SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩. મહામુમુક્ષની શ્રદ્ધાભક્તિ અમદાવાદમાં પોતાના મિત્ર શ્રી છગનલાલ-ભાઈને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી વિ. સં. ૧૯૪પના ધોમધખતા વૈશાખ મહિનામાં શ્રી અંબાલાલભાઈ અને છોટાલાલભાઈ અમદાવાદ આવ્યા. આ સમયે તેમના પરિચિત જૂઠાભાઈ પણ આવ્યા હતા. વરઘોડો નીકળવાનો હતો ત્યારે એમાં સામેલ થવા માટે જૂઠાલાલભાઈને બોલાવવા અંબાલાલભાઈ અને અન્ય સ્વજનો આવ્યા. આ સમયે જૂઠાલાલભાઈ તો શ્રીમદ્રનો મેળાપ થતાં વૈરાગ્યના રંગે રંગાયા હતા. તેઓ શ્રીમદ્રના આવેલા પત્રોનું વાંચન કરતા હતા. આથી સ્વાભાવિક રીતે જ જૂઠાલાલભાઈનું મન રાગવૈભવને બદલે વીતરાગતાની વાતોમાં ડૂબેલું હતું. જૂઠાલાલભાઈને શ્રીમદ્ વિશે કંઈ કહેવાનો વિચાર આવ્યો, પરંતુ એમ થયું કે આ પ્રસંગે આવી વાતનો અર્થ શો ? આથી એમણે પોતાનું મન પાછું ખેચી લીધું, પરંતુ એટલુ બોલાઈ ગયું, ‘ક્યાં પ્રતિબંધ કરું ?” | શ્રી જૂઠાલાલભાઈનું આ વાક્ય અંબાલાલભાઈ કે અન્ય કોઈ સમજી શક્યું નહીં. એમણે જૂઠાલાલભાઈને પૂછયું કે, “તમે શું બોલ્યા ? તમારી વાત કંઈ સમજાતી નથી.” આ સમયે જૂઠાલાલભાઈએ થોડી જ્ઞાનવાર્તા કરી. સાંભળનારા તો આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે જુઠાલાલભાઈને આગ્રહભેર પૂછવું પણ ખરું, “અપૂર્વ જ્ઞાનની આવી અનુપમ અધ્યાત્મરસિક વાતો તમે કોની પાસેથી જાણી ?” પ્રત્યુત્તરમાં જૂઠાલાલભાઈએ જ્ઞાનમૂર્તિ, વૈરાગ્યમૂર્તિ સત્યરુષ શ્રીમદ્દની વાત કરી. તેઓની મુક્તકંઠે સ્તુતિ કરી. એ પછી એમણે શ્રીમદે લખેલા કેટલાક પત્રો વાંચવા આપ્યા. જાણે ચિંતામણિરત્નનો કોઈ મહાભંડાર ખૂલી જાય તેવો અનુભવ આના વાંચનથી થયો. શ્રીમદ્ પ્રત્યે સહુની શ્રદ્ધા જાગી અને અંબાલાલભાઈએ તીવ્ર જિજ્ઞાસાથી પૂછયું, “આવા જ્ઞાની મહાત્માનાં દર્શનનો લાભ પામવા માટે અમે આતુર છીએ. તેઓ ક્યાં છે અને કેવી રીતે મળી શકે તે કહો.” જૂઠાલાલભાઈએ શ્રીમદ્દનું સરનામું આપ્યું અને એમની આજ્ઞા લઈને મળવા જવાનું કહ્યું. લગ્ન નિમિત્તે અમદાવાદ આવેલા અંબાલાલભાઈ જૂઠાલાલભાઈના મેળાપને કારણે પ્રબળ ધર્મજિજ્ઞાસા સાથે ખંભાત ગયા. એમણે શ્રીમદે જૂઠાલાલભાઈ પર લખેલા તમામ પત્રોની નકલ કરી લીધી. પ્રત્યક્ષ મળવાની આજ્ઞા મેળવવા માટે અંબાલાલભાઈએ પાંચ-છ પત્ર લખ્યા પછી જ શ્રીમદે તેઓને મળવા આવવાની હા કહી. આ સમયે જ્ઞાતિબંધુ ત્રિભોવનભાઈ માણેકચંદ સાથે ૨૦ વર્ષના અંબાલાલભાઈ શ્રીમનાં દર્શનાર્થે મુંબઈ આવ્યા. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે. એ સુત્રને ચરિતાર્થ કરતાં પ્રથમ દર્શને જ શ્રીમમાં તેઓને અલૌકિક મહાત્માનાં દર્શન થયાં અને એમના સમાગમલાભથી અતિ આનંદ થયો. શ્રીમને પણ એમનામાં સાચી ધર્મજિજ્ઞાસા જોવા મળી. | વિ. સં. ૧૯૪૬ના ફાગણ સુદ છઠ્ઠના દિવસે લખેલા “મહાવીરના બોધને પાત્ર કોણ ?” એ શીર્ષક નીચે દસ સૂત્રવાળો પ્રથમ પત્રપ્રસાદીરૂપ બોધપત્ર ખાસ અંબાલાલભાઈ માટે લખ્યો હતો. ખંભાતનિવાસી અંબાલાલભાઈ અને અન્ય ભાઈઓ શ્રીમદ્ પાસેથી વારંવાર ધર્મશિક્ષાની યાચના કરતા અને માર્ગદર્શન માગતા. શ્રીમદ્ તેઓને તીર્થંકરદેવની વાણીની ભક્તિ કરીને વીતરાગ તત્ત્વની ઉપાસના કરવાનું કહેતા. સર્વ મુમુક્ષુઓના અગ્રણી એવા પાઈ શ્રીમદ્રની પરમ વિનયથી ભક્તિ કરતા. શ્રીમદ્ જે બોધ આપે તે અઠવાડિયા પછી પણ અક્ષરશ: લખી આપતા અને એને પરિણામે શ્રીમદની ઉપદેશામૃતધારાની સંક્ષિપ્ત નોંધ જગતને પ્રાપ્ત થઈ. આત્મસિદ્ધિશાસ્ત્ર’ સમયે હાથમાં ફાનસ લઈને ઊભેલા શ્રી અંબાલાલભાઈનું ચિત્ર માનસપ્રત્યક્ષ કરીએ ત્યારે પરમ ગુરુને ભક્તિપૂર્ણ સમર્પણ કરતાં અંબાલાલભાઈનું ચિત્ર આપણને શ્રદ્ધાભક્તિવિભોર કરી દે છે. USA) ROJG CCC C CC
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy