SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. અગમના એંધાણ આત્માની અનંત શક્તિઓને કારણે બાળ શ્રીમદ્દ ભવિષ્યમાં બનનારી ઘટનાને જોઈ શકતા હતા. હેમરાજભાઈ અને માલશીભાઈ સાથેના પ્રસંગમાં એમની અતીન્દ્રિય શક્તિનો પરિચય મળ્યો. નિશાળના શિક્ષકોએ જેમ માન્યું કે આ બાળકને શું ભણાવી શકાય ? એ તો બધું ભણી ચૂક્યો છે. ધારશીભાઈએ જાણ્યું કે આ બાળક તો એની અતીન્દ્રિય શક્તિથી કશીયે જાણ વિના આવી રહેલા મહેમાનોનો સંકેત પણ મેળવે છે. ઊંચી ભાવના સાથે આવેલા હેમરાજભાઈ અને માલશીભાઈને તો પ્રથમ પ્રસંગે જ બાળ શ્રીમની આત્મશક્તિનો અનુભવ થયો. વવાણિયામાં રહેતા શ્રીમમાં લઘુ વયમાં જ અનેક પ્રકારની અદૂભુત શક્તિઓ ખીલી ઊઠી હતી. પૂર્વજન્મનો સંસ્કાર-વારસો લઈને આવેલા શ્રીમદે એ જ્ઞાનવારસાને વધુ ઉજ્વળ બનાવ્યો હતો. જન્મક્ષેત્ર વવાણિયામાં અને પછી મોરબીમાં જેટલું ધર્મસાહિત્ય ઉપલબ્ધ હતું તે બધું જ થોડા સમયમાં વાંચી નાંખ્યું હતું બાળ શ્રીમદ્ પોતાના નિર્મળ અતીન્દ્રિય જ્ઞાનથી ભાવિમાં બનનારી ઘટનાઓનાં એંધાણ મેળવી શકતા હતા. એમાં પણ કોઈને ભવિષ્યમાં આફત આવવાની હોય તો કરુણાસાગર શ્રીમદ્ એને વખતસર ચેતવી દેતા. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની વેદના જાણીને એને માટેય કરુણા-સભર શ્રીમદ્દનું હૃદય માનવીને માટે તો કેટલું બધું દયાળુ હોય ! કોઈ વ્યક્તિ પર આવનારી આફતની જાણ થાય તો એને ઉગારી લેવા તેઓ તત્પર બની જતા. વવાણિયા ગામમાં ગરાસિયા બાપુ રહે, રોજ ઘોડી પર બેસીને ફરવા નીકળે. એક વાર તેઓ આ રીતે ફરવા જતા હતા ત્યારે શ્રીમદે કહ્યું, “બાપુ, આજે તમે ઘોડી લઈને ફરવા ન જશો.’ ગરાસિયા બાપુને આશ્ચર્ય થયું. જિંદગીનો એક દિવસ પણ એવો નહોતો ગયો કે એ ઘોડી લઈને ગામ બહાર ફરવા ન ગયા હોય ! આથી એમણે બાળ શ્રીમની વાત કાને ધરી નહીં. શ્રીમદે ફરી એમને અટકાવ્યા અને કહ્યું, “બાપુ, આજે ઘોડી પર બેસીને ગામ બહાર ફરવા જવાનું રહેવા દો તો સારું.” ગરાસિયા બાપુએ કહ્યું, “કેમ આજે ફરવા ન જાઉં ? આ જાતવાન ઘોડી છે. વર્ષોથી એના પર બેસીને ગામ બહાર ફરવા જાઉં છું. તો પછી વાંધો શું ?” બાળ શ્રીમદે લાગણીભેર કહ્યું, “બાપુ, ભલે તમે જતા હો; પણ આજે રહેવા દો.” ગરાસિયા બાપુએ કહ્યું, “અરે ! એમ પાછા ફરે તે બીજા. ડર વળી શેનો રાખવાનો ? આવજો ત્યારે રામ રામ.” ગરાસિયા બાપુ ઘોડી લઈને ગામ બહાર નીકળ્યા. એવામાં ઘોડી તોફાને ચડી, બાપુએ એને વશમાં લેવા ઘણા પ્રયત્ન કર્યા, પણ સહેજે કાબૂમાં ન આવી. ઘોડીએ બાપુને ઉછાળ્યા અને જમીન પર પછાડ્યા. જોરથી જમીન પર પટકાયા. ગામમાં ખબર પહોંચી. એમનાં સગાંઓ દોડતાં આવ્યાં અને જોયું તો બાપુનાં હાડકેહાડકાં ભાંગી ગયાં હતાં. વેદનાથી ચીસો પાડતા હતા. એમનાં સગાંઓ ચોફાળ લાવ્યા અને ચાર જુવાનિયાઓ ચોફાળ ઊંચકીને બાપુના દેહને ગામમાં લાવ્યા. થોડી વારમાં તો બાપુનું પ્રાણપંખેરું ઊડી ગયું. | બાળ શ્રીમદ્રના કરુણાદ્ધ હૃદયે આ જાણ્યું ત્યારે એમને દુ:ખ થયું. ગરાસિયા બાપુએ એમની વાત માની હોત તો આવી હાલત થઈ ન હોત. Jain Boucation national FO PER & Pre Use brary
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy