SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ 2 જી ૫૦. વિરહની પદરાવાર વેદના કાવિઠા, રાળજ, વડવા અને ખંભાત આદિ નિવૃત્તિક્ષેત્રમાં શ્રીમદ્રની અધ્યાત્મસરિતા વહેતી હતી. ભક્તિ, ક્રિયા અને જ્ઞાન અંગે તેઓ સ્પષ્ટ માર્ગદર્શન આપતા હતા. ખંભાતની નજીક આવેલા વડવામાં શ્રીમદ્ આવ્યા. આ સમયે મુનિશ્રી લલ્લુજી અને અન્ય પાંચ મુનિઓ તેમના સત્સમાગમ માટે ગયા. શ્રીમદે છએ મુનિઓને વડવામાં એકાંત સ્થળે બોલાવ્યા. આ મુનિઓએ એમને નમસ્કાર કર્યા. તેઓ શ્રીમના ચરણકમળ પાસે બેસી ગયા. મુનિશ્રી લલ્લુજીની સ્થિતિ અતિ સંઘર્ષમય હતી. એક બાજુ શ્રીમદ્દ પ્રત્યે વધુ ને વધુ ભક્તિની ભરતી આવતી હોવાથી મિલન માટેનો તલસાટ હતો, તો બીજી બાજુ મુનિમર્યાદાને કારણે થતો શ્રીમનો વિરહ હતો. આ વિરહવેદના અસહ્ય થતાં મુનિશ્રી લલ્લુજીને લાગ્યું કે આ મુનિવેશને કારણે જ તેઓ સદૈવ સદ્દગુરુચરણમાં રહી શકતા નથી. શ્રીમદ્ પણ તેઓને મુનિમર્યાદાના દૃઢ આચાર માટે સતત જાગ્રત કરતા રહેતા હતા. - પ્રિયજનની વિરહવેદના કેટલી બધી હૃદયવિદારક હોય છે ! એમાં મિલનના તલસાટ માટેની તીવ્ર આતુરતા હોય છે. આવી તીવ્ર આતુરતાને કારણે જ મુનિશ્રી લલ્લુજીએ મુહપત્તી કાઢીને આવેશમાં આવીને કહ્યું, હે નાથ, આપના ચરણકમળમાં મને નિશદિન રાખો. આ મુહપત્તી મારે જોઈતી નથી.... મારાથી સમાગમનો વિયોગ સહવાતો નથી.” આટલું બોલતાં-બોલતાં મુનિશ્રી લલ્લુજીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. મુનિશ્રીના આવા ભાવ જોઈને શ્રીમદ્રની આંખમાં પણ આંસુ ઊમટી આવ્યાં. શ્રીમદ્દનું કોમળ હૃદય મુનિશ્રી લલ્લુજીની વિરહવેદના જોઈને રડી ઊઠવું. એમની આંખોમાંથી વહેતી અશ્રુધારા કેમે કરીને અટકે નહિ. પોતાના પ્રેમસ્વરૂપ શ્રીમદ્દની આંખોમાંથી વહેતી અશ્રુઓની ધારાએ મુનિશ્રી લલ્લુજીના ચિત્તમાં મનોમંથન જગાવ્યું. એમને થયું કે મેં આ શું કરી નાખ્યું ? શું મારે કારણે તેઓને આટલું બધું દુઃખ થયું ? મારાથી કોઈ અપરાધ થઈ ગયો લાગે છે. હવે હું શું કરું ? આમ મુનિશ્રી લલ્લુજીના હૃદયમાં પુષ્કળ પશ્ચાત્તાપ થયો. તેઓ ઊંડા વિચારમાં ડૂબી ગયા. આ સ્થિતિ જોઈને બધા જ મુનિઓ મૌન બેસી રહ્યા. એકાદ કલાક સુધી ઉદાસીન મૌનનું વાતાવરણ રહ્યું. એ પછી શ્રીમદે મુનિશ્રી દેવકરણજીને કહ્યું, આ મુહપરી મુનિશ્રીને આપો અને જણાવો કે હજી પહેરવાની જરૂર છે.” પોતાના સદ્દગુરુ માટેની મુનિશ્રી લલ્લુજીની વિરહવેદનો કોઈ વિરલ આત્માઓ જ અનુભવી શકે. એવો અનુભવ મુનિશ્રી લલ્લુજી સાથે આવેલા અન્ય સહુ મુનિઓને થયો. શ્રીમદ્ અઠવાડિયા સુધી વડવામાં રોકાયા અને સર્વ મુનિઓને પોતાના ઉપદેશામૃતનો લાભ આપતા રહ્યા. આને પરિણામે મુનિશ્રી મોહનલાલજી તથા અન્ય મુનિઓને શ્રીમમાં શ્રદ્ધા જાગી.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy