SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ છે ને તે " જ ક ' '; ૭૪. વીતરાગકુત એ જ પરમશ્રત શ્રીમદ્દ અમદાવાદ આવ્યા. આજે અમદાવાદ શહેરનો વિસ્તાર ગણાતું નરોડા એ સમયે એક અલાયદું ગામ હતું. નરોડામાં મુનિઓ બિરાજમાન હતા. અમદાવાદથી શ્રીમદ્ આવે અને નરોડા ગામની ભાગોળે મુનિઓ આવે. બધા સાથે મળીને જંગલમાં જાય એવી યોજના હતી. મુનિઓ નરોડા ગામની ભાગોળે શ્રીમદ્રની રાહ જોઈ ઊભા રહ્યા. એટલામાં શ્રીમદ્ મુમુક્ષુઓ સાથે આવ્યા. “આ મુનિઓના પગ દાઝતા હશે ” એમ બોલીને શ્રીમદે પોતાનાં પગરખાં કાઢીને તડકામાં ચાલવાનું શરૂ કર્યું. સમગ્ર મુનિસમુદાય તથા શ્રીમદ્દ અને મુમુક્ષુઓ રસ્તામાં આવેલા વિશાળ વડની છાયામાં વિશ્રામ કરવા બેઠા. ખુલ્લા પગે તડકામાં ચાલવાને કારણે શ્રીમદ્જીના પગનાં તળિયાં લાલચોળ થઈ ગયાં હતાં, પરંતુ વડ નીચે બેઠા પછી પણ એમણે બળબળતા પગ પર હાથ ફેરવ્યો નહિ. | મુનિશ્રી દેવકરણજી સામે જોઈને શ્રીમદ્ બોલ્યા, “હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ. કોઈના પરિચયમાં આવવું ગમતું નથી. એવી સંયમશ્રેણીમાં રહેવા આત્મા ઇચ્છે છે.” - અમદાવાદથી સં. ૧૯૫૬ના વૈશાખ સુદ ૬ના રોજ મુનિશ્રી લલ્લુજીને પત્ર (ક્રમાંક ૯૧૭) દ્વારા શ્રીમદ્ આ સંદેશ આપે છે, “આજે દશાઆદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં. તે સફળ થશે. ‘ચતુરંગલ હૈ દમસે મિલ હૈ –' એ આગળ પર સમજાશે. એક શ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે.” | એ પછી શ્રીમદ્દ એમની જન્મભૂમિ વવાણિયા પધાર્યા. અહીં ત્રણ મહિના રહીને મોરબી પધાર્યા. મોરબીમાં એક માસ રહ્યા તે સમયે વ્યાખ્યાનસાર-૨ની આધ્યાત્મિક અમૃતધારા વરસાવી હતી. મોરબીથી શ્રીમદ્ વઢવાણ કૅમ્પ પધાર્યા. એમણે જ્ઞાનવિમુખ સમાજને જોયો. આવો સમાજ તત્ત્વલક્ષી બને તે માટે ગ્રંથોની જરૂર હતી. માટે મહાન આચાર્યોના અપ્રસિદ્ધ ગ્રંથો પ્રસિદ્ધ કરવાના ઉદ્દેશથી શ્રીમદે વઢવાણમાં ૧૯૫૬ના ભાદ્રપદ માસમાં ‘પરમશ્રુત પ્રભાવક મંડળ ની સ્થાપના કરી. આ મંડળના ઉપક્રમે તથા અંબાલાલભાઈ અને શ્રીમદ્ના નાનાભાઈ મન:સુખભાઈની મહેનતને પરિણામે સં. ૧૯૬૧માં ‘શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ. એ પછી એ આવૃત્તિ પર બે વર્ષ વિશેષ સંશોધન કરીને શ્રીમના સમકાલીન સાક્ષર-શિષ્ય શ્રી મનસુખભાઈ કિરતુચંદ મહેતાએ એની બીજી આવૃત્તિ પ્રગટ કરી. ‘પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના એ શ્રીમદૂના જીવનનું એક મહાન કાર્ય ગણાય. વ્યાધિને કારણે એમનું શરીર અત્યંત નિર્બળ થઈ ગયું હતું, પરંતુ પરમશ્રત પરના પરમ પ્રેમને કારણે અને પ્રબળ આત્મબળને લીધે એમણે આ સંસ્થાની સ્થાપના કરી. સતુશ્રુતનો-પરમકૃતનો જગત પર કેટલો બધો ઉપકાર છે એની વાત કરતાં “મોક્ષમાળા'માં શ્રીમદે ગાયું છે – “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સક ળ જગત હિતકારિણી, હારિણી માંહ, તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈમેં માની છે; અહો રાજચંદ્ર ! બાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.” શ્રીમદની પ્રેરણા અને માર્ગદર્શનથી સં. ૧૯૫૭ના મહા સુદ પાંચમે પુણ્યાત્મા શ્રી ગાંડાભાઈ ભાઈજીના વરદ હસ્તે ખંભાત ખાતે ‘શ્રી સુબોધક પુસ્તકાલય ની સ્થાપના થઈ. ગચ્છ મત સંબંધી કોઈ શબ્દ ન આવે તે રીતે પુસ્તકાલયનું નામ “શ્રી સુબોધક પુસ્તકાલય ' રાખ્યું. એનાં પુસ્તકોની ખરીદી શ્રીમદે અમદાવાદ અને મુંબઈ જઈને કરી હતી. For Personal Private Use Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy