SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ દિલ્હી : સિત હતી? ' ' COી , ૪૩. કષાયનો ઉપદાંતતા શ્રીમદ્ના હૃદયસખા શાંતમૂર્તિ શ્રી સોભાગભાઈની ધીરજ અને શ્રદ્ધાની કસોટી થાય તેવા કપરા આર્થિક સંજોગો ઊભા થયા હતા. એમના પિતા શ્રી લલ્લુભાઈના અવસાન બાદ કુટુંબનિર્વાહની ઘણી મોટી જવાબદારી આવી પડી. આર્થિક સ્થિતિ પ્રતિદિન ઘસાતી જતી હતી, આથી એમણે શ્રીમદ્રને જ્યોતિષ, મંત્રતંત્ર આદિ વિશે પુછાવ્યું. ત્યારે તેઓએ શ્રી સોભાગભાઈને કહ્યું, લૌકિક દૃષ્ટિએ અમે ને તમે પ્રવર્તશું તો અલૌકિક દૃષ્ટિએ કોણ પ્રવર્તશે ?” આમ કહીને તેઓ કહે છે, “પારમાર્થિક વૈભવથી મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું જ્ઞાની ઇચ્છે નહીં, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં.” આ રીતે અત્યંત મુશ્કેલ આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ શ્રી સોભાગભાઈને સ્વસ્થ રાખ્યા. શ્રીમદ્ પાસે લબ્ધિસિદ્ધિ હતી, છતાં એનાં પ્રત્યે પૂર્ણ નિઃસ્પૃહભાવ હતો. આત્માના ઐશ્વર્ય આગળ બીજું બધું અલ્પ લાગતું હતું. શ્રીમદ્ પ્રત્યક્ષ સમાગમ તથા પત્રો દ્વારા ધર્મબોધ આપીને સોભાગભાઈના આધ્યાત્મિક વિશ્વને વિશેષ સમૃદ્ધ બનાવવા લાગ્યા. શ્રીમદ્ વારંવાર સાયલા આવીને શ્રી સોભાગભાઈને અપૂર્વ લાભ આપતા હતા. શ્રીમદ્ સાયલામાં આવવાના હોય તે સમયે સોભાગભાઈને માટે આત્માનંદનો મહોત્સવ બની રહેતો. તેઓ સિગરામ લઈને શ્રીમદ્રને આવકારવા માટે છેક મૂળી સ્ટેશન સુધી જતા હતા. આ સિગરામમાં આવીને સાયલામાં જ્યારે ઊતરતા ત્યારે શેરીમાં લાલ જાજમ પાથરીને શ્રીમદ્ જાજમ પર ચાલવા માટે આગ્રહ કરતા. શ્રીમદ્ પણ એમની વિનંતીનો સ્વીકાર કરીને લાલ જાજમ પર ચાલતા અને સોભાગભાઈ પોતાની જાતને ધન્ય માનતા. સાયલાના સોભાગભાઈનાં પત્ની રતનબા દયાળુ અને જૈન ધર્મનાં ઉપાસિકા હતાં. એક વાર રતનબા સામાયિક કરવા જતાં હતાં ત્યારે શ્રીમદ્દ એમને ત્યાં બેઠા હતા. એમણે સવાલ કર્યો. તમે ક્યાં જાઓ છો ?” રતનબાએ કહ્યું, “સામાયિક કરવા.” શ્રીમદે કહ્યું, “તમે મસ્જિદમાં જઈને સામાયિક કરો.” આ સમયે રતનબાએ પોતાની લાક્ષણિક વાણીમાં કહ્યું, “રાયચંદ મેતા તો આવું ને આવું જ બોલે.” આ રીતે શ્રીમદે રતનબાને કદાગ્રહ છોડવાનો ઉપદેશ આપ્યો. શ્રીમનો મર્મ એ હતો કે કષાયરહિત થવું એ જ ધર્મ છે અને આમ કહીને એમણે રતનબાને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવ્યું. શ્રી સોભાગભાઈ સાથે એમની પડોશમાં રહેતા તર્કવાદી શ્રી ડુંગરશીભાઈ પણ શ્રીમદ્ અવારનવાર મળતા હતા. શ્રી સોભાગભાઈ પર આવતા પત્રોનું બંને સાથે મળીને વાચન-મનન કરતા હતા. શ્રીમદ્ અને ડુંગરશીભાઈ અવારનવાર ધર્મચર્ચા કરતા હતા. તેઓ જેમ જેમ શ્રીમદ્દનું શરણું સ્વીકારતા ગયા તેમ તેમ બાહ્યસિદ્ધિ કે માયાવી કીર્તિના મોહમાંથી છૂટતા ગયા. કરી રહી
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy