SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫. ધન્ય કાળ, ધન્ય ક્ષેત્ર ! વિ. સં. ૧૯૫૫ના માગશર સુદ પાંચમના દિવસે શ્રીમદ્ ઇડરના નિવૃત્તિક્ષેત્રમાં પધારે છે. શ્રીમદ્દના નિકટના સગા અને ગાઢ સ્નેહી ડૉ. પ્રાણજીવનદાસ મહેતા તે સમયે ઇડર રાજના ચીફ મેડિકલ ઑફિસર હતા. તેમણે શાંતિપ્રિય શ્રીમદ્રને ઇડર એકાંતપૂર્ણ નિવૃત્તિ માટે અનુકુળ સ્થાન છે એમ જણાવીને પધારવા માટે નિમંત્રણ આપ્યું. ઇડરની ભૂમિનું શ્રીમને વિશિષ્ટ નૈસર્ગિક આકર્ષણ હતું. પૂર્વજન્મમાં આ પ્રદેશમાં વિશિષ્ટ આધ્યાત્મિક સ્થિતિનો અનુભવ કર્યો હતો. | ઇડરના મહારાજા સાથેના વાર્તાલાપ પ્રસંગમાં આ પ્રદેશની ઐતિહાસિકતા દર્શાવતા શ્રીમદે કરેલા અંગત માર્મિક ઉલ્લેખો સૂચવે છે કે, | “જિન શાસનને પૂર્ણપણે પ્રકાશ કરનાર આ છેલ્લા તીર્થંકર અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણધરોનો વિચરેલાનો ભાસ થાય છે. તેઓના શિષ્યો નિર્વાણને પામ્યા, તેમાંનો એક પાછળ રહી ગયેલો, જેનો જન્મ આ કાળમાં થયેલો છે તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે.” આમ શ્રીમનાં પૂર્વે કહેલાં રહસ્યગર્ભિત વચનોનું આ વાત સાથે અનુસંધાન સાંપડે છે. પરમ સદ્દગુરુ ભગવાન મહાવીર પાસેથી સાક્ષાત્ સંસ્કારવારસો લઈને જન્મેલા શ્રીમનો દિવ્ય આત્મા પૂર્વકાળમાં તે સમયના જ્ઞાની પુરુષના ધન્ય પ્રસંગોનું વારંવાર સ્મરણ કરે છે. વળી તે પાવનપવિત્ર ભૂતકાળની વાત તેઓ કહે છે અને તેની ઘટનાભૂમિ બનેલા ઇડરના ધન્ય પ્રદેશનું અને તે સમયે કૃતાર્થ થયેલા સત્સંગીઓને અત્યંત રોમાંચપૂર્ણ ભક્તિભાવથી યાદ કરે છે. - ઇડરના પ્રદેશમાં રહેતી વખતે સ્વરૂપગુપ્ત શ્રીમની સર્વથા ગુપ્ત રહેવાની જ ઇચ્છા હતી. લોકસંસર્ગ છોડવાની અને પરમ અસંગ આત્મયોગ સાધવાની ઇચ્છા રાખતા હતા, આથી ડૉ. પ્રાણજીવનદાસને સ્પષ્ટ મનાઈ કરી હતી કે, તમારે અમારા આગમનની કોઈને જાણ કરવી નહિ. શ્રીમદ્ પંદર દિવસ ઇડરમાં રહ્યા, ત્યાં તો મુનિશ્રી લલ્લુજી આદિ ત્રણ મુનિઓ ત્યાં આવી ચડ્યા અને બાકીના ચાર મુનિઓ ધીમો વિહાર કરતા પાછળ આવતા હતા. E પ્રથમ તો અંદરથી ફુલ જેવા કોમળ શ્રીમદે અસંગ રહેવાનો પોતાનો અભિગમ સફળ કરવા કઠોર વચને મનિઓને અહીંથી વિહાર કરીને અન્યત્ર જવાનું કહ્યું. પણ પછી મુનિઓની ભક્તિને વશ થઈ માત્ર થોડા દિવસ જ રહેવાની અનુમતિ આપી. - ત્રીજે દિવસે આજ્ઞા પ્રમાણે તે સાતે મુનિઓ અગાઉ નક્કી કર્યા મુજબ આંબાના વૃક્ષ નીચે આવ્યા. શ્રીમદ્જી પણ ત્યાં પધાર્યા. મુનિશ્રી દેવકરણજીનું શરીર કૃશ હોવાથી શિયાળાની કડકડતી ઠંડીને કારણે જતું હતું. આ જોઈને શ્રીમદે કહ્યું : ટાઢ વાય છે ? ટાઢ ઉડાડવી છે ?” એમ જાણે ભવની ટાઢ ઉડાડવાનો સંકેત આપતા હોય તેમ શ્રીમદ્ એકદમ ઊડ્યા અને ચાલવા લાગ્યા. ડુંગરાનાં કાંટા, શુળ અને ઝાંખરાં પગમાં ખેંચી જાય અને કપડાં ફાટતાં જાય, તો પણ તેનો લેશમાત્ર વિચાર કરતા નથી. તેઓ જુસ્સાભેર ચાલવા લાગ્યા. da Education international For Portonal & Prat De only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy