SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫. દર્શનtતુર મુનિરાજ ધોમધખતા તાપમાં અમૃતવર્ષા થાય તે કેવું ? વિ. સં. ૧૯૪પના વૈશાખમાં અમદાવાદ આવેલા ખંભાતના અંબાલાલભાઈ અને છોટાલાલભાઈને જૂઠાલાલભાઈનો પરિચય થયો. અહીં જૂઠાલાલભાઈ પાસેથી જ્ઞાની શ્રીમદ્ વિશે ઘણી વાતો સાંભળી તેમજ શ્રીમદ્ના પત્રો પણ વાંચ્યા. આથી અંબાલાલભાઈએ ખંભાત ગયા પછી શ્રીમદુને ખંભાતમાં પધારવા માટેની વિનંતી કરતા પત્રો લખ્યા. સાથે એવી વિજ્ઞપ્તિ પણ કરી કે જો શ્રીમદ્ ખંભાત ન આવે તો તેમના સમાગમ માટે વવાણિયા કે મુંબઈ આવવાની અનુમતિ મોકલે. એવામાં અનુકૂળતાએ ખંભાત આવશે એવો શ્રીમનો પત્ર મળતાં અંબાલાલભાઈ અને એમના સાથીઓના આનંદનો પાર ન રહ્યો. | અંબાલાલભાઈ અને એમના સાથીઓ નિયમિતપણે ઉપાશ્રય જતા હતા, પરંતુ શ્રી જુઠાભાઈના સમાગમ બાદ તેઓ વ્યાખ્યાનમાં બેસવાને બદલે કોઈ એકાંત જગ્યાએ બેસીને શ્રીમદ્દના જે પત્રો ઉતારીને લાવ્યા હતા તેનું વાચન અને મનન કરતા. આવી રીતે એક વાર વાચન-મનન ચાલતું હતું ત્યારે બીજી બાજુ ઉપાશ્રયના પહેલા માળે આચાર્યશ્રી હરખચંદજી મહારાજ વ્યાખ્યાન આપતા હતા. આ સમયે ઉપાશ્રયમાં રહેલા પ્રભાવશાળી અને વિનયસંપન્ન મુનિશ્રી લલ્લુજીએ ધર્મસ્નેહથી શ્રી અંબાલાલભાઈને પૂછયું કે તેઓ ઉપાશ્રયમાં નીચે બેસીને શું કરે છે ? ઉપર વ્યાખ્યાન સાંભળવા કેમ જતા નથી ? અંબાલાલભાઈએ એમને શ્રીમદના વ્યક્તિત્વની અને તેઓ સર્વ આગમના જ્ઞાતા હોવાની વાત કરી. એમ પણ કહ્યું કે તેઓ આપણી અધ્યાત્મજિજ્ઞાસાનું યોગ્ય સમાધાન કરી આપે છે. આ સાંભળતાં મુનિશ્રી લલ્લુજીને શ્રીમદ્રને મળવાની પ્રબળ ઉત્કંઠા જાગી. આનું કારણ એ હતું કે વર્ષોથી એમના ચિત્તમાં અમુક ધર્મવિષયક શંકાઓ હતી અને એનું કોઈની પાસેથી એમને સમાધાન મળ્યું નહોતું. મુનિશ્રી લલ્લુજીએ અંબાલાલભાઈને કહ્યું, “એમને તે પુરુષનો મેળાપ કરાવી આપશો ?” અંબાલાલભાઈએ એમની વિનંતી માન્ય રાખી. મુનિશ્રી લલ્લુજી આંતર અને બાહ્ય તપ કરતા હતા તેમજ એમની ધર્મભાવના માટે સર્વત્ર આદર પામતા હતા. આવા મુનિશ્રી લલ્લુજીનો જન્મ સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશના વટામણ ગામમાં વિ. સં. ૧૯૧૦માં કસેલીબાઈની કુખે થયો. ગામઠી નિશાળમાં એમણે અભ્યાસ કર્યો. બીજાં બાળકોના પ્રમાણમાં ઓછી યાદશક્તિ હોવાથી થોડા અભ્યાસ બાદ દુકાને બેસવાનું શરૂ કર્યું. | મુનિશ્રી લલ્લુજી સાથે રોજ ઉપાશ્રયે જઈને સામાયિક કરનારા દેવકરણ ભાવસારે પણ દીક્ષા લીધી. તેઓ મુનિશ્રી લલ્લુજીના ચેલા બન્યા. મુનિશ્રી લલ્લુજી સરળતા, ગુરુભક્તિ અને પુણ્યપ્રભાવ ધરાવતા હતા અને એમના મનની શંકાઓનું સમાધાન સાધતા હતા. વિ. સં. ૧૯૪૬માં અંબાલાલભાઈના આગ્રહને કારણે શ્રીમદ્ ખંભાતમાં પધાર્યા અને એમના ઘરે જ ઊતર્યા. અંબાલાલભાઈ અને તેમના પિતા લાલચંદભાઈ શ્રીમદ્ભને ઉપાશ્રયમાં લઈ ગયા. અહીં મુખ્ય આચાર્યશ્રી હરખચંદજી મહારાજ અને તેમના શિષ્ય શ્રી લલ્લુજી મુનિ બેઠા હતા. મુનિરાજે પોતાની મુશ્કેલીઓ કહી. શ્રીમદે એમના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપ્યો. આમ પ્રથમ દર્શને જ અગાધ પૂજ્યભાવ ઉત્પન્ન થયો. એમને લાગ્યું કે નક્કી આ કોઈ ઉત્તમ પુરુષ છે. & vale Use only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy