SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮. પ્રશ્ન પહેલાં ઉત્તર મોરબીના સાક્ષરરત્ન મનઃસુખરામ કિરતુચંદે શ્રીમદૂની અલૌકિક પ્રતિભાનો પાવન સ્પર્શ અનુભવ્યો અને ? વિદ્વાન અને તીવ્ર અભ્યાસવૃત્તિ ધરાવતા મનઃસુખભાઈ શ્રીમદ્ના સત્સંગનો વિશેષપણે લાભ મેળવી શક્યા. મનઃસુખભાઈ કિરતુચંદ પાશ્ચાત્ય કેળવણી પામેલા અને સંસ્કૃત આદિ ભાષાઓના જ્ઞાતા હતા. દેઢ ધર્મશ્રદ્ધા ધરાવનાર મનઃસુખભાઈ પાસે દર્શનોના ગહન તત્ત્વચિંતનને પામવાની વિશેષ દૃષ્ટિ અને શક્તિ હતી. આવી વિદ્વાન વ્યક્તિ શ્રીમનો સત્સમાગમના રંગે રંગાઈ ત્યારે બીજી બાજુ શ્રીમદ્ સ્વયં ભક્તિપૂર્ણ હૃદય ધરાવતા વિદ્વાન પ્રત્યે સાહજિક સ્નેહ ધરાવતા હતા. મનઃસુખભાઈ મોરબીમાં શ્રીમદ્દને સં. ૧૯૫૫ના ચૈત્ર વદ ૬ના રોજ મળવા ગયા ત્યારે એમના મનમાં અનેક સંકલ્પ-વિકલ્પો હતા. શ્રીમદ્ મને મળશે કે નહિ મળે ? મને આદરભાવ આપશે કે નહિ આપે ? વળી મળવાનું બને તો પણ પોતે કાનની બહેરાશ ધરાવતા હોવાને લીધે એમનાં વચનો બરાબર સાંભળી શકશે ખરા ? શ્રીમની આજુબાજુ તો તપોવૃદ્ધ કે જ્ઞાનવૃદ્ધ વ્યક્તિઓનો સમુદાય હોય, તો હું એમને કઈ રીતે મળવા પામીશ ? તેઓ શ્રીમદ્ પાસે ગયા ત્યારે અધ્યાત્મપિપાસુઓ સાથે પરમાર્થચર્ચા ચાલતી હતી, પણ મનઃસુખભાઈના હૃદયની ગડમથલને જાણનાર શ્રીમદે એમને આદરપૂર્વક આવકાર આપીને પોતાની પાસે બેસાડ્યા અને એમના કુટુંબના કુશળ સમાચાર પૂછયા. મનઃસુખભાઈના મનનો ભય તરત શમી ગયો. અંતર્યામી શ્રીમદે પાંચેક મિનિટ પુનઃ જિજ્ઞાસુઓ સાથે જ્ઞાનચર્ચાનો પ્રારંભ કર્યો. ઘેર જઈને મન:સુખભાઈએ પોતાની ધર્મપત્ની સમક્ષ એવો ખેદ પ્રગટ કર્યો કે શ્રીમદ્ જેવા ઉત્તમ પુરુષનો યોગ હોવા છતાં પોતાનું જીવન કેટલું બધું વિષય-કષાયયુક્ત છે ! વિ. સં. ૧૯૫૫ના ચૈત્ર મહિનામાં મનઃસુખભાઈના મનમાં તર્ક જાગ્યો કે, “તિથિપાલનનો અર્થ શો ? વળી એવુંય વિચાર્યું કે બીજ, પાંચમ અને આઠમ વગેરે તિથિને બદલે ત્રીજ કે સાતમ કે એવી અન્ય કોઈ તિથિ પાળીએ તો એમાં ખોટું શું ?” ને એમના મનમાં પ્રશ્ન એ ઘોળાતો હતો કે અમુક નિશ્ચિત તિથિએ લીલોતરી આદિનો ત્યાગ કરીએ, તેને બદલે અન્ય દિવસે કરીએ તો ધર્મ કર્યો ગણાય કે નહિ ? પણ સમય જતાં મન:સુખભાઈના મનમાંથી એવા પ્રશ્નાર્થો અને સંશયો શમી ગયા. થોડા સમય પછી તેઓ શ્રીમદ્રને મળવા ગયા ત્યારે શ્રીમદે એમને કહ્યું, “મનઃસુખ, તિથિ પાળવી.” આમ સામી વ્યક્તિના મનની વાત જાણી તે એનો સંશય પ્રગટ કરે તે પહેલાં શ્રીમદ્ ઉત્તર આપી દેતા હતા. વિ. સં. ૧૯૫૫માં મન:સુખભાઈ મહેતાએ પોલીસખાતામાં કામ કરતા એમના એક સ્નેહીને શ્રીમદૂના સમાગમથી સાંપડેલા અપૂર્વ લાભની વાત જણાવી. પેલા ભાઈ પોલીસખાતાની માયા-કપટથી ભરેલી નોકરીથી અત્યંત અકળામણ અનુભવતા હતા, તેથી એક કાગળ પર પોતાની વ્યથાભરી સ્થિતિની વિગત અને બીજા કાગળ પર શ્રીમને પૂછવા માટેના પ્રશ્નો લખીને મન:સુખભાઈને મોકલ્યા. મન:સુખભાઈ તે પત્ર લઈને શ્રીમદ્ પાસે આવ્યા. થોડી વાતચીત કર્યા પછી કોઈ વ્યક્તિ એક પ્રશ્નનો ઉત્તર ઝંખે છે એમ કહીને મનઃસુખભાઈએ વાતનો પ્રારંભ કર્યો. શ્રીમદે તેઓ કંઈ વિશેષ કહે તે પૂર્વે એ ભાઈની સમગ્ર પરિસ્થિતિ વર્ણવી ! અમુક ભાઈ આ પ્રશ્ન પૂછે છે, તેઓ માયા-કપટથી ભરેલી નોકરીથી ખૂબ મૂંઝાય છે - જેવી સઘળી હકીકત કહી બતાવી. આશ્ચર્યચકિત થયેલા મનઃસુખભાઈએ શ્રીમદ્દને પૂછયું, “શું આપના પર તેમનો કોઈ પત્ર આવ્યો છે ?” શ્રીમદે કહ્યું, “ના, પણ તમારા પર આવ્યો છે ને ?” આમ મનઃસુખભાઈના ઘેર આવેલા પત્ર વિશે શ્રીમદે જ્ઞાનથી જાણી લીધું. પોલીસખાતામાં કામ કરતા એ ભાઈ સાથે શ્રીમદુને કોઈ પરિચય નહોતો કે એની કોઈ જાણકારી નહોતી એની મન:સુખભાઈએ ખાતરી કરી લીધી હતી. in Education International For Personal Private De Only bore
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy