SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. અતીન્દ્રિય જ્ઞાન.દક્તિ હેમરાજભાઈ અને માલશીભાઈને પારાવાર આશ્ચર્ય થયું કે સાવ અપરિચિત એવાં એમનાં નામ શ્રીમદ્જીએ કઈ રીતે જાણ્યાં ? આ માર્ગેથી સાંઢણી પર સવાર થઈને તેઓ આવી રહ્યા છે તેવો ખ્યાલ કઈ રીતે આવી ગયો ? તેમણે શ્રીમદ્દને આ અંગે પૂછયું ત્યારે એમણે એટલું જ કહ્યું, “આત્માની અનંત શક્તિઓ છે તે દ્વારા અમે જાણીએ છીએ.” | એ પછી શ્રીમદ્ પોતાના આ અતિથિઓને ધારશીભાઈના ઉતારે લઈ ગયા. ધારશીભાઈએ એમની સરભરા કરી. બંને કચ્છી ભાઈઓએ શ્રીમદ્ સાથે એકાંતમાં વાતચીત કરવાની ઇચ્છા દર્શાવી. ધારશીભાઈએ એમને માટે અનુકુળ સ્થાનની વ્યવસ્થા કરી આપી. આ બંને કચ્છી ભાઈઓએ બાળ શ્રીમદ્રની સ્મૃતિશક્તિ, વાકછટા, કવિતાશક્તિ તથા એમના ચમત્કારોની ઘણી વાતો સાંભળી હતી. એ શક્તિનો પરચો પ્રત્યક્ષ પામવાની એમની ઇચ્છા હતી, આથી તેઓ ‘સંઘપક’ નામના ગ્રંથની એક ગાથા લાવ્યા હતા. એના અક્ષરો લોમવિલોમ સ્વરૂપમાં, આડાઅવળા સંભળાવ્યાં. શ્રીમદે એ પોતાની સ્મૃતિમાં સાચવ્યા અને પછી પોતાની સ્મૃતિમાં જ એને બરાબર ગોઠવીને આખો શ્લોક કહી સંભળાવ્યો. કેવું આશ્ચર્ય ! એમની આ શક્તિ જોઈને ક્ષણભર તો આ કચ્છી ભાઈઓને થયું કે આવી અસાધારણ બુદ્ધિ-શક્તિ ધરાવતી વ્યક્તિને કાશી મોકલવાનો અને કશું ભણાવવાનો અર્થ ખરો ? આમ છતાં પોતે આ હેતુ માટે આવેલા હોવાથી રાયચંદભાઈને વાત કરી, “ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ કાશીમાં જઈને આપ સરસ્વતીની આરાધના કરો. અમે આપની અને આપના કુટુંબની સઘળી જવાબદારી ઉપાડીશું.” બાળ શ્રીમદે “અમારાથી આવવાનું નહીં બને” એમ કહીને સ્પષ્ટ રૂપે ના પાડી. કચ્છી ભાઈઓના મનમાં તો એમ હતું જ કે આવા લોકોત્તર પુરુષને કાશી મોકલીને કશો ફાયદો થાય તેમ નથી. એ પછી હેમરાજભાઈ અને માલશીભાઈ ન્યાયાધિકારી ધારશીભાઈ પાસે આવ્યા. કચ્છી ભાઈઓએ કહ્યું કે, “અમારું અહીં આવવાનું પ્રયોજન અને હેતુ નિષ્ફળ ગયાં છે.” ધારશીભાઈએ પૂછ્યું, “તમારું પ્રયોજન અને ધારણા શું હતાં ?” હેમરાજભાઈએ એમના પ્રસ્તાવની અને શ્રીમદે કરેલા અસ્વીકારની વાત કરી. સાથોસાથ એમ પણ કહ્યું કે એમને ખબર નહોતી આપી તેમ છતાં જ્ઞાનબળથી જાણીને શ્રીમદ્ સામે ચાલીને એમને લેવા આવ્યા. પૂર્વે કોઈ પરિચય નહોતો, એમને જોયા પણ નહોતા, આમ છતાં બાળ શ્રીમદે અમને નામ દઈને બોલાવ્યા. ધારશીભાઈએ પણ પોતાના અનુભવની વાત કરી. એમણે કહ્યું કે બે કચ્છી ભાઈઓ આવી રહ્યા છે તેવો ખ્યાલ શ્રીમને આવી ગયો હતો અને તેથી જ એમને અતિથિ ગણીને બધી સગવડ આપવા માટે એમને કહ્યું હતું. ધારશીભાઈને પહેલાં એમ લાગ્યું કે છેક કચ્છથી અહીં આવીને કાશીમાં વિદ્યાભ્યાસ કરવાની સગવડ આપવાની અને કુટુંબની સઘળી જવાબદારી ઉપાડવાની તૈયારી સાથે આવેલા આ ભાઈઓને શ્રીમદ્ ના શા માટે પાડે છે, પરંતુ ધારશીભાઈને સમજાયું કે બાળ શ્રીમદ્ તો જ્ઞાનના સાગર છે. માત્ર કોઈને એનો ખ્યાલ આપવા ઇચ્છતા નથી. એમના જ્ઞાનાદિ ગુણોનું અચિંત્ય માહાભ્ય ધારશીભાઈને સમજાયું. પોતાના મોસાળથી શ્રીમદ્ વવાણિયા પાછા ફર્યા ત્યારે એમને મોસાળમાંથી ભાતારૂ પે મીઠાઈનો એક ડબ્બો ભરી આપ્યો હતો. શ્રીમદ્ મામાઓની અને ધારશીભાઈની રજા લઈને વવાણિયા જવા નીકળ્યા, પરંતુ એમની પાસે રાજકોટથી વવાણિયા જવા માટે ગાડી ભાડાના પૈસા નહોતા. પરંતુ કોઈની પાસે હાથ તો લાંબો કરે નહિ. ભાતાની મીઠાઈ કંદોઈને વેચીને ગાડીના ભાડા પૂરતા પૈસા મેળવ્યા. Jain Education International For Personal Private Us On
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy