SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અને પ્રબળ સ્મૃતિનો પરિચય મળે છે. શતાવધાનને પરિણામે પોતાની કીર્તિ સતત ફેલાતી હતી ત્યારે આ બાહ્ય સિદ્ધિઓને ક્ષણભરમાં ત્યાગીને એમણે આંતર સિદ્ધિઓની ગરિમા બતાવી. એમનાં કાવ્યો, પત્રો અને ગદ્યગ્રંથો દ્વારા આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિનો મનુષ્યજાતિને માટે અનુપમ આલેખ આપ્યો. સ્વયંની દિવ્યજ્યોતિથી કેટલાય જીવોના જીવનને પ્રત્યક્ષ અને એ પછી પરોક્ષ રૂપે પ્રકાશિત કર્યા. એમના નિર્દોષ ચારિત્ર્યમય ચરિત્ર અને એમની સાહજિક વીતરાગવૃત્તિથી તેઓ મહાવીરના મૂળમાર્ગના પ્રદર્શક બની રહ્યા. તેઓએ ધર્મનાં ગૂઢ રહસ્યોને સરળ વાણીમાં સાચા સ્વરૂપે પ્રગટ કર્યો. આમ, સ્વયં અમૃતપદ પામીને જગતને કાજે આત્માનો અમૃત પ્રકાશ વેરનાર શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાને વિશ્વને યોગ્ય માર્ગ બતાવ્યો. આવી દિવ્ય વિભૂતિનું ચરિત્ર આલેખવાની પાછળનો અમારો આશય એટલો જ કે શ્રીમદ્ રાજચંદ્રજીના દિવ્ય પ્રકાશિત જીવનનાં થોડાં કિરણો વાચકો, ભાવકો કે જિજ્ઞાસુઓને સાંપડે અને એ દ્વારા એમનામાં મુમુક્ષા જાગે. એ જાગેલી મુમુક્ષાને એમના આ જીવનચરિત્રમાંથી દિશાસૂચન સાંપડી રહે. આ ગ્રંથની પ્રમાણભૂતતા જાળવવા માટે પૂરતો પ્રયાસ કર્યો છે, આમ છતાં કોઈ ક્ષતિ રહી હોય તો સુજ્ઞ વાચકો જરૂર જણાવે. એ દિવ્ય જ્યોતિનો આત્મપ્રકાશ આપણે સહુ પામીએ અને તે અખિલ વિશ્વને અજવાળતો રહે એ જ અભ્યર્થના. આ ગ્રંથમાં પ્રવેશતાં પૂર્વે આપણા મનની તમામ ગ્રંથિઓનો ત્યાગ કરીએ. આ ચરિત્રનું અવગાહન કરીએ ત્યારે હૃદયમાં વિનય અને નિખાલસતા સાથે અધ્યાત્મજિજ્ઞાસા લઈને જઈએ. આ પ્રેરકકથાનું પાન કરતી વખતે મોક્ષમાર્ગના રહસ્યમાં ગતિ કરવાનો હૃદયમાં | ભાવ અવધારીએ. આ જીવનપ્રસંગોના આલેખ સમયે વિરલ અલૌકિક વિભૂતિની મહત્તાનું દર્શન કરીએ. આ પ્રેરક જીવનકથા જે વ્યક્તિ જે સોપાને છે, એનાથી વિશેષ ઊર્ધ્વ સોપાને ઊધ્વરોહણ કરાવે એ જ અભ્યર્થના. - કુમારપાળ દેસાઈ / /
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy