SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ | ૪. સમાધિસ્થ બાળ યદદt બાળ શ્રીમદ્દનું જન્મનું નામ લક્ષ્મીનંદન હતું. તેઓ ત્રણ વર્ષના થયા ત્યારે માતા દેવબાઈ એમને તેડીને પડોશમાં આવેલા નકુ ડોશીને ત્યાં જતાં હતાં. સામાન્ય રીતે ત્રણ વર્ષનું બાળક રડતું હોય અથવા તો તોફાનમસ્તી કરતું હોય, પણ દેવબાઈ પોતાના આ ત્રણ વર્ષના દીકરાને જોઈને અપાર અચરજ પામે. એ વિચારે કે કેવો છે આ દીકરો ! | ત્રણ વર્ષનું બાળક તો અતિ ચંચળ હોય, ત્યારે આ તો જ્યાં બેસાડો ત્યાં શાંતિથી બેસી રહે છે. દેવબાઈ નફ ડોશીને ત્યાં જાય અને એકાદ કલાક બેસે, ત્યારે આ બધો સમય આ બાળક તો સહેજે હલનચલન કર્યા વિના મૂર્તિની માફક સ્થિર બેસી રહે. જાણે મન, વચન અને કાયાના યોગરહિત શાંત ભાવમુનિ ન હોય ! જે ઉંમરે બાળકમાં જાતજાતના અને ભાતભાતના તરંગો જાગતા હોય. ચિત્ર-વિચિત્ર કેટલીય ચેષ્ટાઓ કરતો હોય, એવી ઉંમરે બાળ શ્રીમદ્ જાણે કોઈ સમાધિસ્થ યોગી હોય તેવું લાગતું હતું ! દાદા પંચાણભાઈના જીવનમાં આનંદ ફેલાઈ ગયો. એક તો મોટી વયે એમને રવિચીમાતાની કૃપાથી રવજીભાઈનો જન્મ થયો. સંતાનની ઝંખના તો પૂરી થઈ, પણ પછી વ્યાજના વ્યાજ સમા વહાલા પૌત્રની પ્રાપ્તિ થઈ. દાદા પંચાણભાઈ રાજચંદ્રને પોતાની પાસે રાખે. એમને ખૂબ લાડ લડાવે, પોતાની સાથે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા લઈ જાય, બાળ શ્રીમદ્ ઠાકોરજીના દર્શન કરવા જતા. અહીં બાળ કૃષ્ણની ભક્તિ થતી. દાદા દીકરાને ‘શ્રીમદ્ ભાગવતુ ના પ્રસંગો કહે, જુદા જુદા અવતારોની વાત સંભળાવે. એ અવતારના ચમત્કારો બાળ શ્રીમદ્ ખૂબ ભાવથી સાંભળે. અવતારોની કલ્પના એમના બાળહૃદયમાં રોમાંચ જગાવતી હતી. - એ સમયની પોતાની મનોભાવનાનો આલેખ કપાળદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ ‘સમુચ્ચયવયચર્યા 'માં કર્યો છે. શ્રીમદે પોતાના ત્રેવીસમાં જન્મદિવસે પોતાના જીવનની ગવેષણા કરતા પોતાની તેર વર્ષ સુધીની ઉંમરની ઘટનાઓ આમાં આલેખી છે અને એ સમયના એમના ચિત્તમાં જાગેલા વિચારોનું એમાં પ્રતિબિંબ ઝિલાયું છે. પોતાના આ સમય વિશે વૈષ્ણવ ધર્મની વિચારધારાનું આલેખન કરતાં તેઓ કહે છે, તેના સંપ્રદાયના મહંત હોઈએ અને ત્યાગી હોઈએ તો કેટલી મજા પડે એ જ વિકલ્પના થયા કરતી તેમજ કોઈ વૈભવી ભૂમિકા જોતો કે સમર્થ વૈભવી થવાની ઇચ્છા થતી. પ્રવીણસાગર નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતો; તે વધારે સમજ્યો નહોતો; છતાં સ્ત્રીસંબંધી નાના પ્રકારના સુખમાં લીન હોઈએ અને નિરુપાધિપણે કથા કથન શ્રવણ કરતા હોઈએ તો કેવી આનંદ દશા ? એ મારી તૃષ્ણા હતી.” આ સમયે દાદા પંચાણભાઈ પૌત્રની ભક્તિ જોઈને ખુશ થઈ જતા હતા. પોતાની જિજ્ઞાસા લઈને બાળ શ્રીમદ્ દાદા પંચાણભાઈ પાસે દોડી જતા. દાદા એને સાધુ પાસે લઈ જતા. સાધુ એમના સવાલનો ઉત્તર આપતા. બાળ શ્રીમના હૃદયમાં વધુ ને વધુ વૈષ્ણવ ભક્તિ જાગવા લાગી. દાદા અને દીકરાનો સંબંધ જેટલો ગાઢ બન્યો તેટલો ગાઢ સ્પર્શ શ્રીમદ્ના હૃદયે કૃષ્ણભક્તિનો અનુભવ્યો. Jan Education tematica For Personal & Pr e only www.nary
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy