઊઠ્યા, ‘હવે અમારે ગામ જવાની શી જરૂર છે ?” શ્રીમદે કહ્યું, “કોણ કહે છે કે તમે ગામમાં જાઓ ?” મુનિશ્રી દેવકરણજીએ ગોચરી માટે ગામમાં જવું પડે એવા ભાવ સાથે કહ્યું, “પેટ પડવું છે ને ” શ્રીમદે કહ્યું, “મુનિઓનું પેટ તો જગતકલ્યાણ અર્થે છે.” એ પછી શ્રીમદે દર્શાવ્યું કે ધ્યાનની અંદર જેવો આત્મા ચિંતવે છે તેવો તેને ભાસે છે. | આ વાતને માર્મિક ઉદાહરણથી પ્રગટ કરતાં કહ્યું કે ધ્યાનમાં કોઈ પોતાના આત્માને પાડા જેવો ચિંતવે અને ડુંગર જેવું તેનું પૂંછડું ચિંતવે તો તેને તેવો આત્મા ભાસે છે. એ પછી બધા ઊઠયા અને ગામ ભણી ચાલ્યા. શ્રીમદ્ તો ‘દ્રવ્યસંગ્રહ 'ની પ્રથમ ગાથાની ધૂન ગાતા જતા હતા અને ઇડરના પહાડોમાં એનો પ્રતિધ્વનિ પડતો હતો. એમણે થોડે આગળ ગયા પછી મુનિઓને કહ્યું, “તમે બીજે રસ્તે ચાલ્યા જાઓ.” ' આમ કહીને આ અવધૂત ધૂન જગાવતા ડુંગરના જુદા રસ્તે ચાલવા લાગ્યા. ચોથા દિવસે એ જ આંબાના ઝાડ નીચે મુનિઓ આવ્યા અને કાંકરા-કાંટાવાળી વિષમ જગ્યાએ થઈને પહાડ ઉપર ગયા. પરમ સંવેગી શ્રીમદ્ વેગથી પહાડ પર ચઢતા હતા. આ સમયે રસ્તામાં સાત મુનિઓમાંથી એક વેલશી ઋષિ બોલ્યા કે આજે આમાંથી એકાદ જણને મૂકીને જશે, કારણ કે ચઢવાની જગ્યા અત્યંત વિકટ હતી અને શ્રીમદ્ ખૂબ ઝડપથી ચાલતા હતા. પહાડ ઉપર પહોંચ્યા પછી એક શિલા પર સર્વે બિરાજ્યા. શ્રીમદે કહ્યું, “અહીં એક વાઘ રહે છે પણ તમે કોઈ ડરશો નહિ.” આટલું કહ્યા પછી ગૂઢાર્થમાં કહેતા હોય એમ કહ્યું, “જુઓ ! આ સિદ્ધશિલા છે અને આ બેઠા છીએ તે સિદ્ધ .” સિદ્ધયોગી શ્રીમદે કહેલી વાત અત્યંત રહસ્યગર્ભ હતી. તેઓ પોતે દેહધારી છતાં નિર્વાણદશા અનુભવી રહ્યા છે તે દૃષ્ટિએ પોતે સિદ્ધ છે. આવા સિદ્ધયોગી જેના પર બિરાજમાન છે તે ભાવથી સિદ્ધશિલા ગણાય, એમ મુનિઓને સુચવ્યું. સત્સંગની ઇચ્છાથી આવેલા મુનિઓને પાંચ-છ દિવસ આ રીતે ધર્મબોધ આપીને શ્રીમદે વિદાય કર્યા. Education International For Pertanial & Preto De Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy