SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪. મુમુક્ષોનું ઋણ શ્રીમદ્ તો અમૃતના મહાસાગર હતા. તેમાંથી કોઈ બિન્દુ, તો કોઈ ગાગર જેટલું યથાપાત્ર અને પોતાની યોગ્યતા મુજબ અમૃતપાન કરી ધન્ય બનતા હતા. જ્ઞાન દિવાકર શ્રીમદ્ભના દિવ્ય જ્ઞાનના પ્રકાશને આત્મસાત્ કરવા મથતા વિશિષ્ટ મુમુક્ષુઓમાં સોભાગ્યભાઈ, મુનિશ્રી લલ્લુજી, જૂઠાલાલભાઈ, અંબાલાલભાઈ હતા. આ ઉપરાંત ડુંગરશીભાઈ, ઊગરીબહેન, માણેકલાલ ઘેલાભાઈ, મનસુખભાઈ કિરતચંદ, પોપટલાલભાઈ મહોકમચંદ, ધારશીભાઈ, મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, મહાત્મા ગાંધીજી, મુનિ શ્રી દેવકરણજી, ખીમજી દેવજી, ત્રિભોવનભાઈ છોટાલાલભાઈ માણેકચંદ, નવલચંદ દોસાભાઈ, વનમાલીભાઈ, કેશવલાલ નથુભાઈ, કુંવરજી મગનલાલ, સુખલાલ છગનલાલ, મનસુખભાઈ દેવસી, મોતીલાલ ભાવસાર તથા કૃષ્ણદાસ આદિ મુમુક્ષુજનો શ્રીમદ્ પાસેથી જીવનજ્યોત પામ્યા હતા. આમ શ્રીમદ્રની અપ્રતિમ અધ્યાત્મપ્રતિભાને પરિણામે એમની આસપાસ આપોઆપ વિશિષ્ટ આત્માર્થી પુરુષોનું વર્તુળ રચાઈ જતું અને ક્રમે ક્રમે તે વિસ્તરતું જતું હતું. શ્રીમદ્ના સત્સંગથી કેટલીયે વ્યક્તિઓની સંસારદૃષ્ટિ બદલાઈ જતી. એમના એકાદ વાક્યના પ્રભાવથી કે એમની સાથેના થોડીક ક્ષણોના મેળાપથી વ્યક્તિનું હૃદયપરિવર્તન થઈ જતું. એમના બાહ્ય ગૃહસ્થ વેશને કારણે એમની આંતરિક શ્રેણી ગુપ્ત જ રહેતી. વળી તેઓ સ્વયં આધ્યાત્મિક બાબતોને પ્રગટ કરવાને બદલે ગુપ્ત રાખવાનું ઇચ્છતા. “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર' અને એમની અન્ય પદસરિતાઓમાં કાવ્ય અને તત્ત્વજ્ઞાનની પરાકાષ્ઠા હતી, પણ શ્રીમદે એને અપ્રગટ રાખી આથી જનસમુહને એમનો ઓછો પરિચય થયો. - વિરલ ભાગ્યશાળી વ્યક્તિઓ શ્રીમદના પરિચયમાં આવી અને એમના જીવનમાં અખ્ખલિત રીતે વહેતા વૈરાગ્યના રંગે રંગાઈ ગઈ. એમનો માનવમાત્ર પ્રત્યેનો કલ્યાણભાવ અને જીવમાત્ર પ્રત્યેનો મૈત્રીભાવ નિકટ આવનાર સહુ કોઈને સ્પર્શી જતા. એમની સરળ અને મિષ્ટ વાણી તથા સહુનું શ્રેય કરવાની વૃત્તિને કારણે એમના પરિચયમાં આવનાર વ્યક્તિ એમની પ્રશંસક બની જતી. એમના ગહન અને સાહજિક જ્ઞાનને કારણે વાદ-વિવાદ કરવા આવેલી વ્યક્તિઓ પણ એમના વિચારપ્રભાવ હેઠળ આવી જતી. આમ કેટલીક વ્યક્તિઓ શ્રીમદ્ પાસેથી અવારનવાર આધ્યાત્મિક માર્ગદર્શન લેતી. કેટલીક વ્યક્તિઓ નિરંતર એમના સત્સમાગમની ઝંખના સેવતી. કેટલીક વ્યક્તિઓ એમને જ્ઞાની ગર કે સદૂગર માનીને એમની આજ્ઞા અનુસાર સાધના કરતી. એમની પાસે કેટલીય વ્યક્તિઓએ મુમુક્ષુ દશા પ્રાપ્ત કરી તો કેટલાકે સમ્યક્દર્શન પણ મેળવ્યું. પ્રત્યેક વ્યક્તિના આધ્યાત્મિક જીવન પર તો એમનો પ્રભાવ પડતો, પણ એમના ગૃહસ્થજીવનની વ્યવહારિક બાબતો પર પણ શ્રીમદ્દ એમને જરૂરી એવો કર્તવ્યપરાયણ રાહ બતાવતા હતા. શ્રીમદૂના ગહન ચિંતનસારને રજૂ કરતું અત્યંત વિશિષ્ટ પત્રસાહિત્ય આપણને સાંપડ્યું તેની પાછળ આ સર્વે મુમુક્ષુઓની અધ્યાત્મઝંખના કારણભૂત ગણાય, આથી જગત આ મુમુક્ષુઓનું ઋણી ગણાય.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy