SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ક [ We tી. શ્રીમદ્ રાજચંદ્ર વિશે મહાત્મા ગાંધીજીનાં અનુભવવયુનો અહિંસા અને સત્યથી જગતને અજવાળનારા મહાત્મા ગાંધીજીના જીવનમાં આ પ્રકાશ પ્રગટ્યો ક્યાંથી ? બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી વિશ્વવંદ્ય મહાત્મા ગાંધી બન્યા કઈ રીતે ? અહિંસા અને આધ્યાત્મિકતાના એમનાં પ્રેરણાસ્રોત હતાં શ્રીમદ્ રાજચંદ્રજી. એમની આધ્યાત્મિક પ્રેરણાને સહારે ગાંધીજીએ રાજકીય, આધ્યાત્મિક અને સામાજિક ક્રાંતિ કરી. આવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સ્વયં કહે છે: મારા જીવન પર શ્રી રાજચંદ્રભાઈનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો કે, હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાંય વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરૂષની શોધમાં છું. પરંતુ એમના જેવા ધાર્મિક પુરૂષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી. યુરોપના તત્ત્વજ્ઞાનીઓમાં હું ટોલ્સ્ટોયને પ્રથમ શ્રેણીના અને રસ્કિનને બીજા શ્રેણીના વિદ્વાન સમજું છું, પરંતુ રાજચંદ્રભાઈનો અનુભવ એ બંનેથી ચઢેલો હતો.” GS - 1 પોતાના જીવનપંથને નવી દિશા આપનાર એ દૃષ્ટિ વિશે મહાત્મા ગાંધીજી એ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો'માં તેમજ શ્રીમદ્ રાજચંદ્ર વિશે વિવિધ પ્રસંગોએ આપેલાં પ્રવચનોમાં પોતાનો આદર પ્રગટ કરે છે. અહીં વીસમી સદીના સૌથી પ્રભાવક વ્યક્તિ એવા મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્ર વિશે પ્રગટ કરેલા પોતાના અનુભવનું સંકલન કર્યું છે.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy