SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬. જાશું સ્વરૂપ સ્વદેશ રે શરીરમાં વધતો વ્યાધિ અને ભીતરમાં અનુપમ સમાધિ ! લૌકિક જીવનનાં આધિ, વ્યાધિ અને ઉપાધિને આસક્તિથી વળગી રહેનારાને જ્ઞાનીની અલૌકિક દૃષ્ટિનો ખ્યાલ આવતો નથી. લૌકિક દૃષ્ટિ દેહની પીડા જુએ છે. અલૌકિક દૃષ્ટિ અધ્યાત્મનો આનંદ માણે છે. આથી જ મુમુક્ષુ જીવના સંકલ્પને દર્શાવતાં શ્રીમદ્ કહે છે, “અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાથની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.' (ક્રમાંક : ૭૧૯) શ્રીમદ્ વઢવાણથી અમદાવાદ થઈ મુંબઈ પધાર્યા. મુંબઈથી વલસાડ પાસે તીથલ રહી પાછા જન્મભૂમિ વવાણિયામાં આવ્યા. શ્રીમદે છેલ્લે જન્મક્ષેત્ર વવાણિયાં છોડ્યું, ત્યારે વિદાય લેતા પૂર્વે પોતાનાં ઘર અને ડેલીને, એ પછી માતા-પિતા અને મિત્રોને વારંવાર નમસ્કાર કર્યા. ગામના પાદરે આવ્યા, ત્યારે શ્રીમદે પોતાના ગામને નમસ્કાર કર્યા હતા. હવાફેર માટે આટલાં બધાં સ્થળાંતર કર્યા છતાં શ્રીમદ્દનું શરીર સુધરવાને બદલે વધારે ક્ષીણ થતું ગયું. એક સમયે એમના તંદુરસ્ત શરીરનું વજન ૧૩૦થી ૧૪૦ રતલ રહેતું તે ઘટીને ૫૭ રતલ જેટલું થઈ ગયું. ૧૯૫૭ના ફાગણ સુદ છઠ્ઠના દિને વઢવાણથી રાજ કોટ પધાર્યા. નિગ્રંથ પંથે અપ્રમત્ત યોગધારાએ અનંત નિર્જરા કરતા. શ્રીમદ્ તીવ્ર સંવેગથી આધ્યાત્મિકતાના શિખર તરફ ગતિ કરી રહ્યા હતા. દેહોત્સર્ગના લગભગ એક મહિના પૂર્વે તેઓ જણાવે છે કે : “ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો. તે આત્મવીર્ય કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતા પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો.” (પત્રાંક ૯૫૧) અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ, રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.” તીવ્ર અશાતાના ઉદયમાં પણ શ્રીમની સમતા અદ્દભુત હતી. આનું પ્રમાણ આપતાં શ્રીમદ્ લખે છે : જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્દભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.” વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેચવામાં હર્ષ-શોક શો ? સમ્યક્ પ્રકારે વેદના અહિયાસવારૂપ પરમ ધર્મ, પરમ પુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતા સ્વરૂપભ્રંશ વૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે.” દેહોત્સર્ગ પર્વે દશ દિવસે રાજકોટમાં ચૈત્ર સુદ નોમ (રામનવમી) સં. ૧૯૫૭ના મુમુક્ષુજનની વિનયપૂર્ણ વિનંતીથી એ દિવસે શ્રીમદે દિવ્ય અંતિમ સંદેશો આપ્યો છે. તે સમયે તેમના શરીરની અશક્તિ એટલી બધી હતી કે તેઓ જાતે લખી શકતા પણ નહોતા, છતાંય એમનો આત્મા સનાતન સ્વસ્થ હતો. શ્રીમદે સકળ યોગમાર્ગનું અપૂર્વ રહસ્ય આમાં પ્રકાર્યું છે. આ કાવ્યમાં યોગીની મોક્ષપદની ઇચ્છા બતાવી છે. તે મોક્ષપદ કેવું છે, તેની પ્રાપ્તિ કઈ રીતે થાય અને તે માટે આત્માની કેવી યોગ્યતા હોવી જોઈએ તેનો માર્મિક અને પદ્યમાં પ્રવાહી રીત ચિતાર આપ્યો છે. ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. Jain Education international For Personal & Pilvate Use Ordy
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy