SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ DOSTICS SCOOD SO DIST ૩૪. સત્યપરાયણ સત્સંગદt પારસમણિનો સ્પર્શ થાય અને લોહ પારસ બની જાય એ રીતે શ્રીમદ્દનો સમાગમ થતાં જૂઠાલાલભાઈએ નાની વયમાં જ ક્રમશ: ઊર્ધ્વ આત્મિક પ્રગતિ સાધી. શ્રીમદ્રના પ્રથમ સત્સંગી જૂઠાલાલભાઈ અને શ્રીમદ્ વચ્ચે પ્રગાઢ પારમાર્થિક અનુરાગ હતો. વિ. સં. ૧૯૪૪માં શ્રીમદ્ “મોક્ષમાળા' છપાવવા માટે અમદાવાદ આવ્યા ત્યારે શ્રી જઠાલાલભાઈનો પરિચય થયો અને જેમ જેમ એ પરિચય વધતો ગયો તેમ તેમ જ્ઞાની તરીકે શ્રીમદની ઓળખ વધુ થતી ગઈ. એ પછી શ્રીમદ્ અમદાવાદ આવતા ત્યારે જૂઠાભાઈને ત્યાં ઊતરતા. મોરબી અને ભરૂચમાં જૂઠાલાલભાઈ શ્રીમદ્ સાથે રહ્યા હતા. બંને વચ્ચે પરોક્ષરૂ પે અવિરત પત્રવ્યવહાર ચાલતો હતો. જૂઠાલાલભાઈની આંતરિક ગુણસમૃદ્ધિને કારણે શ્રીમદે એમને માટે ‘સત્યપરાયણ ' એવું વિશેષણ નામરૂપે યોજ્યું, પરંતુ એમનાં કુટુંબીજનો તેઓ શ્રીમદૂનો સત્સંગ કરે તેની નિંદા કરતા હતા. આને પરિણામે જૂઠાલાલભાઈ ખેદ અનુભવતા હતા. તે સમયે આવો ખેદ રાખવાને બદલે શ્રીમદ્ એમને કહેતા કે જગત ગમે તે બોલે, પણ આત્મા બંધનરહિત થતો હોય અને સમાધિદશા પામતો હોય તો તેમ કરી લેવું. શ્રીમદ્ પ્રત્યે પરમ પ્રશસ્ત પ્રેમ અને ગુણાનુરાગ ધરાવતા શ્રી જૂઠાલાલભાઈને વિ. સં. ૧૯૪૪ના ચૈત્રથી ૧૯૪૬ના અષાઢ સુધી બે વર્ષનો શ્રીમદ્ સાથેનો અધ્યાત્મકાળ મળ્યો. આટલા અલ્પ સમયમાં પણ શ્રીમદે પાંચેક માસ જેટલો સાક્ષાત્ દર્શન-સમાગમનો લાભ આપીને જૂઠાલાલભાઈને કૃતાર્થ કર્યા. વિ. સં. ૧૯૨૩ના કારતક સુદ બીજના દિવસે જન્મેલા જૂઠાલાલભાઈએ અંગ્રેજી ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને શ્રીમદ્દનો સંગ મળતાં એમની ભક્તિમાં રંગ આવ્યો હતો. આવા સત્સંગીને શ્રીમદે વીસેક પત્રો લખ્યા. ૨૩ વર્ષનું અલ્પ આયુષ્ય ભોગવનાર જૂઠાલાલભાઈનું શરીર છેલ્લાં બે વર્ષ રોગગ્રસ્ત રહ્યું. આ સમયે શ્રીમદ્ પત્રો દ્વારા એમને આત્મકલ્યાણના પથ તરફ લઈ ગયા. આમ જૂઠાલાલભાઈમાં સમ્યભાવથી વેદનીય કર્મ વેદે તેવી અદ્ભુત સમતા હતી. એમના હૃદયમાં મોહનીય કર્મનાં કોઈ આવરણો નહોતાં. આવા પવિત્ર આત્મા જૂઠાલાલભાઈમાં મુમુક્ષુતા મહોરી ઊઠી. જુઠાલાલભાઈને પોતાના ધર્મગુરુ શ્રીમદૂનો એવો વિરહ સાલતો કે જેનાથી એમના શરીર પર અસર થતી. આવા પરમ સદ્ગુરુના અપૂર્વ નિમિત્તનો લાભ પોતે પૂર્ણતયા લઈ શકતા નથી તેનો ખેદ રાખતા હતા. શ્રીમદૂનાં દર્શન માટે પ્રતિક્ષણ તલસાટ અનુભવતા જૂઠાલાલભાઈને શ્રીમદ્ પૈર્ય અને સાંત્વના આપતા હતા. જૂઠાલાલભાઈના દેહોત્સર્ગ અંગે બે મહિના પૂર્વે પોતાના જ્ઞાનબળથી જાણીને શ્રીમદે નોંધ લખેલી : આ ઉપાધિમાં પડ્યા પછી મારું લિંગદેહજન્ય જ્ઞાનદર્શન તેવું જ રહ્યું હોય તો જૂઠાભાઈ અષાઢ સુદ નોમ ગુરુવારની રાત્રે સમાધિશીલ થઈ આ ક્ષણિક દેહનો ત્યાગ કરી જશે.” આમ સમાધિમરણ માટે શ્રીમદે તેમને જાગ્રત કરીને શુદ્ધભાવની શ્રેણીને વિસ્મૃત ન કરવા માટે વિનંતી કરી હતી. શ્રીમદે કહ્યું હતું તે પ્રમાણે શ્રી જૂઠાલાલભાઈ સમાધિસ્થ થયા. અષાઢ સુદ નોમના રાત્રિને બદલે દિવસે એમણે આ ક્ષણિક જીવનનો ત્યાગ કર્યો. અત્યંત આર્તસ્વરે પરમ પરમાર્થ દાખવતા શ્રીમદે જૂઠાલાલભાઈને ભવ્ય અંજલિ અર્પતાં કહ્યું, “અરેરે ! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય ? બીજા સંગીઓના એવા ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માના દર્શનનો લાભ અધિકકાળ તેમને થાય ? મોક્ષમાર્ગને દે એવું સમ્યક્ત્વ જેના અંતરમાં પ્રકાર્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો ! નમસ્કાર હો !”
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy