SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. બાહ્ય વેપાર અને આંતરિક વ્યાપાર શ્રીમદના દાદા પંચાણભાઈની આર્થિક સ્થિતિ ઉત્તરોત્તર નબળી પડતી ગઈ. એ જમાનાની રીત મુજબ બાપની દુકાન દીકરો સંભાળે તેમ રવજીભાઈએ દુકાન સંભાળી. એક તો ગામ નાનું અને એમાં વેપાર ઓછો થઈ ગયો. બીજી બાજુ રવજીભાઈને માથે વૃદ્ધ માતા-પિતા ઉપરાંત પત્ની, બે પુત્રો અને ચાર પુત્રીઓનો પરિવાર નિભાવવાની જવાબદારી હતી. બહોળો કુટુંબ-પરિવાર અને આવકનાં ઘસાતાં જતાં સાધનો. આને કારણે તો પંચાણભાઈના અવસાન પછી કારજ કરવા માટે દેવબાઈનાં ઘરેણાં વેચવા પડ્યાં હતાં. એ જમાનામાં મોભા અને રિવાજ પ્રમાણે કારજ કરવું પડતું. એને માટે લોકો દેવું પણ કરતા. આમ, તેરમા વર્ષે કુટુંબની પરિસ્થિતિને કારણે શ્રીમદ્ દુકાનની જવાબદારી સંભાળવી પડી. પિતાના કામકાજમાં મદદરૂપ થવું પડ્યું. આટલી તેજસ્વિતા અને આવી અપ્રતિમ બુદ્ધિશક્તિ હોવા છતાં બાળ શ્રીમદે માતાપિતાના ઋણને સ્વીકાર્યું. એમના પ્રત્યેની પોતાની ફરજને પરમ કર્તવ્ય માન્યું અને તેથી તેર વર્ષના શ્રીમદે અભ્યાસ છોડીને દુકાને બેસવાનું સ્વીકાર્યું. શ્રીમદે બાહ્ય વેપાર કરતાં કરતાં આંતરિક આત્મ વસ્તુનો વેપાર વધારવા માંડ્યો. વિચારમંથન કરતાં એમણે જોયું કે જૈન ધર્મમાં ‘સાચું તે જ મારું’ એવી વિચારધારા છે. ‘મારું તે જ સાચું’ એવો એકાન્તિક આગ્રહ નથી. જૈન ધર્મના પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિ પુસ્તકોમાં આલેખાયેલી સર્વ જગત-જીવ પ્રત્યેની મિત્રતામાં એમને ઊંડો રસ પડ્યો. એવામાં કંઠી તૂટી ગઈ અને ફરી તેમણે બાંધી નહીં. કંઠી બાંધવા-ન બાંધવાનું કંઈ કારણ પણ શોધ્યું નહીં. સત્યના આગ્રહી શ્રીમના જૈનધર્મ પ્રત્યેના પૂર્વગ્રહો દૂર થયા અને જૈન ધર્મ પ્રત્યેનું આકર્ષણ વધતું ગયું. અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા તેમજ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરવાનો મૂળ સનાતન ધર્મનો માર્ગ લોકોને દર્શાવવાની ભાવના જાગી. | તેર વર્ષના બાળ શ્રીમદૂના અક્ષર એટલા સુંદર અને મરોડદાર હતા કે કચ્છ દરબારના ઉતારે એમને નકલો કરવા બોલાવવામાં આવતા અને તેઓ જતા હતા. દુકાનમાં બેસીને અનેક પુસ્તકો વાંચ્યાં. કાવ્યરચનાઓ કરી. વેપાર પૂરેપૂરી નીતિમત્તા અને પ્રમાણિકતાથી કરતો, કોઈને ઓછો-અધિક ભાવ કહેતા નહીં. એમણે ક્યારેય કોઈને ઓછું-અધિકું તોળી દીધું નથી. એમની આ રીતમાં એમના શુદ્ધ પવિત્ર હૃદયનું મનભર પ્રતિબંબ જોવા મળે છે. આ સમયે શ્રીમદ્દને વારંવાર પોતાના ફૈબાને ઘેર મોરબી જવું પડતું. અહીં તેમની પડોશમાં વસતા ધર્મનિષ્ઠ પોપટભાઈ શ્રીમદ્ મોરબી આવે ત્યારે તેમનો સત્સંગ કરતા. શ્રીમદ્ પાસેથી જૈન આગમગ્રંથોનો અપૂર્વ ભાવાર્થ સાંભળીને વયોવૃદ્ધ પોપટભાઈ તેમનો આદર કરતા. એમના પુત્ર વિનયચંદ દફતરી મોરબી, અમદાવાદ વગેરે શહેરોનાં ગ્રંથાલયોમાંથી પુસ્તકો મેળવી આપીને શ્રીમને સહાયરૂપ થતા. આમ પિતા-પુત્ર બંને શ્રીમના અંગત સ્નેહીઓ બન્યા, એટલું જ નહીં પણ એમનું ઘર એ શ્રીમદ્દનું વાંચનાલય, લેખનાલય અને પુસ્તકાલય બન્યું. તેરથી સોળ વર્ષનો શ્રીમદૂનો સમય એ ધર્મમંથનનો સમય છે. અનેક ધર્મગ્રંથોના અવગાહન પછી પોતાને સાંપડેલા ધર્માનુભવનો લાભ બીજા અનેક જીવોને પણ મળે તેવી તમની ભાવના હતી. જૈન આગમો અને જૈન શાસ્ત્રગ્રંથો રચનાર પ્રત્યે શ્રીમદૂને અખૂટ શ્રદ્ધા હતી અને તેથી જ વારંવાર તેઓ પોતાના ગ્રંથોમાં એમની રચનાઓમાંથી અવતરણો આપીને સમજાવતા હતા. સ્નાન કર્યા પછી બે-ત્રણ કલાક સુધી સુત્રો વાંચતા. એ એવી રીતે કે એક પાનું લીધું, બીજું ફેરવ્યું એમ અનુક્રમે પાનાં ફેરવી જતા, અને પછી સડસડાટ બોલી જતા. શ્રીમદે માત્ર ગુજરાતી ભાષાનો જ અભ્યાસ કર્યો હતો તેમ છતાં તે ગમે તે ભાષા વાંચી શકતા બોલી શકતા અને વિવેચન કરી શકતા હતા. al Education Interational Fbe Personal & Private Use ou
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy