SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. મંથનમાંથી નવનીત બાળ શ્રીમની ઉંમર ચાર વર્ષની થઈ. એમનું નામ લક્ષ્મીનંદન હતું, એને બદલે ‘રાયચંદ’ - ‘રાજચંદ્ર’ નામ પાડવામાં આવ્યું. દાદા પંચાણભાઈના કારણે શ્રીમના હૃદય પર વૈષ્ણવ ધર્મના પ્રબળ સંસ્કાર પડ્યા હતા. પંચાણભાઈનો કુળધર્મ સ્થાનકવાસી જૈનનો હતો, પરંતુ એમની ભક્તિ બાળ શ્રીકૃષ્ણ તરફ ઢળેલી હતી. આ સમયે કૃષ્ણભક્તિમાં તરબોળ શ્રીમદ્ સાધુજનો પાસેથી ‘શ્રીમદ્ ભાગવત્ ના પ્રસંગો સાંભળતા હતા. રામદાસજી નામના સાધુએ એમને કંઠી બાંધી હતી. દાદા પંચાણભાઈ પાસેથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા, તો માતા-પિતા પાસેથી જૈન ધર્મના સંસ્કાર સાંપડ્યા. માતા દેવમાં જૈન ધર્મના આચાર-વિચારનું દૃઢતાથી પાલન કરતાં હતાં. બાળક પર સ્વાભાવિક રીતે માતાના સંસ્કાર બહુ ગાઢ રીતે પડતા હોય છે. એમને ધીરે ધીરે જૈન સંસ્કારોમાં રસ પડવા લાગ્યો. આ સંસ્કારોએ જ્ઞાનની જિજ્ઞાસા જગાડી અને બાળ શ્રીમદ્ શાસ્ત્રવાચન કરવા લાગ્યા. એમને માટે એક નવી દિશા ખૂલી. હૃદયમાં પડેલા પૂર્વ સંસ્કારો ધીરે ધીરે અંકુરિત થઈને આચાર-વિચારરૂપે પલ્લવિત થવા માંડ્યા . એમના પિતા રવજીભાઈ પણ જૈન ધર્મનું પાલન કરતા હતા. દાદા પાસેથી મળેલા વૈષ્ણવ ધર્મના સંસ્કારો દયમાં હતા, પણ ધીરે ધીરે એના પર જૈન ધર્મની ભાવના પ્રભાવ પાથરવા લાગી. શ્રીમની વય તો સાવ નાની હતી, પરંતુ અસાધારણ વિભૂતિને વયની મર્યાદા ક્યારેય નડતી નથી. બાળ શ્રીમદ્ એમના ઘરના વાતાવરણમાંથી જેમ જેમ સંસ્કારો પામતા ગયા, તેમ તેમ જૈન ધર્મ તરફ રુચિ જાગતી ગઈ. | તેઓએ જોયું કે જૈન ધર્મમાં અત્યંત વિનયપુર્વક જગતના તમામ જીવો પ્રત્યે મૈત્રીની ભાવના ઇચ્છવામાં આવી છે. આ ભાવના બાળ શ્રીમદુના કરણાદ્ર હૃદયને સ્પર્શી ગઈ. એમને ધીરે ધીરે જૈન ધર્મ તરફ પ્રીતિ થઈ. વવાણિયામાં રહેતો જૈન સમાજ બાળ શ્રીમદૂને શક્તિશાળી અને ગામના નામાંકિત વિદ્યાર્થી તરીકે ઓળખતો હતો. જુદા જુદા લોકો વચ્ચે બાળ શ્રીમદ્દ ઉપસ્થિત હોય ત્યારે તેઓ એમની વિશિષ્ટ શક્તિને કારણે પ્રશંસા પામતા હતા. બાળ શ્રીમની વય ઘણી નાની હતી, પરંતુ એમની વિચારસૃષ્ટિ ઘણી ગહન હતી. એમનામાં રહેલા પૂર્વના સંસ્કારો એમની વિચારધારાને વધુ તેજસ્વી બનાવતા હતા. એક બાજુ ભક્તિની લીનતા હતી તો બીજી બાજુ સંચિત જ્ઞાનને પરિણામે મનોમંથન ચાલતું હતું. બે ધર્મસંસ્કારોના પ્રવાહો એમના માનસમાં એકત્રિત થયા હશે, ત્યારે શું થયું હશે ? એમણે કેવું મંથન અનુભવ્યું હશે ? વિચારના મંથનમાંથી કેવું નવનીત તારવ્યું હશે ? કઈ રીતે પોતાને સાંપડેલા વૈષ્ણવ ધર્મના સંસ્કારોમાંથી જૈન ધર્મની ભાવના તરફ વળ્યા હશે ? આનો કોઈ આલેખ આપણી પાસે નથી. માત્ર કલ્પનાના બળે આપણે આપણા મનમાં ધર્મસંસ્કારો વિશેની મથામણોની કલ્પના જ કરી શકીએ. વિભૂતિઓનાં આત્માનાં ઊંડાણો તો અગાધ હોય છે, તેથી આ બધું પામવું આપણે માટે શક્ય ન હોય, પણ એટલી તો ધારણા જરૂર કરી શકીએ કે અતિ નાની વયના બાળ રાજચંદ્રમાં પ્રગલ્મ રીતે ધર્મવિચાર કરવાની ક્ષમતા હશે laimEducation internation For Personal & Pe ste Ong www.nary
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy