SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. કરુણાનું આકાશ કવિઓ જન્મે છે, બનાવાતા નથી. કવિતા સર્જવા માટે સંવેદનશીલ હૃદય જોઈએ અને એ હૃદયમાં જાગતા ભાવોને શબ્દમાં સાકાર કરવા માટે શબ્દશક્તિ જોઈએ. અભ્યાસમાં અસાધારણ તેજસ્વી એવા બાળ શ્રીમદ્ કવિતાસર્જનની એવી જ અનુપમ શક્તિ ધરાવતા હતા. શ્રીમમાં કવિહૃદય, જ્ઞાની હૃદય અને અધ્યાત્મહૃદય – એમ ત્રણ હૃદયોનું મિલન થયું હતું. એમના હૃદયમાં એમની સંવેદનશીલતા અને સર્વોદ્ધારની ભાવના અવિરત ધબકારા લેતી હતી. પોતાની આસપાસના સમાજને જોતાં બાળ શ્રીમદ્ના હૃદયમાં મોટું મનોમંથન ચાલતું. એમના કરુણાસાગર હૃદયમાં આસપાસ દેખાતી કરુણ પરિસ્થિતિ સામે એક અવાજ ઊઠતો હતો. એ સમયે સ્ત્રીઓની અતિ દુર્દશા હતી. કુસંપ સમાજને ફોલી ખાતો હતો. એમની આ અંતરવેદના હૃદયમાંથી સહજપણે કાવ્યરૂપે બહાર પડતી. દેશની અવનતિ જોઈને શ્રીમદ્રનો આત્મા વ્યથિત થઈ જતો હતો. જે સમયે દેશભક્તિ વિશે ભાગ્યે જ કોઈ વિચાર કરતું હતું, ત્યારે શ્રીમદે દેશભક્તિને લગતાં કાવ્યોની રચના કરી. જે એમના હૃદયમાં રહેલી દેશદાઝ પ્રગટ કરે છે. સાતમા વર્ષે અક્ષરજ્ઞાન લેવાનું શરૂ કર્યું અને આઠમા વર્ષે તો શ્રીમદે કાવ્યરચના કરી. પાછળથી તપાસતાં એ કાવ્યરચના સમાપ લાગી. આઠમા વર્ષે જુદા જુદા વિષયો પર કાવ્યરચના કરતા પાંચ હજાર શ્લોકો લખ્યા. દસ વર્ષની વયની એમની કાવ્યરચનામાં કોઈ ઊંડા અનુભવીના દર્શન થતા હતા. અગિયાર વર્ષે તો જુદા જુદા વિષયો પર ચોપાનિયાંઓમાં લખવાનું શરૂ કર્યું. એમને એ લખાણો માટે યોગ્ય ઇનામો પણ મળ્યાં હતાં. બાર વર્ષની વયે તો કેટલાય નવા નવા વિષયો પર એમની લેખિની ચાલવા લાગી. | રામાયણ અને મહાભારતને કાવ્યમાં સંક્ષિપ્તરૂ પે આલેખ્યાં. નારી-કેળવણી વિશે નિબંધરચના કરી. એ ધર્મદર્પણ', ‘સુબોધપ્રકાશ', ‘વિજ્ઞાનવિલાસ', ‘સૌરાષ્ટ્રદર્પણ” જેવાં સામયિકમાં બાળ શ્રીમદ્રના દેશપ્રેમ, સમાજસુધારણા અને ધર્મવિચારણાના વિષયને આલેખીને એમણે કાવ્યોની રચના કરી. સોળ વર્ષે તો એમણે ‘પુષ્પમાળા નું અવલોકન લખ્યું. આમ અપ્રતિમ ઋતિશક્તિ ધરાવનાર બાળ શ્રીમદની કાવ્યશક્તિ પણ એટલી જ ઉત્કૃષ્ટ હતી. એમણે કાવ્ય-આલેખનની સાથે તેર વર્ષની ઉંમર સુધીમાં તો અનેક બોધગ્રંથો અને ધર્મગ્રંથોનું વાચન કર્યું હતું. તેર વર્ષની વય બાદ તત્ત્વવિચારણાનાં પુસ્તકોનું એમનું વાચન નિયમિત ચાલ્યું. એ પછી સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાનું જ્ઞાન પણ મેળવ્યું. એમની કાવ્યરચનાઓને કારણે તેઓ કવિ રાયચંદ તરીકે જાણીતા બન્યા. જગત તરફ અત્યંત સંવેદનશીલ હૃદય ધરાવે એ જ કાવ્યમાં કોમળ ભાવોને ગૂંથી શકે. બાળ શ્રીમદ્દનું હૃદય તો જગતના સર્વ જીવો ઉપરાંત સૂક્ષ્મ જીવો તરફે પણ એટલી જ સંવેદના અનુભવતું હતું. માતા દેવમાના કામમાં તેઓ સતત મદદરૂપ થતા. એક દિવસ દેવમાએ તેમને શાક સમારવા આપ્યું. માતાને કામમાં મદદરૂપ થતાં શ્રીમદે શાક સમારવાનું શરૂ કર્યું. પ્રતિક્રમણ સૂત્ર અને સામાયિક સૂત્ર જેવાં સૂત્રોને જાણનાર શ્રીમની આંખમાંથી શાક સમારતાં આંસુની ધારા વહેવા માંડી. દેવમાએ દીકરાની આંખમાં આંસુ જોઈને પૂછયું, “આ શાક સમારવામાં તને રડવું કેમ આવે છે ?” માતાના આ પ્રશ્નનો શ્રીમદ્ શો ઉત્તર આપે, એમના હૃદયમાં તો લીલોતરીના જીવો પર પણ અપાર કરુણા વરસી રહી હતી. આ કારણથી એમની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી, પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવો સાથે તાદાત્ય સાધનોર જ્ઞાનીની વેદના સમજે કોણ ? જેના હૈયામાં કરુણાનું આકાશ હોય એ જ આ અનુભવી શકે. Education Forecta) Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy