SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬, સંસારી પરમાર્થ ગુરુ ખંભાતમાં પ્રથમ મેળાપે જ ઉત્તમ પુરુષનાં દર્શનના આનંદથી મુનિશ્રી લલ્લુજીનું અંત:કરણ ભાવવિભોર બની ગયું. પોતાના ગુરુ હરખચંદજી મહારાજની આજ્ઞા મેળવીને મુનિશ્રી લલ્લુજી શ્રીમન્ને સાથે લઈને ઉપાશ્રયના મેડા પર ગયા. વયમાં તો મુનિશ્રી લલ્લુજી શ્રીમથી ચૌદ વર્ષ મોટા હતા, પરંતુ એમના હૃદયમાં શ્રીમદ્ પ્રત્યે એટલો બધો પુજ્યભાવ ઊભરાયો હતો કે એમણે ઉપાશ્રયના મેડા પર જઈને શ્રીમદને સાષ્ટાંગ નમસ્કાર કર્યો. શ્રીમદ્જીએ તેમને આવું કરતાં અટકાવ્યા, કિંતુ મુનિશ્રી લલ્લુજીએ તો આનંદ અને ઉમંગથી, અટક્યા વગર શ્રીમદ્દને ત્રણ સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યા. | બાહ્ય દૃષ્ટિએ સામાન્ય લાગતી ઘટના સમય જતાં મહત્ત્વપૂર્ણ સાબિત થતી હોય છે. આ સામાન્ય લાગતી ઘટનામાંથી અસામાન્ય ઘટનાક્રમ સર્જાયો. એના કારણે અનેક માનવીઓનાં જીવનપરિવર્તન થયાં. કેટલાયને અસત્યની અંધારી કોટડીમાંથી બહાર લાવીને સત્યની ઝાંખી કરાવી. કદાગ્રહ કે પર્વગ્રહમાં બંધાયેલા આત્માઓને તત્ત્વજ્ઞાનરૂપી આકાશમાં નિરાગ્રહીપણે વિહાર કરાવ્યો. મુનિશ્રી લલ્લુજી પ્રતિભાશાળી અને સન્માનનીય સાધુ હતા. એમનો જન્મ ધનાઢ્ય કુટુંબમાં થયો હતો. ધનિક પિતા કષ્ણદાસ ગોપાલજીના એકમાત્ર સંતાન લલ્લુજીએ અઢળક સંપત્તિનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. એ સમયે ખંભાતના સંઘાડામાં માત્ર ચાર જ સાધુઓ હતા, કિંતુ મુનિશ્રી લલ્લુજીએ દીક્ષા ગ્રહણ કર્યા પછી એની સંખ્યા બમણી થઈ ગઈ. પાંચ-છ વર્ષમાં તો તેઓ સર્વ સાધુઓમાં પ્રધાનપદ પામ્યા. એમણે સાધુતા સ્વીકારી, તે પછી એમના સંઘાડામાં સાધુઓની સંખ્યા વધતાં તેમનાં પગલાં મંગલકારી ગણાતાં હતાં. યુવાવસ્થામાં સાધુતા ગ્રહણ કરનાર મુનિશ્રી લલ્લુજી કવિ તરીકે પણ પ્રસિદ્ધ થયા. - આવા પ્રભાવક મુનિરાજ એક ગૃહસ્થને ત્રણ દંડવત્ નમસ્કાર કરે તે કેવું આશ્ચર્ય ! શ્રીમદે મુનિને તેમની ઇચ્છા શું છે તે વિશે પૂછવું, ત્યારે મુનિએ કહ્યું કે એવી ઇચ્છા છે કે બ્રહ્મચર્યનું દેઢત્વ થાય અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. મુનિશ્રી લલ્લુજીની આ ભાવના સાંભળીને શ્રીમદ્દ થોડી વાર મૌન રહ્યા અને પછી બોલ્યા : 'ઠીક છે.' | શ્રીમદે મુનિશ્રી લલ્લુજીના જમણા પગનો અંગૂઠો તાણીને એના પરનાં ચિહ્નો તપાસી જોયાં. એ પછી ઉપાશ્રયના મેડા પરથી નીચે ઊતર્યા. રસ્તામાં અંબાલાલભાઈને એમણે કહ્યું કે શ્રી લલ્લુજી પૂર્વના સંસ્કારી પુરુષ છે. એ પછી મુનિશ્રી લલ્લુજીને એક વાર શ્રીમદે પૂછયું, “તમે શા માટે અમને માન આપો છો ?” તેના ઉત્તરમાં મુનિએ કહ્યું, “તમને જોઈને તમારા પ્રતિ ઘણો પૂજ્યભાવ થતો હતો, અને હર્ષ થતો હતો. વળી પૂર્વભવના પિતા હો તેવો ભાવ આવતો હતો અને આત્મામાં નિર્ભયતા આવતી હતી, એટલે તમને માન આપીએ છીએ.” | ઉપાશ્રયમાં પધારેલા શ્રીમદે ‘શ્રી સૂયગડાંગ સૂત્ર'માંથી થોડું વિવેચન કર્યું. દસમા ઠાણાંગના ભાવ વાંચી સંભળાવ્યા. આ પ્રસંગે વર્તમાનમાં ક્ષાયિક સમકિત હોય કે ન હોય, તે બાબતની ચર્ચા ચાલી અને એ પછી શ્રીમદે ‘ઠાણાંગ સૂત્ર ’માંથી મળતા પાઠનો અર્થ મૌલિક અર્થગંભીર શૈલીથી કર્યો કે જેથી શંકાઓનું સમાધાન થયું. આમ થયેથી હરખચંદ મહારાજનાં ચિત્તમાં પણ આ નવીન અર્થે નવો વિચાર-ચમત્કાર સર્યો અને એમણે શ્રીમદ્દને નમસ્કાર કર્યો. એનાથી મુનિરાજને નવા અર્થ અને મર્મનું દર્શન થયું. મુનિરાજે પોતાના ગુરુ તરીકે ગૃહસ્થને સ્વીકાર્યો હોય તેવી વિરલ ઘટના સજોઈ. શ્રીમદૃના ત્યાગી જીવનનો કેવો પ્રભાવ !
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy