SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ POR LONDON ૫.૨. ઘી જેવો અાત્મા શ્રીમદ્ કાવિઠા ગામમાં હતા. તેઓ ફરવા નીકળ્યા ત્યારે એમની સાથે બીજા ઘણા સાથીઓ હતા. શ્રીમદ્ નીચી દષ્ટિ રાખીને ચાલતા હતા. થોડેક દૂર ગયા બાદ એક સ્ત્રી માથા પર ઘાસનો ભારો લઈને સામેથી ચાલી આવતી હતી. એ સ્ત્રી બોલતી હતી કે આ વાણિયાઓ તો રોજ જુદા જુદા ઠેકાણે ફર્યા કરે છે. કોણ જાણે એમનું એવું તે શું ખોવાઈ ગયું હશે કે આમ ઠેર ઠેર ફરીને શોધ્યા કરે છે ! સ્ત્રીના આ શબ્દો શ્રીમદ્દના કાને પડ્યા. એમણે કહ્યું, “બહેન ! અમે અમારી શોધ કરીએ છીએ.” મોક્ષ માટેનો પરમ આત્મપુરુષાર્થ જગાડતાં શ્રીમદ્ આમ જ કહે ને ? કાવિઠાની નજીક આવેલા વગડામાં શ્રીમનો ઉપદેશ સાંભળવા માટે કાવિઠા ગામના નિશાળિયાઓ આવ્યા. એમને શ્રીમદે પૂછયું, “બાળકો, તમને એક પ્રશ્ન પૂછું. જવાબ આપશો ?” બાળકોએ ‘હા’ કહીને જોરથી ડોકું ધુણાવ્યું. શ્રીમદે પૂછયું, “તમારા એક હાથમાં છાશથી ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘીથી ભરેલો લોટો હોય અને રસ્તે ચાલતાં તમને કોઈનો ધક્કો લાગે તો કયા લોટાને જાળવશો ?” ગિરધર નામનો નિશાળિયો બોલ્યો, “અમે ઘીનો લોટો સાચવીશું.” શ્રીમદે વળતો સવાલ કર્યો, “આવું કેમ ? ઘી અને છાશ તો એકમાંથી ઉત્પન્ન થાય છે, ખરું ને ?” ગિરધરે કહ્યું, “છાશ ઢળી જાય તો ઘણા લોકો એને ફરી વખત ભરી આપે, પણ ઘીનો લોટો કોઈ ભરી ન આપે.” આ વાતનો સાર સમજાવતાં શ્રીમદ્ બોલ્યા, “છાશના જેવા દેહને આ જીવ સાચવે છે અને ઘી સમાન આત્માને જતો કરે છે. જે આત્માને ઘીની જેમ મૂલ્યવાન જાણે છે તે આત્માને સાચવે છે અને આંચ આવે ત્યારે છાશની માફક દેહને જતો કરે છે. પૂર્વે કર્મ ઉપાર્જન થયાં એટલે તે ભોગવવારૂપે દેહ મળવાનો, પણ ખરો જાળવવાનો તો આત્મા છે.” એક વાર શ્રીમદ્ કાવિઠામાં ફરવા નીકળ્યા હતા ત્યારે એમની પાછળ પાછળ કેટલાંક છોકરાંઓ ગયાં. શ્રીમદે પોતાની સાથેના ભાઈઓને પાછા જવાનું કહીને આ છોકરાંઓને પોતાની પાસે બેસાડ્યાં અને દરેકને જેવી આવડે તેવી વાર્તા કહેવાનું કહ્યું. દરેક છોકરાએ વાર્તા કહી. પછી શ્રીમદે છોકરાંઓને પૂછયું કે, “તમે ગામમાં બકરી અને પાડો જોયાં છે ?” બધાંએ ‘હા’ કહ્યા પછી શ્રીમદે કહ્યું, “ગામના તળાવમાં પાડો અને બકરી પાણી પીવા ગયાં. પાડો પાણી પીધા વિના પાછો આવ્યો અને બકરી પાણી પીને આવી, તેવું શેના કારણે બન્યું હશે ?” છોકરાંઓએ કહ્યું, “પાડો તો બહુ જબરો હોય છે ! એ કેમ પાણી પીધા વિના પાછો આવ્યો ?” શ્રીમદે કહ્યું, “પાડામાં એવી કુટેવ હોય છે કે એ તળાવના કાંઠે જઈને પાણી ડહોળે છે, જ્યારે બકરી તળાવના કાંઠે ઊભી રહી, નીચી ડોક રાખી પાણી પીને ચાલી આવે છે.” આ દૃષ્ટાંત પરથી શ્રીમદે કહ્યું કે, “કેટલાક લોકો સન્દુરુષો પાસે જઈને પોતાનું ડહાપણ ડહોળે છે, તેથી તેઓ કશું પામી શકતા નથી અને બીજાને અંતરાયરૂપ બને છે. જ્યારે બીજા પ્રકારના લોકો એવા હોય છે કે જેઓ સત્યરુષની વાતમાં શ્રદ્ધા કરે છે, એટલે પોતે પામે છે અને બીજાને અંતરાયરૂપ બનતા નથી.”
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy