SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬. તને નમસ્કાર હો ! વિ. સં. ૧૯૫૩ના જેઠ વદ દસમને દિવસે સવારે ૧૦-૫૦ વાગ્યે શ્રી સોભાગભાઈએ દેહત્યાગ કર્યો. શ્રીમદે આ સમય પોતાના જ્ઞાનબળથી જાણી લીધો. રોજ ગરમ પાણીથી સ્નાન કરતાં શ્રીમદ્દ એ સમયે પહેરેલાં કપડાં સાથે ઠંડા પાણીએ સ્નાન કરવા બેસી ગયા. થોડા કલાક બાદ શ્રી સોભાગભાઈના દેહાંતનો તાર મળ્યો. આમ સેકડો માઈલ દૂર બનેલી શ્રી સોભાગભાઈના દેહોત્સર્ગની ક્ષણને શ્રીમદે એ જ ક્ષણે સ્વયં જ્ઞાનબળથી જાણી લીધી. શુદ્ધ ઉપયોગથી જ્ઞાનની અતિ નિર્મળતાને કારણે આવું બન્યું. શ્રી સોભાગભાઈના સમાધિમરણની સ્થિતિ વિશે એ સમયના સાક્ષી શ્રી અંબાલાલભાઈએ શ્રીમદ્દ પર વિગતે પત્ર લખ્યો. પરમાર્થસખા શ્રી સોભાગભાઈના વિરહની સૌથી વધુ વેદના અનુભવી નિર્મોહસ્વરૂપ સંવેદનશીલ શ્રીમદે. પોતાના પર ઉપકાર કરનાર શ્રી સોભાગભાઈના ભવ્ય આત્માને અંજલિ આપતાં એમના પુત્ર ત્રંબકલાલ પરના આશ્વાસનપત્રમાં શ્રીમદ્દ લખે છે, આર્ય શ્રી સોભાગે જેઠ વદ ૧૦ ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અદ્ભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક ખેદ થાય છે. જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દેઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. વડીલપણાથી તથા તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી, તેમ જ તેમના ગુણના અદ્ભુતપણાથી તેમનો વિયોગ તમને વધારે ખેદકારક થયો છે; અને થવા યોગ્ય છે..... સમાગમમાં આવેલા મુમુક્ષુઓને શ્રી સોભાગનું સ્મરણ સહેજે ઘણા વખત સુધી રહેવા યોગ્ય છે..... આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે..... શ્રી સોભાગ મુમુક્ષુ એ વિસ્મરણ કરવા યોગ્ય નથી.... શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ” પોતાના પરમાર્થ જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલા પોતાના હૃદયરૂપ પરમ વિશ્રામ પરમાર્થસખા શ્રી સોભાગભાઈનો વિરહ મહિનાઓ સુધી અનુભવ્યો એ સમયે અન્ય મુમુક્ષુઓને લખેલા પત્રોમાં પણ શ્રી સોભાગભાઈના ઉત્તમોત્તમ ગુણોનું સ્મરણ કરતા હતા. સાત વર્ષના બંનેના પરમાર્થ સંબંધમાં પ૬૦ દિવસ બંને સાથે રહ્યા હતા અને શ્રી સોભાગભાઈ પરના પત્રોમાં પ્રગટ થતી શ્રીમદ્રની અંતરંગ દશા પરમ જ્ઞાનાવતાર શ્રીમદ્રની ઓળખ આપી ગઈ. પરમ કૃપાળુદેવના પરમાર્થસખા શ્રી સોભાગભાઈને કારણે જ સાયલા એ મુમુક્ષુઓ માટે તીર્થધામ બન્યું. શ્રીમદ્ કહે છે કે, “શ્રી સોભાગ મુમુક્ષુ એ વિસ્મરણ કરવા યોગ્ય નથી.” પોતાની હાથનોંધમાં પરમ પ્રેમમય ભાવપૂર્ણ નમસ્કાર કરતાં શ્રીમદ્ લખે છે, હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો.” નજર તો દેવી દાદ 3) વ ફાટશ છે
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy