SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. અચિંત્ય જેનું માહાત્મ છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તે આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે. (પત્રાંક : ૯૩૭). *** કોણ છું ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?” એ પણ જીવ વિચાર કરે તેને નવ તત્ત્વનો, તત્ત્વજ્ઞાનનો સંપૂર્ણ બોધ મળી જાય એમ છે. એમાં તત્ત્વજ્ઞાન સંપૂર્ણ સમાવેશ પામે છે. શાંતિપૂર્વક, વિવેકથી વિચારવું જોઈએ. (પત્રાંક : ૯૫૯) જેમ બને તેમ સદુવૃત્તિ અને સદાચાર સેવવાં, જ્ઞાની પુરુષ કાંઈ વ્રત આપે નહીં અર્થાતુ જ્યારે પ્રગટ માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવાં. પણ ત્યાં સુધી યથાશક્તિ સદ્ગત અને સદાચાર સેવવાં એમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે. દંભ, અહંકાર, આગ્રહ, કંઈ પણ કામના, ફળની ઇચ્છા અને લોકને દેખાડવાની બુદ્ધિ એ સઘળા દોષો છે તેથી રહિત વ્રતાદિ સેવવાં. વારંવાર બોધ સાંભળવાની ઇચ્છા રાખવા કરતાં પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઇચ્છા અને ચિંતન વિશેષ રાખવી. જે બોધ થયો છે તે સ્મરણમાં રાખીને વિચારાય તો અત્યંત કલ્યાણકારક છે. (પત્રાંક : ૯૫૯, ઉપદેશ છાયા - ૩). *** જ્ઞાન તેનું નામ કે જે હર્ષ, શોક વખતે હાજર થાય; અર્થાત્ હર્ષ, શોક થાય નહીં. સદ્દગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોચ્છવાસ સિવાય બીજું કાંઈ ન ચાલે એવી જિનની આજ્ઞા છે. (પત્રાંક : ૯૫૬, ઉપદેશ છાયા-૪) *** સર્વ ચરિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે “બ્રહ્મચર્ય' અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે. (હાથનોંધ ૩, પૃ. ૪૭) કામ, માન અને ઉતાવળ એ ત્રણનો વિશેષ સંયમ કરવો ઘટે છે. (હાથનોંધ ૧, પૃ. ૧૦૧) *** જેમ જેમ રાગદ્વેષ મંદ, તેમ તેમ કર્મબંધ મંદ અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર, તેમ તેમ કર્મબંધ તીવ્ર. રાગદ્વેષનો અભાવ ત્યાં કર્મબંધનો સાંપરાકિય અભાવ (હાથનોંધ ૨, પૃ. ૧૫) *** આમ કાળ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. સમયે સમય આત્મઉપયોગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. (હાથનોંધ ૨, પૃ. ૨૯) * * * મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. NSSE: SS SRI 2
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy