Page #1
--------------------------------------------------------------------------
________________
PS43SVIRNYA
Eી .
25 |
વાવ
ના જી
S
S SS
NE
-Iclk Pake UK
les 31
૧૧. અંગ
>
શ>િ
11:5n lee
નંદસૂત્ર
૧૨ ઉપાંગ.
XII
BRUK
Tધ્ય)
હુ છેસૂત્ર
JAN
ET
-પ્રકાશક:શ્રી આગમૉધારક ગ્રંથમાળા. 1 કપડવંજ, ૭ (ખેડા)
Page #2
--------------------------------------------------------------------------
________________
॥ श्री वर्धमानस्वामिने नमः ॥ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી ભગવંતની મંગળપ્રેરણાથી ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમ દ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી ભગવંતના તાવિક વ્યાખ્યાનાદિ સાહિત્ય પીરસતું શ્રી આગમોદ્ધારક ગ્રંથમાળાનું પ્રાણવાન પ્રકાશન. कत्थ अम्हारिसा पाणी, दूसमादोसदृसिया।। हा! अणाहा ! कहं हुंता, जई ण हुँतो जिणागमो॥
प्रकाशितं जिनानां यै-मैतं सर्वनयाश्रितम् । चित्ते परिणतं चेदं, येषां तेभ्यो नमोनमः ॥
गीतार्थाय जगज्जन्तु-परमानंददायिने । गुरवे भमबद्धर्म-देशकाय नमोनमः ॥
प्रात-गुराती-भ२।४ी-संस्कृत-डिसी-ग्रेड भाषामा ક પૂ શ્રી આગદ્ધારક આચાર્યદેવશ્રીની સ્તુતિ ક सिद्धद्दौ भाणुदंगे वरसुयभवणा शेखताभागभाना स्थाप्या जैनागमाचा निरवधि प्रसरासाठी केले सुयना । पक्षं पनं श्रिता ये हिततनुममता आखरीकालमेंभी, ऐसे श्रीसागरानंद मुनिपति जिन्हें
MOST GAIN ACCLOMATION
सम्यक् तत्त्वोपदेष्टारं, शास्त्रेदम्पर्यवोधकम् । कान्तं दान्तं सदा शान्तं गच्छेशं प्रणमाम्यहम् ॥
卐 जिनाज्ञा परमो धर्मः ॥
Page #3
--------------------------------------------------------------------------
________________
S2S2STARSZE
।। श्री वर्द्धमानस्वामिने नमः ॥
આગમજ્ઞ-ધુરંધર પ્રોઢ-તાવિક
વ્યાખ્યાતા પ્રવચનિક મૂર્ધન્ય પૂ આગમ દ્ધારક આચાર્યદેવશ્રીના તાવિક-વ્યાખ્યાનના સંગ્રહસ્વરૂપ
BEGGGGGRE
શ્રી.
(UTGEEEEEE
AS22SSE
A & આગમ-જ્યોત &
1
રન,
કી
E]EGE
RHIR
(બારમું વર્ષ) आगमदर्पणेऽवभासते जगत्समम्नं
मा.श्री. केला नागर धरि ज्ञान मदिर Mી નજરમાં વિશ્વના જ, પણ
સુવિહિત આગમધરની નિશ્રા,
કિરિયા ફળ નિપજાવે છે ! ગુરમુખે શુદ્ધ ક્રિયા કરંતા
ભવ-ભવ ભ્રમણ જાવે છે |
R
મૂલ્ય થા....
રૂપિયા (સ્થાયી ગ્રાહકે ન હોય તેમના માટે)
(આગમિક પદાર્થોની સૂક્ષ્મ વિવેચનાવાળા આ છે વ્યાખ્યાનસંગ્રહની આશાતનાથી બચવા વિનંતિ છે)
છે 8
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
રમણલાલ જેચંદભાઈ કાર્યવાહક :
છે શ્રીઆગમ દ્વારકગ્રંથમાળા કાપડબજાર મુ કપડવંજ (જિ. ખેડા)
પુસ્તક-પ્રાપ્તિસ્થાન : પં. હરગોવનદાસ એસ.શાહ મી, ગુ. જૈન ઉપાશ્રય
દલાલવાડે મુ. કપડવંજ ( જિ. ખેડા)
.
નમ્ર નિવેદન * આગમત પ્રતિવર્ષ આસો સુદ પૂર્ણિમાએ
(ચાર અંક ભેગા) પુસ્તકરૂપે પ્રગટ થાય છે. * વાર્ષિક લવાજમની યોજના બંધ કરી પૂ.
સાધુ-સાધ્વીજી મહારાજાઓ, જ્ઞાનભંડારો તથા તત્વચિં-ગૃહસ્થાને ભેટ અપાય છે. * સ્થાયી–ષની યેજના ચાલું છે, જેમાં
ઓછામાં ઓછા રૂ. ૧૦ લેવાય છે. * છુટક ભેટ જિનામાં પાંચ રૂપિયા કે તેથી વધુ ગમે તે રકમ સ્વીકારાય છે.
મુદ્રક : શ્રી શક્તિ પ્રિન્ટરી ઠક્કર પોપટલાલ ગોકળદાસ ઘીકાંટા રોડ, અમદાવાદ
ટાઈટલ પ્રિન્ટીંગ :
દીપક પ્રિન્ટરી રાયપુર દરવાજા બહાર
અમદાવાદ,
Page #5
--------------------------------------------------------------------------
________________
22s
જેઓએ ૭૫ વર્ષની વૃદ્ધવચે કોઈપણ જાતના ટેકા વિના રોગગ્રસ્ત દશામાં પણ છેલ્લા ૧૫ દિવસ અર્ધપવાસને કાઉસગ્ગ મુદ્રાએ રહી પૂર્વકાલીન અનશન સમાધિ મરણની ઝાંખી કરાવી
A
દ
tis
ની
-RF5
Sી કી મશીન
RE
draforgroot
આગમસમ્રા આગમતિર્ધર બહુશ્રુત સૂરિપુરંદર
ગીતાર્થ સાર્વભૌમ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ
SAOメドマーメイドコスメトリートメンズフーズ
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
________________
a છ વખારવામિને
પ્રકાશકીય
શા ીય
પ્રજ
નમ્ર નિવેદન
મહામંગળકારી શ્રી જિનશાસનની પરમકૃપા અને તારક શ્રી દેવગુરુના પ્રતાપે વીસમી સદીના મહાન આગમતિર્ધર, બહુકૃત, આચાર્ય—ધુરંધર પૂ. આગમ દ્ધારક આચાર્ય ભગવંતશ્રીના તાત્ત્વિક–આગમિક-વ્યાખ્યાનના સંકલન રૂપે વિ. સં. ૨૦૨૨ થી ૫૦ સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રીના મંગળ આશીર્વાદથી શરૂ થયેલ “ શ્રી આગમોત નું વાર્ષિક પ્રકાશન આજે બારમા વર્ષમાં પગલાં માંડે છે, તે અમારે મન ખૂબ - આનંદની વાત છે.
અમારી શક્તિ-સીમા બહારનું ભગીરથ આ કાર્ય સ્વ. પૂ. ગચાધિપતિશ્રીના આશીર્વાદ તથા સાગર સમુદાયના પૂ. સાધુ-સાધ્વીજી ભગવતના ઉપદેશ, પ્રેરણા, તેમજ તત્વચિવાળા જેન શ્રી સંધે તેમજ ધર્મપ્રેમી ગુણાનુરાગી-ગૃહસ્થના મંગળ સહકારથી આ કાર્ય સફળતાપૂર્વક ચાલી રહ્યું છે.
અમારી ગ્રંથમાળાના વિવિધ પ્રકાશમાં આ પ્રકાશન ગુજરાતી ભાષામાં આગમિક–પદાર્થોની રજૂઆત અધિકારી જીવો સમક્ષ કરનારું સુરુચિકર શિલિથી સંપાદિત થઈ પ્રગટ થાય છે. તે સૌથી વધુ મહત્વનું અમે લેખીએ છીએ.
પ્રસ્તુત પ્રકાશનમાં પક્ષ અને અપરોક્ષ રીતે સહાય આપનારા સહુની ગુણાનુરાગભરી અનુમોદન કરવા સાથે વિશેષમાં જણાવવાનું કે આ પ્રકાશનના આર્થિક ક્ષેત્રને સુસમૃદ્ધ બનાવવા ખંતભર્યો શ્રમ ઉઠાવનાર પૂ. પં. શ્રી સૂર્યોદય સાગરજી મ. શ્રીના ધર્મપ્રેમની બહુમાનભરી અનમેદન.
Page #8
--------------------------------------------------------------------------
________________
વળી પ્રસ્તુત પ્રકાશના સંપાદનની જવાબદારી સ્વીકારી સર્વાગસુંદર બનાવવા પ્રયત્નશીલ ૫૦ ૫૦ પરમ તપસ્વી શાસન સંરક્ષક ઉપાધ્યાય ભગવંત શ્રી ધર્મસાગરજી મ.શ્રીના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અભય. સાગરજી મ., શ્રીને અત્યંત ભાવભરી વંદનાંજલિ.
આ સિવાય પ્રકાશનને પગભર બનાવવા માટે ઉપદેશ– પ્રેરણા આપનાર ૫૦ સાધુ-સાધ્વીજી ભગવત તથા શ્રી જૈન સંઘ અને સદગૃહસ્થ આદિતી ભૂત-ભક્તિની હાર્દિક સદભાવનાભરી અનુમોદના,
તેમાં ખાસ કરીને પૂ૦ આ.દેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પૂ. આ. દેવશ્રી દેવેન્દ-સાગર સુરીશ્વરજી મ. પૂ. ૫, શ્રી કંચનસાગરજી મ, ૫૦ ૫, શ્રી દેલતસાગરજી મ. પૂ. પં. શ્રી યશેભર, સાગરજી મ. પૂ. પં. શ્રી સૌભાગ્યસાગરજી મ. પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ.પૂ. મુનિશ્રી અભ્યયસાગરજી મ. આદિ મુનિ ભગવત તથા સાગર સમુદાયના સર્વ સાધીગણ તથા છાપવા માટેની અનેક સામગ્રી ઉદારભાવે આપનાર શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી જ્ઞાનમંદિર, ઉજજૈનના કાર્યવાહકક શ્રી કુંદનલાલજી મારૂ આદિ અનેક પુણ્યવાન-ગૃહસ્થ આદિ ચતુર્વિધ શ્રી સંઘના ધર્મપ્રેમભર્યા સહાગની કૃતજ્ઞતા-ભાવે સાદર નોંધ લઈએ છીએ.
વધુમાં આ પ્રકાશન અને વ્યવસ્થા તંત્રમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપનાર ધાર્મિક શિક્ષક શ્રી હરગોવનદાસભાઈ (પ્રધાનાધ્યાપક શ્રી અભયદેવસૂરિ જ્ઞાનમંદિર-કપડવંજ) તથા બાબુલાલ કેશવલાલ શાહ ચાણસ્મવાળા (૧૧. નગરશેઠ માર્કેટ, રતનપોળ, અમદાવાદ ) તેમજ સંપાદન પ્રકાશન અંગેની ઝીણવટભરી ખંતપૂર્વક તપાસ અને પ્રફરીડિંગ આદિની મૂકસેવા આપનાર શ્રી રતીલાલ ચી. દોશી (અધ્યાપક શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા, અમદાવાદ) મુફ મેટર વગેરે સંબંધી હાર્દિક સેવા આપનાર આશિષકુમાર માણેકલાલ શાહ તથા રાજેશભાઈ જયંતિલાલ શાહ (સાતભાઈની હવેલી ઝવેરીવાડ, અમદાવાદ) તથા પ્રેસ કાપી વગેરેની ખેતભરી સેવા આપનાર શ્રી અશ્વિનકુમાર એસ, દિવે તથા (પાલિતાણા) પોપટલાલ ગોકળદાસ ઠકર (શક્તિ પ્રીન્ટરીના માલિક) ટાઈટલ પેજ આદિનું સુંદર સ્વચ્છ કામ કરી આપનાર દીપક
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રિન્ટરીના કાર્યવાહક આદિ સઘળા સહયોગી–મહાનુભાવોની કૃતજ્ઞતાપૂર્વક સ્મરણાંજલિ.
છેલ્લે આ પ્રકાશનમાં છદ્મસ્થતાના કારણે જે કઈ ક્ષતિઓ રહેવા પામી હોય તે માટે ક્ષમાયાચના સાથે પુસ્તક-પ્રકાશનને સદુપયોગ કરી પુણ્યવાન-વિવેકી આત્માઓ જીવનને તવદષ્ટિ સંપન્ન બનાવે એ જ મંગલ કામના.
નિવેદક વીર. નિ. સં. ૨૫૦૩
રમણલાલ જેચંદભાઈ શાહ વિ. સં. ૨૦૩૩
મુખ્ય કાર્યવાહક ધિ. શ્રા. વ. ૦)) મંગલ
શ્રી આગદ્વા૨ક ગ્રંથમાળા ૧૩–૯-૭૭
કપડવંજ (જી. ખેડા)
વિચાર કણિકા
આપણે ધર્મ કાર્ય કરતાં પહેલાં મને શું મળશે? કેવી રીતે મળશે ? કયારે મળશે? કેટલું મળશે? આ બધો વિચાર કરીએ છીએ, પણ આ વિચારોની ગડમથલમાં આપણી ફરજ તરીકે કરવા લાયક પ્રવૃત્તિરૂપ સમ્યફ કારણોને સેવવાથી જ આ કાર્ય થશે એ વાતને ભૂલી જઈએ છીએ.
S
એટલે કોઈ પણ ક્રિયા કરીએ ત્યારે તે રૂપ જે જ કારણ છે તે વિધિપૂર્વક સમ્યક પ્રકારે સેવન કરી શકીએ
તે રીતને પ્રવૃત્તિમાં આગ્રહ રાખી ક્રિયા કરીએ તે એવી શંકાનું સ્થાન હદયમાં રહી શકે નહિ.
Page #10
--------------------------------------------------------------------------
________________
' છે ના વિરારના
સંપાદકીય કહેવા જેગું!!! છે
શ્રી વીતરાગ-પરમાત્માના શાસનને ઓળખવા માટે વિવેક્યક્ષની નિર્મળતા આગમિક-પદાર્થોના ગુરૂગમની ધારણા પ્રમાણે મેળવેલ રહસ્થય અંજનથી વધુ પ્રમાણમાં મેળવાય છે.
તે રીતે કલિકાળમાં આગમિક પદાર્થોની જાણકારી ધરાવનારા બહુશ્રુત-ગીતાર્થ ભગવત મશાલરૂપ બની રહે છે.
તે રીતે આગમની મશાલ વધુ ને વધુ પ્રજવલિત રહી ભવ્ય જીવને આત્મહિતકર માર્ગ સુવ્યવસ્થિતપણે બતાવી શકે, તે માટે તે તે કાળના આગમધર મહાપુરુષે બાળજીવોના કલ્યાણ માટે વિશિષ્ટ આગવી શૈલીથી આગમિક ગહન પદાર્થોને પણ છણાવટભરી રીતે સમજાવતા હોય છે.
આવા આગમ-મશાલના પ્રતીકરૂપ અનેક બાબતોને બાળસુલભ આગમશૈલીથી સમજાવનાર ચતુવિધ શ્રી સંઘને હિતકારી “આગમત જેવા ઉત્કૃષ્ટ સ્વાધ્યાય ગ્રંથનું સંપાદન કરવાનું સૌભાગ્ય દેવગુરુ કૃપાએ આ સેવકને ૫. સ્વ. ગચ્છાધિપતિશ્રીના અનુગ્રહપૂર્ણ આશિષબળે પ્રાપ્ત થયેલ છે, જે બદલ મારી જાતને ધન્ય-કૃતાર્થ લેખવું છું!
સ્થત બુદ્ધિના ટૂંકા ક્ષેત્રમાં દોડાદોડ કરતી-વિચરનારી વ્યાવહારિક પ્રજ્ઞાને કદાચ આમાંથી કઈ સંતોષ ન મળે, પણ ગભીરભાવે-તત્વગ્રાહી પ્રજ્ઞાને વિકસાવનારા પૂણ્યવાનને આ પ્રકાશનમાં પૂ-આગમોદ્ધારક-આચાર્ય દેવશ્રીએ છૂટે હાથે વિવિધ રીતે પીરસેલ આગમિક અમૃત–ભોજનના વિવિધ નમૂનાઓના રસાસ્વાદ એ અદ્ભુત મળશે કે જેના દ્વારા તેઓને પિતાની પ્રજ્ઞાને આ ક્ષેત્ર સિવાય બીજામાં લઈ જવી જ અનર્થકારી લાગશે !!!
Page #11
--------------------------------------------------------------------------
________________
આવા પરમેશ્ય-સ્વાધ્યાય કક્ષાના આ ગ્રંથનું સંપાદન એટલે બે બાહુના બળે દરિયે તરવાની જેમ મારા માટે અશક્ય કામ છતાં મારા આરાધક-જીવનના ઘડવૈયા, કરુણનિધાન વાત્સલ્ય સિંધુ પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની નિષ્કારણ કરુણાને જ એ વરદ પ્રતાપ અનુભવાય છે કે-આગમિક ક્ષેત્રમાં વર્ણમાળાના ચૌદમા અક્ષર જેવા મારા હસ્તક “આગમત” જેવા ગંભીર–આગમિક પદાર્થોથી ભરપૂર આગામિક ઉદ્ભુટ સ્વાધ્યાય ગ્રંથનું બારમું સંકલન દેવગુરુ કૃપાએ થવા પામેલ છે.
જો કે, આ સંપાદનમાં વડીલેની કૃપા, સહયોગીઓને પવિત્ર સહકાર અને વિવિધ મળી આવતા ગ્ય સહકારી નિમિત્ત કારણેએ પણ મહત્વને ભાગ ભજવ્યો છે.
તેમ છતાં પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની વરકૃપા ભર્યા આશીર્વાદ તે મુખ્ય છે જ ! એ નિઃશંક બીના છે !
આ ઉપરાંત મારા જીવનને શા થી તિ સુધી ઘડવામાં અજબ ફાળો આપનાર મારા તારકવર્ય, ૫. પરમારાધ્ય પરમપકારી, ગુરુદેવશ્રી ઉપાધ્યાય ભગવંતની કરુણાનો વિશિષ્ટ સ્મરણીય ફાળે છે કે જેના પ્રતાપે યત્કિંચિત પણ સર્વતોમુખી જીવન-શક્તિઓની સફળતાની કક્ષાએ જાતને લઈ જઈ શક્યો છું.
આ ઉપરાંત પ્રસ્તુત સંપાદનની સફળતામાં નીચેના મહાનુભાના કરુણાભર્યા ધર્મ-સહયોગની નોંધ નમ્રાતિનમ્ર ભાવે કૃતજ્ઞતાપૂર્વક લઉં છું.
પરમ પૂજ્ય શાસન પ્રભાવક પુ-આ. શ્રી હેમસાગર સુરીશ્વરજી મ. જેઓએ નિર્ચાજ-ધર્મસ્નેહ અને અંતરની લાગણું સાથે પુ. આગમેદ્વારકશ્રીની શ્રી તત્વાર્થ સૂત્રની વાચનાની આખી પ્રેસકેપી સાદર મને આપી, તે ઉપરાંત બીજી પણ ઘણી મહત્વની સૂચનાઓ દ્વારા યોગ્ય સહકાર આપે છે.
પૂ. આગમહારક આચાર્યદેવશ્રીના ઉપસરપદ પ્રાપ્ત શિષ્યરત્ન વિર્ય પ-પ-૫ શ્રી કંચનસાગરજી મ.
૫. આગમોદ્ધારક આચાર્ય દેવશ્રીના લઘુશિષ્યરત્ન કમ ગ્રંથાદિ-વિચાર -ચતુર-સહૃદયી પુ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ.
પરમ પૂજ્ય ગુણગરિપદ ધર્મસ્નેહી મુનિરત્ન શ્રી ગુણસાગરજી મ.
Page #12
--------------------------------------------------------------------------
________________
આ ઉપરાંત આ સંપાદનમાં આજ્ઞા થતાંની સાથે નાની-મોટી દરેક જાતની કામગીરી કરી વિનીતભાવ દર્શાવનાર ધર્મ સ્નેહી મુનિશ્રી નિરૂપમ સાગરજી, મુનિશ્રી નયશેખર સાગરમ, બાલમુનિશ્રી પુણ્યશેખર સાગરજી મ, આદિ અનેક મહાનુભાવોના સહયોગના ફળરૂપે આ સંપાદન વ્યવસ્થિત થઈ શકયું છે.
યથાશય જાગૃતિ રાખી ૫. આગમોહારક આચાર્યદેવશ્રીના આશય વિરુદ્ધ કંઈ ન થાય તેની તકેદારી રાખવા છતાં છદ્મસ્થતાના કારણે જિનાજ્ઞા કે પરંપરા વિરુદ્ધ કંઈ સંપાદન થવા પામ્યું હોય, તે તે બદલ ચતુર્વિધા શ્રીસંઘ સમક્ષ હાર્દિક મિથ્યા દુષ્કત દેવા સાથે પુણ્યવાન તત્વચિવાળા જિજ્ઞાસુ–મહાનુભાવે આ પ્રકાશનને જ્ઞાની–ગીતાર્થ–ગુરુ ભગવંતની નિશ્રાએ” વાંચી-વિચારી અંતરંગતત્વદષ્ટિની સફળ કેળવણી કરી સંપાદકના અનુભવની જેમ પોતે પણ જિનશાસનની રસાસ્વાદપૂર્વક સફળ-આરાધનાનો લાભ “ લેવા ભાગ્યશાળી બને, એજ મંગળ અભિલાષા.
નિવેદક
વીર સ. ૨૫૦૩, વિ. સં. ૨૦૩૩ ના . વિ ૧૦ | દિ. શ્રા વ. ૧૧ શુક્ર અઠ્ઠાઈધર દિન, ૯-૯-૭૭ શેઠશ્રી નેમુભાઈની વાડી જૂની અદાલત, ગોપીપુરા સુરત-૨
શ્રી શ્રમણ સંય સેવક પૂ. ઉપાધ્યાય તપસ્વી ગુરુદેવ શ્રી ધર્મસાગર ગણિવર ચરણસેવક
અભયસાગર
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રી
છે
..ત
આ....... મ...
- વર્ષ–૧૨
- પુસ્તક ૧-૨-૩-૪ વિ... ષ...ય......
8
.....ન
પ્રકાશકીય...........૩ સંપાદકીય...૬ અનુક્રમણિકા. ..
પુસ્તક-૧............૧ થી ૩૬ પુસ્તક-૨.......૧ થી ૪૦ પુસ્તક-૩...............૧ થી ૪૪ પુસ્તક- ૧ થી ૨૮
પુસ્તક-૧ પૃષ્ટ ૧ થી ૩ર
ધમનું અદભુત રહસ્ય ધમને લક્ષ્યાર્થભાવાર્થ છે કે... ... ધર્મ-શબ્દને લક્ષ્યાર્થી અને વાચ્યાર્થ ...
... ૧થી ૧૦
... ... ૧ થી ૨ .. ... ૩ થી ૧૦
Page #14
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રા-સંgયાત્રા શીર્ષક-પરિચય ... ...૧૧ વિશિષ્ટ-પરિચય - ૧૨ | તીર્થયાત્રા-સંઘયાત્રા આ મહાનિબંધ પણ ૧૩ થી ૩૧ 8.
વિષય
૦ તીર્થ -ચૈત્યને મહિમા સર્વોત્તમ કેમ? ૦ તીર્થભૂમિ સમ્યકત્વની મજબૂતીનું કારણ ૦ સ્વ અને પરના લાભ માટે યાત્રીગણને નેતા શું કરે? .. ૦ છરી પાળતે સંઘ અનમેદનીય હોઈ શકે? ૦ ધનશેડના અધિકારમાં શું જણાવે છે? ૦ પ્રાસંગિક સૂચન ૦ શ્રી તીર્થકર ભગવતેને પ્રભાવ કેવો? ૦ આગમની અત્યુત્કૃષ્ટતા શામાં? . ૦ પ્રવૃત્તિ આગમાનુસારે હેવી જોઈએ . ૦ -કપિત પ્રવૃત્તિ સંસાર-વૃદ્ધિનું કારણ બને છે ૦ જિનેશ્વર મહારાજને અત્યુત્તમ ઉપકાર છે? ૦ ઉપકારીનું ઉપકારકપણું એકસરખું જ હોય ? ૦ દેવતાઓ પણ પુસ્તક-રત્નની આરાધના કરે ૦ સાત-ક્ષેત્રોમાં ત્રીજે નંબરે આગમક્ષેત્ર આરાધ્ય બને ... ૦ મદિરનું પ્રમાણ કેટલું? ” ૦ દેવેની વિપુલ સંખ્યાએ પણ ચિત્યનું પ્રમાણ મોટું હેવું જોઈએ
. ૦ મનુષ્યમાં પણ તેમજ હોય છે. .. ૦ સપ્રતિરાજા આદિના સમયનાં ચિત્ય શું જણાવે છે . ૦ દેવલોકના સુવર્ણમય દહેરાને ઉલલેખ શાસ્ત્રોમાં પણ છે ...
જિનચૈત્ય માટે જે કંઈ કરે તે ૦ શાસનની મહત્તા ૦ જૈન સાધુઓ ઉત્તમ કેમ?
Page #15
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-૨ પૃષ્ઠ ૧ થી ૪
કલ્યાણક દિવસોની આરાથનાને દષ્ટિકોણ ... શ્રી તવાથધિગમસૂત્રનું હૃદયગ્રાહી વિવેચન
જીવનની સફળતા શામાં? . સાધુઓનું સંઘમાં સ્થાન •
૧ થી ૫ ૬
•
જ
પુસ્તક-૩
પૃષ્ઠ ૧ થી ૪૪ જેનશાસનમાં જ્ઞાનનું સ્વરૂપ ..
.
પૃષ્ઠ ૧ થી ૬
છે દીવાદાંડીનાં અજવાળાં છે
પૃષ્ઠ ૭ થી ૩૮
વિભાગ પરિચય-૭ શ્રતજ્ઞાનનું મહત્વ અને તેની વિશિષ્ટ-પરિણતિ... સાધ્ય-સાધન શૂન્ય દેવને ઉપદેશ નિષ્ફલ છે? ૦ આત્મ-હિતકર દેવ-ગુરુનું સ્વરૂપ • ૦ શ્રોતાને પ્રથમ ઉપદેશ કો આપો? . ૦ કિતાબની માન્યતામાં મોક્ષની અટકાયત નથી ૦ ચારિત્રની મહત્તા ૦ તપસ્યાની મહત્તા
•
Page #16
--------------------------------------------------------------------------
________________
C
પુસ્તક-૪
પુણ ૧ થી ૨૮ ૦ ધર્મના સ્વરૂપનું ફળમુખી વિવેચન ...
..
૧ થી ૮
૦
૦
હૈયાને ઝંકાર
પૃષ્ઠ ૧૦ થી ૧૬. ૦ શ્રી તારંગા તીર્થાધિપ સ્તુતિ ૦ શ્રી પિસીના પાનાથ સ્તુતિ ૦ શ્રી વીતરાગ-પરમાત્મ-સ્તુતિ ૦ શ્રી સિદ્ધાચલજી સ્તવન ૦ શ્રી ,, , . - શ્રી અજિતનાથ ,, . 0 મી આદીશ્વરભગવાન સ્તવન 0 શ્રી સુપાર્શ્વનાથ સ્તવન 0 સરસીમંડન શ્રી ચન્દ્રપ્રભ સ્તવન ...
છે ગુરુ ચરણમાંથી મળેલું છે
| પૃષ્ઠ ૧૭ થી ૨૮ • વિભાગ પરિચય .. . . ૧૭ • મહત્વના પ્રશ્નોત્તરી ..
૧૮ થી ૨૨ તાત્વિક પ્રશ્નોત્તરાણિ' ગ્રંથને સંક્ષિપ્ત
ગુર્જરનુવાદ પ્રશ્ન ૯૩ થી ૯૭ છે શ્રી “આગમત' સ્થાયી નિધિમાં લાભલેનાર
ભાગ્યશાળીઓની નામાવલિ
.
૨૩ થી
/
Page #17
--------------------------------------------------------------------------
________________
|
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
IE 2N
વીર નિ. સ.
& @ રપ૦૩ છે દુનિકપત કન્યાવિ. સં. 8
8 નું અદૂભુત રહસ્ય છે પુસ્તક ૨૦૩૩
ધર્મને લક્ષ્યાર્થભાવાર્થ છે?
ધર્મ શબ્દની વ્યુત્પત્તિ-અર્થ પ્રમાણે આ લેક સંબંધી વિવિધ-પીડાઓથી બચાવીને સ્વસ્થ-સ્થિતિમાં જીવને રાખવે, તેમજ અન્ય ભાવી–આપત્તિઓથી પણ બચાવીને જીવને સારી અવસ્થામાં રાખવો એ ધર્મનું તત્વ છે.
આ પ્રમાણે વ્યુત્પત્તિ-અર્થ છતાં બહુલતાએ ધર્મનું સાધ્ય પરભવના દુઃખથી બચવાનું ગણવામાં આવે છે, અને તેથી
दुर्गतिप्रपतग्जंतुधारणाद् धर्म उच्यते । એમ અથવા તે दुर्गतिप्रसृतान् जंतून्, यस्माद् धारयते ततः; धत्ते चैतान् शुभे स्थाने, तस्माद् धर्म इति स्मृतः ।। એવા એવા વાકયથી શાસ્ત્રકાર-મહારાજાઓ પણ ધર્મનું
Page #18
--------------------------------------------------------------------------
________________
માગમત
પ્રયેાજન, દુર્ગતિનું નિવારણ અને શુભગતિની પ્રાપ્તિ છે એમ જણાવી ધમનું મુખ્ય તત્વ અન્ય જિંદગીને અગેજ જણાવે છે.
એનું કારણ એમ જણાય છે કે
આ ભવને દુખના નિવારણમાં જે કે પૂર્વ–ભવે કરેલાં પુણ્ય મુખ્ય ભાગ ભજવે છે, અને તેથી આ ભવના દુઃખનું પણ નિવારણ પૂર્વભવમાં કરેલા ધર્મથી થએલા પુણ્યદ્વારા થાય છે, તે પણ સામાન્ય દષ્ટિવાળે મનુષ્ય આ ભવના દુઃખના નિવારણમાં ઉદ્યમને પ્રત્યક્ષ દેખતે હોવાથી અને પુણ્યપ્રકૃતિ સુક્ષમ હેઈ અરૂપી જેવી હેવાને લીધે તેને નહિ દેખતે હોવાથી ઉદ્યમજન્ય માની લેવાની ભૂલ કરે એ સ્વાભાવિક છે.
જગતમાં ખેતરની માટી અને વરસાદનું પાણી એકસરખું હેવા છતાં જેમ જુદી જુદી જાતનાં વૃક્ષે ઉત્પન્ન થાય છે, તેથી જુદાં જુદાં બીજે વાવ્યાનું અનુમાન સહેજે કરી શકાય છે, તેમ એક કુલમાં એક માતાની કુખે જન્મેલા, એક-સરખા સંજોગોને ધારણ કરનારા પુત્રમાં, સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય વગેરે સુખના સાધનેની પ્રાપ્તિની વિચિત્રતાને જેનારે સામાન્ય દષ્ટિવાળે મનુષ્ય પણ પુણ્યની વિચિત્રતાનું અનુમાન કરી શકે છે. આમ છતાં જેઓની તેવી કારણુ-ગવેષણાની દષ્ટિ પહોંચતી નથી, તેઓ આ લેકના સર્વ સુખસાધનેને માત્ર ઉદ્યમજન્ય માનવા તૈયાર થાય છે.
જેમ કેઈ ન કલ્પી શકાય તે ગમાર મનુષ્ય ક્ષેત્રમાં પાકની વિવિધતાના મૂળ કારણરૂપ વાવવાના બીજેનું જુદાપણું નહિ સમજતાં માત્ર ક્ષેત્ર અને પાણીને જ પ્રભાવ જાણે, માને અને કહે, તેવા રીતે કેટલાક અજ્ઞાન છે પણ બુદ્ધિ અને પ્રયત્નને જ માત્ર દેખતાં આ ભવમાં થતી સુખના સાધનની વિચિત્રતાને તે બુદ્ધિ અને પ્રયત્નના જ ફળરૂપ માને છે, પણ બીજની વિચિત્રતાની માફક પરભવના કર્મોની વિચિત્રતાને માનવા ન કલ્પી શકાય તેવા ગમાર માણસની માફક તૈયાર થતા નથી.
Page #19
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું ધર્મ-શબ્દને લક્ષ્યાર્થી અને વાચ્યાર્થ
કેટલાક આવર્તમાં જન્મ પામ્યા છતાં પણ અનાર્યના જડવાદની જમાવટ કરવાવાળા મનુષ્ય ધર્મ શબ્દને વાચ્યાર્થ અને લક્ષ્યાર્થરૂપે અર્થભેદ નહિ છતાં અથવા એકાWપણું છતાં લક્ષ્યાર્થ અને વાર્થને છૂટા પાડે છે, અને સ્પષ્ટપણે તેઓ જાહેર કરે છે કે
“અન્ય-જિંદગીમાં દુખથી બચાવનાર અને સુખને મેળવી આપનાર ધર્મ શિવાય બીજો કોઈ પદાર્થ છેજ નહિ એવું જે કહેવામાં આવે છે તે માત્ર વાર્થ તરીકે એટલે શબ્દાર્થ તરીકે જ છે, પણ ધર્મ–શબ્દને લક્ષ્યાથે તે એજ છે કે તે ધર્મના નામે મનુષ્ય આ જિંદગીમાં હિંસા, જૂઠ વગેરે જુલમના અને અન્યાયના કાર્યોથી બચે અને તેવી રીતે જુલમ અને અન્યાયોથી બચવાવાળે મનુષ્ય સારી નીતિ અને સારી ચાલચલગતવાળે થઈ સર્વ પ્રકારે યોગ્ય–ઉદ્યમ કરવાવાળે થાય અને તેથી મરણપયત સુખના સાધનેને મેળવી શકે.”
આવી રીતે લક્ષ્યાર્થી દ્વારા ધર્મ સમજાવવાનું તેઓ એટલા માટે જરૂરી માને છે કે જે આવતી જિંદગીના દુખેથી બચવા અને સુખને મેળવવાની કારણતારૂપ વાચ્યાર્થતાદ્વારા ધર્મને ન સમજાવતાં ઉપર જણાવેલા લક્ષ્યાર્થદ્વારા ધર્મ જણાવવામાં આવે તે સત્તા આગળ શાણપણ ચાલે નહિ? એ લેક્તિ મુજબ સત્તાધીશ મનુષ્ય પોતાની સત્તાને અનુપગ કે દુરૂપયેગ કરતાં કોઈ પણ અંશે સંકોચાય નહિ.
કારણ કે તેવા સત્તાધીશેને કઈ પણ બીજી સત્તાને ડર હેતે નથી, ક્યારેક સજજન ગણાતા મનુષ્યો પણ સત્તાધીશેની સ્લાવાની સરિતા વહેવડાવવા સર્વદા આત્માનું સમર્પણ કરવા તૈયાર હોય છે, તેથી તેઓને પિતાના સત્તાધીશપણના પ્રભાવથી અપકતિપણાને અશે પણ ડર હોતું નથી, એટલું જ નહિ પણ સત્તાધીશોએ અન્યાયથી લીધેલાં રાજે, અગ્ય રીતિએ કરેલા શત્રુસૈન્યના સંહારે,
Page #20
--------------------------------------------------------------------------
________________
આગમત
વિગેરે જગતમાં મહાપુરુષ તરીકે ગણાતા પ્રખર કવિઓએ કાવ્યદ્વારા યશગાનની ગીતામાં ગોઠવી દીધેલાં હોય છે, માટે તેવા સત્તાધીશેને સન્માર્ગની સડક ઉપર સફર કરાવવાનું કઈ પણ જે સાધન હોય તે તે ઉપર જણાવેલ ધર્મશબ્દને વાચ્યાર્થરૂપે અર્થ કરે તેજ છે,
આવી રીતે ધર્મશબ્દના વાચ્યાર્થીને અલગ રાખી માત્ર લક્ષ્યાર્થીને નામે લેકેને દેરવવા એ ધર્મને નામે નાસ્તિકતાનું નરકદ્વાર ખેલવા જેવું છે, કેમકે પ્રથમ તે “લક્ષ્યાથ ત્યાંજ જુદે હેય કે જયાં મુખ્યાથને બાધ હોય છે. અહીં ધર્મશબ્દના વાચ્યાર્થ તરીકે અન્ય, જિંદગીમાં આવનારા દુખેથી બચવું અને સુખની પ્રાપ્તિ કરવી એ જે મુખ્યાર્થ જણાવે છે, તેમાં કોઈ પણ પ્રકારે બાધ થતું નથી, માટે તે વાચ્યાર્થરૂપી મુખ્યાર્થથી ભિન્ન એ લક્ષ્યાથ લેવાની આસ્તિકને કઈ પણ પ્રકારે જરૂર નથી.
લક્ષણાના જહબ્રક્ષણ વિગેરે વિભાગો કરી પૂર્વ-મહષિઓએ અન્ય-જિંદગીમાં આવનારા કર્મો-દુખે દૂર કરનાર તથા સુખને પ્રાપ્ત કરાવનાર તરીકે જણાવેલ વાચ્યાર્થ નહિ છોડતાં જામ્યો ધિ તામ્ એ વાકયમાં જેમ દહીને ખાઈ જનાર કાગડાથી દહીંનું રક્ષણ કરવાનું છે, અને બીજા પણ કુતરા, બિલાડા વિગેરે જે દહીંને ખાઈ જનારા છે, તેમાંથી પણ દહીંનું રક્ષણ કરવાનું છે એવું તત્વ હેવાથી અજહક્ષણા નામની લક્ષણો જણાવી લક્ષ્યાર્થ જણાવાય છે, તેવી રીતે અહીં અન્ય જિંદગીમાં આવનારા દુઃખથી બચાવ અને સુખની પ્રાપ્તિરૂપ ધર્મશબ્દને મુખ્યાથ સાબીત રાખી જે આ જિંદગીના દુઃખના બચાવ અને સુખના સાધનેને પણ ધર્મશબ્દના અર્થમાં ગોઠવી જેમ વચ્ચો વાળા વાક્યમાં દધિને નાશ કરનારા માત્રને અર્થ લેવામાં આવે છે, તેવી રીતે ધર્મશબ્દના અર્થમાં પણ અન્ય જિંદગીના દુખેને દૂર કરવાના અને સુખને મેળવવાનું સાધન ધર્મ છે એમ માનવા સાથે આ જિંદગીના દુઃખેને દૂર કરવાનું
Page #21
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું અને સુખને પ્રાપ્ત કરવાનું સાધન ધર્મ છે, એમ અ--જહલક્ષણાથી માનવામાં આવે તે કેઈપણ જાતની અડચણ નથી,
પણ આ રીતે અ–જહબ્રક્ષણાથી લક્ષ્યાર્થીને માનનારે મનુષ્ય કેવળ સત્તાધીશેની સત્તાના દુરૂપયેગ અને અનુપગના નિવારણને માટે જ ધર્મને વાચ્યાર્થ છોડી દઈ માત્ર લક્ષ્યાર્થી માટે ઉપયોગ થએલે છે, એમ માનવા તૈયાર નહિ.
અર્થાત્ આ જિંદગી અને અન્ય જિંદગીમાં રાજા કે રંક, પંડિત કે મૂર્ખ, શ્રીમાન કે દરિદ્ર, રેગી કે નીરોગી, મનુષ્ય કે જાનવર દરેકને દુઃખથી બચાવનાર અને સુખ પ્રાપ્ત કરાવનાર જે કઈ ચીજ હોય તે તે માત્ર ધર્મ જ છે, એમ અ-જહલક્ષણ દ્વારા કહી શકાય,
પણ--સિમર્થ શામત શાહમવત્ મવતિ એ ન્યાયે આ ભવમાં દુખેને દૂર કરવાના અને સુખને પ્રાપ્ત કરવાના સાધનભૂત ધર્મ એ સિદ્ધ થએલી વસ્તુ છે, એને કેઈપણ પ્રકારે સાધ્ય-દશામાં મેલી શકીએ તેમ નથી, પણ અન્ય જિંદગીમાં દુઃખેને દૂર કરવા અને સુખેને પ્રાપ્ત કરવાના સાધનરૂપ ધર્મ એ બહુલતાએ સાધ્યદશામાંજ છે, અને તેવા સાધ્યરૂપ રહેલા ધર્મને અ-સિદ્ધ ગણી તેને માટે શાસ્ત્રકારે ઉપદેશ આપે અને આવતી જિંદગીના દુઃખને નિવારણ કરવા અને સુખને પ્રાપ્ત કરવાના અર્થને ધર્મશબ્દના અર્થ તરીકે જણાવે છે તે સર્વ પ્રકારે ગ્ય છે.
આ હકીક્ત વિચારનારા મનુષ્યને ધર્મના વ્યુત્પત્તિ-અર્થમાં અન્ય-જિંદગીના દુઓને દૂર કરવા અને સુખને પ્રાપ્ત કરવા એટલે દુર્ગતિ કરી અને સદગતિ મેળવવી એજ અર્થ ધર્મશબ્દનો અર્થ તરીકે લીધે, તે વિધેયની અપેક્ષાએ છે અને ધર્મ સ્વાખ્યાતતા નામની છેલ્લી બારમી ભાવનામાં આ * જિંદગીના ખેને નિવારવા અને સુખને પ્રાપ્ત કરવાના સાધને મેળવી આપનાર તથા સાધને થનાર વસ્તુઓ મેળવી આપનાર ધર્મજ
Page #22
--------------------------------------------------------------------------
________________
આરામત
છે એવું કરેલું નિરૂપણ અનુવાદની અપેક્ષાઓ છે એમ સહેજે સમજી શકે તેમ છે.
આવી રીતે સામાન્ય રીતે
આ લેક અને પરલેક=ઉભયમાં દુઃખને દૂર કરી સુખ પ્રાપ્ત કરાવનારે ધમ”
વિધેયની અપેક્ષાએ– “દુઃખને દૂર કરી સુખને પ્રાપ્ત કરાવનાર ધમ” તથા અનુવાદની અપેક્ષાએ–
આ લેકમાં દુઃખને દૂર કરાવનાર તથા સુખને પ્રાપ્ત કરાવનાર તથા તેને અનુકૂળ સાધને મેળવી આપનાર ધર્મ.
એમ વ્યુત્પત્તિ અર્થ, વિધેયઅર્થ અને અનુવાદઅર્થની અપેક્ષાએ માનવામાં કોઈપણ વિચક્ષણ-મનુષ્યને અડચણ રહેશે નહિ.
એ વાત જરૂર ધ્યાનમાં રાખવાની છે કે જ્યાં જ્યાં અનુવ અને વિધેય એ બંને અર્થને પ્રસંગ હોય ત્યાં ત્યાં સામાન્ય નિયમથી અબૂધ-અર્થ કરતાં વિધેય-અર્થનું બલવત્તરપણું હોય છે, અને તેથી મહાપુરુષે ધર્મના વ્યુત્પત્તિ-અર્થને જણાવતાં અન્ય જિંદગી સંબંધી દુખપરિહાર અને સુખપ્રાપ્તિરૂપ ફળ જણાવે છે તે અત્યંત ગ્યજ છે.
જો કે ધર્મશબ્દને મુખ્ય અર્થ પૂર્વ-મહષિઓએ જણાવ્યું છે તેમ અને ઉપર કહ્યા પ્રમાણે આવતી-જિંદગીના દુઓને દુર કરવા અને સુખને પ્રાપ્ત કરવાં એ જ છે, છતાં તેના આનુષંગિક-અર્થને વિચારીએ તે ધર્મના અર્થને અંગે પહેલા ભવમાં કરેલા ધર્મના પ્રતાપે વર્તમાન-ભવમાં દુર્ગતિ થઈ નથી અને સારા મનુષ્યપણારૂપી સગતિ મળી છે, તેથી દુર્ગતિનિવારણ અને સદગતિપ્રાસિરૂપ ધર્મશબ્દને અર્થ વર્તમાન મનુષ્યજન્મમાં પણ અનુભવાય છે અને તે અપેક્ષાએ પૂર્વમહષિઓની વ્યુત્પત્તિ જે ધર્મશબ્દને અંગે જણાવવામાં
Page #23
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
આવી છે, તે વ્યાપકજ ઠરે છે, અને આ ભવમાં પણ ધમાદના મુખ્ય અર્થની ચરિતાર્થતા છે જ,
જે કે ત્રિલેકનાથ તીર્થકર-મહારાજાઓએ ધર્મતત્વનું નિરૂપણ માત્ર પૌદ્ગલિક-દુખના નિવારણ અને પૌગલિક-સુખની પ્રાપ્તિ માટે કે નરકાદિક દુર્ગતિઓનું નિવારણ કરી મનુષ્યત્વાદિક સદ્ગતિએની પ્રાપ્તિ માટે કરેલું નથી, કેમકે કેવળ મોક્ષપ્રાપ્તિને માટેજ ઉદ્યમ કરવા કટિબદ્ધ થએલા ખુદ તીર્થંકર-મહારાજ વિગેરે તે શું ? પણ માત્ર સમ્યગ્દર્શનને ધારણ કરવાવાળા જીને પણ મનુષ્યપણું, દેવપણું કે ચક્રવતી પણું એ સર્વ દુનિયાદારીની દષ્ટિએ સુખમય હઈ સદ્ગતિરૂપે ગણાય છે, છતાં તે બધું કર્મથીજ થવાવાળું હાઈ આત્માની સિદ્ધદશાને બાધ કરનાર હોવાથી તેમજ આત્માથી પર એવા પુદ્ગલથી ઉત્પન્ન થતા સુખનાજ સામ્રાજ્યવાળું હેવાથી દુઃખરૂપ અને છાંડવારૂપજ જણાવેલું છે.
આ કારણથી સ્થાન–સ્થાન પર શાસ્ત્રકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે –
સમ્યગ્દષ્ટિ જીવ જે તાત્ત્વિક સમ્યગ્દર્શનને પામેલે હોય તે કેઈપણ કાળે મોક્ષ સિવાય અન્ય પદાર્થની એટલે દેવત્વાદિકની પણ ઈચ્છા કરનારે હેય નહિ.'
આ સ્થાને ચતુર્વિધ–સંધરૂપી સમ્યગ્દર્શનના ધારી પુરુષને પિતાના સમ્યગ્દર્શનને નિર્મળ રાખવા તથા દઢ રાખવા એ ખાસ જરૂરી છે, કે
કેઈપણ કાળે અને કેઈપણ પ્રકારે પરમપદરૂપ જે મોક્ષ તે શિવાયના નરેન્દ્રવ, ચક્રવત્તિત્વ, દેવત્વ કે ઈંદ્રત્વ આદિ પરભવમાં મળતાં પૌદૂગલિક-ફળે કે આ ભવમાં મળતા ઈષ્ટ-વિષયની પ્રાપ્તિ અનિષ્ટ-વિષયેનું નિવારણ, રેગાદિકને નાશ, દ્વિ-સમૃદ્ધિની પ્રાપ્તિ કે યશ-કીતિને ફેલાવે કોઈ દિવસ પણ ધર્મના ફળ તરીકે તે શું? પણ સાધ્ય તરીકે કોઈ દિવસ પણ ધારવું જોઈએ નહિ.
Page #24
--------------------------------------------------------------------------
________________
આગમત ' યાદ રાખવું કે તે કમ્યુનિવિિ ક ઘા એ સૂત્ર લૌકિક-માળવાળાને જેમ માન્ય છે, તેમ લકત્તર માર્ગવાળાને પણ માન્ય જ છે પણ લૌકિક-મતવાળા અભ્યદય એટલે સાંસારિક સર્વ પ્રકારના સુખ આદિની પ્રાપ્તિ ધર્મના સાધ્યફળ તરીકે ગણે છે, અને તેથી જ તેઓ રાત્રિ ગુયાત વગેરે શ્રુતિના સૂત્રથી દેવક, ઋદ્ધિ-સમૃદ્ધિ, યશકીતિ કે પુત્ર-પૌત્રાદિકને માટે ધર્મરૂપ મનાએલા યજ્ઞનું વિધાન કરે છે,
પણ-કોત્તર-દષ્ટિની અપેક્ષાએ પૌગલિક ફળરૂપ અને સંસારના ચાવારૂપ ઋદ્ધિ-સમૃદ્ધિ આદિને સાધ્ય-ફળરૂપે ગણવામાં આવતું નથી,
કેમ કે ભગવાન તીર્થકર વિગેરે આરંભ અને પરિગ્રહના તથા વિષય અને કષાયના વિવિધ ત્રિવિધ પ્રકારે ત્યાગી હોઈ જે તે આરંભાહિમય એવા નરેન્દ્રત્વ અને દેવત્વાદિને સાધ્ય તરીકે ગણાવી તેના કારણ તરીકે તે પ્રાપ્ત કરવા માટે ધર્મનું નિરૂપણ કરે તે જૈનશાસનના મુદ્દા પ્રમાણે તેઓ પોતાની પ્રતિજ્ઞાને તેડનારા થાય અને તેઓને વદતે વ્યાઘાતવાળી દશા પ્રાપ્ત થાય,
માટે કેત્તર દષ્ટિએ અભ્યદય એટલે પૌદ્ગલિક-સમૃદ્ધિ સાધ્યફળ હોઈ શકે નહિ અને તેને માટે ધર્મનું નિરૂપણ પણ હોય નહિ,
પરંતુ કર્ષક જેમ ખેતી કરતી વખતે ધાન્યનેજ મુખ્ય ફળ હેવાથી સાધ્ય તરીકે ગણે છે, છતાં તે ધારેલા ધાન્યની નિષ્પત્તિ પહેલાં વાવેલા ધાન્યની જાતિ પ્રમાણે તરેહ તરેહના ઘાસને પામે છે, તેથી તે ખેતીની ક્રિયાનું મુખ્ય એટલે સાધ્યફળ ધાન્ય એટલે અનાજ જ કહી શકાય, પણ અનાજ વાવવાથી થયેલા ઘાસની પ્રાપ્તિ એ મુખ્ય ફળ એટલે સાધ્યફળ ન ગણતા આનુષંગિક એટલે પ્રાપ્ય ફળ તરીકે ગણી શકાય છે,
તેવી જ રીતે ધર્માનુષ્ઠાનના પ્રતાપે મેક્ષરૂપી સાધ્યફળ મેળવી
Page #25
--------------------------------------------------------------------------
________________
પુસ્તકન-લું વાનું છતાં પણ પૌદ્ગલિક-સમૃદ્ધિરૂપી અભ્યદયની જે વચમાં પ્રાપ્તિ થાય છે, તે આનુષંગિક એટલે પ્રાપ્ય ફળ તરીકે ગણી શકાય.
ઉપર કહેલી વાત બરાબર સમજવામાં આવશે તે વાચકે સ્પષ્ટ રીતે સમજી શકશે કે
જેમ જે અનાજ વાવવાથી કિંમતી એવા ધાન્યરૂપી મુખ્ય એટલે સાધ્ય ફળની પ્રાપ્તિ થઈ શકતી હોય તેવા અનાજને જે કઈક પણ ઘાસ આદિકને માટે વાવે તે તે કર્વકની લાઈનમાં પણ અણુસમજુ કે મૂર્ખ જ ગણાય છે.
તેવી રીતે ધર્માનુષ્ઠાને પણ મુખ્ય એટલે સાધ્ય એવા મોક્ષરૂપ ફળને દેવાવાળા છતાં તે ધર્મનુષ્ઠાનેથી અભ્યદય એટલે પૌદ્ગલિક ફળ કે જે ધમનુષ્ઠાનના ગૌણ એટલે કે માત્ર પ્રાપ્યફળ છે, તેની જે ધમનુષ્ઠાનથી સાધ્યતા રાખી બેસે છે તે મનુષ્ય ધમાંનુષ્ઠાન વિશુદ્ધપણે અને ભાવોલ્લાસથી કરતે હોય તે પણ તેને દ્રવ્ય-અનુષ્ઠાન કરવાવાળેજ શાસકારે જણાવે છે, ' અર્થાત્ “મોક્ષતત્વની શ્રદ્ધા કરી તેની જ સાધ્યતા છે એમ મનમાં નિશ્ચિત કરી તેને માટે જ હું ધર્માનુષ્ઠાન કરૂં છું એવી ધારણા જ્યાં સુધી થાય નહિ ત્યાં સુધી જીવ ભાવ-અનુષ્ઠાનવાળો થયે છે એમ કહી શકાય જ નહિ.
આ દ્રવ્યાનુષ્ઠાન અને ભાવાનુષ્ઠાનનું નિરૂપણ દરેક આત્માનું સ્વરૂપ ઓળખવા માટે જરૂરી છે, પણ જે કેટલાક અજ્ઞાની છે પિતે ભાવાનુષ્ઠાનને માટે તૈયાર ન થતાં માત્ર બીજા જીવડે કરાતાં ધમનુષ્ઠાનેને દ્રવ્યાનુષ્ઠાન તરીકે ઓળખાવી કે તે ધર્મનુષ્ઠાને ને ભાવાનુષ્ઠાનની શૂન્યતાના નામે છેડાવી દે છે અગર છેડાવવા પ્રયત્ન કરે છે તેવા જીની અનુકુળતા થવા માટે કે કરવા માટે આ દ્રવ્યાનુષ્ઠાન-ભાવાનુષ્ઠાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું જ નથી.
કેમ કે પ્રથમ તે અન્ય જીવ મેક્ષિતત્વને જાણ નથી, માન નથી, તેને પરમસાધ્ય તરીકે ગણતા નથી કે તે ધર્માનુષ્ઠાન મોક્ષની
Page #26
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત
પ્રાપ્તિ કરવા માટે કરતે નથી એ જાણવાનું તે અજ્ઞાની જેને માટે અશકય જ છે.
જે કે ભગવાન હરિભદ્રસૂરિએ તે મોક્ષનું સ્વરૂપ જાણવું, માનવું કે તેની સાથતા રાખી ધમનુષ્ઠાન કરવું એ ભાવાનુષ્ઠાન હેઈ કરવા લાયક છે એમ જણાવવા સાથે તેટલું બધું જ્ઞાન વિગેરે ન હેય અને માત્ર જિનેશ્વર મહારાજે આ કરવાનું કહેવું છે, માટે કરવું જોઈએ એવી ધારણા રાખવાવાળાના દ્રવ્યાનુષ્ઠાનને પણ ભાવાનુષ્ઠાનના કારણરૂપ જણાવી કરવાલાયક જણાવ્યું છે.
એટલેજિનેશ્વર-મહારાજના શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા અનુષ્ઠાને એક્ષપ્રાપ્તિ માટે કરવાં આવશ્યક છે, છતાં કદાચ તેવી વિશાળબુદ્ધિ ન હોય અને મેક્ષિતત્વનું જ્ઞાન વિગેરે ન મેળવી શકે છે, તે પણ રિલેકનાથ તીર્થકર ભગવાને આ અનુષ્ઠાન કરવાનાં કહાં છે માટે કરવાં જોઈએ એવી માત્ર ધારણા રાખી, ધર્માનુષ્ઠાન કરનાર મનુષ્ય અખલિત તે શું પણ કદાચિત અલિત એવા ધમનુષ્ઠાને કરે તે પણ ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ સ્પષ્ટ ફરમાવે છે કે
તે ભવિષ્યમાં ભાવ-અનુષ્ઠાનને જરૂર પામશે, અને તેના ફળરૂપ મોક્ષને પણ અનુક્રમે પામશે.”
અર્થાત્ જિનેશ્વર મહારાજના શાસનમાં જે જે ધમનુષ્ઠાને નિરૂપણ કર્યા છે તે સર્વ મોક્ષ કે જિનેશ્વર ભોંસાની બુદ્ધિથી કરવામાં આવે તે તે પર્વતે ભાવાનુકાનના મોક્ષરૂપ ફળને આપ-: નારા થાય છે, તેથી જેઓ પિતે ધમનુષ્ઠાનેથી વિમુખ થઈ બીજા ભદ્રિક-જીવેના જિનેશ્વર-મહારાજના: વચનના ભરોસે પણ કરાતાં અનુષ્ઠાનને રોકવા દ્રવ્યાનુષ્ઠાનના નામે પ્રયત્ન કરે છે, તેઓ સ્વયં નષ્ટ થએલા હેઈ બીજાઓને નાશ કરનારા છે એમ સમજવું,
એટલે તવદષ્ટિવાળે કેઈપણ મનુષ્ય જિનેશ્વર મહારાજના ધર્મના અનુષ્ઠાનને નિષેધ કરનારે હેય નહિ, કેમકે તે અનુષ્ઠાને પૂર્વે જણાવ્યા પ્રમાણે જિનેશ્વર ભગવાનેએ મેક્ષની પ્રાપ્તિ માટે જ જણાવેલાં છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
તીર્થ યામાં
ત
'
ભવ-સમુદ્રથી તારવાવાળા તીર્થોને
જુહારવા માટે થતી
મંગળકારી-ભવભયહારિણી
તીર્થયાત્રા-સંઘયાત્રા
.
સંઘયાત્રા
li
Oki
::
Page #28
--------------------------------------------------------------------------
________________
તત્ત્વપ્રેમી-જિજ્ઞાસુઓ
માટે
૦ રસથાળ ૦
આગના તળસ્પશી વ્યાખ્યાતા પૂ. આગમ દ્વારકશ્રીછે એ સિદ્ધચક (વર્ષ ૬ અંક ૪થી) માં “તીર્થયાત્રા અને ૨ છે. સંઘયાત્રા” નામથી ઘણી મોટી લેખમાળા લખેલ.
જેમાં તીર્થની મહત્તા, આરાધક-જીને તેની ઉપયોગિતા છે તથા તે અંગેના મહત્વના શાસ્ત્રીય-દષ્ટિકેણે જણાવવા સાથે છે.
તીર્થની યાત્રા કરનારાના કર્તવ્ય, છરી પાળતા સંઘને લઈ જવાની આદર્શ વિધિ વગેરેનું અદ્ભુત વર્ણન સુંદર રીતે કરેલું. મેં
“આગમત ના પ્રથમ-પુસ્તકમાં સળંગ લેખનછે માળા આપવાનું ધારાધેરણ છે.
તે મુજબ આઠ વર્ષ સુધી “આગમ રહસ્ય” લેખમાળા ચાલી, તે પુરી થયેથી નવમા વર્ષથી “તીર્થયાત્રાછે સંઘયાત્રા નામની લેખમાળા શરૂ કરેલ છે. તેને ત્રીજો હપ્ત છે આ પુસ્તકમાં અપાય છે.
જિજ્ઞાસુ-વાંચકો ગુરૂગમથી આલેખેને વાંચે !! વિચારે!!! છે
Page #29
--------------------------------------------------------------------------
________________
આગમવાચનાદાતા, જેનાગમમંદિર સંસ્થાપક ધ્યાનસ્થ–સ્વત પૂ. આ આગાહારકશ્રીએ
તીર્થધારિકેના આત્મહિતાર્થે
લખેલ
ક
તીર્થયાત્રાને લગતી-માર્મિક-અનેક મહત્વપૂર્ણ
બાબતેને સૂચવતે મહાનિબંધ
તીર્થયાત્રા-સંઘયાત્રા
[૫. આગમ દ્ધારક આચાર્યદેવશ્રીએ “તીર્થયાત્રા” સંબંધી શાસ્ત્રીય-મર્યાદાઓ અને મહત્વની બાબતેને જણાવતે મહાનિબંધ વિ. સં. ૧૯૩માં લખેલ.
તે વખતે જામનગરથી શેઠ પિપટભાઈને શ્રી સિદ્ધગિરિને છરી પાળતે સંઘ નિકળેલ, તે નિમિત્તે લેખમાળા રૂપે આ નિબંધ “સિદ્ધચક” પાક્ષિકમાં વિ. સં. ૧૯૩માં ઘણું અંકે સુધી ચાલેલ.
અત્યંત ઉપયોગી જાણી નવમા-વર્ષના પ્રથમ-પુસ્તકથી આ નિબંધ આપો શરૂ કર્યો છે. ગત વર્ષના પ્રથમ પુસ્તક (પા-૪૦) થી હવે આગળ ચાલે છે. સં.] તીર્થ-ચૈત્યને મહિમા સર્વોત્તમ કેમ?
ઉપર જણાવ્યા પ્રમાણે ગૃહત્ય કરતાં ગ્રામચૈત્યની વિશિષ્ટતા આ. ૧-૨
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમત છે, એ સમજાશે ત્યારે ગ્રામચૈત્ય કરતાં પણ તીર્થચૈત્યની વિશિષ્ટતા હદબહારની છે, એમ સમજાયા સિવાય રહેશે નહિં, કારણ કે
ગ્રામચેત્યમાં જે સાધુમહાત્માના દર્શન થાય તેના કરતાં તીર્થોમાં ઘણું ઘણું ક્ષેત્રેથી આવેલા અને મહાપ્રભાવશાલી શાસનધુરંધરના દર્શનાદિ થવાને રહેજે સંભવ રહે.
વળી દેશભરના ભાવિક શ્રાવક-સાધમિકેને સમાગમ પણ તીર્થમાં ઘણું ઘણું બને તેમાં પણ કાંઈ નવાઈ નથી, તથા ગૃહત્ય અને ગ્રામચૈત્યની સેવા વખતે સાંસારિક ઉપાધિઓ હદયમાં વાસ કરેલી હોય અને તે ઉપાધિઓ નહિ નીકળવાથી પ્રભુના દર્શનપૂજનાદિથી અને મહાત્માઓના દર્શન અને સાધર્મિક-સંસર્ગ આદિથી જે સ્થિરતાપૂર્વક ભાવ-ઉલ્લાસથી ફાયદાઓ મેળવવાના હોય તે ન મેળવાય, તેથી તીર્થસ્થાનમાં આવનાર મનુષ્ય ફીકરના કેટમાંથી નિકળેલ હોઈ નિરૂપાધિક થઈ સ્થિરતાવાળે થાય અને તીર્થમાં ભગવાન જિનેશ્વર મહારાજની દર્શન-પૂજાદિથી તથા સાધુ-મહાત્મા અને સાધર્મિકોના સંસર્ગથી અનહદ લાભ મેળવી શકે, એ સ્વાભાવિક છે. તીર્થભૂમિ સમ્યક્ત્વની મજબૂતીનું કારણ
શાસ્ત્રકાર-મહારાજાઓ પણ ત્રિકનાથ તીર્થકરની જન્મભૂમિ આદિ તીર્થોનાં દર્શન વિગેરેથી સમ્યકત્વની મજબૂતી જણાવે છે, એ વાત પર્યુષણના વ્યાખ્યાન સાંભળનાર ભવ્ય જીની જાણ બહાર નથી.
આ બધી હકીક્ત વિચારતાં શ્રી શત્રુંજયઆદિ તીર્થોના ચૈત્ય કેટલા બધા મહા-ઉપકારને કરનારા છે? અને તેના દર્શન-પૂજન વિગેરે આત્માને કેવી રીતે મેક્ષ-માર્ગની નજીક નજીક લઈ જાય છે? તે સમજમાં આવ્યા સિવાય રહેશે નહિં.
આવી રીતે તીર્થ અને તીર્થના ચિત્યની અધિકતા જ્યારે વાસ્તવિક રીતે સમજાય ત્યારે તેવા તીર્થો અને તેવા તીર્થના જૈન દર્શન, પૂજન આદિ કરવા માટે ભાવિક આત્મા તૈયાર થાય અને
Page #31
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું તે લાભ પોતાના તરફથી અન્ય ભવ્ય-જીને નિર્વિધનપણે મળે એવી ધારણા કરનારે ભાગ્યશાળી પુરૂષ યાત્રિક-ગણને નેતા બને અને તેવા અપૂર્વ—તીર્થ અને તીર્થચેના લાભને માટે સકળ-સંઘના સમુદાયને સાથે લઈ ધર્મ-પરાયણતામાં આત્માને ઓતપ્રેત કરે તેમાં આશ્ચર્ય શું? સ્વ અને પરના લાભ માટે યાત્રીગણને નેતા શું કરે?
યાદ રાખવું કે જિન-દર્શન આદિ કાર્યમાં પ્રવર્તવાવાળા મહાનુભાવે કઈ પણ દિવસ સમુદાયથી કંટાળવાવાળા હોતા નથી.
શું અંસખ્યાત દેવતાઓ મેરૂ પર્વત ઉપર આવે તેથી ભગવાન જિનેશ્વર-મહારાજના જન્માભિષેકને મહિમા ઈન્દ્ર-મહારાજાઓ એ છે ગણે ખરા?
શું લાગે મનુષ્ય ભગવાન જિનેશ્વર-મહારાજની દેશના વિગેરેમાં આવે તેથી યોગી–મહાત્માઓ દેશનાના લાભથી વંચિત રહે ખરા!
ખરી રીતે તે જે વસ્તુ સ્વ અને પારને લાભદાયી છે. તેમાં પિતાના આત્માનું પ્રવર્તન થાય તે જેમ શ્રેયસ્કર માનવાનું છે. તેમ અન્ય આત્માઓ પણ તે તે પવિત્ર કાર્યો તરફ જોડાય તે ખરેખર લાભદાયી છે, એમ વિવેકી-પુરૂષએ તે માનવું જ જોઈએ.
આ કારણથી વિવેકી પુણ્યાત્મા અન્ય-જીના અને પિતાના આત્માના ઉદ્ધાર માટે યાત્રિક-ગણને નેતા બની સંઘને લાભ લેનારે થાય તેમાં કઈ જાતનું આશ્ચર્ય નથી!!! તીર્થસેવા સમ્યકત્વનું ભૂષણ છે.
વાંચકોએ યાન રાખવાની જરૂર છે કે પૂર્વાચાર્યોએ શ્રાવકના કૃત્યોને જણાવતાં રથયાત્રાની સાથે વિશકત્તા ચ એમ કહીને તીર્થ યાત્રાની પણ શ્રાવક-જન્મની સફળતાને માટે આવશ્યકતા જણાવેલી છે.
વળી ધર્મના મૂળરૂપ એવા સમ્યક્ત્વના ભૂષણમાં પણ તીર્થસેવાને મહર્ષિઓએ જણાવેલ છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
આગમત તીર્થસેવા એ સમ્યક્ત્વનું છેલ્લામાં છેલ્લું ભૂષણ છે, એમ પણ સ્પષ્ટ કરેલું છે
તીર્થયાત્રાને માટે નિકળનાર મનુષ્ય ગૃહસ્થપણને અનુબંધ એટલે દુઃખની પરંપરાને દેનારી આરંભની પરંપરા જેનાથી થાય એવા અનુબંધરૂપી અસદારંભથી નિવૃત્તિ પામે છે, અને તે પણ નિવૃત્તિ સામાયિક-પૌષધાદિકને અંગે જ્યારે ઘણું ટુંક મુદતની જ હોય છે, ત્યારે આ તીર્થયાત્રાને અંગે થતી અસદારંભની નિવૃત્તિ ઘણી લાંબી મુદતની હોય છે.
આ વાતને નહિ સમજનારા અને ધ્યાનમાં નહિ લેનારા મનુધ્વજ માત્ર તીર્થયાત્રા કરવા માટે રેલ વિગેરેના વાહનની થયેલી સગવડને અભિનંદન આપી શકે, પરંતુ જેઓ અનુબંધ-હિંસાના કટુ-ફને સમજે છે, તથા કૃષિ-પશુપાલકપણું-વેપાર અને રોજગાર વિગેરેમાં થતા આરંભે આત્માને અત્યંત-કટુક ફલને દેવાવાળા=પાપને બંધાવનારા છે, એ વસ્તુ જે સમ્યગ્દષ્ટિ સુજ્ઞ-મનુષ્યના હૃદયમાં આવેલી હોય છે તે મનુષ્ય સ્વપ્ન પણ રેલ્વે વિગેરે સાધનથી થતી ટુંકી મુદતની યાત્રાને અનુદે કે પ્રશંસે નહિ જ. છરી પાળતે સંઘ અનુમોદનીય હેઈ શકે
યાદ રાખવું કે ચક્રવતી ભરત મહારાજા પાસે ચર્મરત્નનું સાધન હતું, અને તેમાં બેસાડવા દ્વારા આખા સંઘને તે જલદીથી તીર્થયાત્રા કરાવી શકત, વળી ચકવતીઓના તાબામાં હજારે દેવતાઓ હોવાથી તે દેવતાઓ દ્વારા વિમાનની વિદુર્વણુ કરાવીને યાત્રા કરાવી શક્ત, પણ ચક્રવર્તી એ ચર્મરત્નદ્વારા કેદેવતાદ્વારા વિમાન કરીને સંઘને યાત્રા કરાવી નથી, પરંતુ મુખ્યતાએ છરી પાળવાની સાથે યાત્રાએ કરાવી છે, તે વિચારનારે મનુષ્ય વર્તમાનકાળમાં નિકળતા રેલવેના સંઘને કઈ પણ પ્રકારે અભિનંદન આપી શકે તેમ નથી.
બીજી વાત અહીં વિચારવા જેવી છે કે આજે સંઘયાત્રામાં કયારેક સંજોગવશ વ્યાખ્યાનાદિને લાભ યાત્રિકે ન લઈ શકે
Page #33
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-કું
૧૭
તેટલા માત્રથી કેટલાક સ્થળબુદ્ધિવાળા ગોકીરો કરી મુકે છે કે “શું આ સઘ! વ્યાખ્યાન વિનાના આ સધનુ' શું મહત્ત્વ ?” આદિ.
પણ અહિં વાત એ છે કે—સ`ઘયાત્રામાં છ'રીપાળવાની મહત્તા, આરંભ સમારભના ત્યાગ, સંસારી સાવઘ–પ્રવૃત્તિના ત્યાગ અને નિરાર’ભીપણાના અભ્યાસ વગેરે ખાખાનું મહત્ત્વ છે.
તેમાં વ્યાખ્યાન પ્રેરક છે, એ વાત સાચી! પણ કારણ—સ ંજોગવશ વ્યાખ્યાનાદિ કયારેક ન થવા પામે તે તેટલા માત્રથી તે સંઘયાત્રા નકામી કે અથ વગરની કેમ કહેવાય !
તેઓ રેલગાડી કે ખસ-માટરાદ્વારા નિકળતા સંઘની અનુપાદેયતા ખેલતા પણ નથી, વળી તેવાઓને પણ નંદીની ક્રિયા કરાવી માળારોપણ કરે છે—એ શી રીતે શાસ્ત્રીય ?
માટે અભિનિવેશ કે આવેશ એ તા તત્ત્વવિચારણામાં સાવ અનુપયોગી હોઈ તેને છેડી વિવેકબુદ્ધિથી સાપેક્ષરીતે વિચારવું જરૂરી છે.
હકીકતમાં આવું ખેલનારા ગુરુચરણે એસી પરમાર્થને પામી શકયા નથી !
સંઘયાત્રા—તીથ યાત્રાના આશય ગૃહસ્થાને આરંભ–સમારલથી બચાવી પ્રભુશાસનના=વિરતિધમ'ના પંથે આગળ વધવારવાના છે.
માટે ઉપલકીયા જ્ઞાન કે આવેશ-અભિનિવેશ મળે વ્યાખ્યાનાદિ ન હેાવા માત્રથી સંઘયાત્રા–તી યાત્રાની અ-સારતા કહેનારાઓની ભાવદયા ચિ ંતવવી.
આ કથનની મતલખ એ નથી કે યાત્રિકગણુના સમુદાય વ્યાખ્યાનના લાભ ન લે, યાત્રિકગણુને સમુદાય જ્યાં જ્યાં જ્યારે જ્યારે વ્યાખ્યાનના સયેાગ મેળવી શકયા અથવા તેઓને વ્યાખ્યાનના ચેાગ મળે ત્યારે ત્યાં ત્યાં વ્યાખ્યાનનું જરૂર શ્રવણુ કરે,
Page #34
--------------------------------------------------------------------------
________________
આગમત કેમકે સામાન્યરીતે શ્રાવકપણુંજ જિનેશ્વરમહારાજની વાણીના શ્રવણમાં રહેલું છે, પરંતુ વ્યાખ્યાન-શ્રવણની ભાવના છતાં વ્યાખ્યાન શ્રવણને જેગ ન મળે; અગર કથંચિત્ આલસ્યાદિથી વ્યાખ્યાનનું શ્રવણ ન પણ થાય તે તેટલા માત્રથી શ્રાવકપણને કલંક લાગે છે એમ કહી શકાય નહિં, તે પછી સંઘયાત્રામાં પણ વ્યાખ્યાન-શ્રવણની રૂચિ છતાં કદાચ વખત નહિ મલવાને લીધે અગર બીજાં કેટલાંક કારણેને લઈને વ્યાખ્યાન ન થાય અગર તેનું શ્રવણ ન થાય તેટલા માત્રથી યાત્રિકગણને નેતા અગર યાત્રિકને સમુદાય લંછનવાળે બને છે અગર સંઘને લંછન લાગે છે એમ કહેવું તે માર્ગને અનુસરનારને તે શેભે નહિ અને જે એવી માન્યતા કોઈ ધરાવે તેને સમ્યગ્દર્શન પણ મુશ્કેલીભર્યું થઈ પડે. ધનશેઠના અધિકારમાં શું જણાવે છે.
શ્રીસંઘાચારભાષ્યમાં ધનનામના શેઠે શ્રીસિદ્ધાચલજી અને ગિરનારજીના કાઢેલા સંઘને અધિકાર જેઓએ જે હશે તેઓ જાણી શકશે કે –
તે સંઘયાત્રામાં પ્રથમ તે સાધુમહાત્માઓને સહચાર નથી, તે પછી વ્યાખ્યાનનું નિયમિત પ્રાવણ થવાની કલ્પના કરવી તે તે આકાશને કુસુમ ઉગાડવા જેવું થાય છે, જો કે ચાલુ પ્રયાણમાં ઉત્તમ મુનિ-મહારાજાઓના સંગે બહુ મળ્યા છે, અને જે જે જગે પર ઉત્તમ મુનિ-મહારાજાઓના સંયોગે મળ્યા છે, ત્યાં ત્યાં વંદનાદિકને માટે યાત્રિકગણને નેતા વિગેરે ગયા છે, પરંતુ ત્યાં પણ વ્યાખ્યાન-શ્રવણને અધિકાર લેવા નથી, છતાં જેઓ વ્યાખ્યાનની અ-સત્તાને લીધે સંઘને કલંક ગણતા હોય તેઓએ શાસ્ત્રોને વાંચવાની-વિચારવાની બહુ જરૂર છે, અને એમ થાય તે શાસ્ત્રવિરૂદ્ધ બોલવાનું થતું અટકે ? તીર્થયાત્રામાં મુખ્ય ધ્યેય શું?
પ્રાસંગિક વાત જણાવી મૂળ મુદ્દા ઉપર આવતાં જણાવવું જોઈએ કે તીર્થત્યને જુહારવા આવનારાઓની મુખ્ય અભિલાષા
Page #35
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું ત્રિલોકનાથ તીર્થંકર-ભગવાનની સેવા-પૂજામાં વધારે હોય છે અને તીર્થયાત્રામાં મુખ્ય ધ્યેય પણ ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજા -ચાત્રાની દિન-પ્રતિદિન પ્રવૃત્તિ વધારે થાય તે હોય છે. પ્રાસંગિક સૂચન
વાચક–મહાશયે ધ્યાન રાખવું કે આટલું લખાણ લખવાની એટલી જ જરૂર પડી છે કે ભવ્ય સંઘયાત્રા જેવા અને તીર્થ યાત્રા જેવા કાર્યની અનુમોદનામાં શિથિલ ન બને અગર તેનાથી બહિષ્કૃત ન થાય, માટે તેવાઓને બચાવ કરવાનું અનિવાર્ય ગણ્યું છે.
આ સ્થાને વ્યાખ્યાનની હકીક્ત એટલાજ માટે લખવી જરૂરી ગણી છે કે ભગવાન જિનેશ્વરમહારાજની પ્રતિમારૂપી અને તેઓશ્રીના મન્દિરરૂપી બે ક્ષેત્રના નિરૂપણ પછી જિનેશ્વરમહારાજના આગમરૂપી ત્રીજા ક્ષેત્રનું નિરૂપણ કરતાં જે કંઈ આગમની મહત્તાને માટે અને તેના શ્રવણની પરમ ઉત્તમતાને માટે જણાવવામાં આવે તેને ઉપયોગ યાત્રિકગણ અને તેના નેતાઓને દૂષિત કરવામાં કેઈન કરી લે.
જો કે શાસ્ત્રોમાં નિશ્રાકૃત, અ-નિશ્રાકૃત, ભક્તિચિત્ય, મંગલત્ય અને સાધર્મિકચૈત્ય એવી રીતે પાંચ પ્રકારનાં ચૈત્ય જણાવેલાં છે, પરંતુ શાસ્ત્રકારોએ ગ્રામમાં જ નિશ્રાકૃત અને અ–નિશ્રાકૃત એવા ભેદ રાખી શ્રી અષ્ટાપદજી આદિ તીર્થ સ્થાનમાં માત્ર ભક્તિચિત્ય અને અ-નિશ્રાકૃતચિનું સ્થાન જણાવેલ છે. એટલે ગ્રામના ચૈત્યમાં કદાચ મઠવાસી અને પાસત્યાદિની નિશ્રાવાળાં એવાં નિશ્રાકૃત ચૈત્યે હોય, જેથી ભવ્ય-આત્માઓને ગ્રામચૈત્યે તેવા લાભદાયક ન પણ લાગે, અને ગ્રામચૈત્યમાં નિશ્રા કરનાર પાસસ્થાદિકને ઉચિતતાની ખાતર નમસ્કાર કરવો પડે, તેથી તે દ્વારા શુદ્ધ આત્માઓને સંકેચ રહે.
યાદ રાખવું કે શ્રીદેવેન્દ્રસુરિજી મહારાજ સરખા શાસનધુરંધરે નિશ્રાકૃતચૈત્યમાં પાસસ્થાદિકેને ઉચિતપણે નમસ્કારાદિ કરવાનું સ્પષ્ટપણે જણાવે છે,
Page #36
--------------------------------------------------------------------------
________________
આગમત વળી તીર્થચે, અ-નિશ્રાકૃત અને ભક્તિચૈત્યે નિશંકપણે ગ્રામચૈત્ય કરતાં સ્થિર આરાધનાનું કારણ બને છે, અને તેથી પોતાની લક્ષ્મીને સદુપયેગ કરવાની ઈચ્છાવાળે ધર્મપરાયણ પુરૂષ યાત્રિકગણુને નેતા બની તે અને પિતાની સાથે આવનાર સર્વ યાત્રિકસમુદાયને તીર્થચેના દર્શનાદિ દ્વારાએ નિશંકપણે મોટા લાભને લેવાવાળે થવા સાથે લેવડાવવા ભાગ્યશાળી થાય.
ધ્યાન રાખવું કે ઈદ્રાદિ દેવગણે ભગવાન જિનેશ્વરમહારાજના જન્માદિ-કલ્યાણકોને મહિમા મેએ કરીને તરત સીધા દેવલોકમાં જતા નથી અને તે દેવલેકના પિતાની સત્તામાં રહેલા મંદિરમાં અઠાઈ–મહેચ્છવ કરતા નથી, પરંતુ શ્રીનન્દીશ્વરદ્વીપ જેવા તીર્થ સ્થાનમાં જઈને તીર્થચૈત્યોમાં અઠ્ઠાઈમહેચ્છવ કરે છે. એટલે ભવ્યાત્માઓએ ચિત્યની વિશિષ્ટતા માન્યા છતાં પણ તીર્થચેત્યેની અધિક્તા અવશ્ય માનવી જોઈએ, અને જે તેવી માન્યતા શાસ્ત્રને અનુસરનારી થાય, તે દરેક ભવ્યાત્મા ચિત્યક્ષેત્રની અને વિશેષ કરીને તીથી ચૈત્યેની આરાધના કરવા કટિબદ્ધ થાય અને તેથી સંઘયાત્રાની અત્યંત ઉપયોગિતા ગણે એ સ્વાભાવિક છે. શ્રીતીર્થંકરભગવંતેને પ્રભાવ કે?
ભગવાન જિનેશ્વરમહારાજની મૂર્તિ અને તેનાં ચ શાસ્ત્રની રીતિને યથાસ્થિત રીતે સમજવાવાળાઓને મુખ્યતાએ યથાસ્થિત ઉપકાર કરી શકે છે, તેમાં તે બે મત છે નહિ, પરંતુ જેઓ ભદ્રિક-સ્થિતિના અને અ૫-બુદ્ધિવાળા હોય અને તેથી તેઓને ભગવાન જિનેશ્વરમહારાજની યથાસ્થિત-પપકારિપણની દશા, મેક્ષને માર્ગ વહેવડાવનાર, મહાપુરૂષોના-આધાર,ઇ-નરેન્દ્ર વિગેરેને અતિશયાદિદ્વારાએ પણ પૂજ્ય, એવા તીર્થકર ભગવાન દરેક હિતની કામના વાળા મનુષ્યને સર્વથા પ્રકારે દર્શન કરવા લાયક–સેવા લાયક-પૂજાલાયક અને ધ્યાન કરવા લાયક છે, એ વિગેરે હકીકત ધ્યાનમાં ન આવે તેમાં આશ્ચર્ય નથી.
Page #37
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
પરંતુ તેઓ ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિ ઉપરથી વીતરાગપણની દશા, વિષય, કષાય અને આરંભ-પરિગ્રહાદિથી રહિત સ્ત્રી, હથિયાર વિગેરેથી રહિતપણું, મુખ-કમળની પ્રસન્નતા, કાયે સર્ગ તથા પથંક આસન અને દૃષ્ટિનું નાસિકા ઉપર નિયમિતપણું દેખીને સામાન્ય રીતે ભગવાન જિનેશ્વર-મહારાજના શાસનની ત્યાગ મુદ્રાને અનુસરે તેમાં આશ્ચર્ય નથી, છતાં એ વાત તે વાચકેએ ધ્યાન બહાર રાખવાની નથી કે
જેમ સંસારરૂપી અટવી એલંઘવાના બે માર્ગોમાં શ્રાવકધર્મને માગે કે સુખાળે છે, શાન્તિથી તે રસ્તે ચાલી શકાય છે, પરંતુ શાશ્વત-આનંદમય એક્ષપુરની પ્રાપ્તિ તે સાધુધર્મરૂપી કઠિન અને દુઃખમય સંયમમાર્ગમાં આવ્યા સિવાય થતી જ નથી, એવી રીતે અહિં પણ સામાન્ય ભદ્રિક મનુષ્યોને ભગવાન જિનેશ્વરમહારાજની મૂતિથી વીતરાગત્યાદિ જે જિનેશ્વરમહારાજના ગુણે છે, તેનું ભાન થાય, તે પણ પર્યન્તમાં ભગવાન જિનેશ્વરમહારાજના માર્ગોપદેશકપણા આદિ ગુણોનું ભાન થયા શિવાય અને તે ભગવાન જિનેશ્વરમહાજારાએ મેક્ષની પ્રાપ્તિ માટે જણાવેલ અબાધિતમાર્ગનું આચરણ કર્યા વિના પરમફલ પ્રાપ્ત થવું મુશ્કેલ છે. આગમની અત્યુત્કૃષ્ટતા શામાં?
આ હકીકત જે ભવ્યજીવના ધ્યાનમાં આવશે તે ભવ્ય-જીવ ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિ અને મન્દિરની અત્યંત ઉપયોગિતા સમજવા સાથે ભગવાનના માર્ગ–પ્રણયનરૂપી આગમની પરમમહત્તા સમજ્યા શિવાય રહેશે જ નહિ, આ વસ્તુને ધ્યાનમાં રખનાર મનુષ્ય શાસ્ત્રકારે કહેલા નીચેના વાક્યને બરાબર સમજી શકશે. શાસકાર મહારાજ જણાવે છે કે –
" आगमं आयरंतेणं अत्तणो हिअकविणा । तित्थणाहो गुरू धम्मा, सव्वे ते अणुमणिया "
Page #38
--------------------------------------------------------------------------
________________
આગમળેટ અર્થી-આત્માનું હિત કરવાની જેને ઈચ્છા હોય તે પુરૂષ જે આગમને આદર કર્યો એટલે આગમવચનને પ્રમાણભૂત માન્યા અને આગમવચનમાં કહ્યા પ્રમાણે વર્તવામાંજ આત્માનું કલ્યાણ છે તથા આગમથી વિરૂદ્ધ વર્તનારાઓનાં દાન-શીલ-તપ-અને ભાવ, વૈરાગ્ય-ચારિત્ર તપસ્યા-વિનય–વૈયાવચ્ચ-ધ્યાન-સમાધિ વિગેરે ધર્મ કાર્યો આત્માની ઉન્નતિના અંશે પણ સાધન બની શકતાં નથી, એટલું જ નહિ, પરંતુ તે આગમની વિરાધના કરનારાઓને અનાદિ-અનંત સંસાર-કંતારમાં ભટકવું પડે છે, એમ ધારી આગમના માર્ગે જવાની અભિલાષા રાખીને આગમના માર્ગને આદરવાવાળા મહાપુરૂષને અત્યંત સત્કાર-સન્માન–ભક્તિ-વિનય-વૈયાવચ્ચ, આદિ કરવા દ્વારા આગમને જેણે આદર કર્યો તે પુરૂષે તીર્થંકર મહારાજ કે જેઓ શાસનના માલિક અને મોક્ષમાર્ગના શરૂથી ઉપદેશક છે તેઓને. આદર કરેલ સમાજ,
આ રીતે ગુરૂમહારાજ કે જેઓ ભગવાન જિનેશ્વરમહારાજાઓના વચનને આધારે મહાવ્રતાદિધર્મ દ્વારા મેક્ષ પ્રાપ્ત કરવા કટિબદ્ધ થયેલા છે અને ભવ્યજીને સંસારસમુદ્રથી તારવા માટે અહર્નિશ શ્રમણધર્માદિને ઉપદેશ કરી ભવઅટવીથી પાર પમાડવા તૈયાર થયા છે, તેવા ગુરૂમહારાજાઓને પણ તેવા આગમને આદરના અંગીકાર કરેલ છે.
વળી દુર્ગતિથી બચાવવાવાળે અને મોક્ષસુધીની સદ્ગતિની પ્રાપ્તિ કરાવવાવાળે જે ભગવાન જિનેશ્વર મહારાજે દુર્લભ એવે ધર્મ અકલંકપણે નિરૂપણ કરે છે, તેવા ધર્મને આદર પણ તે. આગમને આદરવાવાળાએ એટલે આગમની આરાધનામાં મચ્છલા બનેલાએ કરેલું છે એમ સમજવું. પ્રવૃત્તિ આગમાનુસાર હેવી જોઈએ.
આ હકીકત જાણનારે મનુષ્ય ભગવાન જિનેશ્વરની મૂર્તિ અને તેમના ચૈત્યની સેવા કરતાં આગમના આદરની અશે પણ ન્યૂનતા.
Page #39
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું ન સમજતાં પરમ-કરણીયતા સમજશે. એમાં કાંઈ પણ નવાઈ નથી, એવી રીતે આગમની સર્વોત્કૃષ્ટતા જાણવાવાળે મનુષ્ય મૂતિ અને મન્દિરની માફક આગમની તરફ પણ મીટ માંડીને દષ્ટિ રાખ્યા જ કરશે તે સ્વાભાવિક છે.
વળી ભગવાન જિનેશ્વર મહારાજની મૂતિ અને તેમના મંદિરને અંગે ભવ્યજીએ જે પણ આત્માના કલ્યાણને માટે પ્રવૃત્તિ કરવાની છે, તે બધી ભગવાન્ જિનેશ્વર મહારાજના આગમને અનુસરીને જ જે કરવાની હોય તે તે આત્માનું યથાર્થ કલ્યાણ કરી શકે, પરંતુ જે ભગવાન જિનેશ્વરમહારાજની મૂર્તિ અને તેમના મંદિરને અંગે હોવાથી ભગવાન જિનેશ્વરમહારાજને ઉદ્દેશીને હોય, પરંતુ જે તે આગમના વચનેથી વિરૂદ્ધ કે બાધિત હોય તે તે પ્રવૃત્તિ મુમુક્ષુજીએ કઈ પણ પ્રકારે આદરવાની નથી, એટલું જ નહિ, પરંતુ તે ચલાવી લેવા જેવી પણ નથી. સ્વ-કલિપત પ્રવૃત્તિ સંસાર-વૃદ્ધિનું કારણ બને છે.
આટલા જ માટે ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે કેસમરૂાવિત્તી લવા, કાળાત્તિ મવઝા જેવા नित्थयरुद्देसेणवि ण तत्तओ सा तदुद्देमा ॥
અર્થા–સિદ્ધાંતના વચનેથી નિરપેક્ષપણે માત્ર પોતાની બુદ્ધિથી જે કઈ પ્રવૃત્તિ કરવામાં આવે તે પ્રવૃત્તિઓ ભગવાન જિનેશ્વર મહારાજની આજ્ઞાથી વિરૂદ્ધ અને બાહ્ય છે, માટે તે પ્રવૃત્તિઓનું ફલ સંસારની વૃદ્ધિમાં જ આવે છે.
કદાચ કહેવામાં આવે કે અમે જે આ પિતાની બુદ્ધિથી પણ પ્રવૃત્તિ કરીએ છીએ તે વિષય-કષાય-કુટુંબકબીલા અને ધનધાન્યની પ્રાપ્તિ માટે કે તેના ટકાવ માટે અગર તેની વૃદ્ધિ માટે નથી કરતા, પરંતુ ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની ભક્તિ માટે કરીએ છીએ, એટલે ભગવાન જિનેશ્વરમહારાજને ઉદ્દેસીને આ સ્વમતિથી પણ
Page #40
--------------------------------------------------------------------------
________________
આગમત પ્રવૃત્તિ હોવાથી તે આજ્ઞાબાહ્ય નહિં થાય, અને તેથી સંસારની વૃદ્ધિરૂપી ફલને દેનારી પણ નહિં થાય, એવું કહેવામાં આવે તે તેને અંગે ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે
જે કે ભક્તિ અને પ્રવૃત્તિને કરનારે મનુષ્ય તે ભક્તિ અને પ્રવૃત્તિમાં કુટુમ્બ-કબીલાદિને ઉદ્દેશ રાખતું નથી, પરંતુ ત્રિલેકનાથતીર્થકર ભગવાનને જ ઉદેશ રાખે છે, પરંતુ તે પ્રવૃત્તિ ભગવાન જિનેશ્વર મહારાજની આજ્ઞાવિરૂદ્ધ અને સ્વ–મતિકલ્પિત હોવાથી ભગવાન તીર્થકરને ઉદ્દેશીને થયેલી ગણાય નહિ.”
આ હકીકત ધ્યાનમાં રાખનારે મનુષ્ય સહેજે સમજી શકશે કે દેવ, ગુરૂ અને ધર્મને આદર તે ભગવાન જિનેશ્વર મહારાજના વચનરૂપી આગમને આદર, તે સિવાય ભગવાન જિનેશ્વર મહારાજને યાવત્ ગુરૂમહારાજ કે ધર્મને પણ આદર ગણે તે પણ તે આત્માની કલ્યાણદશા સાધનારે થતું નથી, માટે ભગવાન જિનેશ્વર મહારાજની આરાધના કરવા માટે તેઓશ્રીની મૂર્તિ અને તેઓશ્રીના મંદિરની આરાધના કરવા તત્પર થનાર મનુષ્ય આગમઆદિનું અનિવાર્યપણું સમજવું જોઈએ. અને એ વાત જ્યારે સમજાશે ત્યારે ત્રીજા ક્ષેત્ર તરીકે કહેલા જ્ઞાનનામના ક્ષેત્રની આરાધ્યતા બરોબર સમજમાં આવશે. જિનેશ્વર મહારાજને અત્યુત્તમ ઉપકાર છે?
ભગવાન જિનેશ્વર મહારાજને જગના જીવમાત્રની ઉપર મનહદ ઉપકાર છે, પરંતુ જેમ વૃક્ષ નીચે બેઠેલા મુસાફરને માત્ર તે વૃક્ષ છાયાથી એ ઉપકાર કરે છે, પરંતુ ફળ અને પુષ્પાદિકદ્વારા થતે વિશેષ ઉપકાર વૃક્ષના માલિકને થાય છે, તેવી રીતે જગતના સામાન્યજંતુઓને તે ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલા યથાસ્થિત જીવરક્ષા આદિકના વચને દ્વારા થાય છે, પરંતુ મોક્ષમાર્ગની પ્રાપ્તિ પ્રભુશાસનના વિશિષ્ટ-આરાધક ભવ્ય જીને થાય છે કે જે શાસનના આધારે સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થઈ છે,
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૫:
પુસ્તક ૧-લું નરક અને તિર્યંચની ગતિરૂપ દુર્ગતિઓથી બચવાનું થયું છે, સ્વર્ગની સીડી પગ આગળ ખડી થયેલી છે, મેક્ષની મહેલાત નજર આગળ ચમકી રહેલી છે, મેક્ષ પ્રાપ્ત કરવાનાં સાધને હસ્તગત થઈ શક્યાં. છે, આત્માને આરંભ–પરિગ્રહ આદિથી નિવૃત્તિ થવા પામી છે. વિષય કષાયથી નિવૃત્તિ કરાવી તે નિવૃત્તિમાં દઢ રાખી દિન-પ્રતિદિન મેક્ષની પ્રાપ્તિની નજીક લઈ જનાર એ શ્રમણ સંઘ અને તેને સંસર્ગ અનન્તાકાળે દુર્લભરીતે જે પ્રાપ્ત થયા છે, તે બધા ઉપકારના કારણ તરીકે જ્યારે જિનેશ્વર-મહારાજને ધ્યાનમાં લઈએ ત્યારે ભગવાન જિનેશ્વર મહારાજથી કેવાં ઉત્તમ ફલે આ આત્માને પ્રાપ્ત થયાં છે? તે ખ્યાલમાં આવે.
કેટલાક ભવ્યજીવોને માટે ભગવાન જિનેશ્વર મહારાજાઓ જ્યારે દીપક સમાન ઉપકારી થાય છે, ત્યારે કેટલાક ભવ્યજીને આશ્રયી તે તે ત્રિલેકનાથ તીર્થકર ભગવાન સૂર્ય સમાન પ્રકાશ કરનારા થાય છે, એટલે જગતમાં જે પ્રમાણે પ્રકાશને ગ્રહણ કરનારી દષ્ટિ હોય તે પ્રમાણે પ્રકાશ કરનારની ઉત્તમતા પ્રકાશને લેવાવાળે સમજે, તેવી રીતે અહિં ત્રિલેકનાથ તીર્થંકરભગવાનની સર્વોરમતા તેજ મનુષ્ય સમજી શકે કે જે મનુષ્ય ભગવાન્ જિનેશ્વરમહારાજના આગમરૂપી તેજને અવેલેકન કરવાને માટે શક્તિમાન હોય, ઉપકારીનું ઉપકારિપણું એકસરખું જ હેય?
યાદ રાખવું કે ભગવાન જિનેશ્વરમહારાજ ત્રણે લેકના ઉપકારને માટે એક સરખી રીતે પ્રવેલા છે, છતાં પણ તે ત્રિલેકનાથ તરફથી ઉપકારની ન્યૂનાધિકતા પાત્રની ન્યૂનાધિતા ઉપરથી થાય છે જગતમાં વરસાદનું થવું એક સરખી રીતે થાય છે, છતાં પણ મેતીની ઉત્પત્તિ તે શુક્તિ (છીપ)માં પડેલા જલબિન્દુએથી થાય છે, તેવી રીતે. ભગવાન જિનેશ્વરમહારાજને સાચે અને ઘણે ઉપકાર અપ્રમત્તપણે જીવન વ્યતીત-કરનાર મહાપુરૂષોમાં જ થાય છે.
જે કે જલધરની ધારાથી વનસ્પતિઓમાં જેવી રીતે પણ પિતપિતાને લાયક ફલ-ફૂલ વિગેરે થાય છે, તેવી રીતે પ્રમત્ત આદિ
Page #42
--------------------------------------------------------------------------
________________
આગમત
-ભવ્યજીમાં પણ ભગવાન જિનેશ્વરમહારાજના વચનરૂપી જલધારાથી યથાયોગ્ય સમ્યકત્વ-દેશવિરતિ-સંયતતા વિગેરે ઉપકારે થાયજ છે, પરંતુ જેમ જલધરના એક જલબિંદુથી છીપમાં ઉત્પન્ન થયેલા મિતીની કિંમત આગળ તે ફળ-ફૂલના સમુદાયની કંઈપણ કિંમત ગણ શકાય નહિં, તેવી રીતે ભગવાન જિનેશ્વરમહારાજના વચનેથી બુદ્ધિનિધાન એવા ગણધરાદિ મહાપુરૂષને જે ઉપકાર થાય તે ઉપકારની અપેક્ષાએ બીજા ને જે સમ્યગ્દર્શન પ્રાપ્તિ આદિ ઉપકાર થાય છે તે કિંમતી ન ગણાય તે સ્વાભાવિક છે, પરંતુ જેમ વાદળને મેઘને) જે ઉપકાર છે તે જળદ્વારા છે. જે જલધારાની વિવક્ષા કરવામાં ન આવે તે મેઘ જેવી કઈ વસ્તુ રહેતી નથી, તેવી રીતે ભગવાન જિનેશ્વર-મહારાજને જે અત્યંત ઉપકાર છે, તે બધે તેઓશ્રીએ કહેલા આગમરૂપી માર્ગ દ્વારા છે, જે આગમરૂપી માર્ગની વિવક્ષા કરવામાં ન આવે તે કહેવું જોઈએ કે અરિહંતપણા જેવી કઈ ચીજ નથી. - આ હકીક્ત ભવ્ય જ્યારે ધ્યાનમાં લેશે ત્યારે તેઓને સમજવામાં આવશે કે દેવકમાં પણ જેવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજાઓની પ્રતિમાઓ આદર અને આરાધનાને પાત્ર ગણવામાં આવી છે, તેવી રીતે ત્યાં દેવલેકમાં પુસ્તકને પણ આદર અને આરાધનાને પાત્ર ગણવામાં આવ્યાં છે, તે ખરેખર વાસ્તવિક છે. દેવતાઓ પણ પુસ્તકરત્નની આરાધના કરે. •
દેવલેકમાં માત્ર સામાન્ય ઉત્તમ પુસ્તકો છે અને તેથી તે પુસ્તકોને પુસ્તકરત્ન કહેવાય છે એમ નથી, પરંતુ તે દેવેલેકનાં પુસ્તકમાં સ્ફટિકરનાં જ પાનાં છે અને તે સ્ફટિક રત્નના પાનાં ઉપર રિઝરત્ન કે જે કાળું હોય છે તેના અક્ષરે છે, પુસ્તકનાં પાનાં અને તેના અક્ષરે આવી રીતે રત્નનાં છે એમ નહિં; પરન્તુ તે પુસ્તકરત્ન લખાય એવાં અગર લખાયેલાં નહિ છતાં પણ પુસ્તક લખવાની પદ્ધતિને પ્રમાણભૂત ગણવાની હેય તેની પેઠે ત્યાં મશીન
Page #43
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૨૭ ભાજન-મશી અને કલમ વિગેરેના પણ સાધને એકસરખી રીતે રત્નમય જણાવવામાં આવેલાં છે, અર્થાત્ શાસ્ત્રોમાં દેવતાઓને પણ ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિને આદર અને આરાધ્યતા જેવી રીતે જણાવવામાં આવ્યાં છે, તેવી જ રીતે પુસ્તકરત્નની આરાધ્યતા અને તેના સાધનોની જરૂરીયાત પણ સ્પષ્ટ–શબ્દોમાં જણાવવામાં આવી છે. સાત ક્ષેત્રમાં ત્રીજે નંબરે આગમક્ષેત્ર આરાધ્ય બને
આ વાત જ્યારે ભવ્ય સમજશે, ત્યારે મહારાજા કુમારપાળે કરેડો સેનૈયા ખરચી કરેલા અનેક આગમભંડારે અને મંત્રી વસ્તુપાલ અને તેજપાલે કરોડો રૂપીયા ખરચી કરેલા અનેક ભંડારેની વાસ્તવિકતા અને એની ઉત્તમતા સમજાયા સિવાય રહેશે નહિ.
ઉપર જણાવ્યા પ્રમાણે ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ અને મંદિરની માફક જ્યારે પુસ્તકરની ઉત્તમતા જાણવામાં અને માનવામાં આવશે ત્યારે તે દરેક જીવ ભગવાનની મૂર્તિ અને મંદિરની માફક જ્ઞાન એટલે આગમક્ષેત્રને અનન્તર નંબર માનવા તૈયાર થયા સિવાય રહેશે નહિં. મન્દિરનું પ્રમાણ કેટલું?
સુજ્ઞમનુષ્ય જ્યારે ભગવાન જિનેશ્વર મહારાજે અર્થથી પ્રરૂપેલા અને સૂત્રથી ગણધર મહારાજે ગુંથેલા આગમનું બહુમાન કરનારા થશે, ત્યારે ભગવાન જિનેશ્વર મહારાજાઓની મૂર્તિઓની પાંચસે પાંચસે ધનુષ્ય જેવી મહત્તા અને જિનેશ્વર મહારાજના મન્દિરની પાંચસે પાંચસે લેજન જેવી મહત્તા માનવાને તૈયાર થશે! શ્રદ્ધાલુજને શાસ્ત્રની અપેક્ષાઓ જેવી રીતે મૂત્તિ અને મન્દિરની મહત્તા માને તેવી જ રીતે તકનુસારીને પણ તે મૂર્તિ અને મન્દિરની મહત્તા જરૂર માનવી પડશે.
Page #44
--------------------------------------------------------------------------
________________
૮
આગમત
દેવેની વિપુલ સંખ્યાએ પણ ચૈત્યનું પ્રમાણ મોટું હોવું જોઈએ.
તકનુસારીઓએ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સૌધર્મદેવલોકના ઈન્દ્રાવતુંસકને બાદ કરીએ તે સૌધર્મદેવલોકના આવલિકાવિષ્ટ એક વિમાનની લંબાઈ અસંખ્યાતા જોજનની છે.
હવે એ તકનુસારીએ સમજવાની જરૂર છે કે આવા અસંખ્યાતા જોજન લાંબા પહેલા વિમાનની સ્થિતિની અપેક્ષાએ ન્હાનામાં નેહાનું મન્દિર હેય, તે પણ તે પાંચસે લેજનથી તે વાનું હોઈ શકે નહિ અને જે તે મન્દિર પાંચસે લેજનથી ન્હાનું હોય તે પ્રથમ તે વિમાનના પ્રમાણની અપેક્ષાએ શેભે નહિ. અને તે વિમાનમાં રહેવાવાળા દેવતાઓને સમાવેશ પણ થઈ શકે નહિ, એટલે વિમાનના પ્રમાણની અપેક્ષાએ જેમ દહેરાની મહત્તાની જરૂર છે, તેવી રીતે તે તે વિમાનના દેવતાઓની સંખ્યાને અંગે પણ ચૈત્યની મહત્તાની જરૂર રહે એમાં નવાઈ નહિ.
વળી તકનુસારીએ ધ્યાનમાં લેવાનું છે કે જ્યારે જયારે વિમાનના માલિક વિગેરે દેવતાઓ પૂજા કરવાને આવે છે, ત્યારે તે વિમાનમાં રહેનાર દેવતાઓને મહેટો ભાગ તે મુખ્ય દેવતાની જોડે. પૂજામાં સામેલ હોય છે, એટલું નહિં પરંતુ તે સાથે આવેલા દેવતાઓમાં મોટો ભાગ પૂજાની સામગ્રીઓ હાથમાં લઈને તે. મુખ્ય દેવતાની સાથે સાથે ફરનારે હોય છે, હવે વિચાર કરે કે તે મુખ્ય દેવતા અને તેની સાથે પરિવારમાં રહેલે મોટે ભાગ ફરી. શકે એવું જે ચૈત્ય ન હોય તે દેવતાને અનુકૂળ ન આવે તે. સ્વાભાવિક છે.
વળી મનુષ્યમાં જેમ સરઘસ વિગેરેમાં બધા એક સાથે સાજનની લાઈનમાં ચાલવાવાળા દેતા નથી, પરંતુ કેટલાક કૂદવાવાળા, નાચવાવાળા અને અનેક પ્રકારના તમાસા કરવાવાળા હોય છે, તે ચૈત્યની તેવી પાંચસે લેજન જેવી મહત્તા ન હોય તે તે સાથે
Page #45
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું આવેલા સામાન્ય દેવતાઓને તેવી ચેષ્ટા કરવાનું સ્થાન રહે જ નહિ, માટે આ સઘળી વાત વિચારાય તે તર્કનુસારીને દેવકના અને બીજા પણ શાશ્વતની મહત્તા ન માનવામાં મિથ્યાત્વ સિવાય બીજું કંઈ નડે તેમ નથી. મનુષ્યમાં પણ તેમ જ હોય છે - વર્તમાનકાળમાં પણ શહેરમાં જે પ્રમાણમાં વસ્તી હોય છે તે પ્રમાણે ઘણે ઘણે અંશે લેકેને ભક્તિભાવ હોય છે, અને ભક્તિવાળા લોકોની અપેક્ષાએ ચિત્યની મહત્તા રાખવી જ પડે છે, તે વાત નિર્મળ-ચક્ષુએ દેખનારાને તે સહેજે જણાય તેમ છે, અને એ રીતિએ જ્યાં જ્યાં વિમાનના દેવતાઓ ભેળા થતા હોય અગર અનેક દેવકના દેવતાઓ એકઠા થતા હોય, ત્યાં ત્યાં ચૈત્યેની મહત્તા હોય, તેમાં આશ્ચર્ય જ નથી? સંપ્રતિ રાજા આદિના સમયનાં ચૈત્ય શું જણાવે છે.
એ વાતને બીજી બાજુએ તપાસીએ, તે એ વાત માનવાને પણ કારણ મળે છે કે-મહારાજા કુમારપાળ અને મહારાજા સંપ્રતિની વખતે બનેલાં દહેરાં અત્યંત મોટા કેમ હતાં? તેને ખુલાસે થશે અને તેની સાથે તે વખતના જેનેને કેટલે બધે જિનેશ્વર ભગવાનની પૂજાને અંગે દઢરાગ હશે? તે પણ જણાશે, આ ધરણે શ્રી રાણકપુરજીનું દહેરૂ, ગોલવાડનાં જૂનાં દહેરાં, આબુજીનાં દહેરાં વિગેરેની મહત્તાનું પ્રજન આપે આપ જણાઈ આવશે.
બીજુ દેવેલેકનાં દહેરાંઓ કંચનનાં હોય, તેમાં કેટલાક શ્રદ્ધાની ઓછાશવાળા અગર શુષ્કતને અનુસરવાવાળા અશ્રદ્ધા રાખે, પરંતુ તેઓએ સમજવું જોઈએ કે દેવતાઓનાં પિતાનાં વિમાને જ્યારે રત્નનાં હોય તે પછી તે જિનેશ્વર ભગવાનનાં દહેરાં કંચનનાં રાખે અને હોય તેમાં નવાઈ શું? જેમ સૌધર્માદિક વિમાનેની ઉંચાઈ સત્તાવીસસે જનની છે અને તેની અપેક્ષાએ ભગવાન જિનેશ્વર મહારાજાના મન્દિરની ઉંચાઈ અઢીસેં જે જનની હોય તેમાં આશ્ચર્ય આ. ૧-૩
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૦
આગમન્યાત
નથી, તેવી રીતે રત્નના વિમાનામાં કંચનનાં ચૈત્ય અને રત્નની મૂર્તિ હોય તેમાં આશ્ચય શું ?
દેવલાકના સુવણ મય દહેરાંના ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ છે ?
આ બધી વસ્તુ શ્રદ્ધાનુસારી આગમની શ્રદ્ધાને આધારે માને અને તર્કાનુસારી બુદ્ધાહિતપણુ' છેડીને જે વિચાર કરે તે તેને પણ માનવુ પડે. જ્યારે દેવલાકની અંદર સેાનાનાં દહેરાંઓની હયાતી છે ત્યારે શાસ્ત્રકારને પણ તે સાનાનાં દહેરાંની ઘટના અનેક સ્થાને કરવી પડી છે.
શાસ્ત્રોને સાંભળનારા અને સમજનારાએ સારી રીતે સમજે છે કે, સોનાનું ભવન (ચૈત્ય) કરનારને જેટલુ ફળ થાય તેના કરતાં નિયમિત એક સામાયિક કરનારને શાસ્ત્રકારેા ઘણુ ફળ બતાવે છે. અર્થાત્ દેવલાકમાં સોનાનાં ભવના છે, તેની અપેક્ષાએ આ સાનાનાં ભવનાની ઘટના કરવી એ અસ‘ભવિત નથી.
વળી શ્રી મહાનિશીથસૂત્રમાં પણ હજારો સેનાના થાંભલાવાળુ અને સેાનાથી જેનાં તળીયાં મઢેલાં છે, એટલે ચારે બાજી જે મન્દિરને સુવણુ લગાડવામાં આવ્યુ છે, તેવાં મન્દિર કરાવનારને જે ફળની પ્રાપ્તિ થાય, તેના કરતાં પૂર્ણ બ્રહ્મચર્ય ને ધારણ કરનાર, અગર સ–સયમને ધારણ કરનારને અધિક ફળ ખતાવ્યું છે, તે પણ દેવલોકના સેનાના અને સુત્ર મય ચૈત્યાને અનુલક્ષીને હાઈ શકે.
જિનચૈત્ય માટે જે કઈ કરો તે થાડુ',
'
વળી શાસ્ત્રકારો એ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે “ ભગવાન જિનેશ્વરમહારાજના મન્દિર માટે જે જ્ઞાનના ઉપયાગ થાય, જે કારીગરીના ઉપયાગ થાય, જે બળના ઉપયાગ થાય, જે પુરૂષાતનના ઉપયાગ થાય, જે ઋદ્ધિના ઉપયાગ થાય, તેજ સફળ અને મહાફળને દેનારા છે.” એમ ધર્મિષ્ઠ-મનુષ્ય માને. એ અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે દરેક શ્રાવકની તેમ ક્જ રહે કે જ્ઞાન
Page #47
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું વિજ્ઞાન યાવત્ અદ્ધિ-સમૃદ્ધિને ઉપગ ઊંચામાં ઊંચા પ્રકારે ભગવાન જિનેશ્વર મહારાજના ચૈત્ય વિગેરેમાં કરે.
જે જેને સામાન્ય રીતે આવશ્યક સૂત્રને સમજી શકે છે, તેઓ કબુલ કરશે કે, ભગવાન જિનેશ્વરમહારાજની ભક્તિમાં કેઈપણ દિવસ શ્રાવકને સંતોષ હોય જ નહિ અને એટલા જ માટે શ્રાવક સામાયિક, પૌષધ શિવાયની અવસ્થામાં ભગવાન જિનેશ્વરમહારાજના વન્દન-પૂજન-સત્કાર-સન્માન સર્વ કરે છે, છતાં તે કરાતા વન્દનાદિથી કઈ દિવસ પણ શ્રાવક-જનતાને સંતોષ થાય જ નહિ. અને તેથીજ તેઓ સાધુપણાના જેવી સામાયિકની અવસ્થામાં હોય તે પણ વાવત્તિમgo વિગેરે પાઠ બોલી તે વન્દન-પૂજનાદિથી થતા લાભને સ્થાન આપે છે,
આ ઉપરથી સ્પષ્ટ માલમ પડશે કે-શ્રાવકવર્ગ કેઈ દિવસ પણ ભગવાન જિનેશ્વરમહારાજના પૂજનઆદિકમાં સ્કાય એટલે દ્રષ્યને વ્યય થાય તે પણ સંતેષને માનનાર તે હેય નહિ,
આ વાત જ્યારે સમજવામાં આવશે ત્યારે ભગવાન જિનેશ્વરમહારાજાઓ કોઈપણ દિવસે, કોઈપણ જીવથી સર્વોત્તમ પ્રકારે પૂજાતા નથી, એ વાતને નિશ્ચય થશે, અને જ્યારે તેને નિશ્ચય થશે ત્યારેજ મહારાજા દશાર્ણભદ્રજીએ “ભગવાન જિનેશ્વરમહારાજની વન્દનામાં કોઈ એ પણ ન વઘા હોય તેવી રીતે હું વાંદુ” એ રીતે કરેલું અભિમાન અ-ગ્ય ગણાયું તે સમજાશે, અને તે દશાણુભદ્રજીના અભિમાનને ટાળવા માટે ઈન્દ્રને કેમ આવવું પડ્યું ? તે પણ સમજાશે. WિEETG]EIGHIGHER
શાસનની મહત્તા H ભાવશુદ્ધિ, ક્રિયાશુદ્ધિ વિના ન થાય, ક્રિયાશુદ્ધિ જ્ઞાનીની નિશ્રા વિના ન થાય, જ્ઞાનીની નિશ્રા શાસનની મહત્તાના જ્ઞાનથી મેળવી શકાય છે, તેથી વિવેકી આરાધકેએ શાસનનું મહત્વ સુગ્ય રીતે ધ્યાનમાં લેવું ઘટે.
Page #48
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત
E
જૈન સાધુઓ ઉત્તમ કેમ?
જગતભરમાં સર્વ આસ્તિકવર્ગ દુનિયાદારીની માયા-જંજાળ છેડીને કેવળ મેક્ષ મેળવવાની મુસાફરી કરનારને જ વાસ્તવિક 3 ગુરૂ તરીકે માને છે. એમાં બે મત છે નહિ.
પણ ધ્યાન રાખવાની જરૂર છે કે જેમ મને રથ માત્રથી કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી, તેવી જ રીતે અન્ય સાધન કે છે અ-સાધનમાં પ્રવૃત્તિ કરવાથી કાર્યસિદ્ધિ થઈ શકતી નથી.
મેક્ષ સાધવાવાળાઓને મેક્ષની મુસાફરી કરવા પહેલાં અન્ય દ્રોહ અને સ્વમમત્વ એ બેને સર્વથા પરિહાર કરે જ પડે, એવી માન્યતામાં કોઈપણ વિચારવંત આસ્તિક વિરોધ કરી શકે નહીં.
વળી દરેક આસ્તિક શાસ્ત્રકારોએ એકવચને એ વાત હું કબૂલ કરેલી જ છે. અને કબૂલ કરવી પડે તેમ છે કે દ્રોહ
અને મમત્તવ એ જવાલામાંથી બહાર ખસ્યા સિવાય છે મોક્ષની મુસાફરી બનતી જ નથી. છે એવી રીતે સર્વ લેકે, સર્વ આસ્તિકો અને સર્વ દર્શનઆ કારેને દ્રોહ અને મહત્ત્વ છેડવામાં એકમત છતાં પણ અન્યદર્શનકારોના વર્તન તરફ ધ્યાન દઈએ તે તેઓ પરિગ્રહની પીઠિક ઉપર પદ્માસન જમાવીને બેઠેલા છે. પરિગ્રહથી સર્વથા પર રહેવા માગે જણાવ્યું હોય અને તેને અમલ બરાબર ચલાવ્યું હોય તે તે જૈન ધર્મના સાધુઓએ જ છે એ વાત સર્વકાલના ઈતિહાસકારોને પણ કબૂલ કર્યા સિવાય ચાલતી નથી. તે
(આગમ સાહિત્ય-સંગ્રહ પુ. નં. ૧૫ માંથી)
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
વીર નિ ચ હ # 2 %
વર્ષ ૧ર ૨૫૦૩ ૨ કલ્યાણક–દિવસોની વિ. સં6 આરાધનાને દૃષ્ટિકોણ | પુસ્તક ૨૦૩૩ .
तवावहाणादियाधि णियसमए ।
अणुरुवं कायव्वा जिणाण कल्लाणदियहेसु ॥ જૈન-જનતામાં દાન, શીલ, તપ અને ભાવની પ્રવૃત્તિ કરીને ધમની આરાધના હમેશાં કરવાની હોય છે, અર્થાત્ જૈનશાસનના નિયમ પ્રમાણે કોઈ પણ દિવસ એ ગણવામાં આવેલ નથી કે જે દિવસે દાન, શીલ, તપ અને ભાવરૂપી ધર્મની પ્રવૃત્તિ કરવાની ન હોય, અગર કરવાનો નિષેધ હોય !
પરંતુ એ વાત તે ચોકકસ છે કે દાન, શીલ, તપ અને ભાવરૂપી ધર્મની પ્રવૃત્તિ સતત કરવા લાયક હોવા છતાં બારે માસ નિયમિત ન બને અને કોઈક વખત બને તે તે કેટલાકને માટે અસંભવિત નથી, ઘણજ ઓછા એવા ભાગ્યશાળી પુરૂષ હશે કે જેઓ બારે માસ દાન, શીલ, તપ અને ભાવમાં સતતપણે અને એકસરખા–ભાવથી પ્રવૃત્તિ કરી શકે. જૈનજનતાને મોટો ભાગ તે એજ હોય છે અને હોય કે જે દાન, શીલ, તપ અને ભાવની પ્રવૃત્તિ કઈક-કઈક વખત કરવાવાળો હોય છે તેવા જૈનજનતાના
Page #50
--------------------------------------------------------------------------
________________
આગમત
મોટાભાગે ઉપર જણાવેલું ભગવાન હરિભદ્રસૂરિજીનું વાક્ય ખરેખર ધ્યાનમાં રાખવું જોઈએ.
ઉપરના વાકયમાં ભગવાન હરિભદ્રસૂરીજી જણાવે છે કે જૈન-જનતાએ તપસ્યા વિગેરે જિનેશ્વર-મહારાજના કલ્યાણકના દિવસમાં ઉચિતતા પ્રમાણે જરૂર કરવા જોઈએ.
આ કારણથી ભગવાન જિનેશ્વર-મહારાજના કલ્યાણકના દિવસેની આરાધના કરવા માટે કલ્યાણકને અંગે તપ કરવાને પૂ. મ. શ્રી હરિભદ્રસૂરીજી ઓગણીસમા તપનામના પચાશકમાં જણાવે છે, તે તપપંચાશકમાં ભગવાનની દીક્ષાનું તપ અને ભગવાનના કેવલજ્ઞાનનું તપ જણાવવા સાથે ભગવાનના મેલનું તપ કરવા માટે પણ જણાવે છે.
જેઓ અનુકરણની પવિત્ર-વાસનાને અનુચિત માને છે, તેઓએ આ તીર્થંકરભગવાનના દીક્ષા, જ્ઞાન અને મેક્ષના તપના અનુકરણને જલાંજલિ આપવી પડશે.
વાચકપુરૂષોએ ધ્યાન રાખવાની જરૂર છે કે-કેટલાક આચાર્યો ભગવાન જિનેશ્વરમહારાજાઓના દીક્ષાદિકના તપને અનિયમિતપણે એટલે કે તે તે મહિના કે દિવસના લક્ષ્ય રાખ્યા વગર કરવાનું જણાવે છે, જ્યારે કેટલાક પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી કરતાં પહેલાના કાલના આચાર્યો તે દીક્ષા આદિકના તપને દીક્ષા આદિના મહિના અને દિવસને ઉદ્દેશીનેજ કરવાનું જણાવે છે. ' અર્થાત્ ભગવાન રાષભદેવજીના દીક્ષાને તપ ચૈત્ર (ફાગણ) વદિ આઠમે છઠ કરીને કરે અને યાવત્ ભગવાન મહાવીરમહારાજને દીક્ષાને છઠ માગશર (કાર્તિક) વદિ દશમે દીક્ષાને તપ કરે. એટલે ચોવીસે ભગવાનના દીક્ષાની તપસ્યાનું અનુકરણ તે તે ભગવાનના તે તે દીક્ષાના મહિને તે તે દિવસે કરવું. એમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે, એકલી તપસ્યાનું અનુકરણ કરવાનું જણાવ્યું એમ નહિં, પરંતુ પારણે પણ જે જે ભગવાનને જે જે વસ્તુ શેલડીના રસ વિગેરેની મળેલી છે, તે તેજ વાપરવાનું વિધાન પણ જણાવે છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
તેમના પારગીસમાવિત્રપુરના
પુસ્તક રજુ એટલે ભગવાન તીર્થંકરની દીક્ષાના તપનું જ અનુકરણ કરવું એમ નહિ, પરંતુ તેમના પારણાનું અનુકરણ પણ કર્તવ્ય છે, એમ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી તપનામના ઓગણીસમા પંચાશકમાં જણાવે છે.
ભગવાન જિનેશ્વર મહારાજ જેવા પવિત્ર પુરૂષોના વર્તનના અનુકરણને અનુચિત માનનારા વર્તમાનકાલમાં ભગવાનના વર્ષીતપને અનુસરીને વષતપ કરવાનું કયા આધારે રાખતા હશે ? વળી વર્ષીતપના પારણે રસ વાપરવાની પ્રવૃત્તિ તે ખરેખર અત્યંત મુંઝવનારીજ થઈ પડશે.
જો કે શક્તિ રહિત કાર્યનું અનુકરણ કરવું અગર આચરણ ઉડાવીને અનુકરણ કરવું એ શાસ્ત્રની શ્રદ્ધાવાળાને માટે ઈષ્ટ હેતું જ નથી અને હોય પણ નહિં, પરંતુ જેઓએ સર્વથા અનુકરણનેજ નિષેધ કરે છે, તેઓના મતે વષીતપ કરવાનું તથા વષીતપનું પારણું નિયમિત દિવસે (વૈશાખ સુદી ત્રીજે) કરવાનું અને તે પણ ઈશ્કરસથીજ કરવાનું તે અનુકરણ નહિં માનવાને લીધે બને જ નહિ.
વળી તેઓના મતે ચૈત્રવદિ આઠમથી વર્ષીતપની શરૂઆત અને વૈશાખ સુદ ત્રીજે વષીતપની પૂર્ણાહુતિ એ બેનું સર્વથા અગ્યપણું ગણાય તે પછી વૈશાખ સુદિ ત્રીજના વષીતપનું પારણું કરતાં શેલડીને રસ વાપરે એ તે સ્વપ્ન પણ ગ્ય હોયજ શાને? પરંતુ શ્રીપંચાશકચ્છના તપપંચાશકમાં તીર્થંકરભગવાનની દીક્ષાના તપને જણાવતાં ચૈતર વદ આઠમે પ્રારંભ કરે એમ પણ જણાવે છે, (ચૈતર વદ આઠમના છઠની અપેક્ષાએ ચૈતર વદ સાતમે પ્રથમ ઉપવાસ આવી શકે.) તથા વૈશાખ સુદ ત્રીજે પારણું કરવામાં પણ શેલડીનો રસ લઈને પારણું કરવું એમ પણ જણાવે છે.
એટલે ભગવાન હરિભદ્રસૂરિજીના પહેલાના કાળથી પણ ભગવાનની દીક્ષાના તપ અને પારણનું અનુકરણ થતું હતું એ સ્પષ્ટપણે નકકી થાય છે,
પરંતુ શાસ્ત્રોના પાઠો ઓળવવા, ફેરવવા, ન માનવા અને વિપરીત પ્રરૂપણ કરવા તરફ વલણવાળા અભિનિવેશવાળાઓ તે શાસ્ત્રોક્ત વસ્તુઓ ન માને તે તેમાં આશ્ચર્ય નથી ?
Page #52
--------------------------------------------------------------------------
________________
આગમત જેવી રીતે ભગવાનના દીક્ષા આદિકના તપનું અનુકરણ કરવાનું શાસ્ત્રકાર ફરમાવે છે, તેવી જ રીતે ભગવાન જિનેશ્વરમહારાજના ચવનાદિક પાંચે કલ્યાણકામાં તપ આચરવું જરૂરી ગણાવવાની સાથે શરીરના સત્કાર વિગેરેને પણ શાસ્ત્રકારે જરૂરી ગણાવે છે. એટલે ભગવાન જિનેશ્વરમહારાજાના કલ્યાણક મહોત્સવે જેવી રીતે તપથી આરાધવાના જણાવે છે, તેવી જ રીતે શરીરસત્કાર, અમારી પડખે, વિશિષ્ટ દાન, રથયાત્રા વિગેરે કરીને પણ સર્વ કલ્યાણકોના દિવસો આરાધવાની જરૂર શાસકારમહારાજા ફરમાવે છે.
એક વાત વાચકવર્ગે જરૂર ખ્યાલમાં રાખવાની છે કે ભગવાન જિનેશ્વરેનાં વનાદિક સર્વ–કલ્યાણક સામાન્યથી તપ કરીને આરાધવાનાં હોય છે અને તેથી જ શાસ્ત્રકાર વચાળઠારાઘો ફ્રિ પ્રાચત્તાઃારો મત એમ જણાવે છે અને એમ જણાવી કલ્યાણકને અંગે પર્વતિથિ માનવાપણું છતાં બીજી આરાધનાનું ગૌણપણું રાખી સામાન્ય અને વિશેષ તરીકે પર્વતિથિઓના ભેદે જણાવે છે, અને આ કારણથી જે શાસ્ત્રકારોએ પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિનો કહેલે ક્ષય ઉડાવી દેવા જે કલ્યાણકતિથિઓને આગળ કરે છે તે તેઓના કુતર્ક સિવાય બીજું કાંઈ કરતા નથી.
સામાન્ય રીતે સર્વ કલ્યાણ કે તપ અને દાનાદિદ્વારા આરાધવાનાં હોય છે, પરંતુ વન અને જન્મકલ્યાણકમાં ભગવાનની તપસ્યા ન હોવાથી માત્ર સામાન્ય તપ અને ઓચ્છવરૂપ આરાધના હોય છે, જ્યારે દીક્ષા, કેવલજ્ઞાન અને મેક્ષ એ ત્રણ કલ્યાણકમાં તપસ્યા અને અનશન હેવાથી તેમનું અનુકરણ કરવાનું તપસ્યાદ્વારા બને છે, માટે દીક્ષાદિક-કલ્યાણકે ઉજવવાને સાચી રીતે તૈયાર હોય તેઓને તે તે કલ્યાણકને દિવસે તપસ્યા, શરીર-સત્કાર, દાન, રથયાત્રા વગેરે શાસ્ત્રકારેએ જણાવેલાં કાર્યોમાં જરૂર ઉદ્યમ કરે જોઈએ. એકલી જયંતી કે ઉજવણીના નામે લેકેનો સમુદાય એકઠ કરીને કે શાસ્ત્રવિરૂદ્ધ વાતનું પિષણ કરવા માટે બખાળા કાઢીને કે
Page #53
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-જી'
તે
પ્રસરીયાં કે પુસ્તકો વ્હેંચીને જે આરાધના કરાય તે શાસ્ત્રને અનુસરતી કેમ ગણી શકાય? એકલા જન્મકલ્યાણકને આગળ કરી દીક્ષા અને કેવલજ્ઞાનના કલ્યાણકો ભગવાન્ મહાવીરમહારાજનાં મ’દરીતે ઉજવાય અગર મુદ્દલ ન ઉજવાય તે ચાગ્ય નથીજ ! એ વસ્તુ શાસનને અનુસરનારાએએ વિચારવા જેવી છે.
આગમને આધારે જે પ્રવૃત્તિ થાય છે. થઈ છે અને થશે તે જ પ્રવૃત્તિ માત્ર નિરા અને સંવર કરનારી છે. અન્ય પ્રવૃત્તિ નહિ'
આ રીતે સૂત્ર અને સૂત્રના રચનારાઓને આ શાસને સર્વાંપરિ–શાસનના આધારસ્તંભ જેવા ગણ્યા છે,
આ રીતે સૂત્ર અને સૂત્ર-કાંને આધાર રૂપ ગણ્યા તેનું કારણ એ છે કે શાસન રૂપી રથ જે ઘેાડા ખેંચે છે, તે ઘેાડાઓને ભગવાનની સૂત્ર રચના રૂપી લગામ અકુશમાં રાખે છે. જો એ અંકુશ ન હેાય તેા શાસનના રથ ગમે ત્યાં જઈને ઉધા જ પડયો હાત !
રમ્યગ્દર્શન, સભ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર ટકી રહે છે, વધે છે, શુદ્ધ થાય છે. એ સઘળુ આગમને આધારે બને છે.
શ્રી સિદ્ધચક્ર માહાત્મ્ય પૂ. આગમા૦ શ્રી—પૃ. ૧૨૭
Page #54
--------------------------------------------------------------------------
________________
| શ્રી સ્વાર્થીથિગમ-સૂત્રનું
કહદયગ્રાહી વિવેચન છે.
વિવેચનકાર છે પૂર-આગમ દ્વારક આચાર્યશ્રી
શ્રી દેવસૂર-તપાગચ્છ-સામાચારી સંરક્ષક, અજોડ સૂક્ષ્મવ્યાખ્યાતા-પ્રવર પ્રાચનિક, આમિક-એપયર્થજ્ઞાતા, ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમ દ્ધારક આચાર્યદેવશ્રીએ અપૂર્વ પ્રતિભાભય વિશિષ્ટ ક્ષપશમ બળે ગહનતાત્વિક પદાર્થોને પણ હૃદયભગ્ય શેલિથી છણાવટ સાથે ઘણીવાર વ્યાખ્યાન-વાચના-પ્રશ્નોત્તરી આદિરૂપે ચર્ચેલ છે.
વિ. સં. ૧૯૯૮માં પન્નાલાલ બાબૂની ધર્મશાળા-પાલીતાણાના ચાતુર્માસ દરમ્યાન સુજ્ઞ વિવેકીઓને લાભાર્થે શ્રી તત્વાર્થાધિગમસૂત્ર ઉપર ઝીણવટભરી તાત્ત્વિક વિવેચના બપોરના સમયે ફરમાવેલ.
જેની ને તે વખતે પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. શ્રીએ સ્વ-પરબધાથે ટૂંકમાં પણ મુદ્દાસરની કરેલ, જેના ઉપરથી પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. શ્રીએ પિતાની
ધના આધારે સુવ્યવસ્થિતપણે તૈયાર કરી શુદ્ધ સુંદર મુદ્રણ ગ્યા વ્યવસ્થિત નકલ તૈયાર કરેલ.
તેઓશ્રી પાસેથી જિજ્ઞાસુઓના હિતાર્થે તે ઉતારાની આખી ફાઈલ મેળવી “આગમ ત” માં વિર્ષ-૯ પુ. ૨] આપવાની શરૂઆત કરેલ.
ત્રણ હપ્તા આના છપાઈ ગયા.
જેમાં ગયા વર્ષે ત્રીજા હપ્તાના પ્રારંભે સખેદ નેંધ લેવી પડેલ કે-ગમે તે અજ્ઞાત કારણે વર્ષ ૧૦ (પુ. ૨ પૃ. ૪૦)માં બીજા સૂત્રનું વિવેચન પૂર્ણ થયા પછી ત્રીજા સૂત્રનું વિવેચન નેધમાં મળ્યું
Page #55
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જું જ નહીં, તેથી ત્રીજા હપ્તામાં ગયા વર્ષે (પુ. ૧૧ પૃ. ૨ પૃ. થી) ચોથા-સૂત્રનું વિવેચન આપેલ.
પણ પરમ–હર્ષની વાત છે કે દેવ-ગુરુકૃપાએ પ્રેસ કેપીનાં બંડલેમાંથી ખૂટતા ત્રીજા-સૂત્રના વિવેચનનાં પાનાં આડા-અવળાં થયેલ, તે જડી આવ્યાં, જેથી રહી જવા પામેલ વચલું (ત્રીજા સૂત્રનું) વિવેચન ગ્ય સુધારા-વધારા સાથે સુસંપાદિત કરી તત્વપ્રેમી વાચકોના હિતાર્થે આ વર્ષે રજુ કરવામાં આવે છે.
વિવેકી સુજ્ઞ-વાચકોએ અર્થગભીર-નયસાપેક્ષ આ વિવેચનના પરમાર્થને સમજવા ગ્ય જ્ઞાની ગુરુભગવંતના ચરણોમાં બેસી યેગ્યતા-મુમુક્ષતાને વિકાસ કરે.
.]
જગતમાં જેમ સાચી વસ્તુને સંગ્રહ કરનાર મનુષ્ય છે નકલી વસ્તુના સંગ્રહથી હંમેશાં સાવચેત રહે તેવી રીતે શાસન
સેવાના મહાત્માણની મજાને લેવાવાળા મનુષ્ય સ્વસેવાના
નામે જગતમાં પ્રસરેલે વિશ્વને મેળે ન વળગી પડે તે બાબત & પૂરેપૂરી સાવચેતી રાખવાની જરૂર છે,
કેમકે એટલે શાસન, મારે ભક્ત એટલે શાસન, સમાજ, મારી અને ભક્તોની સેવા એટલે શાસન કે સમાજની સેવા, મારું અને મારા ભક્તોનું બહુમાન એજ શાસનની ઉન્નતિ, હું અને મારો પરિવાર એજ શાસનનાં અંગે.
આવી આવી સર્વથા બીભત્સ અને ગલીચ ભાવનાઓ છે શાસન સેવાને નામે સડી ગયેલા મગજવાળાઓ ધારણ કરી બેસે.
પરંતુ શાસનની સાચી શિક્ષા અને શ્રદ્ધાને પામેલા છે સહુરૂષે તેવા સડેલા સંસ્કાર ક્ષણભર પણ પિતાના હૃદયમાં
ધારે નહિ. વચનથી ઉચ્ચારે પણ નહિ અને તેવાં કથન કરનારાજ એની છાયાએ પણ છવાય નહિ. છેપૂ. શ્રી આગદ્ધારકની તાત્વિકવણી પા. નં. ૬૦-૬૧ ૨
Page #56
--------------------------------------------------------------------------
________________
GEET|HEB
FEEEEEEEEEEEEEEEE [ પૂ. આગોદ્ધારક આચાર્ય દેવશ્રીએ TI
વાચનારૂપે ફરમાવેલ શ્રી તસ્વાર્થાધિગમ સૂત્રનું
તાત્ત્વિક વિવેચન (વર્ષ ૧૧. પુ. ૨, પા. ૪૧થી ચાલુ) અવતરણ
જેનું યત્કિંચિત્ સ્વરૂપ જણાવેલું છે, તે સમ્યગ્દર્શન જે કારણથી જેટલા પ્રકારનું કહેવાય છે, તે જણાવવા માટે ત્રીજું સૂત્ર કહે છે,
સૂત્ર-તનિષિામાન્ વા (૩-૨) સૂત્રાર્થ–
તે સમ્યગ્દર્શન નિસર્ગ અપરિપદેશથી અથવા અધિગમ (પોપદેશાદિ નિમિત્ત) થી થાય છે.
માણ-તરેતતુ કai gવિષે મતિ, નિપાનधिगमसम्यग्दर्शनं च, निसर्गादधिगमावोत्पद्यते इति-दिहेतुकं-द्विविधं, निसर्ग: परिणामः स्वभावः अ-परोपदेश इत्यनर्थान्तरम् ।
ભાષ્યા
તે આ સમ્યગ્દર્શન બે પ્રકારે, નિસર્ગ સમ્યગદર્શન અને અધિગમસમ્યગ્દર્શન.
નિસર્ગથી કે અધિગમથી ઉત્પન્ન થાય છે, તેથી બે હેતુવાળું સમ્યગ્દર્શન બે પ્રકારે કહેવાય છે.
નિસર્ગ, પરિણામ, સ્વભાવ, બીજાના ઉપદેશ વિના એ બધા પર્યાયવાચી છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
સ્તક ૨
વિવેચન
ચાલુ પ્રકરણથી જ સમ્યગ દર્શન નિસર્ગ અથવા અધિગમથી થાય છે, એમ સ્પષ્ટ જણાઈ શકે તેમ હોવા છતાં સૂત્રકાર મહારાજાએ સૂત્રમાં “તત્” એવું સર્વનામસંજ્ઞક પદ આપ્યું છે, તે અત્યંત સૂક્ષ્મસંક્ષિપ્ત વ્યાખ્યા તેમજ અત્યંત બાદર-વિસ્તૃત વ્યાખ્યા ન કરતાં સર્વે શિના હિતાર્થે મધ્યમ વ્યાખ્યા જણાવવા માટેનું છે. '
અર્થાત્ અત્યંત–સંક્ષિપ્ત વ્યાખ્યા કરવામાં આવે અને પ્રથમ આવી ગયેલી વસ્તુ માટે સર્ વિગેરે સર્વનામ-સંજ્ઞક પદ ન વાપરવામાં આવે તે સર્વ-શિષ્યને બંધ ન થઈ શકે, તે પ્રમાણે અત્યંત લાંબી લાંબી વ્યાખ્યા કરવામાં આવે અને સર્વનામસંજ્ઞક પદો ન વાપરતાં વારંવાર તે તે પ્રસંગે સમ્યગ દર્શનાદિ પદે આપવામાં આવે તે પણ કંટાળાદિના કારણે સર્વ શિષ્યોને બેધ ન થઈ શકે, માટે મધ્યમપણે વ્યાખ્યા થાય.
તે મધ્યમપણે વ્યાખ્યા-કરતાં અગાઉ આપેલી બાબતો માટે સર્વનામ સંજ્ઞકાદિ પદ આપવામાં આવે તો સર્વ શિનું હિત થઈ શકે છે.
આ વસ્તુ જણાવવા માટે સૂત્રકાર મહષિએ તત્ એ સર્વનામ-સંજ્ઞક–પદને પ્રયેાગ કર્યો છે, એમ ટીકાકારનું કથન છે.
આખા સૂત્રને અંર્થ આ પ્રમાણે છે કે
મૂલ હેતુ (અર્થાત્ કારણનું કારણ) બે પ્રકારનું હેવાથી સમ્યફ દર્શન બે પ્રકારનું કહેવાય છે.
અહિં એટલે ખ્યાલ રાખવાને છે કે આગળ જણાવવા મુજબ ઉત્પત્તિના કારણે નિસર્ગ ત્થા અધિગમ બે પ્રકારનું સમ્યગ દર્શન છે, પરંતુ તે બન્ને નિમિત્તોથી ઉત્પન્ન થતું સમ્યગદર્શન રૂપ કાર્ય એક જ પ્રકારનું છે.
આ. ૨-૨
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમજ્યોત
આ વસ્તુ ભાષ્યકાર મહારાજા સત્રના અવયને અર્થ કરવા પૂર્વક સ્પષ્ટ કરે છે ફેતિ ,
સૂત્રમાં આપેલે તદ્ શબ્દ પત૬ શબ્દના અર્થમાં છે. એટલે ગયા સૂત્રમાં જે સમ્યગદર્શનની વાત કરી હતી, તે સમ્યગદર્શન નિમિત્ત બે પ્રકારનું હોવાથી બે પ્રકારનું છે. નિસર્ગ સમ્યગ દર્શન ત્થા અધિગમ સમ્યગદર્શન
તેમાં પરના ઉપદેશ સિવાય જ તથાભવ્યત્વ—દશાને પરિપાક થવાથી થયેલા કર્મને ઉપશમથી ઉત્પન્ન થતું જે સમ્યગ દર્શન તે નિસર્ગ સમ્યમ્ દશન કહેવાય, અહિં નિસર્ગને અર્થ સામાન્ય રીતિએ જે સ્વભાવ થાય છે, તે અથવા જેને દુનિયા કુદરત કહે છે તે લેવાનું નથી, પરંતુ ઉપર જણાવ્યા મુજબ તથાભવ્યત્વદશાને પરિપાક, ભવિતવ્યતાને ગ જે કે અમુક અવસરે જ્ઞાનીની દષ્ટિએ જે કઈ પણ બાદાનિમિત્ત વિના થવાને છે– તે અર્થ લેવાને છે.
જે તે પ્રમાણે ન લેવામાં આવે અને સ્વભાવ અથવા કુદરતને નિસર્ગ પદથી ગણવામાં આવે તે આત્માને અનાદિ શુદ્ધ માનવાને પ્રસંગ આવી જાય, જે વસ્તુ બારીકાઈથી વિચારતાં સમજી શકાય તેવી છે.
આવું નિસર્ગ સમ્યગ દર્શન મરૂદેવા અથવા અતીર્થ સિદ્ધ વિગેરે કોઈકોઈ આત્મામાં મલી આવે.
પરના ઉપદેશથી (અથવા જાતિસ્મરણાદિ) બાહ્ય-નિમિત્તની અપેક્ષા દ્વારા થતા કર્મના ઉપશમાદિ વડે જે સમ્યગ્ર દર્શન થાય તે અધિગમ સમ્યગૂ દશન કહેવાય.
આથી તત્ત્વ એ થયું કે નિસર્ગ–સમ્યગૂ દર્શનમાં જેમ તથા ભવ્યત્વને પરિપાક વિગેરે અંતરંગ કારણ સિવાય બીજા કોઈ પણ બાહ્ય કારણની અપેક્ષા નથી. તે પ્રમાણે આમાં નથી, આ અધિગમ
Page #59
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ સમ્યગ્દર્શનમાં પોપદેશ, જાતિસ્મરણ, પ્રતિમા દિદર્શન વગેરે બાહ્ય કારણની ખાસ અપેક્ષા રહે છે.
યદ્યપિ બન્ને પ્રકારમાં તથાભવ્યત્વના પરિપાક સિવાય કમને ઉપશમ થવાને નથી, એ કર્મના ઉપશમાદિ થયા સિવાય સમ્ય દર્શન થવાનું નથી. તે પણ ભવિતવ્યતાના ગે નિસર્ગસમ્યગ દર્શનવાળાને કોઈ પણ બાહ્ય કારણ સિવાય જ દુષ્કૃત-ગ સુકૃતાનમેદનાદિ અંતરંગ નિમિત્તોથીજ તથાભવ્યત્વદશાને પરિપાક થાય છે અને અધિગમ–સમ્યક્ત્વવાળાને પરોપદેશાદિ બાદા-નિમિત્તોથી તથા ભવ્યત્વદશાને પરિપાક થાય છે.
ભાષ્યમાં “a” પદ નિમિત્તને ભેદ બતાવવા માટે છે, એટલે કે એક જ સમ્યગુદર્શનના નિસર્ગ અને અધિગમ એવા બન્ને કારણે નથી, અર્થાત્ કોઈ કોઈ એ અર્થ કરી નાખે કે નિસર્ગોપલક્ષિત અધિગમ હોય તે સમ્યગદર્શન થાય, એમ અર્થ કરવાને
નથી.
નિધિ નાખ્યાં એમ સમાસ ન કરતાં વિદ્ર ધામા એમ અ-સમસ્ત બને પદો રાખ્યાં છે, તેનું કારણ પણ તેજ છે એટલે કે નિસર્ગથી સમ્યગ્દર્શન થાય અથવા અધિગમથી સમ્યગ્નદર્શન થાય, સમ્યગદર્શન રૂપ કાર્ય એક, પરંતુ સમ્યગદર્શનના નિમિત્ત કારણ બે, નિસર્ગ અથવા અધિગમ, જે આ પ્રમાણે અર્થ ન કરાય તે “વા પદ નકામું પડે છે.
હવે કદાચ એમ શંકા થાય કે- જ્યારે જુદા જુદા કારણે છતાં સમ્યગ્દર્શન રૂપ કાર્ય એક જ થાય છે, ત્યારે તે સમ્યગદર્શનને નિસર્ગ સમ્ય દર્શન અથવા અધિગમ સમ્યગદર્શન એવા નામથી કેમ કહેવામાં આવે છે? તે તે શંકાના નિરાસ માટે ભાષ્યકાર સ્વયં જણાવે છે કે– નિધિત્યાદ્ધિ,
નિષિાના પ્રવત રુતિ, આ વાક્યમાં જે ઈતિ પદ તસ્મા- તે કારણથી એ અર્થમાં સમજવાનું છે. જ્યારે “રૂતિ , પદને “તમા , એ અર્ધ કરવામાં
Page #60
--------------------------------------------------------------------------
________________
આગમન આવે તે રતનિંસ્થામણqવાત, યદું અને તેને નિત્ય સંબંધ હેવાથી અર્થાત્ જ્યાં ચત્ આવે ત્યાં ત્યાં તત્ આવવું જ જોઈએ અને જ્યાં તેને પ્રવેગ આવે ત્યાં ચત પદને પ્રયોગ હેજ જોઈએ.
આ કારણથી હવે આખા ભાષ્ય વાક્યનો એ અર્થ થયે કે જે કારણથી આગળ જેનું સ્વરૂપ કહેવામાં આવશે એવા નિસર્ગ અથવા અધિગમથી સમ્યગદર્શન ઉત્પન્ન થાય છે, તે કારણથી તે તે નિસર્ગ-સમ્યગદર્શન અથવા અધિગમ સમ્યગદર્શન કહેવાય છે.
આ વસ્તુ છાંતથી સમજાવે છે કે-જેમ ડાંગર, યવ-ઘઉં વિગેરિના અંકુરાઓમાં અંકુરપણું સમાન હોવા છતાં અસાધારણ કારણભૂત યવથી ઉત્પન્ન થયેલા અંકુરને ચાર કહેવાય છે, તે જ પ્રમાણે અસાધારણ કારણ તરીકે રહેલા નિસર્ગ અથવા અધિગમથી ઉત્પન્ન થતા સમ્યગદર્શનને નિસર્ગ-સમ્યગ્ગદર્શન અથવા અધિગમ સમ્યગદર્શન કહેવામાં આવે છે.
તાત્પર્ય એ છે કે- નિસર્ગ અધિગમ એ બને હેતુઓ ભિન્ન છે. અભિન્ન હેતુઓથી સમ્યગ્ગદર્શન રૂપ એક કાર્યની ઉત્પત્તિ છતાં હેતુની ભિન્નતાને અંગે નિસર્ગ સમ્યગ્દર્શન ત્થા અધિગમ સમ્યગ્દર્શન એવા નામેથી સંબેધવામાં આવે છે.
શંકા – અત્યાર સુધીના વિવરણ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આ સૂત્ર દ્વારા તમે હેતુનું પ્રતિપાદન કરતા હો તે ભાષ્યકાર મહારાજાએ આ સૂત્રના ભાષ્યની આદિમાં “તતત્વ સ ર્શન દિવિવં મવતિ' “આ અનન્તરાધિકૃત સમ્યગ દર્શન બે પ્રકારનું છે, એવું જે વિવરણ કર્યું છે તે અગ્ય છે, ભાષ્યકારે આ પ્રમાણે કથન કરવાની જરૂર હતી કે- સરા પપ્પાના દો તૂ, સમ્યગદર્શન નના નિસર્ગ ત્થા અધિગમ એવા બે હેતુઓ છે, કારણ કે સૂત્ર દ્વારા હેતુનું દ્વિવિધપણું ઈષ્ટ ગણવામાં આવ્યું છે
Page #61
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજૂ
[ તાત્પર્ય એ છે કે- આ સૂત્રમાં વિધાનનું પ્રતિપાદન નથી પરંતુ જ્યારે હેતુના ભેદનું જ પ્રતિપાદન કરવું ઈષ્ટ છે તે પછી તનિસત્ સામાçr એટલું સૂત્ર કહેવા કરતાં “તય નિધિrૌ હેતુ એ પ્રમાણે સૂત્ર કરવાની જરૂર હતી, આટલે દ્રાવિડી પ્રાણયામ કરવાની શી જરૂર હતી?
સમાધાન – તવેતર થર્શન દ્ધિવિન્ધ મવતિ એ વાક્યમાં જે ત્રિવિધ પદ . તે પદથી સમ્યગ દર્શન બે પ્રકારનું છે. એમ ન સમજાય અને ઉપરની શંકાને સ્થાન ન રહે તે માટે ભાગ્યકાર પોતેજ gિવિષ પદને અર્થ કરે છે કે “દિત વિઘમિતિ, અહિં દ્વિવિધ એટલે દ્વિહેતુક બે હેતુવાળું સમ્યગૂ દર્શન છે. એમ અર્થ કરવાને છે.
દ્વિહેતુ પદને વિગ્રહ કરે છે, તે નિષિામાં પ્રસ્થાન સમાજ-જ્ઞાવિત્તી હૈ ચહ્ય તત્ હેતુ નિસર્ગ અને અધિગમના જુદા જુદા સમાસ નહિં કરવા દ્વારા જણાવેલા બે હેતુઓ એના છે તે દિદેવ ગણાય
આ પ્રમાણે દ્વિવિધ પદને અર્થ દ્વિહેતુક કહેવાને છે, પરંતુ સમ્યગૂ-દર્શનના મુખ્ય ભેદો જણાવનારૂં નથી.
તમે કહે છે કે-દ્વિવિધ પદને દ્વિહેતુક અર્થ કરી દ્વિવિધ હેતુની દ્વિવિધતા જણાવનાર છે, તે એને માટે પ્રમાણે શું? તેના સમાધાનમાં ટીકાકાર ભાષ્યકારના પક્ષકાર થઈને સાફ કહે છે કે, સમ્યગ દર્શનના પ્રકાર જણાવવા માટે નિર્વેરાવામિરવધનાવિકરાસ્થિતિવિધાન: એ સૂત્ર આગળ આવવાનું હોવાથી આ સૂત્ર હેતુનું જ દૈવિધ્ય જણાવનારું છે, એ સિદ્ધ થાય છે.
શંકા- ઉપરની વાત જવા દો પરંતુ સમ્યગ્ન-દર્શનની ઉત્પ ત્તિમાં તમે નિસર્ગને કારણે માને છે તે “નિસર્ગ, એટલે શું?
Page #62
--------------------------------------------------------------------------
________________
-
-
આગમત અને તેનું સ્વરૂપ શું? અથત નિસર્ગ શબ્દને શું અર્થ ? તેનું કેવા પ્રકારનું સ્વરૂપ છે?
સમાધાન – નિસર્ગ–પરિણામ-સ્વભાવ-અ-પપદેશ એ અનર્થાન્તર છે અર્થાત્ જે નિસર્ગ શબ્દ આગળ કરવાના છીએ તે અર્થવાળે જાણવે પરંતુ તેથી બીજા અર્થમાં લેવાનું નથી,
નિ -રિણામ-શ્વમાd-- ફેરા-રુનર્થાતરમ્ એ પ્રમાણે જે લખ્યું છે પરંતુ તિ પૂર્વારા અથવા નર્ચાત્તerળ લખ્યું નથી, તેનું કારણ ઉપર જણાવેલું તે છે.
એટલે કે પર્યાયવાચક શબ્દ માનવાથી વ્યવહારમાં પાણી ભરવાને ઘડે, લગ્નની ચેરીને ઘડે, મદિરા ભરવાને ઘડે એમ જુદા જુદા પ્રકારના ઘડાને યદ્યપિ ઘટ કહેવાય છે, પરંતુ તેનો ઉપગ જેમ જુદા જુદા કાર્યમાં થાય છે, તે પ્રમાણે અહિં પણ વ્યવહાર-દષ્ટિએ નિસર્ગ, પરિણામ વિગેરે શબ્દો પર્યાયવાચક ગણવાના છે, પરંતુ નિશ્વયથી તે દરેક પદને અર્થ જુદો છે. જે ટીકાકાર મહારાજાએ સ્પષ્ટ કર્યો છે. અને આપણે પણ અહિં સ્પષ્ટ કરીશું, એમ છતાં નિસર્ગ પદના એકંદર અર્થથી તે દરેક પદોને અર્થ જુદ પડવાને નથી, તે ખાસ ખ્યાલમાં રાખવાનું છે.
ભાષ્યકાર મહારાજાએ નિસર્ગ–પરિણામ, સ્વભાવ અને અ– પપદેશ એવા જે અનર્થાન્તર પદ કહ્યાં છે. તેને અર્થ આ પ્રમાણે
અપૂર્વ કરણ પછી થવાવાલું જે અનિવૃત્તિ કરણ તે નિસર્ગ
જો કે સમ્યગ્દર્શન વાલાને તે યથાપ્રવૃત્ત તથા અપૂર્વકરણ બને અ–પરોપદેશ=નિસર્ગથી જ થવાના છે. તે પણ સમ્યકૃત્વ પુરસ્કૃતપણું એટલે કે તવસ્વરૂપ સમ્યગ્રદર્શનનું અનન્સર-કારણ અનિવૃત્તિ-કરણ છે. અનિવૃત્તિ કરણ પૂર્ણ થતાં તુર્તજ સમ્યગ
Page #63
--------------------------------------------------------------------------
________________
-
પુસ્તક – શું દર્શન થાય છે, માટે અહિં નિસર્ગ પદથી અપૂર્વકરણનત્તર થવાવાળું અનિવૃત્તિ કરણનું ગ્રહણ કરવામાં આવ્યું છે.
કારણ કે અનિવૃત્તિ કરણ પછી તત્વ-રૂચિ થાય છે.
આ પ્રમાણે નિસર્ગનું કયું સ્થાન હોય? તે જણાવ્યા બાદ ‘નિસર્ગ, પદની વ્યુત્પત્તિ દ્વારા ઉપરના અર્થને વધુ પુષ્ટિ આપવામાં આવે છે.
'निसृज्यते-त्यज्यते तत्त्वरुच्यारख्यकार्यनिर्वृत्तौ सत्यामिति निप्तर्गः તત્વ રૂચિ નામનું કાર્ય થયે જેને ત્યાગ કરાય છે, તેનું નામ નિસર્ગ, સમ્યગ્રદર્શન ઉત્પન્ન થયે અનિવૃત્તિ કરણને ત્યાગ થાય છે! ' અર્થાત જ્યાં સુધી જીવ અનિવૃત્તિ-કરણમાં હોય છે, ત્યાં સુધી એટલે અનિવૃત્તિના છેલ્લા સમય સુધી મિથ્યાત્વ–મેહનીને ઉદય છે, પરંતુ તે અનિવૃત્તિ-કરણને ત્યાગ થાય=અનિવૃત્તિકરણ કાલ પૂર્ણ થાય, એટલે તુર્તજ તત્વરૂચિ સ્વરૂપ સમ્ય દર્શનની ઉત્પત્તિ થાય છે, કારણ કે હવે અનિવૃત્તિ કરણની જરૂર નથી, કારણનું જ કાર્યરૂપે પરિણમાન્તર થતાં કારણને અનિવૃત્તિકરણરૂપ સમ્ય દર્શનના કારણને ત્યાગ થાય છે, અર્થાત્ નિસગવસ્થામાં આત્મા જે અનિવૃત્તિ કરણ કરતે હતું, તે જ આત્મા હવે તત્ત્વચિરૂપ સમ્યગુદર્શનમય બને છે, એટલે કારણનું કાર્યરૂપે પરિણામન્તર થયું, તેમ નથી એ જ બાબત જણાવવા માટે નિસર્ગ પદને અનર્થાન્તર પરિણામ જણાવે છે.
પરિણમવું એ અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું તે પરિણામ! અનિવૃત્તિ કરણવાળ જીવ કાંઈક અનિવૃત્તિના ત્યાગ કરવા રૂપ તત્વચિરૂપ સમ્યગ્ દર્શનના પરિણામવાળે થાય છે, માટે તે પરિણુમ કહેવાય છે.
હવે પરિણામમાં પ્રગ-પરિણામ અને વિશ્રસા-પરિણામ એવા બે પ્રકાર છે, ઘટ પટાદિ-પદાર્થો પ્રગ પરિણામવાળા છે અને વાદળાં, ઈન્દ્ર ધનુષ્યાદિ વિસસા-પરિણામવાળા છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૬,
આગમત એમ અહિં જે નિસર્ગ રૂપ અનિવૃત્તિ કરણમાંથી તસ્વરૂચિ રૂપ આત્મા ને પરિણામ થાય છે, તે વિસસા પરિણામ છે કે પ્રાગ પરિણામ છે? તે તેના ઉત્તરમાં સમજવું કે તે વિસા પરિણામ છે.
અહીં શંકા કદાચ થશે કે જે પરિણામમાં યત્કિંચિત્ પણ જીવને પ્રયત્ન હોય તે પ્રગ પરિણામ ગણાય. અહીં તત્વરૂચિ થવામાં સ્વાભાવિક થયેલા અધ્યવસાય રૂપ આત્મ પ્રયત્ન તે છે? તે તેને વિશ્રા પરિણામ કેમ કહેવાય?
એ બાબતથી એમ સમજવું ઉચિત છે કે-સામાન્યતઃ અન્ય વ્યક્તિના અર્થાત્ જે વસ્તુમાં પરિણામ માને છે તે વસ્તુ સિવાય અન્યના માનસિક, વાચિક કે કાયિક પ્રયત્ન દ્વારા તે પરિણામ તે વ્યક્તિમાં અથવા વસ્તુમાં ઉત્પન્ન થયે તે તે પ્રવેગ પરિણામ કહેવાય. પરંતુ અન્ય પ્રયત્નની જે પરિણામમાં અપેક્ષા રહેતી નથી તે વિશ્રા પરિણામ છે.
આ બાબતની પુષ્ટિ માટે નિસગ પદને અનન્તર પરિણામ આપ્યા બાદ હવે સ્વભાવ એ ત્રીજો અનર્થાન્તર આપે છે. . स्वेन आत्मनै तथामव्यत्वादिता जनितोऽयमनिवृत्तिरूपभानः ત્તિ રામાવઃ પિતાના આત્મા વડે તથા ભવ્યત્વાદિથી આ અનિવૃત્તિ રૂ૫ ભાવ ઉત્પન્ન થયેલા છે. એમાં બીજા કેઈની પણ અપેક્ષા નથી તથાભવ્યત્વદશાને પરિપાક થવાથી પરને ઉપદેશ વિગેરે કોઈપણ નિમિત્ત સિવાય જ જે આત્મામાં અનિવૃત્તિરૂપ ભાવ પેદા થાય છે માટે નિસર્ગને અનર્થાન્તર “સ્વભાવ” આપેલ છે. - નિસર્ગ–સમ્યગદર્શનવાળે તથા અધિગમ-સમ્યગદર્શનવાળે એ બંનેને તથાભવ્યત્વદશાને પરિપાક એજ સમ્યગદર્શનની પ્રાપ્તિનું કારણ છે, પરંતુ નિસર્ગવાળાને તે પરિપાક પરોપદેશાદિ વગેરે કઈ પણ બાહ્ય સામગ્રીની અપેક્ષા સિવાય થાય છે, જ્યારે અધિગમવાળાને પરોપદેશાદિ બાહ્ય સામગ્રીની અપેક્ષાએ તે પરિપાક છે. ' ,
Page #65
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ
આંબા ઉપર પાકેલી કેરી જેમ ઘાસ વિગેરેની સામગ્રી સિવાય જ પરિપકવ થયેલી છે, જ્યારે ઘાસમાં નાખેલી કેરી ઘાસની મદદથી પરિપકવ થએલી છે.
આ ઉદાહરણથી એમ પણ સમજવાનું નથી કે જે ઘાસની સામગ્રી ન મળે તે કેરીને પરિપાક જેમ મેડ થાય, તેમ પોપદેશાદિ સામગ્રી ન મળે તે અધિગમવાળાને તથાભવ્યત્વને પરિપાક મોડો થાય.
જ્ઞાની-ભગવંતની દષ્ટિએ જે વખતે જે સામગ્રીથી તથા ભવ્યત્વને પરિપાક થવાને જેવાએલ હોય અને તેને અંગે તે વ્યક્તિ તરફથી જે જે પુરૂષાર્થ સેવન પણ જોવાએલ હોય, તે બધું તે પ્રમાણે જ થાય છે. જ્ઞાનીની દષ્ટિએ જોવાએલ હોય તેમાં ફારફેર થતું જ નથી, આપણને એ ભાવીનું અજાણપણું હોવાથી પુરૂષાર્થ માટે પ્રયત્ન કરવાનું હોવું જ જોઈએ.
નિસર્ગ–પરિણામ-સ્વભાવ, એ ત્રણે અનન્તરેના અર્થ જણાવ્યા આદ હવે ઉપસંહાર કરતાં ભાષ્યકાર જણાવે છે કે -
વેરા જે અનિવર્તિકરણરૂપ ભાવ પ્રાપ્તિમાં અન્યને ઉપદેશ નથી, તે “અપપદેશ” કહેવાય. એ પ્રમાણે વ્યવહારથી વિચારીએ તે નિસર્ગ, પરિણામ, સ્વભાવ, અને અપપદેશ એ ચારે અનન્તર છે, એ નિસર્ગાદિ શબ્દોનું જુદા જુદા અર્થમાં રહેવાપણું નથી, પરંતુ વ્યવહારથી લગભગ એકાઈપણું જ છે, વ્યુત્પત્તિની અપેક્ષાએ જુદા જુદા અર્થો પણ છે. - હવે આ નિસર્ગ સમ્યગદર્શન જેને જે પ્રમાણે પ્રાપ્ત થાય છે તે જણાવવા માટે ભાગ્યકાર મહારાજા જ્ઞાનને થી લઈને ૨-1થાગુજરાત ના નમુપતે ત્યાં સુધીની પંક્તિઓ જણાવે છે.. | કોઈ જ્ઞાનનું દર્શન એ તપુરૂષ સમાસ ને કરે તે માટે ટીકાકાર સ્પષ્ટ કહે છે કે જ્ઞને ૨ રીનં જ્ઞાન–ને એમ હૃદ્ધ સમાસ કરે અર્થાત જ્ઞાન અને દર્શન એમ અર્થ કરે તેમાં જ્ઞાન એટલે વિવા
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૮
આગમત થવા જ્ઞાન અને દર્શન એટલે સામાવાડવા ઢર્શન એ ટીકાકાર મહર્ષિએ કર્યો છે.
લગભગ દરેક ઠેકાણે સામાન્ય વામજ રન અને વિશિષ્ટવેપારમ જ્ઞાન એવી અથવા એવાજ ભાવાર્થવાળી વ્યાખ્યાઓ જ્ઞાન-દર્શનના સ્વરૂપ માટે આવે છે, પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે અધ્યવસાય પદયુક્ત વ્યાખ્યા પ્રાયઃ કયાં જોવામાં આવી નથી, આ વિશેષ્યવસાયો
નં તથા “મામાડયવસાયો ” એ વ્યાખ્યા કરવામાં ટીકાકાર મહર્ષિની ઘણીજ બુદ્ધિમત્તા જોવાય છે.
ભગવાન જિનભદ્રગણું, ક્ષમાશ્રમણજી, પૂ. આ. શ્રી મલ્લવાદીજી તથા પૂ. આ. શ્રી સિદ્ધસેન દિવાકરને જ્ઞાનેપયેગ તથા દર્શને પગ સંબંધી કમિક ઉપગ, યુગ૫દુપગ અને એક ઉપગ એ બાબતમાં જબ્બર વાદસ્થળ ઉપસ્થિત થયું છે. તે સમગ્ર વાદસ્થળને ઉપરના વ્યાખ્યાનથી નિરાસ થઈ જાય છે.
જંગલમાં ચાલી જતી બે વ્યક્તિને પર્વતમાં ધૂમનું દર્શન થતાં એકને “વમાન ઉર્વત:” એવું પર્વતની મુખ્યતાવાળું અને અગ્નિની ગૌણતાવાળું જ્ઞાન થાય છે જ્યારે બીજાને “વર્વતે વહિ એવી અગ્નિની મુખ્યતાવાળું અને પર્વતની ગૌણતાવાળુ જ્ઞાન જેમ ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે ઘટને દેખતાં પણ ઘટયવાન ઘર.' ઈત્યાકારક કોઈક વ્યક્તિને જ્ઞાન થાય છે જ્યારે બીજાને ઘટઘટવ એવું પણું જ્ઞાન થાય છે. આ બંને પ્રકારના જ્ઞાનમાં ઘટાવવાન વટ ઈત્યાકારક ઘટત્વની ગૌણતાવાળે અને ઘટની મુખ્યતાવાળે જે અધ્યવસાય તે જ્ઞાન કહેવાય. અને ઘટે ઘટä ઈત્યાકારક ઘટની ગૌણતા અને ઘટત્વની મુખ્યતાવાળે જે પરિણામ-અધ્યવસાય, તે દાન કહેવાય.
જો કે જ્ઞાને પગમાં સામાન્ય ધર્મ તથા વિશેષ ધર્મ બન્નેનું જાણપણું છે, પરંતુ સામાન્ય ધર્મને ગૌણ રાખી વિશેષ ધર્મનું મુખ્ય જાણ પણું થયેલ છે, માટે તે જ્ઞાનેપગ-જ્ઞાન કહેવાય. તેજ
Page #67
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ
૧૯ પ્રમાણે દર્શને પગમાં પણ જો કે સામાન્ય-વિશેષ બને ધર્મનું જાણપણું છે, પરંતુ વિશેષ ધર્મને ગૌણ રાખી સામાન્ય ધર્મનું મુખ્ય તથા જાણપણું થયું છે માટે તે દર્શનેપગ-દર્શન કહેવાય છે.
તેજ પ્રમાણે કેવળી ભગવંતને પણ જે સમયે કેવલ-જ્ઞાને પગના બળવડે લેકાલેકવર્તી સર્વ દ્રવ્ય-પયનું વિશેષપણે જાણપણું થાય, તે સમયે ગૌણપણે તે સર્વ દ્રવ્ય-પર્યાનું સામાન્ય જ્ઞાન તે અંતર્ગત છે જ, અને જ્યારે કેવલ-દર્શનને ઉપગ હેય છે અને કાલેક વત્તી સર્વ દ્રવ્ય-પર્યાનું સામાન્ય જાણપણું મુખ્યત્વે હોય છે, તે સમયે ગૌણપણે તે પદાર્થોને વિશિષ્ટ બેધ અંતર્ગત તે છે જ! - આ ઉપરથી કેવળજ્ઞાન કેવળ દર્શનનું આવરણ અને કેવળદર્શન કેવળજ્ઞાનનું આવરણ બને છે, ઈત્યાદિ શંકાને સ્થાન રહેતું નથી.
વિશેષાધ્યવસાયે તે જ્ઞાન અને સામાન્ય વ્યવસાય દર્શન તે વસ્તુ ઉપર જણાવી ગયા, તે જ્ઞાન અને દર્શન એ બે જે ઉપયોગ અર્થાત વિશેષાધ્યવસાય સ્વરૂપ જ્ઞાનપયોગ અને સામાન્યાધ્યવસાય સ્વરૂપ દર્શનપગ એ બંને પ્રકારના ઉપગે એ જેનું લક્ષણ છે એ જે જીવ તે અહીં લેવાને છે પરંતુ તા: ગંગાયન વુદ્ધિદાનિતિ ચાર ” ઈત્યાદિ સાંખ્ય દર્શનનું જે મહદાધિરૂપે મંતવ્ય છે, તે ગ્રહણ કરવાનું નથી.
અહીં એક વસ્તુ વિચારવાની રહે છે તે એ કે જ્યારે જ્ઞાને પગ અને દર્શને પગ એ સંસારી જીવનું લક્ષણ છે, તે અપાંતરાલગતિમાં તથા સુપ્તમત્તમૂર્શિતાદિને કયે ઉપયોગ માનવે કારણકે અપાતરાલ ગતિમાં દ્રવ્યેદિયેની નિષ્પત્તિ થયેલી નથી અને સુપ્તાદિ–અવસ્થામાં દ્રવ્યે દ્વિયે શૂન્ય છે. દ્રવ્યેન્દ્રિયે સિવાય સામાન્ય રીતે છદ્મસ્થ-આત્માઓને જ્ઞાને પગ કે દર્શનોપયોગ આ બેમાંથી
Page #68
--------------------------------------------------------------------------
________________
હo
આગમત
કેઈપણ ઉપયોગ હવે શક્ય છે, માટે અપાંતરાલ–ગતિમાં જે ઉપયોગ માનવે? ' એ શંકાના સમાધાનમાં સમજવાની જરૂર છે કે સૂત્ર-ભાગ્યકાર પિતે જ આગળ એ ઘજ્ઞાન નામનું જ્ઞાન કહેવાના છે, તે ઘજ્ઞાન રૂપ ઉપગ માન, અથવા લબ્ધિરૂપે દર્શન તથા જ્ઞાન બંને અપાંતરાલગતિમાં તથા સુખાદ્યવસ્થામાં હોવાથી સામાન્ય દર્શને પગ માનવામાં પણ વિરેધ આવે તેમ નથી, આ બાબતની ચર્ચા આગળ સવિશેષપણે આવશે, એટલે અહીં વિસ્તાર કર્યો નથી.
ઉપર કહ્યા પ્રમાણે જ્ઞાન-દર્શને પગ લક્ષણવાળે તેમજ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરનાર એ આત્મા આગળ જણાવાતા ક્રમ પ્રમાણે નિસર્ગ સમ્યગ દર્શન પ્રાપ્ત કરનાર છે, તે વસ્તુને મુલતવી રાખીને ભાગ્યકાર મહર્ષિએ આપેલાં “અનાદિ પદ ઉપર ટીકાકાર મહારાજા ચર્ચા ચલાવે છે.
જેની આદિ નથી તેનું નામ અનાદિ, જગત કે જેને જૈન પરિભાષાની અપેક્ષાએ પંચાસ્તિકાયમય માનવામાં આવે છે, અન્ય દર્શનીએ જેને ચરાચર-સ્વરૂપ માને છે તે જગતમાં કોઈપણ પદાર્થ દ્વિવ્યાપેક્ષા ન ઉત્પન્ન થતું જ નથી. સર્વ પદાર્થો દ્રવ્યાપેક્ષયા આદિ વિનાના અનાદિ છે, જે અમુક પદાર્થને સર્વથા અભાવ માનવાની સાથે દ્રવ્યાપેક્ષા પણ તે પદાર્થની ઉત્પત્તિ માનવામાં આવે તે અસ-પદાર્થને સદ્ભાવ માનવાને પ્રસંગ આવશે અને તે તે કઈ રીતે બની શકે નહિં. તેમ માનવા જતાં અનેક સ્થમાં અતિવ્યાપ્તિના પ્રસંગે આવશે.
વળી જે પદાર્થ દ્રવ્યાપેક્ષા નહિં છતાં જે ઉત્પન્ન થયેલા હેય તે પછી પિતાની મેળે જ તેને ક્ષય થવાને પ્રસંગ આવી જશે એટલે કે અસદ્દને પણ સદ્ભાવ માન, અનેક સ્થળમાં અતિવ્યાપ્તિ આવવી અને પિતાની મેળે જ ક્ષય થવે, જગતની આદિ માનવામાં
Page #69
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ આવે, આ બધા દોષે આવતા હોવાથી જગતને અનાદિ માનવું એજ શાસ્ત્ર તેમજ યુક્તિથી યેગ્ય છે.
એ અનાદિ સંસાર-જગત અહિં લેવાનું છે “સંસાર” એટલે નરકાદિ ગતિઓમાં જવું એ અર્થ કરો ! અહીં નરકાદિ ગતિમાં જવું ફક્ત તેટલી અવસ્થાને જ સંસાર કહે નથી, પરંતુ ઉપલક્ષણથી નરકાદિમાં જવા સાથે ત્યાં રહેવું એ પણ સંસાર જ સમજવાનું છે. એથી એકંદર તત્વ એ થયું કે નરકાદિ ગતિઓમાં જવું અને ત્યાં રહેવું તદુરૂપ સંસાર છે, અનાવૈ સંવારે એવું જે ભાષ્યકારે પદ આપ્યું છે, તેથી અન્ય દાર્શનિકે જે જગતનું આદિપણું અને જગતને ઈશ્વર કર્તા છે એવું જે માને છે તેને નિરાસ થાય છે.
એ દાર્શનિકનું એ કથન છે કે સામાન્ય રીતે એક કુંભને. બનાવનાર પણ જ્યારે કુંભકાર હોય છે, તે પછી આ જગતને કોઈપણ સટ્ટા હે જ જોઈએ. સટ્ટા સિવાય જગની ઉત્પત્તિ સંભવી શકે નહિં.
હવે તે અન્યમતવાળાની અપેક્ષાએ જગતના સ્ત્ર તરીકે કોઈને માની લઈએ તે તે સટ્ટાને કેણે બનાવે! તે ભ્રષ્ટાને બનાવનાર બીજે કઈ માનવામાં આવે તે તે બીજાને ઉત્પન્ન કરનાર ત્રીજી કેઈ વ્યક્તિ માનવી પડશે અને ત્રીજી માટે જેથી એમ પરંપરા ચાલવાથી અનવસ્થા દેષ આવશે. જે જગતના ઉત્પાદક માટે અન્ય સટ્ટાની જરૂર ન માનવી હોય તે જગતની ઉત્પત્તિ માટે સટ્ટા. માનવાની શી જરૂર ! અને જગતને ઉત્પાદક અનાદિ સૃષ્ટિ વિનાના છે, તે પ્રમાણે જગત્ પણ અનાદિ સૃષ્ટિ વિનાનું માનવામાં શું બધ! એક વખત તમારા સંતેષને ખાતર માની લઈએ કે ઈશ્વરે જગતને ઉત્પન્ન કર્યું છે. પરંતુ ઈશ્વર તમે કેને કહે છે! વીતરાગ રૂપે ઈશ્વર માન્યા સિવાય તમારે પણ ચાલે તેમ નથી.
Page #70
--------------------------------------------------------------------------
________________
આગમત જે ઈશ્વરને વીતરાગ રૂપે માનતા હે તે રાગાદિ રહિત જગત ઉત્પન્ન કરવાનું પ્રયોજન શું! “એ તે ઈશ્વરની કીડા છે, એમ કહે તે ક્રીડાવાળા ઈશ્વરમાં બાળક વગેરેની માફક રાગાદિપણું આવી જશે તુળતુ-કુર્જર” ન્યાયેન રાગાદિમ છતાં ઈશ્વરપણું માની લઈએ અને એવા ઈશ્વરે જગતને બનાવ્યું. એમ માનીએ તે સુખી-દુઃખી એ બે વિભાગના દેવ, નારક, મનુષ્ય, તિયાને શા માટે બનાવ્યા! આ તે કારણ વગરને નિરર્થક પક્ષપાત ગણાશે. “એ તે એ એમને સ્વભાવ છે” એવું કહેવામાં આવે તે તેમાં કાંઈ પ્રમાણ નથી. એવી રીતે સ્વભાવથી જ સુખી-દુઃખી એવા બે વિભાગની ઉત્પત્તિ થઈ શકે નહિ.
હવે તમે એમ માને કે છે જે સુખી-દુઃખી એવા બે વિભાગમાં ઉત્પન્ન થાય છે, તેમાં તે જીવનું કર્મ ઈશ્વરને પ્રેરણા કરે છે અને તેથી જીવેને બે પ્રકારવાળા બનાવે છે. ઈશ્વર સ્વયં તે પક્ષપાત વગરના છે, જ્યારે કર્મની પ્રેરણા તે માનવી છે, પછી જીએ કરેલા કર્મની પ્રેરણા ઈશ્વરને થાય અને તેથી ઈશ્વર જગત ઉત્પન્ન કરતી વખતે જેને સુખી-દુઃખી બનાવે એવું માનીને વચ્ચે અંતર્ગરૂપે ઈશ્વર ન નખાય! કર્મના પ્રાગથી છ જ સુખી દુઃખી થાય છે. એમ કથન કરવામાં હરતક શું છે ? આ તે તમને ઈશ્વર ઉપર એક ભક્તિ, એટલે દરેક બાબતમાં વચ્ચે ઈશ્વર તે ખરે જ.
જે દરેક બાબતમાં ઈશ્વર હાજર હોય તે જ જે વખતે કુકર્મ કરે છે તે અવસરે હાજર રહેલા ઈશ્વર તે કુકર્મથી કેમ તે આત્માઓને અટકાવતા નથી? આ ચર્ચા ઘણી લાંબી છે અને તે ઘણું જ વિસ્તારથી શાસ્ત્રવાર્તા સમુચ્ચયાદિ ગ્રંથમાં ચર્ચા કરવા પૂર્વક નિર્ણિત કરેલી હોવાથી અહિં તે વાતને સંકેલી લેવામાં આવે છે.
તત્વ એ છે કે જગત અનાદિ છે અને તેમાં સ્વકર્માનુસારે એક ગતિથી ગત્યંતરમાં પરિભ્રમણ કર્યા કરે છે, મનાતી કરે
Page #71
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જું
૨૭ ઘટતઃ એ ત્રણ પૈકી જનાર અને પંરે એ પદની વ્યાખ્યા કર્યા બાદ તેમજ એ બે પદથી જગતના અનાદિત્વની તેમજ અકર્તુત્વની સિદ્ધિ કર્યા બાદ હવે પર્યટન : એ જીવન વિશેષણની વ્યાખ્યા કરે છે. પર્યટતઃ એટલે પરિભ્રમણ કરે એવા જીવનું, એ સંબંધ આગળ જોડવાના છે, અર્થાત અનાદિ એવા સંસારમાં પરિભ્રમણ (કરનાર જીવને, તે જ્ઞાન-રીનો ચોરવામાશા નિસર્ગ સમ્યકત્વ ઉત્પન થાય છે. ઈત્યાદિ સંબંધ આગળ જોડવાનું છે. “અનાદિ અને “સંસાર” એ બે પદથી જેમ અનાદિત્વની અને અકર્તુત્વની સિદ્ધિ થઈ તે પ્રમાણે “ઘટત: ' એ પદથી આત્મા સક્રિય છે અને અસર્વગત છે એ બંને બાબતે સિદ્ધ થાય છે.
અન્ય-મતવાળાઓના મંતવ્ય માફક આત્મા જ નિષ્ક્રિય હતા અને સર્વગત હેત, તે આ આત્માને ગતિથી ગત્યંતરમાં પરિભ્રમણ કરવાને પ્રસંગે ઉપસ્થિત ન થાત, માટે આત્મા સક્રિય તેમજ અસર્વગત છે અને તેથી જ સ્વકર્માનુસારે ગતિથી ગત્યંતરમાં પરિભ્રમણ
હવે જે નિમિત્તે આત્માનું સંસારમાં પરિભ્રમણ થાય છે, તે તે બાબત તેમજ આ નિસર્ગ સભ્ય દર્શનની ઉત્પત્તિ સંબંધી ચાલુ પ્રકરણને ઉપયેગી બાબત જણાવવા માટે ભાષ્યકાર કહે છે.
ત: gવ શર્મળઃ કૃતસ્ય ત્યાંથી પુva Tra મનુમવતઃ ત્યાં સુધી પ્રકૃતિ જ્ઞાનાવરણ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા નિમિત્ત વડે આત્માએ પિતે જ બાંધેલા અન્ય જે જ્ઞાનાવરણીયાદિ કર્મો (તે કર્મોના જુદા
જુદા પ્રકારનાં ફળને અનુભવ કરતાં એ સંબંધ પણ આગળ જેડવાને છે) વર્મત: gવ મળઃ સ્વસ્થ ત્યાંથી “પુષ્ય-પાપમનુમવત' ત્યાં સુધી પ્રકૃતિ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ નિમિત્ત વડે આત્માએ પિતે જ બાંધેલા અન્ય જે જ્ઞાનાવરણીયાદિ કર્મો, તે કર્મોના જુદા પ્રકારના ફળને અનુભવ કરતાં એ સંબંધ પણ આગળ જોડવાને છે, વર્મતઃ વર્મળ: સ્વસ્થ આ પદેથી એ બાબત સિદ્ધ
Page #72
--------------------------------------------------------------------------
________________
આગમત
થાય છે કે આત્મા અન્ય કર્મોદયના નિમિત્તથી અપેક્ષા વડે અન્ય કર્મોને કરે છે, પરંતુ અન્યદર્શનકારે આફિ જ વમવત : આદિ કર્મ તે સ્વભાવથી થાય છે અને ત્યારબાદ અન્ય કર્મ સંતતિ પિતાની કરેલી હોય છે, એવું જે માને છે તે નિરાસ થાય છે.
કારણ કે જે આદિ કર્મને સ્વભાવથી થવાવાળું માનવામાં આવે તે કમરહિત સિદ્ધોને પણ આદિ કર્મ થવાને સ્વભાવથી પ્રસંગ આવશે. માટે જમત: ga એ પદ આપીને કર્મથી જ એટલે કર્મના ઉદયથી જ કમને બંધ થાય છે, એવું જે અવધારણ આપ્યું છે તે બરાબર અને સફળ છે. કર્મનું અનાદિપણું હોવાથી આદિ કર્મ છે જ નહિ.
શંકા - નિયતે ફ્રાંત શર્મ કરાય તેનું નામ કર્મ, આ બુત્પત્તિની અપેક્ષાએ કોઈપણ કર્મ કરાયેલું જ છે અને જે તે પ્રમાણે સર્વ કર્મ કરાએલું જ હોય તે કરાએલું છતાં કેમ અનાદિ હાઈ શકે?
સમાધાન - ભૂતકાળના દષ્ટાંતની માફક પ્રવાહરૂપે કર્મ અનાદિ છે, તે પ્રમાણે જેટલે કાળ વ્યતીત થયે તે બધેય કાળ એક વખત વર્તમાનપણમાં હિતે, વર્તમાનપણા સિવાય અતીતપણું સંભવી શકે નહિં જે માટે કહ્યું છે કે
भवति स नामातीतः, प्राप्यो वर्तमानस्व' ।
एष्य'श्व नाम स भवति, यः प्राप्स्यति वर्तमानत्त्वम् ।।१।। - જે વર્તમાનપણને પ્રાપ્ત થએલે છે તે જ ભૂતકાળ થાય છે અને જે વર્તમાનપણાને પ્રાપ્ત કરશે તે જ ભવિષ્યકાળ થશે એ શબ્દથી કહેવાય છે.
આમ છતાં એટલે કે એક વખત જે વર્તમાન હતું તે જ ભૂતકાળ થયે છે, એમ છતાં તે ભૂતકાળ જેમ અનાદિ કહેવાય છે
Page #73
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજું
ર૫ તે જ પ્રમાણે સર્વ કર્મ અમુક વખતે કરાએલું હોવા છતાં પણ તે પ્રવાહની અપેક્ષાએ અનાદિ જ છે. કૃતકપણાનું વર્તમાનપણની સાથે સાદશ્ય હોવાથી દષ્ટાંત અને દાર્જીનિક બંનેની યેજના બરાબર બંધબેસતી છે. આ કર્મના અનાદિપણું માટે હજુ ઘણી ચર્ચા થઈ શકે તેમ છે, પરંતુ ગ્રંથ-વિસ્તરાદિ ભયને અંગે એ સંક્ષેપી લેવાય છે.
સ્વતરંa એ પદ વડે કર્મ સહિત આત્મા હોય તે જ કર્મને કરનાર છે એ જણાવે છે.
કદાચ એમ શંકા થાય કે આ આત્મા સ્વતંત્ર હવા છતાં કેમ પિતાના અહિતમાં જ પ્રવૃત્તિ કરે છે? તે તે માટે એ સમાધાન છે કે વ્યાધિથી મુંઝાએલે માણસ અહિતકારી અપથ્ય છે, એમ જાણવા છતાં અપથ્યમાં પ્રવૃત્તિ કરે છે, તે જ પ્રમાણે કર્મથી મુંઝાએલે આત્મા અ–હિત કરનાર કર્મના બંધમાં પ્રવૃત્ત થાય છે.
એકાન્ત સ્વતંત્ર છતાં તે કર્મથી કેમ મુંઝાય? એ પ્રશ્ન પણ કરવાની જરૂર નથી. કારણ કે એકાંત-સ્વાતંત્ર્ય કે એકલે આત્મા કર્મને કર્તા છે, એવું અમે સ્વીકારતા જ નથી. કર્મ સહિત હોય તે જ કર્મ– ને કતાં છે, જે અમે પ્રથમ પણ જણાવી ગયા છીએ, પરંતુ એકાંત સ્વતંત્ર એવા સિદ્ધને કર્મના કર્તા તરીકે માનતા જ નથી. આ પ્રમાણે કર્મના ઉદયથી જ પોતે કરેલા કર્મોના ફળને અનુભવનાર આત્માને આગળ કહેવાતી રીતિએ સમ્યગ દર્શન ઉત્પન્ન થાય છે. સ્વકૃત-કર્મોના ફળ જેની અપેક્ષા રાખવા સાથે ભેગવવા યોગ્ય થાય છે, તે વસ્તુ જણાવે છે. અર્થાત્ કર્મોના ફળ એમને એમ અનુભવમાં નથી આવતાં, પરંતુ બધ, નિકાચના, વેદના અને નિર્જરાની અપેક્ષા રાખીને ઉદયમાં આવે છે. એટલે કે બંધ થયે હેય તે જ તેને ઉદય થાય, નિકાચના થઈ હોય તે જ તે કર્મનું અવશ્ય વેદના હેય, બંધ હોય, નિકાચના થઈ હય, પણ ઉદય-કાળ આવે ત્યારે જ ફળને અનુભવ થાય, એ પ્રમાણે સમજવાનું છે.
આ. ૨-૩
Page #74
--------------------------------------------------------------------------
________________
આગમત એવું નથી સમજવાનું કે આત્મ પ્રદેશની સાથે (બંધ સિવાય) સ્પર્શ પણે સંબંધ પામેલા કાર્મણપુદ્ગલે સુખ-દુઃખાદિ ફળ આપી શકે, અથવા બંધ થયેલ હોય તે પણ બંધ થયા બાદ તુર્તજ ફળ આપે. પરંતુ આગળ કહેવાતી રીતિએ જ તે તે કર્મોના ફળ આત્માને ગવવા પડે છે.
તેમાં બંધ એટલે કમને આત્માની સાથે એકાકાર સંબંધ, તે બંધ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ એમ આગળ કહેવાતા ચાર પ્રકાર છે. નિકાચન એટલે આત્મપ્રદેશની સાથે કર્મ પ્રદેશનું એક પિંડપણું અર્થાત્ બન્ધમાં એક પિંડપણું=એકાકારપણું હતું પરંતુ નિકાચન અવસ્થામાં તે અગ્નિથી તપાવેલ સોના સમૂહને ખૂબ ટીપવામાં આવે એટલે જુદા-જુદા પણું જરા પણ ન રહે તેવું એકાકારપણું લેવાનું છે. ઉદય એટલે વિપાક અથત ઉદયાવલિકામાં દાખલ થએલા કર્મોને ભેગવટે તેનું નામ ઉદય, અને ઉદય દ્વારા થતા અનુભવબાદ તુર્તજ તે આત્મપ્રદેશથી કર્મ પ્રદેશોને જે પરિશાટ-ખસવાપણું તેનું નામ નિર્જ.
આ બંધ, નિકાચન, ઉદય અને નિર્જરા એ ચારેને સમાસ કરીને કર્મમાં મત પ્રત્યય કરીને વવ-નિફ્રાન્ના –નિ એ પ્રમાણે પદ બનાવવાનું છે.
સ્વકૃત-કર્મનું ફળ બંધ, નિકાચના, ઉદય અને નિર્જરાની અપેક્ષાવાળું છે, એમ શાથી કહેવામાં આવે છે. એ પ્રશ્ન થાય તે તેના ઉત્તરમાં સમજવું જોઈએ કે બંધ વિગેરે જે ન હોય તે તે કર્મના ફળને સંભવ જ નથી.
હવે અહીં વિચાર જરૂર થાય કે સ્વ-કૃત કર્મના ફળને બંધ, નિકાચના અને ઉદયની અપેક્ષા તે જરૂર રહે, પરંતુ નિર્જરાની અપેક્ષા કર્મના ફળમાં શા માટે ગણવામાં આવી! હજુ વધુ એ ઠીક
Page #75
--------------------------------------------------------------------------
________________
૨૭
પુસ્તક ૨–જું હતું કે નિર્જરાના સ્થાને ઉદીરણા રાખવાની જરૂર હતી, કારણકે ઉદયને અપ્રાપ્ત-કાળવાળા દલિકે ઉદીરણાથી પણ ઉદયમાં આવી શકે છે. આમ છતાં નિર્જરને કેમ કર્મ–ફળની અપેક્ષામાં દાખલ કરી!
તે તે બાબત સમજવું કે કેઈપણ કાર્ય-સિદ્ધિમાં પ્રતિબંધકાભાવ પણ કારણ છે. નિર્જરા એ કર્મના ફળમાં પ્રતિબંધક છે. કારણકે નિર્જરા થઈ એટલે ફળ સમાપ્ત થયું અને જ્યાં સુધી નિર્જરા ન થઈ હોય ત્યાં સુધી ફળને સંભવ રહે છે. આ અપેક્ષાએ પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પણ કર્મના ફળમાં અપેક્ષિત છે. પિતે કરેલા કર્મોના ફળને બંધ, નિકાચના, ઉદય અને નિર્જરાની અપેક્ષાએ ભગવતા એવા જીવને આગળ કહેવાતા ક્રમ પ્રમાણે સમ્યમ્ દર્શન થાય.
હવે તે કર્મોના ફળને ક્યાં અનુભવે! તે માટે આપેલા ભાષ્યકારના ર -
તિનિ -મનુષ્ય-મમવપ્રફળપુ એ પદની વ્યાખ્યા કરે છે. નરક અને તિર્યાનું જે ઉત્પત્તિ સ્થાન જે બીજા અધ્યાયમાં કહેવાશે, તે તેમજ મનુષ્ય અને દેવે જ્યાં ઉત્પન્ન થાય છે, ગ્રહણ એટલે શરીર વિગેરેનું બનાવવું, અર્થાત્ જે નારક તિર્યચ, મનુષ્ય અને દેવેના ભામાં શરીરાદિનું ગ્રહણ વિગેરે થાય છે તે અનાદિ સંસાર સ્વરૂપ જુદા જુદા ભવમાં સ્વકૃત કર્મના ફળને ભેગવનારે એ આ જીવ અહીં લેવાને છે
હવે ફળને કેવી રીતે ભેગવે? શું એક સરખું ભેગવે? કે ભિન્ન-ભિન્ન પ્રકારે ભગવે? તે તે માટે જ ભાષ્યકારે વિવિધ go – વાઘજીમનુમવત: એ પદ આપ્યું છે, એટલે સાતવેદનીય, સમ્યકત્વાદિ અનેક પ્રકારે રહેલું જે પુણ્ય કર્મ અને જ્ઞાનાવરણીયાદિ ભિન્ન ભિન્ન પ્રકારનું જે પાપ કર્મ, તે વિવિધ પ્રકારના પુણ્ય તથા પાપ કર્મના સ્વ-રસ વિકારરૂપ ફળને ભેગવનારે જીવ અહિં ગ્રહણ કરવાને છે.
પુણ્ય એટલે આત્માને ઉપકારક સાતવેદનીય વિગેરે, અને પાપ એટલે આત્માના જ્ઞાનાદિ ગુણનું ઘાતકઅહિં સમ્યકત્વ, પુરૂષ
Page #76
--------------------------------------------------------------------------
________________
આગમત વેદ, હાસ્ય, પતિને પણ પુણ્યમાં ગણવેલા છે, આગળ પણ સૂત્ર४२ पोते . सद्वेधसभ्यक्व हास्य-ति पुरुषवेद-शुभायुर्नामगोत्राणि पुण्यम् એ સૂત્રથી એ જ વાત કહેવાના છે, જ્યારે કર્મગ્રંથાદિ સિદ્ધાંતમાં મેહનીયાદિ ચારે ઘાતી કર્મોની સર્વ પ્રકૃતિએને પાપ તરીકે જ કહેવામાં આવેલ છે, તેમાં આ પ્રમાણે સમાધાન કરવું ઉચિત લાગે છે.
શુભળે જે બંધાય અને જેનું ફળ શુભપણે અનુભવાય તે પુણ્ય એ તત્વાર્થકારનું મંતવ્ય છે અને શુભળે બંધાય કે શુભપણે ભગવાય, પરંતુ આત્મ-ગુણનું જે ઘાતક છે તે પુણ્ય નહિ, પરંતુ પાપ છે. સમ્યકત્વાદિ-પ્રકૃતિનું વેદન ભલે શુભપણે થતું હોય પરંતુ આત્માના યથાર્થરૂચિતાદિ ગુણ માટે સ્વચ્છ પણ આવરણે છે.
અનુમવતઃ એ ભાગ્યકારના પદમાં નું પચા અર્થની અંદર વપરાએલે છે, અથત પ્રથમ વિવણિત-કર્મનું ગ્રહણ, ત્યારબાદ તે કર્મને ભગવટો હોય છે. તે માટે મુઝાહ્ય એટલું ન આપતાં અનુભવતઃ એ પ્રમાણે ભાગ્યકારે પદ આપ્યું છે. - હવે અહીં શંકા થાય કે એ કાર્મણ-કને આત્માની સાથે જેમ સંબંધ છે, તેમ આકાશ, ધર્માસ્તિકાય એ દરેક સાથે સંબંધ છે, છતાં આત્માને જ ફળને અનુભવ થાય છે. અને બીજાને ન થાય, તેનું શું કારણ? એ પ્રશ્નના ઉત્તર માટે જ ભાષ્યકાર બોલ્યા છે કે જ્ઞાન-રીનો ઘારવામાગ્યાત વિશેષાધ્યવસાય રૂપ જ્ઞાન અને સામાન્ય ન્યાધ્યવસાયરૂપ દર્શન એમ બે જ્ઞાન-દર્શનની વ્યાખ્યા થઈ ગઈ છે, તે જ્ઞાન અને દર્શન એ આત્માના ગુણ છે અને દર્શન-જ્ઞાનના ઉપયોગના સ્વભાવપણાને અંગે આત્માને જ કર્મના ફળને અનુભવ થાય છે.
તાત્પર્ય એ છે જ્યારે જ્યારે આત્મા કર્મના ફળ ભેગવે છે, ત્યારે ત્યારે હું સુખી છું દુખી છું વિગેરે સાકારે પગ અને નિરાકારે પગ એ બંનેથી આત્મા યુક્ત હેવાથી અવ
Page #77
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ શ્ય પિતે કર્મના ફળ ભેગવે છે, તે સમજે છે, આકાશાદિમાં કમને સ્પર્ધાત્મક સંબંધ છતાં અજીવત્વને અંગે જ્ઞાન-દર્શને પગ સ્વભાવને અભાવ હોવાથી તેને કર્મનું ગ્રહણ નથી અને કર્મના ફળેપગ પણ નથી, દુનિયામાં પણ જોવાય છે કે જેને જે બાબતને
ખ્યાલ હેય તેને તે બાબતને અનુભવ કરવાને પ્રસંગ આવે તે તે અનુભવ સમજી શકાય, પરંતુ તે બાબતને ખ્યાલ ન હોય તે તે બાબતના અનુભવના પ્રસંગમાં આ શું? કંઈક હશે! એ સામાન્ય-અનુભવ થાયપરંતુ સ્પષ્ટ-નિર્દેશરૂપ અનુભવ થતું નથી.
કર્મના ફળપભેગમાં જ્ઞાન-દર્શનનું હેતુત્વ જણાવવા જ્ઞાનપા-સ્વામાશ્ચાત્ એ પદને ભાષ્યકારે આપ્યું, તે પદને તાનિ તાનિ પરિણામાવ્યવસાય-સ્થાના-નરળિ છત: એ વાક્યની સાથે પણ સંબધ કરવાને છે, અર્થાત્ કર્મના ફળેપભેગમાં જેમ જ્ઞાન-દર્શને પગ હેતુ છે, તે પ્રમાણે ભિન્ન-ભિન્ન પરિણામ વડે અધ્યવસાયેના પરાવ
નમાં જ્ઞાન-દર્શને પગનું સ્વભાવપણું એ જ હેતુ છે. જ્ઞાનદર્શને પગના સ્વભાવપણાથી પરિણામ વડે જેનું સ્વરૂપ ચક્કસ નથી, તેવા જુદા જુદા અધ્યવસાયને આ આત્મા પ્રાપ્ત કરે છે, અને એ પ્રમાણે અધ્યવસાયને પ્રાપ્ત કરનાર આત્મા સમ્યગદર્શન પામે છે. આ સંબંધ આગળ આવવાને છે.
હવે અહિં એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે-પરિણામ તથા અધ્યવસાય એ બંને શબ્દો લગભગ પર્યાયવાચક જેવા છતાં બેઉ શબ્દો શા માટે રાખ્યા! બેઉમાંથી એક રાખત તે પણ ચાલત. તે તેને માટે એમ સમજવું જોઈએ કે જિનેશ્વર મહારાજના શાસનમાં આત્માને ઉપલક્ષણથી પુદ્ગલાદિ-દ્રવ્યોને પણ પરિણામી માનેલ છે. વર્તમાનમાં આત્મા કેઈ અધ્યવસાયમાં હોય અને ક્ષણવારમાં આત્મા અન્ય અધ્યવસાયવાળે થાય તે અન્ય-દર્શનકારેના મંતવ્યની માફક આત્મા બદલાતું નથી, પરંતુ આત્મા પરિણામી હોવાથી તેને પરિણામ બદલાય છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
આગમત
આ વસ્તુ જણાવવા માટે ભાગ્યકાર મહાજાએ પરિણામધ્યવસાય-થાનાતાળ એમ પદ આપ્યું છે. અને ટીકાકાર જે પરિણામેન અથવાય-સ્થાનત્તરાશિ એ સ્પષ્ટ અર્થ કર્યો છે. અર્થાત્ અધ્યવસાયનું જે સ્થાનાન્તર થાય છે, તે પરિણામ વડે થાય છે. પરંતુ નિમ્લનિરન્વય થવા દ્વારા અધ્યવસાયનું સ્થાનાંતર (પરિવર્તન) થતું નથી. આત્મામાં પ્રથમ જે અધ્યવસાય હતે, તે અધ્યવસાયના સંસ્કારવાળે આત્મા અન્ય-અધ્યવસાયમાં દાખલ થાય છે, એમ માનવાનું છે. પરંતુ એ પ્રથમના અધ્યવસાયને સદંતર નાશ માનવાને નથી.
નિરન્વય-નિર્દૂલ વિચ્છેદમાં પણ જે કાર્યને સદ્ભાવ હોય અગર માનવામાં આવે તે તત્વથી અસ૬ વસ્તુ પણ સત્ થઈ જશે. વળી સર્વથા અસત્ વસ્તુમાં વસ્તુના જ અસપણાને અંગે અમુક શક્તિને નિયમ પણ નહિ રાખી શકાય, દષ્ટાંત તરીકે યવમાં સર્વથા જે વાંકુરની શક્તિ વિનષ્ટ થઈ હોય તે પછી તે યવમાંથી વાંકુર જ થવો જોઈએ એવો નિયમ નહીં રહે. ધૂમાંકુર થઈ શકશે. કારણકે અસત્ વસ્તુમાંથી અન્ય કાર્ય થવા સાથે કાર્યને અભાવ પણ માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે. એટલે યવમાંથી સર્વથા યવની શક્તિ વિનષ્ટ થઈ ગયા બાદ જેમ તેમાંથી ગધુમાંકુરરૂપ અન્ય કાર્ય થવાનો સંભવ છે, તે પ્રમાણે વાંકુર ન થવાને પણ તેટલે જ સંભવ છે. માટે અહીં નિરન્વય-વિચછેદ માનવાને નથી, પરંતુ પરિણામ દ્વારા વિચ્છેદ માનવાને છે અર્થાત્ સર્વથા વિચ્છેદ થતું નથી, પરંતુ પૂર્વ અધ્યવસાયના સંસ્કારોથી યુક્ત અદ્યતન અધ્યવસાયમાં દાખલ થાય છે. ઈત્યાદિ બુદ્ધિપૂર્વક વિચારવું.
અન્ય અન્ય અધ્યવસાયે જીવ પ્રાપ્ત કરે છે, તે અધ્યવસાયમાં અહિં સિદ્ધાંતમાં કહેલા અનુકંપા, બાલતપ, અકામનિર્જરા આદિગર્ભિત લેવાના છે. પણ મન્દ, મધ્યમ અને તીવ્ર એમ ત્રણ પ્રકારના હેવા સાથે પરંપરાએ સમ્પલના કારણભૂત બોધસ્વરૂપ લેવાના છે. આવા
Page #79
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ અધ્યવસાયને પ્રાપ્ત કરનાર પણ કેવું હોય તેને સમ્યગદર્શન થાય? તે કહે છે કે અનારિ–મિથ્યાષ્ટિ. મિથ્યાષ્ટિ બે પ્રકારના છે, એક સાદિ મિથ્યાદષ્ટિ, બીજે અનાદિ મિથ્યાદષ્ટિ. સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે ગયેલ હોય તે સાદિ મિથ્યાદષ્ટિ અને જેને કેઈપણ વખત સમ્યકત્વ પ્રાપ્ત થયું જ નથી, તે અનાદિ-મિથ્યાદષ્ટિ કહેવાય.
અહિં અનાદિ મિથ્યાણિ લેવાને છે. અને આ પઢથી સાદિ-મિથ્યાષ્ટિનું પણ ગ્રહણ સમજવાનું છે. વળી ત: એ પદથી સદ્વર્તનવાળે જીવ લેવાનું છે. એટલે સંકિલષ્ટ પુરૂષએ આચરેલા ભાવે તેથી અતિક્રાન્ત એટલે તેવા દુષ્ટ ભામાં નહિ વર્તનાર પરંતુ સદ્દવિચારમાં રહેનાર આત્માને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. સદ્વર્તનવાળા અનાદિ-મિથ્યાદષ્ટિ તથા સાદિ-મિથ્યાષ્ટિને પણ પરિણામ વિશેષથી એવા પ્રકારનું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે. કે જેને ઉપદેશાદિ કોઈપણ બાહ્ય કારણ સિવાય પણ સમ્યગ દર્શન ઉત્પન્ન થાય છે. એમ ભાષ્યકારનું કથન છે.
હવે તેમાં પરિણામ-વિશેષ એટલે શું? તેને માટે ટીકાકાર સ્પષ્ટ અર્થ કરે છે, પરિણામ એટલે અધ્યવસાય અથવા ચિત્ત.
અહિં અયવસાયથી આત્મા લેવાનું છે. હવે પરિણામને અર્થ આત્મા ન થઈ શકે, પરંતુ પરિણામવાળે એ આત્મા બની શકે, તે તે કેમ થાય? તેને માટે વ્યાકરણને નિયમ છે કે “સનવ્યચમિતિો માવો દ્રષ્યવત જાગતે અવ્યયવાળા કૃદંત પ્રત્યે સિવાય બીજા કૃદંતપ્રત્યથી કહેવાયેલે ભાવ દ્રવ્યની માફક પ્રકાશે છે.
આ નિયમથી પરિણામ એ ભાવ છતાં આત્મારૂપી દ્રવ્ય એ પરિણામ પદથી લઈ શકાય છે. અથવા ક્ષણે-ક્ષણ પરાવર્તન પામવાવાળા પરિણામથી અધ્યવસાય અર્થાત્ આત્માનું ગ્રહણ ન કરવું હોય તે મને વગણના આધારે ચિન્તન પરિણામ રૂપ જે ભાવ મન થાય છે, તે મન અહીં લેવું. તે પરિણામની અર્થાત્ અધ્યવસાયની વિશેષતા
Page #80
--------------------------------------------------------------------------
________________
૩૨
આગમત એટલે, પૂર્વ-પૂર્વના જઘન્ય પરિણામની અપેક્ષાએ આગળ-આગળને વિશેષ પરિણામ કહેવાય. અને પરિણામને અર્થ ચિન્તન વરૂપ ભાવમન લેવાનું છે કારણકે તેમાં જ બધા જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ પરિણામે આવવાના છે. આ પરિણામ વિશેષ પદથી અહિં યથાપ્રવૃત્તકરણ લેવાનું છે. ત્યાર બાદ અપૂર્વકરણ આવે છે. રાગ-દ્વેષની ગ્રન્થિને ભેદ કરતા આત્માને તે અધ્યવસાયાન્તર જે બીજો અધ્યવસાય પ્રાપ્ત થયે જ નથી-માટે અપૂર્વકરણ કહેવાય છે. અને ત્યારબાદ ગ્રંથિ-ભેદના ઉત્તર-કાળમાં થવાવાળું અનિવૃત્તિકરણ આત્મા પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી સમ્યકત્વ ન પામે ત્યાં સુધી આ અવસ્થામાંથી પાછા ફરતે નથી માટે અનિવૃત્તિ કરણ કહેવાય છે.
જો કે અપૂર્વકરણ પણ એવું જ છે, અપૂર્વકરણમાં દાખલ થયે અને ગ્રંથિને ભેદ કર્યો એટલે આત્માને સમ્યકત્વની પ્રાપ્તિ પર્યત પાછા ફરવાપણું છે જ નહિં, છતાં સમ્યકત્વનું અનંતર-કારણું અનિવૃત્તિકરણ હોવાથી પૂર્વોક્ત અર્થ અનિવૃત્તિકરણમાં શાસ્ત્રકારે એ સ્થળે સ્થળે ઘટા હોય તેમ સંભવે છે.
ભાષ્યમાં તે એકલું અપૂર્વકરણ પૂર્વકાળ તદન્ ભવતિ એ વાક્યથી જણાવ્યું છે, તે અનુક્ત છતાં અનિવૃત્તિકરણ ક્યાંથી આવ્યું? એ પ્રશ્ન થશે, પરંતુ એના ઉત્તરમાં સમજવું જોઈએ કે અન્ય ગ્રંથમાં અનિવૃત્તિકરણ પ્રસિદ્ધ હોવાથી અહિં ભાષ્યકારે તેનું ગ્રહણ કર્યું નથી. એ સમાધાનમાં પુનઃ શંકા થાય છે એ પ્રમાણે તે અપૂર્વકરણ પણ ગ્રંથાન્તરમાં પ્રસિદ્ધ છે. તે પછી અપૂર્વકરણ પણ શા માટે ગ્રહણ કર્યું. માટે ટીકાકાર બીજું સમાધાન આપે છે. સમ્યગ્ન દર્શન પ્રાપ્ત કરનાર ભવ્યાત્મા જેમ અપૂર્વકરણ અવશ્ય પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે અનિવૃત્તિકરણ પણ અવશ્ય પ્રાપ્ત કરે છે. તેથી અપૂર્વકરણથી અનિવૃત્તિકરણનું ગ્રહણ પણ સાથે આવી ગયેલું સમજવું, તેના સિવાય એટલે અનિવૃત્તિકરણ સિવાય સમ્યગદર્શન પ્રાપ્ત થઈ શકતું નથી, એટલા માટે ભાષ્યકાર મહારાજાએ લખ્યું કે પૂજાળ તાદળ મવતિ તેવા પ્રકારનું અપૂર્વકરણ થાય છે કે જે યથા
Page #81
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
૩૩ પ્રવૃત્તકરણનું કાર્ય છે અને અનિવૃત્તિકરણનું કારણ છે અને જે વડે આત્માને ઉપદેશ સિવાય સમ્યગ દર્શન ઉત્પન્ન થાય છે.
ભાષ્યકાર મહારાજાએ જાનુવાત એવું જે પદ આપ્યું છે, તેને અર્થ ઉપદેશ સિવાય એમ કરીને સમજવાનું એ છે કે કેઈપણ વિશિષ્ટ બાહ્ય-નિમિત્તની અપેક્ષા સિવાય જ સમ્યગદર્શન ઉત્પન્ન થાય તેને નિસર્ગ સમ્યગ દર્શન કહેવું છે. અર્થાત્ તથાભવ્યત્વદશાને પરિપાક વિગેરે આંતર કારણ–સામગ્રીથી આત્યંતર દેષને ઉપશમ થયે છે.
કહેવાનો આશય એ છે કે–આગળ જે અધિગમ સમ્યગુદર્શનનું સ્વરૂપ કહેવું છે અને હમણ જે નિસર્ગ સમ્યગદર્શનનું સ્વરૂપ કહ્યું, તે બંનેમાં આત્યંતર દોષને ઉપશમ હે જોઈએ. અને તથાભવ્યત્વદશાના પરિપાકને અંગે અંતઃકડાકોડી સાગરોપમ જેટલી સ્થિતિને લાયક અધ્યવસાય–પરિણતિ પણ આવવી જોઈએ, પરંતુ એ પરિણતિ આવવામાં કઈક સ્વાભાવિક રીતે ધાતુઓના પ્રગુણ્યથી જેમ દવા વિગેરે વિના પણ કોઈ વ્યક્તિને રેગની ઉપશાંતિ થાય છે. તે પ્રમાણે કેઈક વ્યક્તિને ઉપદેશાદિ બાહ્ય કેઈપણ નિમિત્ત સિવાય તેવા પ્રકારની પરિણતિ થાય છે. જ્યારે બીજા કેઈકને દવા વિગેરેના નિમિત્તથી જેમ રેગાદિનું શમન થાય છે તે પ્રમાણે ઉપદે. શાદિ કારણ-સામગ્રીથી અંતઃકોડાકડી જેટલી સ્થિતિમાં આવવા સાથે સમ્યગ્ગદર્શનને લાયક પરિણામ થાય છે. ઉપર જેનું સવિસ્તર સ્વરૂપ જણાવેલ છે તે નિસર્ગ સમ્યગ દર્શન છે. - હવે અધિગમ સમ્યગદર્શનનું સ્વરૂપ કહેવાય છે. તેમાં પ્રથમ
અધિગમના અર્થાન્તર કહેવામાં આવે છે અધિગમ, અભિગમ, આગમ નિમિત્ત, શ્રવણ, શિક્ષા અને ઉપદેશ એ બધાય અર્થાન્તર છે.
તેમાં ગમ-જ્ઞાન અધિક જ્ઞાન તે અધિગમ અહી જ્ઞાનનું અધિકપણું તે સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ પરોપદેશજન્ય લેવાનું છે. મોક્ષ એ જ સાર છે! બાકી સમગ્ર સંસાર અસાર છે! એ પ્રમાણે જે અન્વયે વિચારણા થાય તે અભિગમ, સંસાર અસાર છે. જગતમાં કંઈ પણ સાર નથી ઈત્યાદિ વ્યતિરેક વિચારણા તે આગમ, પ્રતિમા
Page #82
--------------------------------------------------------------------------
________________
૩૪
આગમત વિગેરે જે ઉપદેશનું નિમિત્ત ગણાય, અર્થાત્ પ્રતિમાજી મહારાજના દર્શન કરવા જતાં ત્યાં બાહ્ય મંડપમાં ગુરૂમહારાજના ઉપદેશ શ્રવણનું કાર્ય થઈ જાય અથવા તે પ્રતિમાજીના દર્શનથી ઉત્પન્ન થતે જે બેધ તે પણ નિમિત્ત કાર્યમાં કારણના આરેપને અને જેમ ગાયુપૂર્વ ધી એ આયુષ્ય છે. એમ કહેવાય છે તે પ્રમાણે બેધમાં કારણભૂત પ્રતિમાજી પણ સમ્યગદર્શનનું નિમિત્ત છે. પ્રભુજીના આભૂષણદિ ઉતારવાના પ્રસંગે ઉત્પન્ન થતે જે શબ્દ તેના શ્રવણથી થતે જે ચાલે, પૂજાને સમય થઈ ગયે છે ઈત્યાકારક બેધ તે “શ્રવણ પિતાની મેળેજ આસ-પ્રણીત આગમને જે અભ્યાસ તે શિક્ષા અને ગુરૂના લક્ષણોથી યુક્ત એવા ગુરૂમહારાજની જે ધર્મ દેશના તે ઉપદેશ
ઉપદેશને અર્થ ટીકાકાર મહારાજે કર્યો કે મુન્નાયુનાત્ ગુર્ધર્મફેરાના કાર આ અર્થમાં એક શંકા જરૂર થશે કે અભવ્ય અથવા મિથ્યાદષ્ટિ ગુરૂના ઉપદેશથી સમ્યકત્વ થવાને પ્રસંગ ન જ આવ જોઈએ, કારણ કે તે ગુરૂમાં ગુરૂના લક્ષણ નથી.
આ શંકાના સમાધાન માટે એમ વિચારણા થવી જોઈએ કે ગુરૂ અભત્ર અથવા મિથ્યાદષ્ટિ હોય છતાં પણ તે ગુરૂમાં જિનેશ્વર મહારાજના શાસનમાં ગુરૂ-ગ્ય જે અનુષ્ઠાનાદિ કહ્યા છે, અને વસ્તુ-તાવનું યથાર્થ પ્રતિપાદન જે ફરમાવેલું છે, તે ગુણે હોય અને તેને અંગે ગુરૂ-બુદ્ધિનું અનુસંધાન શિષ્યાદિ વર્ગને થતું હોય તે અવશ્ય અભવ્ય મથ્યાષ્ટિ ગુરૂએથી પણ અંગારમÉકાચાર્યના શિષ્યની જેમ શિષ્યવર્ગને સમ્યક્ત્વાદિ ગુણની ઉત્પત્તિ થાય છે.
અહીં એ શંકા કરવાની જરૂર નથી કે-ઉપર મુજબ જે અભવ્યાદિ ગુરૂઓથી પણ સમ્યકત્વાદિ ગુણની પ્રાપ્તિ થવાને સંભવ હોય તે પછી અન્યદર્શનીએ પણ પોતાના ગુરૂને ગુરૂ તરીકે અને દેવને દેવ તરીકે માને છે તે તેમને પણ તેવા દેવ-ગુરૂથી સમ્યગૂ દર્શનાદિ ઉત્પન્ન થઈ જશે. પણ તેમ બનતું નથી કારણ કે તે દેવગુરૂ બાહો ચિલે શ, સ્ત્રી વિગેરેથી એવી રીતે સંબંધવાળા છે
Page #83
--------------------------------------------------------------------------
________________
પુસતક ૨-જુ
૩૫ કે ત્યાં દેવત્વ-ગુરૂત્વની અનુસંધાન બુદ્ધિ થતી જ નથી અને તેવી અનુસંધાન બુદ્ધિના અભાવે સમ્યગ દર્શનાદિ ગુણની ઉત્પત્તિને પણ અવકાશ નથી.
શંકા-ઉપરના કથન મુજબ જ્યાં જ્યાં દેવ-ગુર્નાદિની અનુસંધાન બુદ્ધિ થતી હોય અને તેને અંગે સમ્યગ્દર્શનાદિ ગુણેત્પત્તિને સંભવ માનવામાં જ્યારે આવે છે તે આરાધ્ય પણ ગણાય. અને અપેક્ષાએ પાષાણની પ્રતિમાજીના દર્શનથી દેવત્વની અનુસંધાન બુદ્ધિને અંગે તે આરાધ્ય ગણાય છે. તે પ્રમાણે પ્રતિમાજીના દર્શનથી દેવત્વની અનુસંધાન બુદ્ધિ દ્વારા સમ્યકત્વાદિ ગુણેને ઉત્પાદ શાસ્ત્રમાં કહેલે હેઈ તે પત્થર પણ આરાધ્ય ગણવામાં આવશે.
સમાધાન-પ્રતિમાના આકારવાળા મસ્યદર્શનથી યદ્યપિ દેવત્વની બુદ્ધિનું અનુસંધાન અને સમ્યકત્વાદિ ગુણેને આવિર્ભાવ થાય છે તે બરાબર છે, પરંતુ તે મઢ્યમાં હિંસાદિ અન્ય-દોષ પ્રત્યક્ષપણે રહેલા છે અને જોવામાં આવતા હોવાથી તે આરાધ્ય નથી, જ્યારે પ્રતિમાજીમાં દેવત્વની અનુસંધાન–બુદ્ધિ થાય છે અને અન્ય કેઈ પણ હિંસાદિ દોષ દષ્ટિગોચર થતા નથી, માટે તે આરાધ્ય છે.
આ પ્રમાણે અધિગમ, અભિગમ, આગમ, નિમિત્ત, શ્રવણ, શિક્ષા અને ઉપદેશ એ બધાય અનર્થાન્તર છે, એટલે વ્યુત્પત્તિની અપેક્ષાએ યદ્યપિ દરેકમાં અર્થભેદ છે તે પણ દરેક પદના અર્થમાં જ્ઞાન, આલેચના, બોધ ઈત્યાદિ પર્યાયવાચક પદોનું સામાન્યપણું હોવાથી તે અનર્થાન્તર કહેવાય છે. અર્થાત્ તે દરેકને અર્થ એક બીજાના અર્થથી એકંદર રીતે જુદો થતું નથી. એ પ્રમાણે અનન્તર (પર્યાવ) વાચકપદેનું નિરૂપણ કરીને હવે કેવી રીતે સમ્યમ્ દર્શન પામે છે? તે વસ્તુ જણાવવા એક જ પદથી અધિગમાદિ સર્વ પદોને જમાવેશ થઈ જાય તેવું સૂચન કરે છે.
ભાગ્યકારે વરે રાત્ત ઈત્યાદિ પંક્તિ કહી છે તેમાં દેવ પદને અથ કહેલા પ્રકારે એમ કરીને એ સૂચવે છે, કે નિસર્ગ સમ્યગ દર્શના નિરૂપણ પ્રસંગે તસ્ય ના સંતરે ત્યાંથી શરૂ કરીને
Page #84
--------------------------------------------------------------------------
________________
આગમત
પરિણાન-વિશેષાજૂવાર તાદ મતિ ત્યાં સુધી બધે વાક્યર્થ અહીં લેવાને છે,
અર્થાત્ જીવનું અનાદિ સંસારમાં પરિભ્રમણ સ્વકૃત કર્મના ઉદયથી કમને બંધ, બંધ નિકાચના-ઉદય-નિર્જરાની અપેક્ષાએ નારકી, તિર્યચ, મનુષ્ય, દેવગતિમાં વિવિધ પુણ્ય-પાપના ફળને અનુભવ જ્ઞાન-દર્શન-ઉપગના સ્વભાવપણાથી તે તે અધ્યવસાયને પરિણામવડે પ્રાપ્ત કરવું. અનાદિ મિથ્યાદષ્ટિ છતાં સદ્વર્તનવાળા થવું ઈત્યાદિ સર્વ રીતિ આ અધિગમ સમ્યગૂ દર્શનમાં પણ સમજવાની છે.
એ રીતિએ આગળ વધેલા જીવને તથાભવ્યત્વદશાના પરિ પાકથી અન્ય પણ બાહ્ય-પ્રતિમાદિ નિમિત્તને આશ્રીને અપૂર્વકરણદિ ક્રમ વડે વધે બતાવેલા ક્રિયાનુષ્ઠાનાદિથી રોગની શાંતિની માફક તત્વાર્થ શ્રદ્ધાનાત્મક સમ્યગ દર્શન ગુણ ઉત્પન્ન થાય છે.
અહીં એ ખ્યાલ રાખવાને છે કે અધિગમ સમ્યગ દર્શનવાળાને સમ્યગ-દર્શનની પ્રાપ્તિમાં તથાભવ્યત્વદશાને પરિપાક તે અવશ્ય હોય છે, પરંતુ તે પરિપાક એ ગૌણ કારણ છે. જ્યારે પ્રતિમાદિ બાહ્ય નિમિત્ત એ પ્રબળ પ્રધાનકારણ છે. આંબાના ઝાડ ઉપરને ઉપર જે કેરીને પાક થાય તેમાં કાળ એ જ મુખ્ય કારણ છે. અને ઘાસમાં નાખેલ કરીને પરિપાકમાં કાળની સાથે પલાલ-ઘાસ એ મુખ્ય કારણ છે. તે જ પ્રમાણે અહીં નિસર્ગ તથા અધિગમ સમ્યગ્ર દર્શન માટે સમજી લેવું.
શંકા-નિસર્ગ–સમ્યગદર્શન કાદાચિક છે, જ્યારે ઘણા ખરા જીને અધિગમ સમ્યગદર્શન જ વધુ પ્રમાણમાં થાય છે, અર્થાત નિમિત્ત-સામગ્રી પામીને સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થવાવાળા જીવે ઘણું છે. જ્યારે નિમિત્તની અપેક્ષા રાખ્યા સિવાય સમ્યગ દર્શનની ઉત્પત્તિવાળા તે મરૂદેવા માતાની જેમ કોઈ જવલ્લેજ હોય છે છતાં નિસર્ગ પ્રથમ રાખી અધિગમને પછી કેમ રાખવામાં આવ્યું? તાધિના નિધિ એ પ્રમાણે રાખવાની જરૂર હતી.
Page #85
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જું
૩૭ સમાધાન-અહિં પરની અપેક્ષાપણું નહીં હોવાથી કેઈકને ઉપર રીતિએ (સ્વાભાવિક જણાવી ગયા તે પ્રમાણે) નિસર્ગ સભ્ય દર્શન થઈ જાય, છતાં તેને પુનઃ અધિગમ પ્રાપ્ત થઈ શકે છે. કહેવાને આશય એ છે કે નિસર્ગ સમ્યમ્ દર્શનવાળાને અધિગમ સમ્યગ દર્શનને સંભવ છે, પરંતુ અધિગમ સમ્યકત્વ જેને પ્રાપ્ત થયું હોય તેને નિસર્ગ સમ્યકત્વ સંભવતું નથી.
આ ભાવ જણાવવા માટે પ્રથમ નિસર્ગને રાખી ત્યાર બાદ. અધિગમને રાખવામાં આવેલ છે, જે એમ ન હોય તે જીની અપેક્ષાએ વધારે વિષયવાળા અધિગમ સમ્યગદર્શનને શા માટે નિસર્ગ સમ્યગ્દર્શન પછી રાખવામાં આવે ?
શંકા-સર્વ પ્રાણીઓને કર્મસંગ તે અનાદિને તમે માને છે, જ્યારે જ્યારે અનાદિ કર્મ-સંયોગની અપેક્ષાએ સર્વ પ્રાણીઓ સરખા છે, તે અમુક વ્યક્તિને અમુક વખતે, અમુકને અમુક વખતે. સમ્યકત્વને લાભ થાય છે એમ જુદા જુદા કાળે સમ્યકત્રે લાભ કેમ મનાય છે?
વળી કેટલાક સિદ્ધના ની અપેક્ષાએ સમ્યકત્વને લાભ તેમને અનાદિ છે. કેટલાકને આજે થાય છે કે કેટલાકને ભવિષ્યમાં અનંત કાળે લાભ થશે. કર્મસંગ અનાદિ છતાં આ પ્રમાણે ભિન્ન. ભિન્નકાળે સમ્યકત્વ થવાનું કારણ?
સમાધાન-સમ્યગદર્શનને લાભ વિશિષ્ટ કાળ–સ્વભાવ નિયતિ-કર્મ અને પુરૂષકાર (ઉદ્યમ) એ પાંચ કારણ સામગ્રીજન્ય છે. અહિં વિશિષ્ટ કાળ લેવાને એ આશય છે કે સામાન્ય કાળાદિ પાંચ કારણે તે આત્માની સાથે સંબંધવાળા છે જ. પરંતુ તેમાં તથાભવ્યત્વ દશાના પરિપાકરૂપ વિશેષ કાળને આત્માને સંબંધ થાય છે અને તે જ પ્રમાણે સ્વભાવ, નિયતિ. કર્મ અને પુરૂષકારમાં તેવું વિશિષ્ટપણું આવે છે ત્યારે જ આત્માને સમ્યગદર્શનાદિ લાભ.
Page #86
--------------------------------------------------------------------------
________________
૩૮
આગમત
પ્રાપ્ત થાય છે. એ જણાવવા માટે છે અને એ વિશિષ્ટ કાળ, સ્વભાવાદિ પ્રત્યેક પ્રાણીને આશ્રયી ભિન્ન ભિન્ન છે. તેથી તથાભવ્યત્વરૂપ સ્વભાવ, નિયતિ, કર્મ, કાળ અને પુરૂષકાર-ઉદ્યમએ પાંચેની અપેક્ષાવાળે જે પ્રાણને વિપાકકાળ = પરિપાકકાળ જ્યારે હોય ત્યારે જ તે પ્રાણીને સમ્યગદર્શનાદિ પ્રાપ્ત થાય છે, તેથી કેઈપણ પ્રકારે તે કરેલી શંકા બાબતને દોષ આવે તેમ નથી, કારણ કે સવ કાર્યો સર્વ સામગ્રી મળે તે જ બની શકે છે. જે માટે યથાવસ્થિત અરિહંત પ્રભુના મતને જાણનાર પૂ.આ.શ્રી. સિદ્ધસેન દિવાકરજીએ કહ્યું છે કે –
काल सहावा अई, पुवाय' पुग्मिकारडो'ता! ત્તિ તે ય ર મ ણ ત Hd |
કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરૂષકાર અનેકાંતથી એ સર્વ માનવા લાગ્યા છે. કાળ જ છે અથવા સ્વભાવ જ છે એમ એવકાર સાથે જે તે કાલાદિ માનવામાં આવે તે તે મિથ્યાત્વ છે અને એકબીજાની અપેક્ષા રાખવા પૂર્વક સર્વને સાથે માનવામાં આવે, તે સમ્યકત્વ છે..
આ વિષયને અંગે ઘણી ચર્ચા છે. પરંતુ અહીં તે સૂત્રભાષ્યકારના અક્ષરોને અર્થ જાણવા પુરતે જ પ્રયાસ હોવાથી તે વધુ ચર્ચામાં ઉતરવું યોગ્ય ગણતા નથી.
ઉપદેશપદાદિમાં આ બાબતમાં ખૂબ ચર્ચા પૂ. આ. શ્રી હરિ ભદ્રસૂરિજી મહારાજાએ કરેલ છે. ઉપદેશપદમાં પુરૂષકારને પંચવસ્તુમાં સ્વભાવને અને ષોડશમાં કાળને પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ જે અન્ય કારણેને ગૌણ રાખવા સાથે મુખ્યતા આપેલી છે, તેમાં પ્રક્ષકારોના તે તે આશયે ધ્યાનમાં રાખીને જ અપાયેલ છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
છે જીવનની સફળતા શામાં? હું
ઉમાસ્વાતિજી વાચક કહે છે કે મનુષ્યપણાનો સદુપયેગ છે ત્યારે જ કહેવાય કે (૧) પ્રાપ્ત કરવા લાયક ચીજને નિશ્ચય છે 8 કરે. (૨) પ્રાપ્ત કરવા લાયક ચીજને સિદ્ધ કરવાનાં સાધને
મેળવવા અને (૩) મળેલ સાઘનેની સફળતા કરવી. આ ત્રણ ચીજ કરી શકે તે મનુષ્યભવની સફળતા.
છે તે શબ્દો પ્રચલિત લાવીએ તે સમ્ય દર્શન, જ્ઞાન છે. છે ને ચારિત્ર તે જ પ્રાપ્ત કરવા લાયક ચીજને નિશ્ચય. તે જ છે. 5 મેળવવું છે તે સિવાય બીજું નહિ. સર્વ કર્મને ક્ષય કરી, 8 8 શુદ્ધ સ્વરૂપ દશા પ્રગટ કરવી તે સિવાય બીજું નહિ. આ છે સ્થિતિ આવે તે જ સમ્યગ્ન દશન. આશ્રવ છોડ, સંવર છે નિર્જરા આદરવી, એમ જે જાણમાં આવે તે સમ્યગજ્ઞાન છે અને તે આદરાય તે ચારિત્ર,
આ સમ્યગૂ દર્શનાદિ રૂઢિથી બોલાય છે. તે આ જ નિશ્ચય, તે સાધન અને તેની સફળતા. આ ત્રણ વસ્તુ મેળવવા માટે મનુષ્ય 8
ભવને ઉપયોગ કરી શકીએ તે મનુષ્યભવ સફળ કરી શકીએ.
શ્રી આ
દ્ધારક દેશના સંગ્રહ ભા. ૧ દેશના ૩૪.
૫, ૩૨૭–૩૨૮
Page #88
--------------------------------------------------------------------------
________________
છે સાધુઓનું સંઘમાં સ્થાન છે
જૈન જનતામાં શ્રીસંઘ શબ્દ એટલે બધે પ્રસિદ્ધ છે . કે તે શબ્દને નહિ જાણનાર સૂર્યને નહિ જાણનાર જે ગણાય, પરંતુ સંઘ શબ્દના અર્થને સમજવામાં ઘણું લેકે છે અણસમજ ધરાવે છે.
શ્રી સંઘને ભગવાન જિનેશ્વર મહારાજાઓ નમસ્કાર કરે છે. એ વાત સકલ જૈન-સમૂહમાં પ્રસિદ્ધ છે. પણ સુએ સમજવું જોઈએ કે
ભગવાન જિનેશ્વર મહારાજા ને વંઘમ એવું કે છે 5 દિવસ બોલતા નથી, ભગવાન તે દરેક સમવસરણમાં છે બિરાજતા ધર્મદેશનાની આદિમાં નમે થમ્સ એમ કહે છે,
એટલે તેઓ તીર્થને નમસ્કાર કરે છે. અને તીર્થ શબ્દનો અર્થ ૨ પ્રથમ નંબરે પ્રથમ ગણધર મહારાજા છે. અને બીજે નંબરે શ્રી ચતુર્વિધ સંઘ છે.
તેમાં પ્રથમ ગણધર મહારાજા તે સ્વતંત્રતીર્થ તરીકે છે, પણ શ્રી ચતુર્વિધ સંઘ સ્વયં તીર્થના અર્થ તરી ર નથી. પરંતુ તીર્થ શબ્દને સીધે અર્થ પ્રવચન છે. અને પ્રવચનને અર્થ દ્વાદશાંગી છે. તે દ્વાદશાંગી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ
શ્રી ચતુર્વિધ સંઘને આધારે છે. માટે આધેય જે દ્વાદશાંગી છે તેને નમસ્કારથી આધાર જે શ્રી ચતુર્વિધ સંઘ તે નમસ્કાર
કરવા લાયક ગણાય છે. 8 રત્નને ધારણ કરનાર સેનું કે હરકઈ ધાતુ હોય ત્યાં રત્નની કિસ્મત થાય જ છે, તેમ દ્વાદશાંગીના મહિમાને લીધે શ્રી સંઘને મહિમા થાય છે અને દ્વાદશાંગીના મુખ્ય અધિકારી કુવાઝરકિઝમાળે એવા શ્રી ઉપાસકદશાંગ આદિના વચનથી 8 A સાધુઓ જ છે. માટે શ્રી સંઘમાં સાધુઓ અગ્રપદે છે ને સાધુ છે ભગવંતે હોય ત્યારે શ્રી સંઘ કહેવાય.
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
શિકાગ થો
વર્ષ ૧૨
વીર નિ. સં.
ज्ञानं स्वपरावभास ૨૫૦૩
જેન–શાસનમાં વિ. સં.
જ્ઞાનનું સ્વરૂપ છેપુસ્તક ૭૩૩
ભગવાન જિનેશ્વર મહારાજના શાસનમાં આત્માને જ્ઞાનસ્વરૂપ એટલે જ્ઞાનમય માનવામાં આવેલું છે, પણ જેનેતર દર્શનેમાં આત્માને જ્ઞાનસ્વરૂપ કે જ્ઞાનમય માન્ય નથી. પરંતુ જ્ઞાનના આધાર ભૂત માન્ય છે.
આવી રીતે આત્માના સ્વરૂપને અંગે જ ભિન્નતા હોવાને લીધે જૈનદર્શનકાર જ્યારે આત્માની મુક્ત-દશા થાય છે, ત્યારે પણ આત્મામાં કેવળજ્ઞાન રૂપી ગુણની હયાતી માને છે.
અન્ય-દર્શનેમાં જ્ઞાનને આત્માનું સ્વરૂપ કે સ્વાભાવિક ગુણ ન માનેલે હોવાથી તેઓને આત્માની મુક્તદશામાં જ્ઞાન માનવાને અવકાશ રહેતા નથી, અથાત્ અન્ય-દર્શનકારેના મુદા પ્રમાણે મુક્તિને પ્રાપ્ત થતા આત્મામાં જ્ઞાન હોતું નથી, રહેતું નથી, અને રહે પણ નહિં.
અન્ય દર્શનકારોએ ઈન્દ્રિય અને પદાર્થના સંગથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. અને તે આત્મામાં સમવાય-સમ્બન્ધથી રહે છે,
Page #90
--------------------------------------------------------------------------
________________
આગમત એમ માન્યું છે, તેથી આત્માની મુક્તદશામાં પણ તેઓને જ્ઞાન માનવાને અવકાશ રહેતું નથી.
વસ્તુતઃ અન્ય-દર્શનકારની મુક્તિ એવી જ છે કે સંસારભરમાં જે યત્કિંચિત્ તીવ્રતા-મંદતાએ જ્ઞાન છે, પણ મુક્તદશા થતાં તેને નાશ થાય છે. એટલે સીધા શબ્દમાં એમ કહીએ તે હું નથી કે અન્ય દર્શનકારની અપેક્ષાએ સંસારમાં રહેલા સર્વ આત્માઓ ચેતનવાળા છે, પરંતુ મુક્તિને પામેલા આત્માઓ તે જ્ઞાન-રહિત હેવાને લીધે ચેતના-રહિત છે.
એટલું કહેવું જોઈએ કે અન્ય-દર્શનેના મંતવ્ય પ્રમાણે તે તે દર્શનને અનુસરનારાઓ મોક્ષને નામે કે મોક્ષને માટે જે જે ઉધમ કરે છે, તે કેવલ આત્માના જ્ઞાનના નાશને માટે એટલે કે જડપણાને માટે જ કરે છે.
જ્યારે અન્ય-દર્શનની મેક્ષને માટે આવી સ્થિતિ છે, ત્યારે જેન-દર્શનકારે આત્માને જ્ઞાનમય અગર જ્ઞાનસ્વરૂપ માને છે, એટલું જ નહિં, પરંતુ તે સ્વરૂપે રહેલું જ્ઞાન કે તન્મય રહેલું જ્ઞાન ઇન્દ્રિય કે મનના સંયોગથી થવાવાળું છે. એમ માનવાનું રહેતું નથી.
જૈન-દર્શનકારે આત્માના સ્વરૂપે કે તન્મયરૂપે જે જ્ઞાન માને છે, તે સંપૂર્ણ એવા કેવલજ્ઞાનને માને છે. અર્થાત્ સૂર્યના વિમાનને જેમ પ્રકાશ-સ્વભાવ છે અને તે પ્રકાશે છે, તેવી જ રીતે જૈન-દર્શનકારની અપેક્ષાએ આત્મા પણ કેવલજ્ઞાન-રૂપ હોઈને સર્વતઃ જ્ઞાનરૂપ પ્રકાશવાળે છે. અને તેથી જૈન-દર્શનના હિસાબે મુક્તદશાને પામવાવાળા આત્મામાં પણ કેવલજ્ઞાન રહે છે, સર્વાપણું રહે છે, અને તેથી જેન-દર્શનના પ્રાર્થના-સૂત્રોમાં ભવસ્થપણાની અપેક્ષાએ ભગવાન જિનેશ્વર મહારાજની અધ્વહિય-વાળાન–વંતળવા -એમ કહીને કેવલજ્ઞાન અને કેવલ દર્શનને ધારણ કરવાનું જણાવ્યા છતાં સિદ્ધદશાની અપેક્ષાએ કેવલજ્ઞાન અને કેવલદર્શન જણાવવા
Page #91
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩–જું માટે જ સંarળ સંગ્રહરિણી એમ કહીને ભગવાન જિનેશ્વર મહારાજને સિદ્ધદશામાં પણ કેવલજ્ઞાન અને કેવલ દર્શન જણાવવામાં આવ્યું.
વાચકે એ વાત ખ્યાલમાં રાખવી કે પ્રાર્થના-સૂત્રમાં જિનપણું અને જાપકપણું, તીર્ણપણું અને તારકપણું, બુદ્ધપણું અને બેધકપણું, તથા મુક્તપણું અને મેચકપણું જે ભવસ્થપણાના છેડા સુધીને જણાવનાર હોઈ ત્યારપછી જણાવેલું સર્વ-સર્વદર્શી પણું સિદ્ધ અવસ્થાને માટે છે અને તેથી સર્વજ્ઞ-સર્વશી પદની સાથે શિવાદિક વિશેષણવાળા સિદ્ધપદને પામ્યાની સ્તુતિ કરવામાં આવે છે.
કે એ વાત સાચી છે કે આ પ્રાર્થના-સૂત્ર ભાવતીર્થકરની તુતિ જણાવનારૂં છે અને ભાવ-તીર્થંકરપણામાં સિદ્ધપણું હેતું નથી. કેમકે ચાર ઘાતી કર્મો સહિત હોય ત્યાં સુધી ભાવ તીર્થંકરપણું હોય છે, અને સિદ્ધપણું તે પ્રથમ ચાર ઘાતકર્મ મુક્યા પછી પણ જ્યારે બાકીનાં ચાર અઘાતી કર્મોને સર્વથા ક્ષય થાય ત્યારે થાય છે,
પરંતુ જેમ તીર્થંકર મહારાજાઓની અપેક્ષાએ દ્રવ્ય-તીર્થકરોની પણ સ્તુતિ કરાય છે, તેવી રીતે સિદ્ધ મહારાજની અપેક્ષાએ તે ભગવાન જિનેશ્વર મહારાજની સિદ્ધપણાની અપેક્ષાએ દ્રવ્ય સિદ્ધ તરીકે ભગવાન જિનેશ્વર મહારાજને સ્તવવામાં કોઈ જાતની શાસબાધા રહેતી નથી.
પરન્તુ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે સૂત્રના પદાર્થમાં ભાવ તીર્થકર-સ્તુતિને અધિકાર જે ગણાય છે અને કહેવાય છે તે કથંચિત્ આ દ્રવ્યસિદ્ધને નમવાના અધિકારને લેવાથી ભંગ ગણી શકાય, પરંતુ તે ક્ષમ્ય એટલા જ માટે છે કે ભગવાન જિનેશ્વર મહારાજાઓ કેઈપણ કાળે સિદ્ધિગતિ સિવાય બીજી કઈપણ ગતિને પામે જ નહિ.
અથત અન્ય-દર્શનકારે તે પોતાના ઈશ્વરને મુક્તિ પામ્યા પછી પણ અર્થાત પિતાના મુક્તિ પામ્યા પછી પણ સંસારમાં
Page #92
--------------------------------------------------------------------------
________________
આગમત
આવવાનું માને છે, જ્યારે ભગવાન જિનેશ્વર મહારાજને જે સિદ્ધદશા પ્રાપ્ત થાય છે, તે સિદ્ધદશામાંથી જન્માદિના ઉપદ્રવરૂપે સિદ્ધપણાના પ્રતિપાતને કોઈપણ કાલે થવાનું માનતા નથી.
એટલું જ નહિ પરંતુ તે મોક્ષ એ માનવામાં આવેલ છે કે મુક્તિદશા પામતી વખતે જે આત્મામાં ગુણ ધારણ કરેલા છે. અગર જે ગુણે આત્મામાં ક્ષાયિક ભાવપણે થઈને રહેલા છે, તેમાંથી ગુણના એક લેશને ક્ષય પણ થવાનું નથી અને તે ગુણ સંપૂર્ણ અવ્યાબાધપણે રહેવાનું છે, એટલું જ નહિ પરંતુ ઈહલેકાદિ ગણતા સાત ભામાં જે મરણ નામને ભય જગતમાં વ્યાપકપણે રહે છે. તે મરણને ભય પણ તે સિદ્ધદશા પામેલા ભગવાન જિનેશ્વર મહારાજાઓને હેતે નથી.
આ વસ્તુ જણાવવાને માટે સિદ્ધનું સ્વરૂપ વગેરે જણાવીને ભગવાન જિનેશ્વર મહારાજા દ્રવ્યસિદ્ધ રૂપે છતાં પણ તેમની પ્રાર્થનાસૂત્રમાં સ્તુતિ કરવામાં આવી છે.
ઉપર જણાવેલી હકીકત વિચારનારો મનુષ્ય સહેજે સમજી શકશે કે જૈન દર્શનકાર સંસારમાં રહેલા કે સિદ્ધપણું પામેલા દરેક આત્માને કેવલજ્ઞાન સ્વરૂપ માને છે અને આ કારણથી છદ્મસ્થપણામાં વર્તતા સર્વ આત્માઓને કેવલજ્ઞાનને રોકનારા એવા કેવલજ્ઞાનાવરણીય કર્મથી આવરેલા માનવામાં આવે છે, અને સમ્યગ્દર્શનાદિ દ્વારા જે આત્મા તે કેવલજ્ઞાનાવરણીયને નાશ કરે, તે આત્મા કેવલજ્ઞાનને મેળવે છે, એમ માને છે. અને તે સ્વાભાવિક છે.
જગતમાં મનુષ્યને જેમ દેખવાને માટે સ્વતંત્ર ચક્ષુદ્વારા દેખવું બની શકે છે, એવી રીતે જૈનદર્શનની અપેક્ષાએ આત્મા કેવલજ્ઞાન સ્વરૂપ છતાં પણ જ્યારે તે કેવલજ્ઞાનાવરણથી આવરિત હોય છે. ત્યારે તે આત્માને ઈન્દ્રિય અને મન આદિ દ્વારા જ્ઞાન કરવું પડે છે.
આ કારણથી જૈનશાસ્ત્રકારોએ જ્ઞાનના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યાવજ્ઞાન અને કેવલજ્ઞાન એવા પાંચ ભેદ પાડેલા છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
અર્થાત્ ઈન્દ્રિય અને મન દ્વારા જગતના સ્પર્શાદિક અને સ્વપ્નાદિક પદાર્થોને બેધ જે પ્રગટ થાય, તેને મતિજ્ઞાન તરીકે ગણવામાં આવે છે,
જગતમાં પ્રસરતા ભાષાના શબ્દોને સાંભળીને તે ભાષા શબ્દથી જે તેના વચ્ચેની સમજણ પ્રગટ થાય તેને શ્રતજ્ઞાન કહેવામાં આવે છે.
ઈન્દ્રિય અને મનની મદદ વગર પણ અંતમુહૂર્ત જેવા દીર્ઘકાળ દૂર રહેલી પણ બાહ્ય વસ્તુને જણાવનારૂં જે જ્ઞાન થાય તેને અવધિજ્ઞાન કહેવામાં આવે છે, આ જગતમાં વર્તતા વિચારવંત પ્રાણીઓના વિચારોને જ માત્ર જાણી શકાય તેમાં ઈન્દ્રિય અને મનની જરૂર ન પડે. પરંતુ અંતમુહૂર્ત જેવા દીર્ઘકાળે જ વિચારે જાણી શકાય. એવી સ્થિતિને મન પર્યવજ્ઞાન કહેવામાં આવે છે,
જે જગતમાં રૂપી કે અરૂપી, ભૂત, ભવિષ્ય કે વર્તમાન, દર કે નિકટ, દ્રવ્યરૂપ કે પર્યાયરૂપ, કોઈપણ પદાર્થને બારીકમાં બારીક કાળ જે સમય નામને છે. તેવા દરેક સમયે જાણવા અને દેખવાનું સામર્થ્ય કેવલજ્ઞાનમાં હોય છે અને તેથી તે કેવલજ્ઞાનને ધારણ કરનારે સર્વદ્રવ્ય, સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વભાવને જાણનારો ગણાય છે,
એવી રીતે જ્ઞાનના પાંચ વિભાગે જૈન શાસ્ત્રકારોએ જણાવેલા છે. વાચકોએ ધ્યાન રાખવું કે કેવલજ્ઞાન કે તેની સાથે ઉત્પત્તિને નિયમિત સંબંધ ધરાવનાર એવું પરમાવધિ કે વિપુલમતિ મનઃપર્યાય તેને છેડીને બાકીના કેઈપણ જ્ઞાન સર્વકાળને માટે અપ્રતિપાતી હોઈ શકે નહીં અને પરમાવધિ તથા વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન પણ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરવાથી સ્વ-સ્વરૂપ રહી શકતા નથી.
એટલે કહેવું જોઈએ કે સર્વજ્ઞાનમાં જે અનંતપણે અક્ષયપણે અને એક સ્વરૂપે સર્વકાળ ટકી શકવાની સ્થિતિ ધરાવતું હોય તે
Page #94
--------------------------------------------------------------------------
________________
આગમત
તે માત્ર કેવલજ્ઞાન છે. ઈન્દ્રિય અને મન આદિ દ્વારા થતાં જ્ઞાને કઈ દિવસ કેવલજ્ઞાનના સ્વરૂપને ધારણ કરી શકતા નથી.
ઉપર જણાવેલા જ્ઞાનના ભેદોને વાસ્તવિક રીતે સમજનારે મનુષ્ય કદી પણ એમ કબુલ કર્યા સિવાય રહેશે નહિં કે આત્માની અંદર સ્વાભાવિક રીતે પાંચ જ્ઞાને જ રહેલાં છે અને તેથી તે પાંચ આવરણે જુદાં જુદાં માનવાની જરૂર પડે છે, એટલે મતિજ્ઞાનાવરણીય આદિ યાવત્ કેવલજ્ઞાનાવરણીય, એવી રીતે પાંચ પ્રકારના જ્ઞાનને કિનારા કર્મો જગતના સ્વભાવે છે.
આ વરતુ સ્થિતિને બારીક દ્રષ્ટિથી જોનાર મનુષ્ય જૈન દર્શનકારએ જ્ઞાનરૂપ માન્યા છતાં જ્ઞાનના પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એવા એવા ભેદો કે પ્રત્યક્ષ અનુમાન આદિ ભેદ ન માનતાં મતિ આદિક ભેદ જ્ઞાનના જે માન્યા છે તે સહેતુક હેવા સાથે કલ્પિત નથી પણ વાસ્તવિક છે.
સાચા ડોકટર - જેમ દરદી કાયાના વિકારોથી પરાધીન બની જાય, કોઈ ઉપાય રહે નહિ ત્યારે કાયા ડોકટરને સેંપી દે,
- તેમ વિષયની પાછળ દોડેલ, ક્રોધમાં સપડાયેલે, મિથ્યાત્વથી ઝકડાયેલે આ જીવ વિકારેથી પરાધીન બન્યું છે
૦ આત્માના સર્વ વિકારોને જાણનાર ને વિકારેને ઉખેડી નાખવાના ઉપાય જેના ધ્યાનમાં છે એવા જગતના નાથ શ્રી છે. તીર્થંકર દેવ જ આત્માના અનાદિના આ રોગને દૂર કરવા સમર્થ છે.
૦ જે આત્મા તેમની પાસે અવે, પરિચયમાં આવે, સંસર્ગમાં આવે તેમનું કલ્યાણ તેઓ કરે જ કરે.
Page #95
--------------------------------------------------------------------------
________________
FLUIETSIE HIYO
[પૂબહુશ્રત-સૂરિ પુરંદર, આગના તલસ્પર્શી વિવેચક, આગેમિક-પદાર્થ-રહસ્યદ્દઘાટક, આગમવાચન-દાતા, આગમ દ્ધારક : શ્રીના બહુમૂલ્ય તાવિક-વ્યાખ્યાનના વ્યવસ્થિત સંકલનરૂપે આગમિક-રસથાળ જેવા આગમ ચેતનું પ્રકાશન વિ. સં. ૨૦૨૧ થી કરૂણાનિધિ વાત્સલ્ય સિંધુ, પૂ. સ્વ. ગચ્છાધિપતિ આ. શ્રી માણેકસાગર સૂરીશ્વર ભગવંતના વરદ આર્શીવાદથી નિષિ દનપણે ચાલી રહેલ છે
- તેમાં ત્રીજા પુસ્તકમાં પૂ. આગદ્ધારક આચાર્યદેવશ્રીના ટૂંકા-માર્મિક ગંભીર અર્થપૂર્ણ નિબંધ લેખે વ્યાખ્યાને સંગ્રહ આ વિભાગમાં રજુ કરાય છે.
તે પ્રતિવર્ષના નિયમ પ્રમાણે આ વખતે મહત્વના ચાર લેખે તત્વરૂચિ જનતાના હિતાર્થે વ્યવસ્થિત સંકલન કરી રજુ કર્યો છે.
- વિવેકી-વાચકને જ્ઞાની-સદ્દગુરૂના ચરણમાં બેસી એગ્ય રીતે આના રહસ્યને સમજવા પ્રયત્ન કર. .]
Page #96
--------------------------------------------------------------------------
________________
DEGREEGEEEHG8
IT IS
ઉતજ્ઞાનનું મહત્વ
LISTEE
LI[LEGEE અને તેની વિશિષ્ટ–પરિણતિ
બિહુમુખ આગમિક પ્રતિભાશાળી, ૫. આગમારક આચાર્ય દેવશ્રીએ આગમિક અનેક પદાર્થોને સુંદર સરળ શૈલીમાં વ્યાખ્યાના દ્વારા સમજાવવા ભગીરથ પુરુષાર્થ કરેલ છે, જેમાંના ઘણા લખાણ સ્થળ સમયની અનુકૂળતા પ્રમાણે પ્રકાશિત પણ થયા છે, તેમાંનું મહત્વનું જ્ઞાન સંબંધી વિકૃત વિચારધારાને રદીયે આપનારૂં લખાણ (કે જે શ્રી સિદ્ધચક વર્ષ ૯ અં. ૫-૬માં પ્રકટ થયેલ, પણ અવાન્તર લખાણુરૂપે ત્યાં હેઈ તેમજ વ્યવસ્થિતરૂપે ન હોઈ અહીં તેનું પુન
શાસકાર મહારાજા શ્રીમાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે શ્રી અષ્ટકની રચનામાં જ્ઞાના શકમાં જણાવે છે કે
શાસ્ત્રોમાં દરેક સ્થળે સ્વરૂપ ભેદે જ્ઞાનના પાંચ ભેદે જણાવવામાં આવ્યા છે - ૧ મતિજ્ઞાન ૨ શ્રુતજ્ઞાન ૩ અવધિજ્ઞાન જ મન ૫ર્યવજ્ઞાન પ કેવલજ્ઞાન
ઈન્દ્રિ દ્વારા જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન, શબ્દદ્વારા વાચનું જે જ્ઞાન થાય તે કૃતજ્ઞાન, દર રહેલા રૂપી પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિયની મદદ વગરનું થાય તે અવધિજ્ઞાન, નજીક હેય કે દૂર હોય, પણ અન્યના ચિત્તમાંની વસ્તુ, વિચાર, ભાવના જેનાથી જાણી શકાય તે મન:પર્યવજ્ઞાન, કૂર હોય કે નજીક હેય સર્વ રૂપી–અરૂપી કાલેકના અને ત્રણ કાલના પદાર્થોને જેનાથી જાણ વામાં આવે તે કેવલજ્ઞાન, સ્વરૂપભેદે જ્ઞાનના આ મુજબ પાંચ ભેદે છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
પુસ્તક 8-જું
અહીં એક વાત સમજવા જેવી છે કે ચંદ્રમા રત્નનું માંડલું ધરાવે છે. પણ તે શા કામનું? જે ચીજ લેવડ-દેવડના ઉપયોગમાં ન આવે તે શા કામની? તે રત્નથી તે રૂપીએ સારે કે ઝટ કામ તે લાગે? જે કે રત્ન કરતાં રૂપીએ કિંમતી નથી, પરંતુ લેવડ– દેવડમાં રૂપીએ ઝટ ઉપગમાં આવે છે. લેવડ–દેવડ રૂપીઆની જ, છે, માટે રૂપીઓ મિતી
એટલે કે મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન એ કોઈને અપાતું નથી તેમ કોઈની પાસેથી લેવાતું નથી, વ્યાપારમાં પણ તે કામ લાગતું નથી લેવા-દેવામાં–વ્યાપારાદિ વ્યવહારમાં શ્રુતજ્ઞાન ઉપયોગી છે. શ્રુતજ્ઞાન મેળવવાના આઠ આચાર છે. * વિ Ts pવળે. કાલ, વિનય વગેરે આચારોને વિચાર થતજ્ઞાનને અંગે છે. મતિ આદિ બીજા જ્ઞાન માટે તે વિચાર કરવામાં આવ્યું નથી,
અહીં ખાસ મહત્ત્વની વાત એ કે બીજા જ્ઞાન મેળવવા માટે કંઈ વિશિષ્ટ વિધિ-વિધાન જરૂરી નથી, પણ શ્રુતજ્ઞાન માટે ઉપધાન કે ગવહન જેવી મહત્ત્વની પ્રકિયા છે, અર્થાત્ શ્રુતજ્ઞાન એટલું મહત્વનું કે તેને મેળવવા વિશિષ્ટ વિધિવિધાન જરૂરી ગણાય છે. વિધિ-વિનાનું કાર્ય વિધિસરનું ન કહેવાય. એક માણસનું કઈ કન્યા સાથે સગપણ થયું, પણ ઘેર લાવવા માટે તેની સાથે વિધિસર લગ્ન કરવું પડે છે. ઉપાડીને લાવે છે તે વિધિસર લગ્ન કહેવાય નહિ તેમ નવકારાદિ વિધિસર ત્યારે જ કહેવાય કે જ્યારે ઉપધાનાદિ વહીને શીખાય!
શ્રી સ્વામીજીને ઘેડીયામાં સૂતાં સૂતાં, સાધ્વીજી અભ્યાસ કરતાં બેલતાં હતાં તે સાંભળીને અગીયારે અંગ મેઢે થયાં હતાં, ગંભીર-આગમને આઠ વર્ષની ઉંમરમાં તૈયાર કર્યા હતા, છતાં ઉપાશ્રયે સ્થાવિર પાસે એકડે ઘુંટતા હતા અને બીજા ભણતા હેય ત્યાં ધ્યાન રાખતા. શાથી? નવા-જ્ઞાનની ઈચ્છાથી!.
એક દિવસ એવે પ્રસંગ બને છે કે-સાધુઓ ગોચરી ગયા છે. પછી આચાર્યજીને સ્થડિલની શંકા થઈ તેથી તેઓ સ્પંડિત
આ૩–૨
Page #98
--------------------------------------------------------------------------
________________
આગમત ગયા છે, બાલકની મને વૃત્તિ એકાંતમાં ખુલે છે, વાસ્વામીજી પિતાનું ગુરૂનું આસન તથા બીજાઓના આસને ગુરૂ-શિષ્ય બેઠા હોય તે રૂપમાં ગોઠવી પછી પ્રશ્ન-પરંપરા ચલાવે છે. અને ઉત્તર પણ પોતે જ આપે છે. પ્રશ્નો પણ મામૂલી નહિ! આચારાંગાદિના!
પહેલાં તે આચાર્યજીએ બહારથી તે સાંભળ્યું, નવાઈ પામ્યા કે “આ વજી ! એ હે ! આ તે અગિયારે અંગ ભણેલે છે!” પણ તે જણાવવા આચાર્યજીએ એક દિવસ બહારગામ જવાની ઈચ્છા પ્રગટ કરી અને જતી વખતે શિષ્યોને વેગ કરવા તથા વાચના શ્રી વજસ્વામીજી પાસે લેવા ફરમાવ્યું. શિષ્યએ કબૂલ રાખ્યું, શ્રીવજીસ્વામીએ સુંદર રીતે વાચના આપી, ભલે! દેખાવમાં નાના હતા પણ જ્ઞાનમાં તે અધિક જ મેટા જ) હતા, વાચના એવી તે સરસ આપી કે વાચના લેનાર શિષ્યના મનમાં એ વિચાર થયે કે ગુરૂજી બહારગામ બે દિવસ વધારે રહે તે ઠીક કે જેથી આમની વાચનાને લાભ મળે.
ગુરૂજી (આચાર્યશ્રી) તે તરત પાછા પધાર્યા, એમને બહાર ગામમાં બીજું કયું કામ હતું? માત્ર વાસ્વામીજીના જ્ઞાનને જાહેર કરવાની તક જવી હતી, ગુરૂએ શિષ્યને પૂછયું કેમ? વાચના ચાલી શિષ્યોએ કહ્યું-ગુરૂદેવ! શ્રેષ્ઠતમ ચાલી ! હવે તે અમારા એજ વાચનાચાર્ય થાઓ !!
આચાર્ય શ્રી સિંહગિરિજી ના કહેતાં જણાવે છે કે એ તે કાનચેરીઓ છે! જુઓ! વજીસ્વામીજી માટે કર્યો શબ્દ વાપર્યો ? વિધિ-સહિત જ્ઞાન સંપાદન નથી કર્યું, માટે તેમ કહ્યું છે, વાચનાચાર્ય થવા માટે ગાદિ કલ્પની જરૂર પડે અને તેથી શ્રી વજીસ્વામીજીને કલ્પથી ગવહન કરાવ્યા અને તેમને વાચનાચાર્ય તરીકે સ્થાપન ક્ય.
શ્રુતજ્ઞાન માટે જ ઉપધાન છે, મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન માટે ઉપધાન નથી, કૃતને અંગે અનિવપણું એટલે જે ગુરૂ પાસે જ્ઞાન લીધું હોય તેને ઓળવવા
Page #99
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જું નહિ, વ્યંજન=અક્ષર, અર્થ અને તદુભયને ભેદ તે સર્વ આચાર શ્રતજ્ઞાનને અંગે છે. છતાં તમે તેને જ્ઞાનાચાર કેમ કહે છે ? થતાચાર કેમ કહેતા નથી? કારણ કે “જ્ઞાન” શબ્દથી વ્યવહારમાં મુખ્યતાએ શ્રુત જ લેવાય છે, સ્વરૂપથી જ્ઞાનના મતિજ્ઞાનથી માંડી કેવલજ્ઞાન સુધી પાંચ ભેદ જણાવવામાં આવ્યા છે, પરંતુ આચારની પ્રક્રિયાએ તથા વિધિની અપેક્ષાએ જ્ઞાનને જ કૃતજ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન એ જ અર્થ સર્વત્ર સમર્થ છે.
શાસશબ્દ અનેક પ્રયોગમાં વપરાય છે, ચેરી, જુગાર આદિના કાયદાઓના ગ્રંથને શાસ્ત્ર કહેવામાં આવે છે. મતમતાંતરના ગ્રંથ પણ શાસ્ત્ર કહેવાય છે. તેમાં પણ કાયદા એટલે નિયમન તે હોય જ! જૈનદર્શન પણ શાસ્ત્ર વગરનું ન હોય. જૈનશાસનમાં જે જે શાસ્ત્ર છે, તે તે શાસ્ત્રોના જ્ઞાનને અંગે વિચાર કરવામાં આવે છે.
નાની ઉંમરને છેક નામું વાંચે, વંચાવે, કેના રૂપીઆ જમા? કોના ઉધાર? બધું વાંચી શકે, પણ કઈ આસામી સારી? કઈ આસામી નરસી? લાભ? શું તેટો? તે બધું તે સમજી શકો નથીઃ તેવી રીતે શીવાનીવા પુvo એ ગાથાઓ બોલે છે બધા, પણ બાલકની જેમ બેલાય ત્યાં સુધી સાર્થક નથી.
જીવ ચેતનવાળે જાણે, પણ શ્રીજિનેશ્વરદેવે કહ્યા મુજબ કેવલજ્ઞાનવાળે જાણ જોઈએ. જીવને સ્વભાવ કેવલજ્ઞાન છે એમ ન જાણે તે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે કયાંથી? અને પ્રયત્ન વિના પ્રાપ્તિ થાયજ કયાંથી? કેવલજ્ઞાન પિતાને સ્વભાવ છે એમ જ જાણે તે કયા કારણે તે પ્રાપ્ત નથી થતું? તે વિચારે, પછી કેવલજ્ઞાનને રોકવાવાળા કમેનેજ રેવા પ્રયત્ન કરે અને વળગેલાં કમેને તેડવા પ્રયત્ન કરે, તે કેવલજ્ઞાન મેળવી શકે. દીવે છે પણ દવે ગેખલામાં મૂકીને બારણું બંધ કરવામાં આવે તે છતે–દીવે પણ અજુવાળું આવે કયાંથી?
Page #100
--------------------------------------------------------------------------
________________
આગમજાત " કેવલજ્ઞાન એ જીવનું લક્ષણ છે ખરું, પણ તેને આડાં બારણું રૂપ. આવરણે લાગેલાં છે, તેથી તે પ્રકાશમાં આવતું નથી. ઘરમાં નવે નિધાન દટાયેલાં છે, સહુ ભાજી લાવવાની હાલ ખીસામાં પાઈ પણ નથી, તેનું શું? નવ નિધાનની ખબર પડે તે દેને! * શબ્દ સાંભળવું હોય તે કાનરૂપી દલાલ જોઈએ; તેમ સ્પર્શ, રસ, ઘાણ તથા રૂપને માટે પણ તે તે સ્પશદિ ઇદ્રિરૂપી દલાલેની સદા જરૂરિયાત રહે છે. ઇંદ્રિયેનું જ્ઞાન કેવલજ્ઞાનના અને તમાં ભાગે છે, છતાં જ્ઞાન મેળવવામાં ઇન્દ્રિયની એશીયાળ રાખવી
'! આશ્ચર્ય તે જુઓ ! કે આત્મા કેવલજ્ઞાનને સ્વામી છતાં સામાન્ય જ્ઞાન માટે પણ તેને ચક્ષુ, કામ, મસિકા, જીભ, ત્વચાદિ ઇદ્ધિની ગરજ સેવવી પડે છે. ઠાકુરને ચાકરના ચાકર બનવું પડે છે. નવવિધાન ઘરમાં દટાયેલાં) મજુદ છતાં શાકભાજી લાવવા પાઈ પૈસે પણ બીજા પાસે લાચારીથી માગ પડે છે, ઘરમાંજ નવે નિધાન છે, તે તેને કાઢવામાં કેણ ઢીલ કરે ?
તે રીતે સામાન્યજ્ઞાન માટે ઇન્દ્રિયની આટલી આટલી ગુલામી કરનાર આત્મા જાણે કે પતે તે કેવલજ્ઞાનને સ્વામી છે, ઇઢિયે તે પિતાના સેવકે છે, તે પછી તે ઇન્દ્રિયસેવકોની સેવા કરે? ન જ કરે! તરત જ કેવલજ્ઞાન મેળવવા કટિબદ્ધ થાય. . કેવલજ્ઞાન મેળવનાર, તેના વિનેને ટાળનાર, જગતને કેવલજ્ઞાન મેળવવાના ઉપાય બતાવનાર જે કઈ પણ હેય તે તે માત્ર ત્રિલેકનાથ દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાન છે. જીવમાં જીવન લાવનાર એજ દેવાધિદેવ છે? - - ઇઢિયે તે પુણ્ય કરે તેટલાં કામ કરી દે, પણ જ્યારે પુણ્યની મૂડી (આડત) ખલાસ થાય પછી કામ-જવાબ ન આપે. કેવલજ્ઞાન તે વગર આડતે કામ કરી આપે છે. કેવલજ્ઞાનથી કામની
Page #101
--------------------------------------------------------------------------
________________
પુનિક ૩-જુ પતાવટ સ્વતંત્રપણે થાય છે. કેવલજ્ઞાનીને પદાર્થ જેવામાં ઇદ્રિની . સહાયની જરૂર નથી.
કેવલજ્ઞાનવાળી દશામાં બે જ ચીજ! જેવાના પદાર્થો તથા જેનાર આત્માઃ ત્રીજી ચીજની જરૂર નથી. આવું કેવલજ્ઞાન પ્રથમ પોતે મેળવનાર, પછી બતાવનાર તથા મેળવી આપનાર ત્રિલેકનાથ દેવાધિદેવ શ્રી તીર્થ કર દેવ છે. સમ્યગ્દષ્ટિનું આવું જ્ઞાન તે પરિણતિજ્ઞાન છે. - જ્ઞાનાવરણીયદિ પાંચ ભેદ ભણીએ, ભણાવીએ, ગોખી જઈએ, પણ આત્મા સ્વયં કેવલજ્ઞાનમય છે, છતાં આ આવરણએ તે જ્ઞાનને રેકર્યું છે, તે આવરણે દૂર કરવાને સઢ ઉપાય બતાવનાર તીર્થના સ્થાપક, તીર્થનાયક શ્રી તીર્થકર દેવ છે. હૃદયમાં આ ભાવના દૂતી ભૂત થાય એટલે પરમ-તારક દેવાધિદેવની નિત્ય-પૂજા કરવાની અહર્નિશ ભાવના રહે.
શ્રી ભરત મહારાજાની કચેરીને દેખાવ જેઓએ ધ્યાનપૂર્વક અવલે કર્યો હોય તેઓ વિચારી શકે છે કે બે વધામણું સાથે આવે, છે, એક તે ચક્રરત્ન ઉત્પન્ન થયાની તથા બીજી શ્રી ષભદેવજી ભગવાનને કેવલજ્ઞાન પ્રાપ્ત થયાની, ચકરત્ન છ ખંડનું આધિપત્ય સિદ્ધ કરનાર છે. આપનાર છે, બાકીને તેર રત્નને તે લાવનાર છે, બત્રીશ મુકુટબદ્ધ રાજાઓને નમાવનાર છે, અને ભગવાન શ્રીકષભદેવજીને કેવલજ્ઞાનમાંથી તે પિતાને કંઈ મળવાનું નથી, ચક તે પિતાને મળ્યું-કેવલજ્ઞાન તે પ્રભુજીને મળેલું સાંભળ્યું, પણ વધામણીમાં કયા શ્રવણને ભરત મહારાજાએ મહત્ત્વ આપ્યું છે વિચારે !
ચક્ર દેવાધિષ્ઠિત છે, અપમાન થાય તે નવાજુની પણ થાય છતાં તેની અને દેવતાના ઉત્પાતની પણ દરકાર નહિં કરતાં ભગ વાનના કેવલજ્ઞાનને ઉત્સવ પહેલે કરે છે, ભગવાનને કેવલજ્ઞાન.
Page #102
--------------------------------------------------------------------------
________________
ગમત ઉત્પન્ન થયું હતું તે જતું રહેવાનું ન હતું, કેમકે તે આત્મીય વસ્તુ, સ્વ-સત્તાની ચીજ છે, જ્યારે ચકરત્ન દેવ પાસેથી આવેલું હવાથી ચાલી જવાનો સંભવ છે, છતાં પણ તે ચકને ઉત્સવ પછી, પણ પ્રભુજીને (પિતાજીને) ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનને ઉત્સવ પહેલે!
સુભટ શત્રુને જીતીને આવ્યાનું સાંભળીને વફાદારને આનંદ થાય, તેમ અહિં પણ મરચા માંડીને મેહની ઉપર ભવ્યાત્માએ સંપૂર્ણ વિજય મેળવ્યાનું સાંભળી કેને આનંદ ન થાય? જ્યાં ગુણ દેખાય ત્યાં આનંદ થાય, તેનું નામ સમ્યકત્વ આજે ચોથું વ્રત કઈ લે, કોઈ સામાયિક-પૌષધ કરે, કઈ પ્રતિ. કમણદિ આવશ્યક કરે, કોઈ ઉપધાન કરે, તે પણ તેને ગુણ જોવાનું મુશ્કેલ થઈ પડ્યું છે. સાધુપણાને કે કેવલજ્ઞાનને ગુણ પણ હૃદયમાં જચતું નથી.
શાસકાર મહર્ષિએ તે ફરમાવે છે કે ગુણાધિક પ્રત્યે બહુમાન ઉપજે ત્યારે સાચું સમ્યક્ત્ર કહેવાય! માને કે કોઈએ આપણાથી ઓછી તપશ્ચર્યા કરી તે “એહ! એમાં શું? એમ કરીને તેને ઉડાડી ન દેવાય, પણ તેનામાં તેટલી શક્તિ છે માટે તેટલે પણ તપ કરે છે તેમ વિચારવું.
કામદેવ શ્રાવકે દેવતાને ઉપસર્ગ સહન કરે છે, તેની પ્રશંસા કેવલજ્ઞાની–પ્રભુ ભગવાન મહાવીરદેવે પણ કરી છે. ભગવાને સુલસાની પણ પ્રશંસા કરી છે, તથા અંબડ પરિવ્રાજક સાથે તેને ધર્મલાભ કહેવરાવ્યા છે. કેવલજ્ઞાની ચેથા ગુણઠાણુવાળાની પણ પ્રશંસા કરે છે. કરી શકે છે.
જે સમ્યકૃત્વની જડ જાણે છે તે તે દરેક ગુણઠાણે રહેલા ગુણવાળાની પ્રશંસા કરે છે. ત્યાં ઊંચા દરજજાના ગુણઠાણવાળ નીચલા ગુણઠાણાવાળાની પ્રશંસા ન કરે એમ નથી.
Page #103
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
* ૧૫
સમ્યગ્દષ્ટિ દેવતાઓ પણ દાનગુણને લીધે મિથ્યાદષ્ટિના દાનની પ્રશંસા કરે છે. અહિં એક વાત ધ્યાનમાં રાખવી કે પ્રશંસાને લીધે પિલ ન પડે.
જેમ નજીકના ઘરમાં વેશ્યા રહેતી હોય તેની છોકરી સુવડપણથી રહેતી હોય, અને પિતાની છોકરી તેમ ન રહેતી હોય તે પિતાની છોકરીને સમજાવવા પેલી છોકરીની પ્રશંસા થાય ખરી, પણ કઈ રીતે? એમ બોલાય કેઃ “જે તે ખરી! આ જાતે વેશ્યા છે, છતાં કેટલી સુઘડ છે!”
સુઘડપણું બતાવતાં પહેલાંજ વેશ્યાપણું જણાવી દેવાય છે. મરીચીને વંદના કરતાં ભરતમહારાજા પણ આ રીતે બોલ્યા હતા કે: “મરીચિ ! હારા હાલના આ વેષને હું વંદન નથી કરતે, ભવિષ્યમાં તું તીર્થકર થવાને છે (આ વીશીમાં છેલ્લા તીર્થંકર થવાના છે, માટે તે અપેક્ષાએ તને વંદન કરું છું” અર્થાત ગુણની પ્રશંસા પણ જરૂરી અને સાવચેતી પણ જરૂરી છે.
પિતાના પિતાશ્રી ઋષભદેવજી ભગવાને મેહમલને સર્વથા જીતી આત્માના સ્વાભાવિક ગુણરૂપ કેવલજ્ઞાનને મેળવ્યું એ સાંભળી ભરત મહારાજાને પરમ આનંદ થાય તેમાં નવાઈ શી? ચકરત્નની પાપ્તિ કરતાં કેવલજ્ઞાનરૂપ રત્નની ઉત્પત્તિ મહિમાની કિંમત ભરતમહારાજાએ વધારે ગણીને?
છ ખંડ, નવ નિધાન, તથા બાકીનાં તેર રત્ન, (આથી વધારે સાહ્યબી કઈ કાલમાં હઈ શક્તી નથી તે) મેળવી આપનાર ચક્રરત્ન ઉત્પન્ન થયું છે છતાં પણ તેની વધામણના શ્રવણ તરફ લક્ષ્ય નથી, દુર્લક્ષ્ય છે. - હવે તમારી સ્થિતિ વિચારે! શ્રીજિનેશ્વરદેવની પૂજા કરવા જતા હે અને રસ્તામાં રૂપીઆની કે બે રૂપીઆની કમાણુ થતી હોય તે જતી કરે છે કે પાછા ફરો છે ? જ્યારે એટલામાં પાછા
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૬
આગમત ફરે છે તે રાજસદ્ધિને ધક્કો મારે તેટલી શક્તિ ક્યારે પ્રાપ્ત કરવાના ?
વિષયપ્રતિભાસજ્ઞાનથી ગાથાઓમાં જે પદાર્થો જણાય તેની કિંમત કરતાં શીખવાનું પરિણતિજ્ઞાનથી છે. ભારતમહારાજા ચક્રરત્ન માટેના ઉત્સવને પડતું મૂકી ભગવાનના કેવલજ્ઞાનના ઉત્સવને પ્રથમ સ્થાન આપે છે તેનું કારણ પરિણતિજ્ઞાન છે. ચક્રરત્નની પ્રાપ્તિ તે ઉપાધિરૂપ છે. એમ પતે સમજતા હતા. अयं अट्ठे अयं परमठे
सेसे अगढे આ ત્રણ પગથીયાં સમ્યત્વનાં છે.
જૈનશાસન ત્યાગમય જ હોય છે અને ત્યાગ તેજ અર્થ: આવી બુદ્ધિ ઉદ્ભવે કયારે? સંસાર અદ્ધપુદ્ગલપરાવર્ત બાકી હોય ત્યારે આ બુદ્ધિ જાગે નહિ તે આ બુદ્ધિ ઉત્પન્ન થઈ શકતી નથી. ' ધન જોઈએ, સ્ત્રી જોઈએ, કુટુંબ જોઈએ અને દેવ, ગુરૂ, ધર્મ પણ જોઈએઃ આ રીતે જેના હૃદયમાં “પણ જોઈએ” એ ભાવના છે, તેને સંસાર તે એક પુદ્ગલ પરાવર્તને સમજ, પણ દેવ, ગુરૂ, ધર્મ જ જોઈએ” આ ભાવના જેની હોય તેને સંસાર અદ્ધપુદ્ગલ-પરાવર્ત જેટલે સમજે.
દેવગુરૂ-ધર્મનું જ આરાધન કરવું જોઈએ, મોક્ષજ સાધ્ય છે, નિગ્રંથ પ્રવચન જ ઉપાદેય છે, આ ભાવના જાગે ત્યારે માનવું કે સંસાર વધારેમાં વધારે અદ્ધપુદ્ગલપરાવત બાકી છે. ઈષ્ટની સિદ્ધિ કરનાર દેવ, ગુરૂ અને ધર્મ જે બીજો કોઈ પદાર્થ ચૌદરાજકમાં નથી કે જેમાં અર્થપણું કે પરમાર્થ પણું હોઈ શકે. * ચારગતિરૂપ સંસારમાં ચયાશી લક્ષ છવાયેનિમ, અનાદિ. કાલથી આ જીવે રખડપટ્ટી શાથી કરી? આહાર, શરીર, ઇન્દ્રિય
Page #105
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩–જું અને શ્વાસોશ્વાસ આ ચાર એરટાએ અનાદિથી કાયમ પાછળ વળગેલા છે કે જે સંસારને પાર પામવા દેતા નથી.
કંચન, કામિની, કુટુંબ તે બહારના ચોરટાઓ છે. તે એરટાઓ ઉપર વિજય મેળવનાર, ચોરટાઓને ઓળખાવનાર તથા તેના ઉપર વિજય મેળવવાને ઉપાય બતાવનાર દેવાધિદેવ શ્રી તીર્થંકરદેવજ છે. દેવ ગુરૂ અને ધર્મ શિવાયની તમામ ચીજો અનર્થ કરનારી છે.
આવી બુદ્ધિ થાય ત્યારે ઉંચુ સમ્યકત્વ ગણાય અને ત્યારે જ ઉંચું પરિણતિજ્ઞાન કહેવાય.
આશ્રવ વખતે તથા બંધ વખતે દુઃખ થાય, સંવર તથા નિર્જરા વખતે આનંદ ઉત્પન્ન થાય ત્યારે સમજવું કે પરિણતિજ્ઞાન આવ્યું, નહિ કે આત્મા પારણુતિજ્ઞાનમાં આવ્યો.
8 સાધ્ય–સાધનશૂન્ય દેવને છે 8. ઉપદેશ નિષ્ફલ છે! 6.
[૨] જેવા દેવ હોય તેવા ગુરૂ હોય અને તે ધર્મ હોય!
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે અષ્ટક પ્રકરણ રચતા થકા ફરમાવે છે કે દરેક આસ્તિકમતવાળા દેવ, ગુરૂ તથા ધર્મ એ ત્રણ તને માને છે. આ ત્રણ ત માનવાને ઈન્કાર કરે અર્થાત્ દેવ, ગુરૂ તથા ધર્મતની લેજના ન હોય એવું કઈપણ આસ્તિક દર્શન નથી.
તેમાં ગુરૂતત્વ તથા ધર્મતત્વને આધાર દેવતત્વ ઉપર રહેલે છે. જેવા દેવ તેવા ગુરૂ તથા તેજ ધર્મ. જે દર્શનમાં દેવતત્વ લીલાપ્રધાન હોય તે દર્શનમાં ગુરૂ તથા ધર્મનું ધ્યેય લીલાનું જ હોય છે અથવા તે ધર્મના આધારે દેવ તથા ગુરૂ કયા ધ્યેય છે? કયા સ્વરૂપના છે?
Page #106
--------------------------------------------------------------------------
________________
| આત્મહિતકર દેવ-ગુરૂનું સ્વરૂપ છે
સં.]
[પૂ. આગમૈદંપર્યજ્ઞાતા, પ્રવચનિક-શિરોમણિ, પૂજ્યપાદ આગમ દ્ધારક આચાર્યદેવશ્રીએ પિતાની લાક્ષણિક શૈલીથી દેવ-ગુરૂનું અદ્ભુત તાત્વિક સ્વરૂપ ટૂંકમાં આ નિબંધમાં સમજાવેલ છે, વિવેકી વાચકોએ -સમજણ પૂર્વક આ નિબંધ વાંચી તત્વદૃષ્ટિ કેળવવી જરૂરી છે.
શાસકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે શ્રી અષ્ટક પ્રકરણ રચતા થકા ફરમાવે છે કે
દરેક આસ્તિકમતવાળા દેવ, ગુરૂ તથા ધર્મ એ ત્રણ તને માને છે. આ ત્રણ ત માનવાને ઈન્કાર કરે અથત દેવ, ગુરૂ તથા ધર્મતની યોજના ન હોય એવું કેઈપણ આસ્તિક દર્શન નથી,
તેમાં ગુરૂતત્વ તથા ધર્મતત્વને આધાર દેવતત્વ ઉપર રહેલો છે. જેવા દેવ તેવા ગુરૂ, તથા તેજ ધર્મ ! જે દર્શનમાં દેવતત્વ લીલાપ્રધાન હેય તે દર્શનમાં ગુરૂ તથા ધર્મનું ધ્યેય લીલાનું જ હોય છે. અથવા તે ધર્મના આધારે દેવ તથા ગુરૂ ક્યા પેયના. છે? કયા સ્વરૂપના છે? તે જાણી શકાય.
ધર્મને ઓળંગીને ગુણે ફવિચિત જ હોઈ શકે. જેમાં માંસ ખાવાની છૂટ છે, હલાલ કરવાની છૂટ છે, તેઓમાં જેવા ખૂનના ખના બને છે તેવા બનાવે બીજા ધર્મવાળાઓમાં નથી બનતા. જેમાં દારૂબંધી નથી તેઓમાં જે છાકટાપણું દેખાય છે, તે બીજામાં દેખાતું નથી. જે ધર્મ મનાતે હોય તે મુજબ પવિત્ર કે અપવિત્ર વર્તન હોય છે. ગુન્હાઓ પણ તેવા તેવા ધર્મોને આભારી છે. ગુન્હાઓમાં ધર્મોની છાયા આવી જાય છે,
Page #107
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
કેટમાં “ઈશ્વરને હાજર જાણીને બેલે,” એવી પ્રતિજ્ઞા એટલા જ માટે લેવરાવવામાં આવે છે કે ગુન્હેગાર થનાર મનુષ્ય કઈ પણ ધર્મને માનનારે હેઈ તેનામાં તેની છાયા હોય છે. નહિં તે આવી પ્રતિજ્ઞા લેવરાવવાને વખત રહે જ નહિ, તેમજ તેવી પ્રતિજ્ઞાને કંઈ અર્થ રહેતું નથી.
આથી એ સિદ્ધ છે કે જેવા દેવ હોય તેવા ગુરૂ અને ધર્મ હેય. દેવે જે સાધ્ય બતાવ્યું હોય. તે સાધ્ય દેવે સિદ્ધ કરેલું હોવું જોઈએ, નહિ તે ભક્તગણની પ્રીતિ થઈ શકે નહિ. ગુરૂ પણ તે સાધ્યની સિદ્ધિમાં પ્રયત્નશીલ હોય તે જ તે પછી લેકેને તેને ઉપદેશ આપી શકે, પોતે જે સાધનને અમલ કર્યો હોય તે સાધન દુનિયાને સમજાવી શકાય. ખુદ દેવ જે સાધ્યના સાધનથી શૂન્ય હેય તે અન્યને ઉપદેશ કેવી રીતે આપશે?
ડાહી સાસરે જાય નહિં અને ગાંડીને સાસરે જવા શિખામણ છે તે તે શિખામણને કંઈ અર્થ નથી, તે પછી સાધ્યને ચૂકેલા તથા સાધનથી બહાર ગયેલા એવા દેવના ઉપદેશને જગતમાં માને કેણુ? ટીપ ભરવા કોઈ પાસે જાઓ તે તેમાં સામે ગૃહસ્થ પૈસા કયારે ભરશે? એ ટીપમાં પ્રથમ તમે ભર્યા હશે તે જ ભરશે. એક ટીપ જેવી બાબતમાં પણ પ્રથમ પતે ભર્યા પછી જ બીજાને કહી શકાય છે, તે પછી આત્મ-કલ્યાણના માર્ગમાં પિતે તેને અમલમાં મૂક્યા વિના બીજાને કહેવા જાય તે શી દશા થાય?
મસાલચી બીજાને અજવાળું કરે, પિતાને તે અંધારામાં ચાલવાનું રાખે, તેમ કલિકાલના કેવિદો પણ મસાલચીની માફક બીજાને માત્ર અજવાળું કરનાર છે. પિતે અંધારામાં જાય છે, અર્થાત પિતે કરવું કરાવવું કાંઈ નહિં, અન્યને ઉપદેશ આપવા? સભામાં વાતે મટી મેટી કરે, લાંબાલચ લેખ લખે, પણ પિતાને અંગે વર્તનમાં લેવાદેવા કાંઈ નહિ! આવાઓને માને કે કેવલ
Page #108
--------------------------------------------------------------------------
________________
૨૦
આગમજ્યોત : અન્યને જે કરવાને ઉપદેશ અપાય તેને અમલ કરનાર પ્રથમ ઉપદેશક તે હવે જોઈએ. જો ઝટવાર્થ થાવારં ત કુને જેવી રીતે પ્રરૂપણા કરે તે પ્રમાણે જે ચાલે નહિ એનાથી મેટો મિથ્યાદિષ્ટ જગતમાં બીજે કઈ નથી. એને ઉત્કૃષ્ટ મિથ્યાદષ્ટિ ગણવે. ખરેખરે મિથ્યાષ્ટિ એ જ! આમ શાસ્ત્રકારે પણ ફરમાવે છે.
કરોડની કિંમતના હીરાનેકેડીના મૂલ્યમાં ફગાવનાર ઝવેરી જ ખરે ગમાર છે.
કોઈ ગમાર હોય તે કરોડની કિંમતના હીરાને કેડીમાં આપી દે તે તેને તે મૂર્ખ કે ગમાર ન કહેવાય, કેમ કે ગમાર તે એ છે જઃ એ તે કદી એ કિંમતે ન પણ આપે તે ગમાર જ છે, પણ ઝવેરી જે એ રીતે કરોડની કિંમતને હીરો કેડીના મૂલ્યમાં ફિગાવી દે તે તે ઉત્કૃષ્ટ ગમાર છે. | ગમારમાં અને ઝવેરીમાં ફરક કી ગમારને કહેવાનું નહિ કેમ કે એ તે બિચારે છે જ ગમાર!
એક રજપૂત ચાલે જ હતું, તેને ગધેડાએ લાત મારી. રજપૂતે પાછળ જોઈને કહ્યું કે-લાત મારનાર જે ઘડે હેત તે તે એને ગધેડે કહેત, પણ આને વધારે શું કહેવું ? જે કહેવું છે તે તે પોતે જ છે. લાત ન મારે તે પણ એ તે ગધેડે જ છે.
તેમ હીરે કડીમાં આપે કે ન આપે તે પણ ગમાર તે ગમાર જ છે, જ્યારે ઝવેરી ગણનારો ગમારની જેમ કિંમતી હીરાને કેડીના મૂલ્યને બનાવે ત્યારે તે વધારે માટે ગમાર બની ઠપકાને પાત્ર છે.
ચાલતાં ચાલતાં આંધળે માણસ ખાડામાં પડે તે તેની હાસી નથી થતી, ઉલટી દયા આવે છે. “બિચારે પડી ગયે” એમ એલવામાં આવે છે, અને દયાળુઓ એને ઊભું કરીને દોરે પણ છે
Page #109
--------------------------------------------------------------------------
________________
૨૧
:
,
,
પુસ્તક ૩-જુ પણ દેખતે ઠોકર ખાય, થાંભલે અથડાય કે ખાડામાં પડે તે તાળી પીટાય છે લેકે એને બેભાન, બેહોશ કહે છે, દેખતે નહોતે?” એમ ઠપકે દે છે.
તાત્પર્ય કે–એ દેખતે હતે, તેથી તેને મોટો આંધળે કે ખરે આંધળે એમ ગણાય છે. જેઓ મિથ્યાદિષ્ટિ છે, તત્વ જાણતા નથી તથા બોલતા નથી, તેઓ તે સ્વાભાવિક આંધળા છે, દયાપાત્ર છે, પણ જેઓ માર્ગને જાણે છે, સમજે છે, કહે છે, પ્રરૂપણ કરે છે, તેઓ પોતે જ્યારે માર્ગથી વિમુખ ચાલે ત્યારે તે ઉપાલંભને મેગ્ય. છે. એવાઓની જગતુ હાંસી કરે તેમાં નવાઈ શી !
જેઓ બિચારા જૈનદર્શનને પામ્યા નથી, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મેક્ષ વગેરે તની જહેમને ગતાગમ નથી, તેવાઓ, અવળા ચાલે એ દયાપાત્ર છે, પણ શ્રીજૈનદર્શન પામીને જેઓએ આ ત સાંભળ્યા છે, જાણ્યા છે, માન્યા છે, અને નિરૂપણ પણ. જેએ આ તત્ત્વનું કરી રહ્યા છે, તેઓ પ્રસંગ હોય તે અને કામ પડે તે આજ તત્ત્વનું સત્યાનાશ વાળે, તેવાઓ તે ખરેખર મિથ્યાષ્ટિના સરદાર ગણાય. જે જેવું બેલે તે તેવું કરે નહિં તે તેના કરતાં બીજો અધિક મિથ્યાદષ્ટિ કયાં ? એજ ઉત્કૃષ્ટ મિથ્યાદષ્ટિ ! શ્રોતાને પ્રથમ ઉપદેશ કર્યો આપો? * આ માર્ગ કેણ બતાવે ! જેઓ માર્ગમાં ચાલેલા હોય તે. તેથી જ શાસ્ત્રકારેએ કહ્યું છે કે, “ f=ાળાનત્તો ધર્મના અસલ ઉત્પાદક, પ્રથમ પ્રરૂપક કેવલજ્ઞાની ભગવાન શ્રીતીર્થ કરદેવ ! . એ દેવાધિદેવે પ્રરૂપેલે, જગના એકાંત કલ્યાણને માટે જાહેર કરેલ ધર્મ કહે કેણ? ગીતાર્થ સાધુઓ! ગીતાર્થ ત્યાગી મુનિમહાત્માઓ.
Page #110
--------------------------------------------------------------------------
________________
આગમત શું બીજાને દેશના દેતાં ન આવડે? બીજાઓને શબ્દોનું જ્ઞાન નથી ! તે પછી નિષેધ કેમ! અવિરતિને તથા અગીતાર્થને દેશનાને નિષેધ શા માટે!
તમે સમજી શકશે કે ધર્મની દેશના દેતાં દેશના કઈ દેવી! છકાયની દયાની કે ત્રસકાયની દયાની ! સર્વથા મૃષાવાદપરિહારની કે સ્થૂલ મૃષાવાદપરિહારની! સર્વથા ચેરીના ત્યાગની કે મહેટી ચોરીના ત્યાગની ! સર્વથા બ્રહ્મચર્યની કે સ્થૂલથી બ્રહ્મચર્યની! સર્વથા પરિગ્રહના ત્યાગની કે ઈચ્છા બહારના ત્યાગની !
તમે કદાચ કહેશે કે જે શ્રોતા (સાંભળનાર) તેવી દેશના દેવી: સમ્યકત્વને લાયક હોય તે સમ્યક્ત્વની, એથી અધિક દેશવિરતિને લાયક હોય તે દેશવિરતિની, સર્વવિરતિને લાયક હોય તે સર્વવિરતિની તથા સમ્યક્ત્વનેય યોગ્ય ન લાગે તે યોગ્યતાનુસાર માર્ગનુસારીપણાના ગુણોની પણ દેશના દેવી.
પ્રથમ મુદ્દો એ છે કે પહેલ-વહેલે શ્રોતા કઈ ઈચ્છા રાખે ? એ કાંઈ ન સમજતે હોય તે સાધ્યબિન્દુ તરીકે પ્રથમ કઈ ઇચ્છા નકકી કરાવવી? પ્રથમ શું કરાવવું? અભક્ષ્યાદિ ત્યાગ કરાવવા કે સમ્યકત્વ ઉચ્ચરાવવું કે દેશવિરતિ ઉચ્ચરાવવી કે સંયમનું સ્વરૂપ કહેવું? ધર્મ સાંભળનાર માટે કલ્યાણને રસ્તે ક ગણવો જોઈએ? શ્રોતાને ઉદ્દેશ સર્વથા પાપથી બચવાને હવે જોઈએ અને ઉપદેશકે પણ પ્રથમ સર્વથા પાપથી બચવાને ઉપદેશ દેવું જોઇએ. ધ્યેય ઉભયનું ત્યાગનું જ હોવું જઈએ. કેમ કે એ વિના પાપને સર્વથા બચાવ છે જ નહિ.
પ્રવૃત્તિમાં ભલે ફરક હેય, પણ દયેયમાં ફરક ન જોઈએ. દર્દીનું આટલું દર્દ રહે તે ઠીક એવું કોઈ પણ વૈદ્ય, હકીમ કે ડોકટર ઈએ નહિ, તે પછી ભવ્ય જીના વૈદ્ય, ડાકટર કે હકીમ જે કહે તે આ ગુરૂ છે, એ આ જીવમાં આટલું પાપ રહે તે ઠીક, એમ કેમ વિચારી શકે? દદી દવા લેવામાં કંટાળે,
Page #111
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જું થેડી લે અને તે કારણે રેગ રહી જાય તેમાં વૈદ્ય, ડાકટર કે હકીમને ઉપાય નથી. એ જ રીતે અહીં પણ શ્રી તીર્થંકરદેવ, શ્રી ગણધરમહારાજ, શ્રી આચાર્ય ભગવંતે, ઉપાધ્યાયજી કે મુનિમહારાજ કેઈપણ હે, શ્રોતાને પ્રથમ તે સર્વથા પાપના નાશને જ ઉપદેશ દે. શ્રોતા કાયર હોય કે કમ-અકકલવાળે હેય, અને થોડું ગ્રહણ કરે તે પેલા કાયર રેગીની જેમ આ પણ કમરૂપી ઉપાધિથી સર્વથા મુક્ત ન થાય એ દેખીતું છે.
કેટલાક વકીલે એવા હોય છે કે લવાદમાં પડે. ત્યારે એવી ગૂંચ નાખે કે તે વખતે તે દેખાતું સમાધાન થઈ જાય, પણ ભવિધ્યમાં પિતાને આંગણે પેલાઓને આંટા ખાવા પડે. કેટલાક વૈદ ડાકટર પણ એવા હોય છે કે જે વ્યાધિને ઉપરથી દબાવે, પણ અંદરથી જડમૂળથી કાઢે નહિ. એ જ રીતે જે ઉપદેશકે પાપને સર્વથા ત્યાગ ન કરાવે, માત્ર મેટા મોટા પાપના ત્યાગને ઉપદેશ આપે તે પેલા આંટીઘૂંટી નાખનાર વકીલ જેવા કે વ્યાધિને નિમૂળ ન કરનાર વૈદ-ડોકટર જેવા સમજવા, માટે શ્રી જિનેશ્વરદેવના પવિત્ર શાસનને સિદ્ધાંત તે એ જ કે પહેલ વહેલાં સર્વ પાપને ત્યાગ કરાવવાને જ પ્રયત્ન કર. અથપત્તિથી દોષ કયાં અને કયારે લાગે? તથા ક્યારે ન લાગે?
જેમ વૈદ્ય ડોકટર પ્રથમ સારામાં સારૂં ઔષધ બતાવે, ગ્ય પરહેજી તથા અનુપાનપૂર્વક તે લેવાની સલાહ આપે, પણ રેગી કાયર થાય, વૈદ્યના કથનને અનુસારે ઔષધ પૂરેપૂરૂં લઈ શકે નહિ, પરહેજી પાળવામાં ઢીલ થાય અને તેથી રેગ બરાબર ન મટે, તેમાં કાંઈ વૈદ્ય ડોકટર જવાબદાર નથી.
તેવી જ રીતે ત્યાગ ઉપદેશક-ગીતાર્થ ઉપદેશક પ્રથમ ઉપદેશ તે સર્વથા પાપના નાશને જ આપે, છતાં શ્રોતાને પૈસા–ટકાને,
Page #112
--------------------------------------------------------------------------
________________
આગમત
માલ-મીક્તને, ધન-ધાન્યને, બાયડી-છોકરાંને, કાયાને તથા માયાને મેહ આડે આવે, ત્યાં ઉપદેશકને ઉપાય નથી.
- જેમને સૂત્રનાં બત્રીશ દૂષણો ધ્યાનમાં હશે તે જાણી શકે કે અર્થપત્તિએ દોષવાળું વાકય સૂત્રકારનું હોય નહિં. એને અંગે દષ્ટાંત છે. “બ્રાહ્મણો ન હૃતિ ' બ્રાહ્મણને ન મારે.” એને અર્થ થે થયે? આમાં બ્રાહ્વણની હત્યાનું નિવારણ કરી પણ તેથી અર્થપત્તિએ ત્રણ વર્ણને મારવાની રજા આપી એમ સાબીત થાય છે તેથી તેવા વાક્યને અર્થપત્તિ-દેષે દુષ્ટ ગણ્યું છે. - સની દયા પાલો, માત્ર આટલા ઉપદેશમાં બીજા બધાને છૂટ મળી એ અર્થપત્તિદોષ છે. ત્રસજીવને ન મારવા, મેટું જાડું ન બોલવું, મોટી ચોરી ન કરવી, પરસ્ત્રીગમન ન કરવું તથા અપરિમિત પરિગ્રહ ન રાખવે, આ ઉપદેશ જે પ્રથમ જ દેવામાં આવે તે સ્થાવરની હિંસાની, સૂક્ષમ મૃષાવાદની, સૂક્ષ્મ ચેરીની, સ્વસ્ત્રીગમનની, તથા ઇરછાનુસાર પરિગ્રહ રાખવાની છુટ અપાતી હોઈ, એ ઉપદેશ અથપત્તિદોષે દુષ્ટ ગણાય.
શાસ્ત્રકારે તે બત્રીશ દોષ રહિત સૂત્ર કહેનારા હોય છે. પાપ પ્રત્યે અરૂચી અરધી હોય અને અરધી ન હોય એવું એમનું વાકય હેય નહિં. સર્વથા પાપના ત્યાગની વાત સાંભળવાની કેઈને અરૂચિ હેય, કદાચ કેઈને સર્વથા પાપને ત્યાગ રૂચ ન હોય તે તેમનામાં સર્વથા પાપના ત્યાગની રૂચિ જગાવવી જ જોઈએ. આવડતું ન હોય તે તે શીખવવાનું કર્તવ્ય છે. દેશથી પાપને ત્યાગ તમે માન્ય છે એટલે તેમાં સમજાવવાની જરૂર નથી, સર્વથા પાપના ત્યાગની વાત જે સમજવામાં નથી આવતી અને સમજાવવાની, શીખ વવાની અને ઠસાવવાની જરૂર છે. - - સાધુ સર્વપાપથી નિવૃત્તિને ઉપદેશ પ્રથમ આપે-હવે છેતાની એટલી શક્તિ ન હોય તે પછી તેને ત્રસકાયની દયા પાળવાનું
Page #113
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જી
૨૫
વગેરે કહી ઉતરતા ક્રમની વાત કરવામાં આવે તે પછી અપત્તિ ઢાષ લાગતા નથી.
કદાગ્રહના પરિણામે તે દિગમ્બર બનવુ' પડયું ! પ્રશ્ન-પગથીયે ચઢતાં ચઢાયને ? અભ્યાસમાં પણ ધેારણસર ચઢાય છે.
સમાધાન-અહિં ધારણના ક્રમ છે? જો તેવા ક્રમ હાય તે પછી દેશવિરતિ સિવાય સÖવિરતિ કાઇ પામે જ નહિ. દેશવિરતિધમ સવિરતિ પાલનના અસમર્થાં માટે છે. ઉપદેશ તા સંપૂર્ણ પાપને ત્યાગ સમજાવવા માટે છે. સ પાપને પાપ માને, સર્વ પાપ ત્યાગની જરૂરિયાત સ્વીકારે ત્યાંજ સમ્યક્ત્વ છે.
શું માત્ર અષ્ટપ્રવચનમાતાના જ્ઞાનવાળાને કેવલજ્ઞાન નહિ થાય ? શું ચૌદપૂર્વી થાય, અવધિ-મન:પર્યં વવાલા થાય પછી જ કેવલ હાય એમ છે ? અહિં કમના ક્ષયાપથમ ક્રમિક નથી. જો દવાય. ન કુળરૂ એ દેશના કેવલી ભગવાન્ કે સર્વ પાપથી નિયતેલા સાધુઓજ દે. દેશના દેનાર પોતે આચરેલું કથન કરે છે માટે તેમની દેશનાના શ્રોતાને તે કદાચ કરવા જેટલી અસર નહિ પણ કરે, તેાયે શ્રદ્ધા તા જરૂર કરશે. પેાતે મ્હામાં પાન ચાવી રહ્યો હાય અને ખીજાને લીધેાતરીના ત્યાગના ઉપદેશ આપે તેની શી અસર થાય?
ઉપદેશકોએ પ્રથમ પાપની નિવૃત્તિ કરવીજ જોઈ એ. પાપથી નિવૃત્ત થયા વિના ઉપદેશ દેનાર જેવા મિથ્યાર્દષ્ટિ કોઈ નથી. પહેલવહેલા જેણે ધમ કહ્યો હશે તેને ધર્મના ઉંચામાં ઉંચા માળે રહે વુજ પડયુ. હશે, નહિ તે કી પણ બીજાને ઉપદેશ કરી શકે નહી.
અમે તે હજી મચાવ કરી શકીએ કે વ તમે પણ મુસાફ્ર છે અને અમે પણ મુસાફર છીએ.' ફક્ત એક ડગલુ આગળ છીએ
241. 3-3
Page #114
--------------------------------------------------------------------------
________________
ર૬
'આગમત એટલે જ ફરક છે. અમે ક્ષીણમાહી નથી. ક્ષીણમેહી શ્રી તીર્થંકરદેવે છે, તેમણે કહેજ ધર્મ અમે તે કહીએ છીએ. અમારી મેળે અમે ધર્મ કહેતા નથી. અમે પણ સાધક છીએ. આટલું પણ અમારે માટે તે બચાવનું બારું છે. પણ દે પિતે અમારી માફક કહી દે કે-“હું પણ સાધક છું તે?” તે તે પછી બધા અખતરામાં રહ્યાને! એકકેય સિદ્ધપ્રયોગવાળે ખરે? દેવે તે સિદ્ધપગવાળા થઈનેજ ઉપદેશ દેવાય.
શ્વેતાંબરની માન્યતામાં મેક્ષની અટકાયત નથી,
આજે તે સાધુ થોડાક જ્ઞાન માત્રથી પાટે ચઢી બેસે છે. શ્રીતીય કરદેવ પ્રથમથી (માતાના ગર્ભમાંથી) ત્રણ જ્ઞાનવાળા હતા, દીક્ષાથી (દીક્ષા લીધા બાદ છેડાજ સમયથી) ચાર જ્ઞાનવાળા હતા, છતાં ઉપદેશ આપતા નહેતા, એનું કારણ? એમને કેવલજ્ઞાન થયા વગર ઉપદેશ દેવાને નથી.
દિગમ્બરો કહે છે ભગવાને કર્યું તેમ કરીએ. અશક્ત હોય તે શક્તિવાળાની માફક કરવા જાય તે શી દશા થાય? નિરોગી દવા ન લે તે જોઈ રેગી પણ દવા ન લે તે કહેકે રીબાયા કરે.
શ્રીતીર્થકરે વસ્ત્ર ન રાખ્યું માટે અમે પણ નહિં રાખીએ એવા કદાગ્રહમાં દિગમ્બરને આખે મત સ્થાપ પડ્યો. પરિણામે સાધ્વી ન મનાયાં. તીર્થકરને આહાર ન માન્ય માટે પાત્ર તથા ગોચરી પણ ઉડાડવાં પડ્યાં. અન્યલિંગ, ગૃહીલિંગે સિદ્ધ પણ ન મનાયા. રસીને અને વસ્ત્રના સંબંધવાળાને કેવલજ્ઞાન, મેક્ષ ન માન્યાં. તેથી એને લગતાં તમામ સાધ્ય સાધને રદ કરવાં પડયાં. ભગવાનના અંગે પણ છબરડે વાળે.
જગતમાં મનુષ્ય કે જનાવર કોઈપણ આંખવાળી જાત જુઓ તે તેનું શરીર કરતાં આંખને રંગ જુદે જ હોય છે. જે પુતળાં તરીકે ન હોય તે આંખને રંગ તે જુદો જ હોય. ભગવાનની મૂર્તિ
Page #115
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ હોય પણ પુતળાનું અનુકરણ ન હોય તે આંખજુદા રંગની હેવી જ જોઈએ.
અહિં તત્વ માત્ર આંખને રંગ જુદો જ હું જોઈએ, એટલું છે. કંઈ લાગવું ન જોઈએ એવા કદાગ્રહને લીધે ભગવાનની મૂર્તિની આંખ પણ ઉડાડી. સાધ્વીપણું, સ્ત્રીને કેવલજ્ઞાન, તીર્થકરને આહાર અને તેમનાં ચક્ષુઓ આ બધું માત્ર ગત વસ્ત્રપણાના (દિગંબરપણાના) કદાગ્રહ માટે છોડવું પડે છે.
વેતાંબરેએ એવી માન્યતા રાખી જ નથી કે વસ્ત્ર વગર ક્ષે ન જવાય. બંને એમની તે માન્યતા છે. શક્તિવાળ વ ન રાખે તે મેક્ષ અટકતું નથી, તથા શક્તિ વગરને જીવ વસ રાખે તે પણ મેક્ષ અટકતું નથી.
દિગંબરેએ કદાગ્રહના કારણે જ તે બંધ કર્યો છે.
જિનકલ્પીની સ્થિતિ કઈ? આજે ગોચરી ગયા, શુદ્ધ આહાર ન મળે તે પાછા આવે, તે છ માસ સુધી એથે પહેરી બેસે ત્યારે પગ જ્યાં હોય ત્યાં જ રાખે, કાંટામાં તે કાંટામાં, બીજે દિવસે બાર વાગ્યા (મધ્યાન્હ) સુધી એ સ્થિતિ. સમય પણ સમરણશક્તિથી અવલકવાને છે. કાર્યોત્સર્ગ બીજા દિવસે બીજે પહેરે પારે.
જંગલ ગયા હોય, શુદ્ધ જગ્યા ન મળે, તે ફરી, એમ કરતાં શુદ્ધ જગ્યા મળે ત્યારે છ માસે જાય. છ માસ સુધી તે દસ્તને પણ તેઓ રોકી શકે. એ સામર્થ્ય ધરાવનારજ જિનકલ્પી થઈ શકે છે.
જિનકલ્પીપણની વાત કરનારાએ એ દશા, એ સામર્થ્ય, સમજવાં જોઈએ. અપ્રમાદીપણું અને અપ્રમત્ત ગુણસ્થાનક એ બે વસ્તુ જુદી છે.
વળી જિનકલ્પી કે છઘસ્થ એવા તીર્થંકર નથી તે ઉપદેશ દેતા અને નથી તે દીક્ષા વગેરે આપતા, માટે જિનકલ્પપણું અને
Page #116
--------------------------------------------------------------------------
________________
૨૮
આગમત
શ્રીજિનેશ્વરનું અનુકરણ ધરનાર દિગંબરોએ ઉપદેશ દેવાનું અને દીક્ષા દેવાનું બંધ કરવું જોઈએ.
કોઈને શંકા થાય કે જ્યારે શ્રીતીર્થંકરદેવ કેવલજ્ઞાન પામ્યા પહેલાં ઉપદેશ દેતા નથી, શિષ્ય કરતા નથી, તે બીજા સાધુઓ ઉપદેશ દે છે તથા શિષ્ય કરે છે એનું શું કારણ? શું સાધુઓને ફાવતું કરવું છે? શાસનને ઉથલાવવું છે? ના! આ શંકા બેટી છે.
શ્રીતીર્થંકરદેવ સાધકપણામાં રહી સિદ્ધપણું મેળવે ત્યારેજ ઉપદેશ આપે, પહેલ વહેલા સાધક અને સિદ્ધ બનનાર શ્રીતીર્થકર ભગવાન જ છે. પ્રથમ સાધક બને, પ્રથમ સિદ્ધ બને, પછી સાધકપણે સિદ્ધ પણે અન્યને લાવવા પ્રયત્ન કરે તે દેવાધિદેવ કેવલ શ્રીતીર્થકર ભગવાનજ!
જન શાસનમાં પ્રથમ સાધક સિદ્ધ હેય તે દેવાધિ દેવજ છે. ગુરૂની તથા ધર્મની સ્થિતિ દેવની પછીની છે.
હું
ચારિત્રની મહત્તા છે
[ વિ. સં. ૧૯૮૪ માં શ્રી નવપદ આરાધક સમાજ હસ્તે અમદાવાદમાં થયેલ ચિત્રી એળીની સામુદાયિક આરાધના પ્રસંગે પૂજ્યપાદ આગમપ્રજ્ઞ આગમવાચના દાતા બહુશ્રુત સૂરિ પુરંદર આગમેદ્વારક આચાર્ય દેવશ્રીએ વિદ્યાશાળા (અમદાવાદ)માં આરાધના ભાલ્લાસ વર્ધક હૃદયંગમ નવે પદ ઉપર ટૂંકા પણ માર્મિક દૈનિક પ્રવચને એળીમાં આપેલ, તેમને ઉતારો અસ્ત-વ્યસ્ત દશામાં જુના વ્યાખ્યાન સંગ્રહમાંથી મળી આવેલ, તે વ્યવસ્થિત કરી અહીં જિજ્ઞાસુઓને લાભાર્થે રજૂ કર્યો છે સં.]
Page #117
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જું
૨૯સિદ્ધચક્ર મહારાજના વિવેચનને અંગે નવપદમાં પ્રથમના પાંચ પદો ગુણને જણાવનારા છે. ગુણીની માન્યતા જો કે ગુણ દ્વારા જ છે. છતાં ગુણ સ્વતંત્ર રહેવાવાળી ચીજ નથી, માટે ગુણની આરાધનાની ઈચ્છાવાળા જીવેએ ગુણીનું આરાધન કરવું જ જોઈએ,
દર્શનાદિ ચીજ કઈ જગતમાં મૂર્તિ રૂપે નથી. વળી તે ચીજ ગુણ સિવાય હોય પણ નહીં, જગતમાં પણ ધોળ, કાળે ઈત્યાદિ ગુણે દ્રવ્યવિના હોતા નથી. તેથી દ્રવ્ય વિના ગુણે અહીં પણ નથી તેમ સમજવું.
આ આત્મિક ગુણે માનેલા છે. પૌગલિક ગુણ જેમ દ્રવ્ય વિના ન હોય તેમ આત્મિક ગુણે પણ આત્મા સિવાય ન સંભવે, આત્માને ઉદ્ધાર પણ સમ્યગ્ર દર્શનાદિ ગુણોથી જ થાય છે. કોઈ કાળે કઈપણ જીવ આ ચારના આલંબન વિના આત્માને ઉદ્ધાર કરી શકતું નથી માટે એ ચારને આરાધ્ય ગણવા જોઈએ.
જેમ મેતીમાં તેજ ને પાણીની કિંમત ગણાય છે. પણ તેથી તે તેજ ને પાણી હીરા-તથા મેતીથી જુદા હોય જ નહિં એવી જ રીતે દર્શનાદિ ચાર વસ્તુઓ ગુણથી જુદી હોતી નથી. માટે તેનું આરાધન–ગુણી દ્વારા થાય
અરિહંત પદની આરાધના કરનારને વીતરાગની ભક્તિ દ્વારાએ તીર્થકર શેત્ર તથા કેવળજ્ઞાન થવાના ! જેમ-તેજ ને પાણી બતાવતાં પ્રથમ હર તથા મતી હાથમાં લે તે તે તેજ ને પાણી બતાવી શકાય. તેમ પંચ પરમેષ્ઠી સિવાય કોઈ ગુણી જ નથી માટે અહીં પંચપરમેષ્ઠી લીધા છે. ને તેનું આરાધન કરવા બતાવ્યું છે.
પંચપરમેષ્ટિ સિવાય બીજા કોઈ ગુણનું સ્થાન નથી, તે આ ઉપરથી સ્પષ્ટ સમજવું.
પ્રશ્ન-નવકારમાં આ નવપદ તે રાખ્યા નહીં.. ઉત્તર-નવપદ તે છે જ ને,
Page #118
--------------------------------------------------------------------------
________________
0
આગમત
-
-
પ્રશ્ન-તેમાં આરાધ્ય નવપદ નથી શું?
ઉત્તર–તેમાં આરાધ્ય પાંચ જ પદ . ને સિદ્ધચક્ર યંત્રમાં નવે પદ આરાધ્યાપદ છે.
વળી નવકારમાં પુણો વાળમુત્રાશે–એ શબ્દને અર્થ “એ પાંચ નમસ્કાર સર્વપાપને નાશ કરનાર છે.” એમ અર્થ કરાય છે. પણ વસ્તુતઃ તેને અર્થ આ પ્રમાણે લેવાનું છે. કે- જેની અંદર આ પાંચ નમસ્કાર કહેવામાં આવ્યા છે. એ આ શ્રતસ્કંધ એવા પ્રભાવવાળે છે કે સર્વ પાપનો નાશ કરનાર છે.”
આમ અર્થ લેવું જોઈએ,
વળી તેને સ્થાને જવાનુwa? એમ કીધું હોત, તે શું બાધ આવત? તેને માટે સમજવું કે-ગુણી દ્વારા ગુણને સમાવેશ થઈ જાય તે પછી તેને પૃથગ કહેવાની જરૂર રહેતી નથી. તે આરાધનામાં તે નવે પદ જુદા કહેવા જોઈએ માટે નવપદ આરાધ્યપદ તરીકે રાખ્યાં છે.
પ્રથમ પાંચે પદો પાછળના ચાર ગુણવાળા હોય તે જ આરાધન કરવા લાયક ગણાય તે સિવાય નહીં. કેમ તે કે વિચારે
કેવળજ્ઞાન ન હોય તે અરિહંત ભગવાનનું આરાધન શું કામનું? કહે કે નકામું જ?” માટે કેવળજ્ઞાન લેવું જ પડે, ને તે લેવાથી વીતરાગપણું પણ ઘટે. વીતરાગપણું લઈશું એટલે ચારિત્ર પ્રથમ લેવું જ પડશે. તે વગર વીતરાગપણું જ નથી, માટે કષાય રહિત આત્માને સ્વભાવ દશા દૂર ન હોય તે અશુભ પ્રવૃત્તિનું નિવર્તન જ હેય-તેથી ચારિત્ર ગુણ તેનામાં ઘટી શકે છે.
જેમ જાનવર પોતાના રખડતા બચ્ચાને જુવે એટલે ઠરી જાય છે. તેમ આપણે. અનાદિ કાળથી આપણા ગુણેને ભુલ્યા છીએ તે જ્યારે પ્રાપ્ત થશે ત્યારે આ આત્મા પિતાને ખરે સ્વભાવ પ્રાપ્ત
Page #119
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ કરી શકશે. હજુ આ આત્મા જડ જીવન જીવી રહ્યો છે. જીવનું જીવન-જીવતાં શીખ્યો નથી
જે ખરી રીતે ભાવ પ્રાણરૂપે જીવતાં શીખે તે જ ખરું જીવન છે એમ કહી શકાય.
સિદ્ધને જેને પણ ભાવ પ્રાણને અંગેજ જીવપણું કહેવાય છે તેઓને જે શાસ્ત્રમાં પ્રાણ નથી એમ કીધું છે. તેથી દ્રવ્યપ્રાણ તેઓને નથી લેતા એમ સમજવું. - આ ઉપરથી દરેક જીવે પિતાનું જીવન દર્શનાદિ દ્વારા જીવતાં શીખવું જોઈએ તેવું ખરું જીવન સિદ્ધના જીવનું જ માનેલું છે.
પ્રશ્ન-સિદ્ધના જીવને તપ કર્યો?
ઉત્તર–તેઓને અણાહારીપણું છે. માટે તપ છે જ. * આ જીવ અનાદિ કાળથી પિતાનું સ્વરૂપ બેઈ બેઠો છે પારકા વાછડા પાછળ ગાય દેડી વળે. તે શેલે, પણ પારકા છોકરા પાછળ માણસ દેડીવળે, તે શોભે નહિ, એકેન્દ્રિયથી માંડીને દરેક જીવેનું આજનું જીવન તપાસીએ તે જીડ જીવનને જ તે બધા જીવી રહ્યા છે. જડ રૂપ દ્રવ્ય પ્રાણેની પાછળ આ છ દોડયા છે. - ના બાળક ભણતે હોય તેથી તેની પડી જેમ ઝુંટવી લેવામાં આવે છે તેમ આપણને સમ્યગદર્શન પ્રાપ્ત થયા છતાં આરાધન કરવાવાળા ગણાયા છતાં તેની કિંમત નથી, વાતે તેના તે સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત થયા છતાં ન પ્રાપ્ત થયા જેવા છે,
જડજીવન ને જીવ જીવનમાંથી આપણને જડતું જ જીવન વધ્યું છે. સ્વપ્નમાં પણ જીવનું જીવન આપણને વધ્યું નથી, પૂર્વ સંસ્કારને લીધે જ પાણીમાં ડૂબતાં પણ એ બાપ રે! એવું તરત જ આ જીવને યાદ આવી જાય છે. તે વખતે બને અરિહંતાણે કેટલાને આવ્યું તે કહેશે ?
Page #120
--------------------------------------------------------------------------
________________
આગમત * પૂર્વ કાળમાં પણ બાયડીને મારી નાખે. તેવા પ્રસંગે પ્રાપ્ત થતા, શ્રીમતીને કષ્ટમાં નાખવા તેના ધણીએ અંધારામાંથી ફૂલની માળા લાવવા ફરમાવ્યું, તે વખતે પણ નિડરતાથી તે કાર્ય સ્ત્રીઓ કરતી, અત્યારની આપણી સ્થિતિ તપાસ, અરસપરસ એક બીજા ભાઈઓની સ્ત્રીઓના છોકરાને કામ ભળાવવામાં આવે ત્યાં ચડભડ થાય છે. ને ગુસ્સાનું સામ્રાજ્ય ફેલાય છે, - શ્રીમતીને તે અંધારામાં કુલની માળા લેવા મોકલી ત્યાં જ અરિહંતાનું પદ સંભાયું કેટલી ધર્મનિષ્ઠતા? ને ધર્મના સંસ્કાર? તે વિચારજો! દહેરામાં કરાતી યિાઓ કે સામાયિકાદિ સર્વ ધર્મકરણી આત્મામાં ધર્મના સંસ્કારે એતપ્રેત થાય તે માટે જ કરવાની કહી છે તે ભૂલવું ન જોઈએ.
કણબીની મહેનત સફળ ક્યારે ગણાય કે બધું અનાજ કારતક મહીને ગાડા ભરીને ભેગું કરે ત્યારે! તેમ સર્વધર્મકરણી સફળ ક્યારે ગણાય કે જ્યારે આત્મામાં તેવા શુભ સંસ્કારે દઢ થાય ત્યારે.
છોકરાને બારમાસ આપેલું જ્ઞાન તે પરીક્ષા માટે હોય છે. તેમ ચૈત્ર તથા આસ વગેરેની ઓળીની કરણી પરીક્ષામાં લાવવા રૂપે બતાવેલી છે.
શ્રીમતીએ જે ઇમો રિફ્રેતાળ અંધારામાં ફુલમાળા લેવા જતાં કીધું તે કેમ? વિચારે! કે તે ભાવનું જીવન સમજી હતીકે આ કાર્ય કરતાં દ્રવ્યજીવન જાય તે ભલે! જાઓ, પણ મારૂં ભાવ જીવન ન જાઓ ! એવું વિચારી તે વખતે નમો અરિહંતા એજ પદ તેને સાંભર્યું.
આનું કારણ માત્ર એટલું જ કે તે શ્રીમતી ભાવજીવન એતપ્રેત થએલું હતું. ધર્મના સંસ્કાર પૂર્ણપણે જામેલા હતા, આવી દેઢ ભાવના હતી તેથીજ નો રિહંતાનું પદ યાદ આવ્યું જે જડ જીવનને સંસ્કાર હશે તે પ્રથમ તે સ્થળે દીપક સંભારત.
Page #121
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જું
વળી ઓળીમાં શ્રીપાલરાજાને રાસ બધા સાંભળે છે, તેમાં વહાણમાં આઠ મુખવાળ મગર છ જોવાને બહાને ધવલશેઠે શ્રીપાલ મહારાજાને લાવ્યા છે, તે સમયે ધવલ શેઠના મલ– તીયાઓએ દેર કાપ્યા ને પિતે સમુદ્રમાં પડ્યા તે વખતે પણ જો સતાનું પદ યાદ આવ્યું. આ શું સૂચવે છે કે- ભાવ જીવન તેનામાં ઓતપ્રોત હતું.
ઓળી કરવા સાથે તેમણે જે આ પદ યાદ કર્યું, તેની કિંમત ખરી રીતે વધુ ગણી,
આવા સંસ્કારો દૃઢ કરવાની જરૂર છે!
ઓળી તે જીવના જીવનમાં નાખવાના સંસ્કારે દાખલ કરે છે. પણ આ સ્થળે જે પદ બેલાણું, તેનામાં તે સંસ્કારે દાખલ થયા કે નહિ? તેની પરીક્ષા રૂપે છે. માટે શ્રેષ્ઠ છે. જડ જીવન આત્માને ભટકાવનારૂં છે તે આપણને નિશ્ચય થાય ત્યારે જ સમ્યકવ થયું તેમ સમજવું. મેહનીયની ૭૦ કડાકોડી સાગરે પમની સ્થિતિ છે, તેમાંથી દ૯ કડાછેડી જેટલી સ્થિતિ બાકી રહે ત્યારે ગ્રંથિભેદ કરવાનું હોય છે.
પ્રશ્ન –જડ-ચેતનને વિભાગ તે મિથ્યાત્વીઓ પણ કરે છે તે ગ્રંથિ કઈ લેવી? કે જેને ભેદ કરવાનું અહીં કીધું.
ઉત્તર -રાગ-દ્વેષ રૂ૫ ગ્રંથિને ભેદ તે સમકિતીને કરવાનું હોય છે. જડ-જીવનનું હેયપણુંને આત્મિક-જીવનનું ઉપાદેયપણું તે રૂપેજ વિભાગ ગ્રંથિભેદ કરવાનું હોય છે, ને તે થએજ સમક્તિ કહેવાય.
જડ જીવનના દર દેખાતા સાધનની પણ આપણે ઈચ્છા રાખીએ ત્યારે કહે સમકિત કેટલું દૂર છે. ? જીવના જીવનમાં પ્રવેશ પણ કયાં છે? જેમ છેકરાના હાથમાં આવેલી ચોપડી તે તેને ફાડવાના જ કામની હોય છે. તેમ આપણને મળેલ આ ભાવ-જીવન આપણે અત્યારે તે કેવળ રગદોળવામાં જ લીધું છે. ને જો તેમ ન હોય તે સ્વપ્ન પણ તે અંગે વિચાર કર્યો હોય તેવું બતાવશે?
Page #122
--------------------------------------------------------------------------
________________
૩૪
આગમત
સાચા મેતીને બદલે ફટકીયા મેતીને વધારે કીંમતી ગણનારની પેઠે જ આપણે ભાવ-પ્રાણુ કરતાં દ્રવ્ય-પ્રાણની કિંમત વધારે ગણી છે. એ સમકિત જે દુર્લભ કહ્યું છે, ને અનંતા પુદ્ગલ-પરાવર્તન કાલે પણ મળવું મુશ્કેલ છે. તેમ જ કીધું છે તેનું ખરું તત્ત્વ એ જ છે કે જડજીવન છેડી જીવ-જીવનની કિંમત થવી આ જીવને બહુ મુશ્કેલ છે.
જે મનુષ્યને ધન-માલ-મિલકત, બાયડી છેકરાં એ બધું મને ફસાવનાર છે એવું માલુમ પડ્યું નથી તે મનુષ્યને સમકિત થવું એ કાંઈ રસ્તામાં પડ્યું નથી, જેમ નાના છોકરાને બરફી આપી કલ્લી કાઢનાર લુચ્ચાએ દુનિયામાં હેય છે, તેમ આ જીવને સ્પર્શ -રસાદિ પાચે ઈદ્રિને વિષ બરફીરૂપ પ્રાપ્ત થાય છે, ને તે દ્વારા આત્માનું ખરું ધન (કલ્લી) તેઓ હરી જાય છે.
કુતરાએ પણ ઝેરવાળા પદાર્થથી બીજાને મરેલા જોઈને તેને અડતા નથી, તેમ આ જીવ રૂપ કુતરે વિષય-વિષ પદાર્થથી અનંતા જીવને મરતા દેખે છે, છતાં તેની જ સ્મૃડા કર્યા કરે છે, માટે પેલા કુતરા કરતાં પણ આ જીવ રૂપ કુતર હલકે છે તેમ સમજવું પડે.
જ્યારે આવી સ્થિતિ છે. પછી સમકિત-ક્યાંથી થાય? તે વિચારજો!
ઈષ્ટ વસ્તુને રાગ ને અનિષ્ટ વિષયને દ્વેષ જ્યાં સુધી આ જીવને છે, ત્યાં સુધી ગ્રંથિભેદ દૂર છે તેમ સમજજો! તે દૂર રઘે સમક્તિ પણ છેટું છે. તે ખરૂં જાણપણું (જ્ઞાન) પણ વધારે દૂર જ છે એમ સમજવું.
જે સ્ત્રીને શીયલની કિંમત છે તેને જ સ્વછંદતા ગમશે નહિં, બાકી શીયલની કિંમત વિનાની સ્ત્રીને તે સ્વછંદતા જ ગમે. શીયલને કીંમતી ગણે તે જ કુટુંબને ઉજાળે ! શીયલને કેડી સમાન ગણે તે કુટુંબને ખેદાનમેદાન કરે! તેમ જડજીવનની કિંમતવાળ મનુષ્ય આત્માના ગુણેને ખેદાનમેદાન કરી નાખે છે. અને જીવ-જીવનની કિંમતવાળે મનુષ્ય જ આ આત્માના ગુણેને ઉજવળ કરી શકે છે
Page #123
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩–જું
ગમે તેટલું ભણતર પણ આચારમાં ઉપયોગી ન થયું હોય તે નકામું સમજવું, ઉખર-ભૂમિમાં વરસાદ જેમ નકામા જ થાય છે.. તેમ ભણ્યા છતાં વર્તનમાં સુધારો ન થયે તે બધું જીવન નકામું સમજવું, તેટલા માટે જ ચારિત્રને અંગે કીધું છે કે
તીર્થકર ભગવાને પણ ચારિત્રને ઉત્તમ માન્યું કે તે પોતે લઈને જ દુનિયાને તેની ઉત્તમતા બતાવી, વેષ છે તે દ્રવ્ય ચારિત્ર છે ને તે ભાવચારિત્રનું કારણ છે માટે તે અવશ્ય જોઈએ, જે મનુષ્ય વેશ પહેરવાથી શું ? આમ કહેનારા છે, તેઓને તે બાયડીને વેશ. પહેરાવે તે પણ કાંઈ ન થવું જોઈએ, એ વેશમાં જ કિંમત છે. માટે જ પુરૂષ તથા સ્ત્રીને વેશ જુદે રાખવામાં આવ્યું છે.
કોરટમાં જેમ પટ્ટો હોય છે. તેમ આ વેષ તે જિનેશ્વર ભગવાનને પટ્ટો છે. જે મનુષ્ય બાયડી ધન-માલ-મીલકત છેડે તેને જ પટ્ટો અપાય છે. ભગવાનના પટ્ટાને અંગે તમારે તેફાન કરવું છે, ચુગલીઓ કરવી છે. નિંદા કરવી છે. આને અર્થ શું ? નવતત્વમાં જે પાછુ સામિા એમ કીધું છે. તેથી સાધુને પિતાના (ભગવાનના) લિંગે. સિદ્ધ થયેલા હોય તેજ સ્વલિંગ-સિદ્ધ કહેવાય; આ વાત ધ્યાનમાં લેવાથી વેષ એ પટ્ટો છે તે બરાબર સમજાશે અને હું ભાર મૂકીને કહું છું કે વેષ એજ ચારિત્ર છે.
નંદીવર્ધનભાઈના આગ્રહથી ભગવંત બે વર્ષ સંસારમાં રહ્યા હતા, અને ભાવચરિત્રવંત હતા છતાં પણ તે વખતે મન:પર્યવ થયું નહતું, પણ જ્યારે દિક્ષા લીધી ને વેષ પહેર્યો ત્યારે જ મન:પર્યવ જ્ઞાન થયું, માટે વેષ એજ ચરિત્ર છે. તે વિશેષ આ વાતથી દદ્ધ સમજાઈ શકશે. વળી આગળ ચાલે–
અભવ્ય-જીવે નવ નૈવેયકે જાય તે કોને આધારે? ભાવ૫રિશુતિ તે તેને છે નહી! માત્ર દ્રવ્યત્યાગ ને દ્રવ્યવેષ હેવાથી તેના બળે જ ત્યાં સુધી જાય છે, માટે ત્યાં પણ દ્રવ્ય વેષમાં સાધુપણું ગણેલું છે
Page #124
--------------------------------------------------------------------------
________________
૩૬
આગમત' કેઈ ભવ્ય જીવે અભવ્યના ઉપદેશથી કે ક્રિયાથી ને વેષથી બોધ પામે છે, તે પણ દ્રવ્યવેષમાં સાધુપણું માન્યું તેને જ પ્રતાપ સમજ. માટે વેષથી શું?તે કહેવાવાળા કેવળ વાચાલ જ સમજવા.
શ્રેણિક મહારાજા ભગવંતને વાંદવા જાય છે. વચમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ જેયા, તેમને અંગે વિચારે તે બાહ્ય વેષ જ છે. અંદર તે ક્રોધ ધમધમી રહ્યો છે ને આગળ ભગવાનની પાસે જ્યારે શ્રેણિકરાજ પહોંચ્યા ત્યારે ભગવંતે કાંઈ તેને ઠપકો તે આ નહીં, ત્યાં વેષની કિંમત વિચાર!
વળી આગળ શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો ત્યાં પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિને અંગે સાતમી નરકે જાય, તે જવાબ આપે, શ્રેણિક રાજાએ તેને વંદન કર્યું હતું છતાં તેને ભગવંતે તેમ ન કીધું કે તું સાતમી નરકે જઈશ! કારણ કે વેષ પણ ચારિત્રનું અંગ છે. માટે ખરૂં સાધુપણું તે કહેવાય, આગળ પ્રશ્ન કર્યો છે કે સાધુપણું કેટલી વખત આવે ને જાય.
પ્રશ્ન: તે પછી તેને સાધુ માનનારની દશા શી?
ઉત્તરઃ સાધુ માનનારની દશા તે સારી જ થાય. કારણ કે વ્યવહારથી બાહ્ય-ત્યાગને-આહ્યવેષને જ સાધુપણું માનેલું છે, માટે વેષથી શું? એ કહેવાવાળાએ કેવળ બકવાદી, નિંદર ને પાપને ભાગી જ સમજવા.
ચારિત્ર તે આત્માની ત્યાગમય પ્રવૃત્તિરૂપ છે. ને આ વેષ તે ભગવંતને પટ્ટો છે. ગુણ એ નકામે નથી. ગુણને ગુણ એ બંને માનવા લાયક છે. ભરત મહારાજાને કેવળ થયું હતું છતાં વેષ પહેર્યા સિવાય ઈ કે વંદન ન કર્યું, વેષ પહે–પછી જ વંદન કર્યું તેથી વેષની મહત્તા સૂચવી છે.
સરકારે બેરિસ્ટરને જેમ ઝબ્બે કીધું છે. તેમ ભગવંતે આ વેષા સાધુના ઝભ્ભા તરીકે કીધે છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
ઝભ્યા વિનાને બૅરીસ્ટર ના શોભે તેમ વેષ વિના ચારિત્ર પણ ન શેભે.
ચારિત્રને અંગેજ દર્શન ને જ્ઞાન કામ આવે તે સિવાયકામ ન આવે, છઠ્ઠાથી આગળના બધા ગુણઠાણું ચારિત્રમાં જ બતાવ્યાં છે. માટે ચારિત્ર એ તીર્થકરને પણ આદરવા લાયક પદાર્થ છે. માટે સર્વોત્કૃષ્ટ છે. ચારિત્ર એ પુષ્ટ છે. ગુણને પણ પુષ્ટ કરે છે. તેથી ચારિત્ર જ ઉત્તમ કીધું છે. ને તેથી જ પંચપરમેષ્ઠીમાં પણ બને કીધું. નમો રંગીલું, ગમો તાવળે ઈત્યાદિ પદે. કીધાં નથી
માટે ચારિત્રની પરિણતિ આવે તે જ નમસ્કાર કરવા લાયક ગણાય, તે સિવાય સમક્તિ, તપ આદિ ગુણે ગમે તેટલા વધારે હોય તે પણ નમસ્કાર કરવા લાયક કીધેલ નથી.
ચારિત્ર લે તે જ પંચપરમેષ્ઠીમાં ગણાય ને વંદનીય ગણાય, તે જ્ઞાન-દર્શનને તપસ્યામાં ગમે તેટલે આગળ વધેલું હોય તે પણ વંદનીય ન ગણાય.
સમવસરણમાં બાર પર્વદા બેસે છે, તેમાં એ દર્શનાદિ ગુણને નિયમ નથી રાખેલે. એટલે કે ચેથા–પાંચમા ગુણઠાણામાં ઉંચાનીચાપણું ન રાખ્યું ને છઠ્ઠા ગુગડાણાવાળા માટે જુદી જ પર્ષદા. રાખી તે ચારિત્રને માટે જ રાખી, તેજ દિવસને દિક્ષિત સાધુપણ તે પર્ષદામાં બેસી શકે છે.
આ બધું ચારિત્ર પદનું અધ્યપદપણું જણાવવા માટે શાસ્ત્ર કારેએ કીધું છે. માટે તે તરફ દુર્લક્ષ્ય રહેવું એ વિવેકીને લાયક જ નથી. ચારિત્ર ક્રિયારૂપ છે. શુદ્ધમુનિ આચરિત છે. તે સિવાય બધું નકામું છે, માટે કમ ખપાવવા તે પદને આદર કરે જ જોઈએ કે જેઓ તેમાં આદર કરશે તે આ—ભવ પરભવ કલ્યાણ. માંગલિક-માળા પામી મેક્ષ સુખના ભાગી થશે.
Page #126
--------------------------------------------------------------------------
________________
છે તપસ્યાની મહત્તા જ
[ વિ. સ. ૧૯૮૮ માં શ્રી નવપદ આરાધક સમાજની દોરવણી તળે શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈ તરફથી સામુદાયિક શ્રી નવપદનજીની આરાધના પ્રસંગે વિદ્યાશાળા જૈન ઉપાશ્રયમાં પૂ. આગમ દ્વારક અહથત આચાર્યદેવશ્રીએ આપેલ નવપદજીની મહત્તાના દૈનિક પ્રવચનમાંથી મળી આવેલ વ્યાખ્યાનના જૂના ઉતારાને વ્યવસ્થિત કરી તત્વરૂચિ વાચકેના હિતાર્થે રજૂ કરેલ છે. ૪. ]
- સિદ્ધચક્રના મહિમાને અંગે મુખ્ય બે વિભાગ પાડયા. ગુણીને વિભાગ ને ગુણવિભાગ-તેમાં પણ અરિહંત સિદ્ધ-દેવમાં ગણાય ને આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ગુરૂમાં ગણાય.
આ પાંચે પૂજ્ય શા માટે કે મોક્ષ માર્ગરૂપ સમ્યગદર્શનાદિ આ ગુણેની પ્રરૂપણ. પાલન વગેરે છે માટે? પૂજતા તેજ હેઈ શકે કે એ પણ સમ્યકત્વ હોવું જોઈએ.
સાચી માન્યતાવાળે હજુ પલેકને આરાધક થઈ શકે છે. જંદગી સુધી બે ચીજ રાખનારે પણ નિઃસ્પૃહ ગણાય છે. પરંતુ તે પણ પરલેકને આરાધકજ બને તે નિયમ નહીં, એક સાચી માન્યતા જે હૃદય દઢ થઈ હોય તે જ તે પરલેકને આરાધક થઈ શકે.
સમ્યક્દર્શન વિનાનું તપ પણ મનાય નહીં, સમ્યગ્ગદર્શન વિના ખરૂં જ્ઞાન પણ ન હોય, સમ્યગ્દર્શની-અજ્ઞાની હોય તેમ કહેવાય નહી.
તે પછી તત્વાર્થકારે તેના લાભમાં ભજન કેમ જણાવી? કે સમ્યગદર્શન મલે જ્ઞાન-ચારિત્રની ભજના પણ હેય! આમ તત્વાર્થકારે કહ્યું છે, તેનું કારણ શું?
Page #127
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
વત્તા-અમે નિયતઃ પૂર્વગ્રામ એટલે પછીની વસ્તુના લાભમાં પૂર્વને લાભ જરૂર હોય તે પછી સહચરીપણું કેમ ઘટે? ' એ વાત જરા ઉંડા ઉતરીને વિચારવાથી માલુમ પડશે, કી ને અજવાળું જેમ મહેમાહે હોય જ છે. છતાં પ્રથમ ક્ષણે દીવે તે પછી અજવાળું એમ તે કહેવું જ પડશે. જો કે તે બન્ને સાથે જ થાય છે. છતાં પહેલાં પછીની અપેક્ષાએ વિચારીએ તે દીવે પ્રથમને પછી અજવાળું હોય!
તેમ અહીં પણ સમ્યગદર્શન કારણ છે. ને સમ્યગાન કાર્ય છે, માટે તે સાથે જ રહે છે. કારણ-કાર્ય રૂપે (કારણ હેય ત્યાં કાર્ય હોય તે રૂપે) તે મનાય છે.
- અજવાળા વગરને દી કદી પણ માનવામાં આવશે નહીં, તેથી જ્યાં સમ્યગદર્શન ત્યાંજ સમ્યગું જ્ઞાન કહેવામાં વાંધા જેવું નથી, દીપક અને ઉદ્યોતને કારણે કાર્ય માનીએ ત્યારે પૂર્વ પછી રૂપે દીને ઉદ્યોત લઈ શકાય. માટે સમ્યગજ્ઞાન તે સમ્યગદર્શન હોય ત્યાં જ હોય છે. તેવું સમ્યગ્ગદર્શનવાળું જ્ઞાન જ આરાધ્ય ગણાય
પ્રશ્ન–કચરામાં ઉગેલું કમલ જયાં હોય ત્યાં સુગંધ આપે છે, તેમ ભગવાનનું વચન પવિત્ર છે. તે જ્યાં હોય ત્યાં સુગંધ ન ઉપજાવે ?
ઉત્તર-કમલને સ્વભાવ સુગંધ આપવાને છે છતાં ચંડાલના હાથમાં રહેલ કમલને ઉચ્ચ માણસ નહી લે. વળી વિકાની અંદર પડેલા કમલને પણ કઈ લઈ શકતું નથી. તેમ ભગવાનના કહેલા શાસ્ત્રો કમલ જેવા ઉત્તમ છે છતાં તેની ઉત્તમતા કરતાં મિથ્યાત્વીનું અધમપણું એટલું હલકું છે કે તેમાં તે હોય તે પણ લેવા લાયક નથી. કારણ કે ભગવાનના વચનને ઉપયોગ તેઓ વૈરાગ્યમાર્ગથી | પ્રતિકૂલ માર્ગમાં જ કરશે.
Page #128
--------------------------------------------------------------------------
________________
૪૦
આગમત
શાસ્ત્રો જે કરવામાં આવ્યા છે તે. વિષયકષાયના ત્યાગ માટે જ! નહિં કે દુનીયાદારી માટે ! જે તેમ હોય તે તે ઋષભ દેવજી ભગવાનના વખતમાં ૧૮ કડાકોડી જેટલે કાળ અધર્મપણે ગણે તે ન જાય. માત્ર તેએાએ તીર્થ સ્થાપ્યું ત્યારથી જ ધર્મ પ્રત્યે એ વાત સંગત ન થાય તેટલા માટે જ હેમચંદ્રાચાર્ય મહારાજે પણ કીધું છે કે
શ્રવા થા , સપાથ લંવર . इतीयमार्हती मुष्टि-रन्यदस्याः प्रपंचनम् ॥ જૈન શાસ્ત્રને આધાર આજ મુઠી ઉપર છે. કે “આશ્રવ સર્વથા પ્રકારે ત્યાજ્ય છે ને સંવર ઉપાદેય છે.'
આવી વસ્તુ જ્યાં નથી આવી ત્યાં પછી જૈન શાસ્ત્ર મિથ્યાત્વના હાથમાં નકામે જ થાય છે. તેથી શાસ્ત્રની કે ભગવાનના વચનની કિંમત ઓછી થતી નથી.
આજ-કાલનું જ્ઞાન તે અલ્પ છે. પણ ચૌદ પૂર્વ જેટલું જ્ઞાન અગાઉ હતું. તે મહાવિદેહના એક હાથી યાવત્ બમણુ-બમણા હાથી જેટલી શાહીથી લખાય તેવા છે છતાં આશ્રવ–સંવર જે ન હોય તે. તેટલું પણ જ્ઞાન નકામું થાય!
કડાઈ ખરાબ હોય તેથી તેમાં નાખેલે દુધપાક ખરાબ ગણાય, માત્ર કામના ગુણે ખેટા, તેથી તે નાખી દેવા જે થાય છે તેથી દુધપાક ખરાબ કહેવાય નહીં, તેમ સમજવું.
આખા જગતમાં ભગવાનના વચનથી જ વ્યવહાર પ્રત્યે છે. શ્રીષભદેવજી ભગવાનની અપેક્ષાએ વિચારવાથી માલુમ પડશે-જ્યાં આશ્રવનું શોષણ હોય અને સંવરનું પિષણ હોય તે બુદ્ધિએ ભગવાનનું વાક્ય દુર્લભ છે. તેમ સમજવું સિદ્ધસેન દિવાકર સૂરિજી કહે છે કે “દુનિયામાં જેટલાં સારાં વાક્ય
Page #129
--------------------------------------------------------------------------
________________
પુસતક ૩–જું છે તે બધાં આપના જ છે. દ્વાદશાંગીમાંથી તે તેઓને પ્રાપ્ત થયેલા સમજવા,” છતાં અણીથી તલવાર પકડનાર યુદ્ધ કરી શકે નહીં તેમ ભગવાનના વચને આશ્રવના પોષણ અને સંવરના શેષણ રૂપે અનુક્રમે પ્રાપ્ત થવાથી તે જીવેને તે નકામાં રૂપે થાય છે.
આ બધાનું તત્વ એ કે-સમ્યગદર્શન સહિત જે જ્ઞાન તે જ્ઞાન જ શ્રેષ્ઠ સમજવું. આ વાત પણ દશપૂર્વની નીચે સુધીના જ્ઞાન માટે જાણવી, દશ કે તેથી ઉપરનું જ્ઞાન સમકિતીને જ હોય છે કેમ કે, દશપૂર્વ–અપૂર્ણનું જ્ઞાન સમકિતીને જ હોય છે, માટે તે પહેલાં સમ્યગ દર્શનવાળે હોય તે જ સમ્યગ જ્ઞાનવાળો કહેવાય.
નહીંતર પછી રતલામના રાણીના સાળા જેવું થાય.
કેઈ પરદેશી આવે, ત્યાં રાજાએ કીધું કે ખાલી સ્થાન હોય ત્યાં ઉતર! આખા ગામમાં કોઈ સ્થાન ન મળવાથી સમશાને ગયે, તે વારે કોઈ બાળવા આવ્યો કે શબ ઉતરાવ્યું ને કીધું કે રાણીના સાળાની ચૂકી છે, માટે મૂક! એક આને ! એટલે ત્યારથી દરેક જણ તેને તે કર આપવા લાગ્યા.
કાલક્રમે રાજ્યમાં કોઈ મરણ થયું. તેની પાસેથી પણ ચેકી માંગવા લાગે, રાજાના માણસે વિચારવા લાગ્યા કે આ ચકી કઈ દિવસ સ્થાપી નથી. તેને બેલા ને કીધું કે કેમ? તે કે“રાણીના સાળાની ચુકી છે.” ત્યારે તેને કીધું કે-અરે! બેવકૂફ! રાજાના સાળાની ચાકી હજુ કહે તે વ્યાજબી. માટે વિચારીને બેલ, પછી પણ તે જ કીધું. ત્યારે રાજાને કીધું. કે તમે જ કીધું હતું કે પિલ દેખે ત્યાં પેસી જજે.” તેથી હું અહીં પેઠો છું, માટે રાણીના સાળાની ચેકી જેમ ન હોય તેમ ૧૦ પૂર્વ હોય–માટે દશપૂર્વથી નીચેના માટે ઉપરને નિયમ જાણવે.
આશ્રવ હેયને સંવર ઉપાદેય સિવાયનું બધું જ્ઞાન–ને તેને જ વિસ્તાર સમજ, એમ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય
આ.
૩-૪
Page #130
--------------------------------------------------------------------------
________________
આગમળેત મહારાજે કીધું છે. આશ્રવને હેય ન ગણે અને સંવરને ઉપાદેય ન ગણે તે જ મિથ્યાદષ્ટિ જાણો તેવા મિથ્યાત્વીને સંસર્ગ– છાયા આદિ-ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરવા લાયક છે.
કેસરમાં થેડું પણ કપૂર મિશ્ર કર્યું હોય તે પણ તે ગ્રહણ કરવા લાયક હોય છે ને કમલ વિષ્ટામાં પડેલું હોય તે તે પકડવા લાયક હોતું નથી.
એટલા માટે જ બનો સંસળસર પદ પહેલું કીધું ને પછી જો બાળરસ કીધું.
અતીન્દ્રિય-જ્ઞાન કે જેમાં ઇન્દ્રિયની જરૂર જ ન પડે. તેવા જ્ઞાનને પણ જે તે મિથ્યાત્વ સહિત દેય હોય તે (વિભંગ જ્ઞાનને) શાસ્ત્રકાર સરાવવા લાયક જ કહે છે. આ જ્યારે સમજાશે ત્યારે જ સર્વ અજ્ઞાનને હું ટાણું એવું પચ્ચખાણ જે કરાય છે. તેને હેતુ સમજાઈ આવશે.
અભવ્યનું અભવ્યપણાનું નક્કી થાય તે શાસ્ત્રકાર કહે છે કે તેને વેષ ખૂંચવી લે, કારણ કે પટ્ટાવાળામાં એકપણ ચાર નીકળે તે શાસનને આગળ ઉપર લજવનારે થાય છે. તેને વેષ ખુંચવી લેવા લાયક છે. તેમ સાફ ચેખું શાસ્ત્રકારે બતાવ્યું છે, અંગારમર્દક આચાર્યને વેષ પણ અભાવી નીકળવાથી લઈલેવામાં આવેલ હતું.
માટે સમ્યજ્ઞાન કે સમ્યકચારિત્ર તે સમ્યગદર્શનના મુદ્દાથી જ મનાય છે રહસ્ય જાણવું, તપસ્યા પણ સમ્યગદર્શનપૂર્વક જ જોઈએ તે સિવાય તામલિ તાપસની તપસ્યા પણ સાર્થક ન બની, તે આપણે શાસ્ત્રમાં સાંભળીએ છીએ.
સેનાને જ્યારે તપાવે ત્યારે જ મેલ દૂર થાય છે. તેમ આ આત્મા સુવર્ણ જે નિર્મલ છે. પણ કર્મરૂપી મેલ લાગેલા છે તે મેલને તપાવવા તપસ્યાની જરૂર છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
૪૩ કમ–મેલને લીધે આત્માને સંબંધ અગ્નિથી ગરમ લાલચોળ થયેલ લેઢાના ગોળા જે એકમેક થઈ ગયેલ છે. તેમ જાણવું. આત્મામાં કર્મ વધારે આવે તે પણ ભાર વધારે થાય તેવું નથી. માટે ક્ષીર નીરનું દૃષ્ટાંત ન લેતાં વાર લીધું છે. આત્માના દરેક પ્રદેશ સાથે કર્મ વળગેલું છે. તેને તપસ્યાથી જ જુદું પાડી શકાય છે. નવા કર્મને રેકવા માટે તે ચારિત્ર બસ છે. પણ જુના કર્મને માટે તે તપ જોઈએ જ
2ષભદેવજી ભગવાન ને મહાવીરભગવાન સરખા. તેઓ ચાર જ્ઞાની હતા છતાં તપસ્યા કરતા હતા તે આટલા માટે જ, બાંધેલા કર્મને રોકવા (ખપાવવા) તપસ્યા એજ સમર્થ છે. ને તે સમ્યગ્રદર્શન જ્ઞાન ને ચારિત્રવાળાને હેય.
સ્વાધ્યાય રૂપ જ્ઞાનને તપ કહ્યો છે. તે ધ્યાનરૂપ અગ્નિના કારણે કહ્યો છે. તેથી જ્ઞાનના કારણે તપ તેડે અગર ન કરે એ અર્થ થતું નથી.
તેથી શાસનને અંગે જે આઠમ-ચૌદશ, એાળી, પર્યુષણ માસી આદિ પર્વને અંગે તપસ્યા કહી છે. તે અવશ્ય કરવી જોઈએ, તે વખતે જ્ઞાન ન ભણાય તે તેમાં બાધ ગણાતું નથી. ભણ્યાનું ફલ પણ વિરતિ છે ને વિરતિ તે સંવર-નિર્જરા રૂપ છે. તેને માટેજ ભણવાનું છે. તે ઉપર લક્ષ્ય ન હોય તે ભણવાનું પણ નકામું છે. તે સમજવું.
પાંચ કમાઈને પાંચ પૈસા પણ કાઢવાની ટેવ વાળે પચાસ કમાએ પચીસ કાઢી શકશે તે સિવાય ગમે તેટલું કમાશે તે પણ કાઢી શકશે નહીં માટે ભણવાને બહાને મૂળ વસ્તુ ન ઉડી જવી જોઈએ.
આથી તપસ્યા જ કર્યા કરવી એવું હું કહેવા માંગતે નથી. તેથી અમસ્થા પણ ભણવાનું છોડી દેવું તેવું તે બીલકુલ ન થવું જોઈએ, તપસ્યા ટાણે તપસ્યા ! જ્ઞાન ટાણે ભણવાનું, એ બધું એ
Page #132
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત
થવું જોઈએ. સાથે એ પણ સમજવું કે અજ્ઞાનપણું ન જ રહેવું જોઈ એ માટે જ્ઞાનને પ્રયાસ પણ ચાલુ જ રાખ–હવે તપસ્યા કરવી શા માટે?
બીજી બધી વસ્તુ માટે સમ્યગજ્ઞાન ને દર્શન હોય તે જ ફલ દેનાર થાય છે. પણ તપસ્યા તે તે વિના પણ ફલ દેનાર થાય છે. તેટલી વિશેષતા છે. થલપાણિયક્ષ ગાડામાં પીલાવાથી હેરાન થવા માંડે, તેમાં પણ દેવકનું ફળ મેળવ્યું, તેથી અજ્ઞાનપણામાં પણ કરેલી તપસ્યા ફળદાયી થાય છે. વળી આપણે નિગદમાંથી પચેંદ્રિય સુધી પહોંચ્યા તે પણ અકામ-નિર્જરાથી જ ને! તે પણ તપ ફળ જ છે. એકેન્દ્રિયપણામાં જે દુઃખ વેઠ્યાં તે પણ અજ્ઞાન રૂપે જ વેઠયાં છે.
રઘુવં મારું જે શાસ્ત્રમાં કીધું છે તે પણ આ અપેક્ષાએ જ સમજવું.
મેહનીયની ૭૦ કેડાછેડીની સ્થિતિમાં પણ ૬૯ કડાકોડી તે અકામ નિર્જરા જ તેડાવે છે માટે ઈચ્છા વગરની કે ઈચ્છા સહિતની પણ તપસ્યા આત્માના કર્મ ખપાવવાનું કામ કરી આપે છે.
ઈચ્છા સહિત તપસ્યા તે સેનાને વેપાર કરી સેનું મેળવવા જેવી છે ને ઈચ્છા રહિત તપસ્યા તે લેઢાને વેપાર કરતાં તેનું મેળવવા જેવી છે. માટે તપસ્યા કલ્યાણ કરનારી ચીજ છે.
તે વિના કલ્યાણ નથી, તે આદરીએ તેજ નવપદ પૂરાં થાય તે વિના આઠ પદ જ થાય.
માટે તપસ્યા પદની ખાસ આરાધના કરવી જોઈએ આ સમજીને નપદની આરાધના કરશે તે આ ભવ પરભવના સુખ પામી મેક્ષ સુખમાં બિરાજમાન થશે.
Page #133
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
'કમી
વીર નિ. સં.
धर्मः सर्वकामिनप्रदः વર્ષ ૧૨ ૫૦૪
ધર્મના સ્વરૂપનું વિ. સં.
પુસ્તક ફળમુખી વિવેચન ૨૦૩૪ છે
કલિકાલ સર્વજ્ઞ આચાર્ય મહારાજશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ તકેવલી સમાન શ્રીમાન ધર્મષસૂરિજી દ્વારા ધર્મનું બાલ, મધ્યમ અને બુધ અને લાયકનું સ્વરૂપ બતાવી જન્મ આપી, પિષણ કરી બાલકને ઉછેરનાર માતા વિગેરે સગા-સંબંધીઓના લૌકિક-રૂપકથી ધર્મની શ્રેષ્ઠતા જણાવી, લેકમાં ગણાતી રાજા, મહારાજા અને દેવ-દેવેન્દ્ર આદિની પદવીરૂપ ફળના કારણપણે ધર્મને વર્ણવી ધર્મની મહત્તા જણાવેલી છે.
આ ધર્મના વર્ણનમાં ધર્મ શબ્દની વ્યુત્પત્તિ જણાવેલ નહી હોવાથી હવે ધર્મ શબ્દની વ્યુત્પત્તિનું વર્ણન વિચારાય છે.
ધર્મ શબ્દ ધ્રુ ધાતુ ઉપરથી ઉણદિને મ પ્રત્યય લાવીને બનાવવામાં આવેલ છે. અને છૂ ધાતુના અર્થો-ધારણ કરવું અને પિષણ કરવું–એમ બે પ્રકારે થાય છે.
આ ધમ શબ્દની અંદર ધાતુની અપેક્ષાએ ધારણ અને પિષણ એ બંને હકીકત લાગુ પડી જોઈએ,
આ. ૪-૧
Page #134
--------------------------------------------------------------------------
________________
.
આગમત જો કે કેટલાક સૂર્ય, ચંદ્ર, પૃથ્વી આદિકના ધારણ દ્વારા ઈશ્વરની સત્તા સાબીત કરવા પ્રયત્ન કરે છે, પણ તેઓએ સમજવું જોઈએ કે જે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી વિગેરેમાં વસવાવાળા જ હેય તે તે જીવેના આયુષ્યાદિ પુણ્યની અપેક્ષાએ જ ઈશ્વર પણ તે તે સૂર્ય, ચંદ્ર પૃથ્વી આદિને ધારણ કરે. અને જે નછૂટકે પણ ઈશ્વર કર્તવવાદીઓને તેમ માનવું જ પડે, તે પછી એમ કહેવું કેઈપણ પ્રકારે છેટું નથી કે સૂર્ય—ચંદ્રાદિકને મુખ્યતાએ ધારણ કરનાર ધર્મ જ છે, અને કતૃત્વ માનવાવાળાઓને ઈશ્વર તે ધર્મરૂપી ઈજીનને ડબ્દ જ ગણાય.
વસ્તુતતાએ તે કર્તુત્વવાદીઓમાં જીવાજીવાદિક અતીન્દ્રિય પદાર્થોને નિરૂપણ કરનાર સર્વજ્ઞની સાબિતી કરી શકે તેવા આગમ કે શાસ્ત્રોનું સમર્થન નથી, તેથી ઈશ્વર અને તેના સર્વજ્ઞપણાની સાબિતી માટે કર્તવ–આયેાજન અને ધારણ આદિકનાં ફાંફાં મારવાં પડે છે.
આ સ્થળે આ વાતને વધારે નહિ ચર્ચતાં ટૂંકાણમાં એટલું જ સમજાવવાનું કે જીવનને ધારણ કરનારા જીવની જીવનરક્ષા માટે સૂર્ય-ચંદ્રાદિને ધારવું તે શું ? પણ વર્તમાન જિંદગીના દરેક પ્રસંગોમાં જીવનરક્ષાના સાધન ભૂત પદાર્થો ધારણ કરનાર તે ધર્મજ છે. અને તેથી કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી વિગેરે ધર્મને મહિમા જણાવતાં નીચેની હકીકત સ્પષ્ટ કરે છે.
કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ વિગેરે પદાર્થો જે પાપપૂર્ણ છના દષ્ટિપથમાં પણ આવતા નથી, તેવા કલ્પવૃક્ષાદિક પદાર્થો ધર્મિષ્ઠ-પુરૂષને ધર્મના પ્રભાવથીજ ઈષ્ટ સિદ્ધિને કરનારા થાય છે.
સંસારી જીની જીવનદશા સર્વ પ્રકારના દુઃખદ પ્રસંગેથી ઘેરાએલી હોય છે. છતાં તેવી દશામાં વર્તનારા સંસારી-જીવને અપાર એવા દુઃખના દરિયામાં પડતાં બચાવી લેનાર જે કોઈપણ હોય તે તે માત્ર પૂર્વભવમાં સંચિત કરેલા પુણ્યરૂપી અત્યંત હિતૈષી અને અદ્વિતીય બંધુ અને સર્વથા સાથે રહેલે ધર્મ જ છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪
આવા હિતૈષી અને અદ્વિતીય ધર્મબંધુની મદદ જેઓને નથી ‘હતી, તેઓ જ અપાર દુઃખ-દરિયામાં ડૂબી જાય છે. જગતના વિચિત્ર-સંજોગોમાં એકી–સાથે રહેલા વિવિધ પ્રાણીઓમાં થતા સુખ-દુઃખાદિ ફળની વિચિત્રતા દેખનારા કોઈપણ મનુષ્યથી આ મહિમા સ્વીકાર્યા સિવાય છૂટકોજ નથી. * સરખા સંજોગોમાં વિચિત્ર-ફળને પ્રાદુર્ભાવ માનવે તે વિચિત્ર કારણને લીધે જ છે એ અકલમંદથી અજાણ્યું નથી. હવા, પાણી, પૃથ્વી આદિક બીજા બીજા હેતુઓને કલ્પવા છતાં પણ તે હવાદિકના તેવા સંજોગોમાં અંતતઃ ધર્મ (પુણ્ય)ને કારણે માન્યા શિવાય ચાલે તેમ નથી.
પૃથ્વીની ચારે બાજુ સમુદ્ર વિંટાએલે છે, અને તે સમુદ્રનું પાણી પૃથ્વીની સપાટી કરતાં અનુક્રમે હજારે જે જન ઉંચું થઈ જાય છે. છતાં તે પાણી જે દ્વીપને ડુબાડતું નથી. તે દ્વીપમાં રહેલા જીવનધારી જીના પુણ્યને જ પ્રભાવ છે,
વર્તમાન કેની માન્યતા પ્રમાણે પણ પૃથ્વી દળના ભાગ કરતાં પાણીના દળને ભાગ ત્રણ ગણે છે. અને તે માટે પાણીને ભાગ કોઈ પણ વ્યક્તિથી નિયમિત કરાયેલ નથી, છતાં તે ત્રણ ગુણે પાણીને ભાગ પૃથ્વીને ભેદી નાખતું નથી, તેમજ પૃથ્વી પર ફરી વળતે પણ નથી, તેમાં જે કંઈપણ મુખ્ય કારણ હોય તે તે પૃથ્વી ઉપર જીવન ધારણ કરનાર અને પુણ્યપ્રભાવ જ છે.
જગતભરના છે-કે જેઓ વેકિય શરીરને ધારણ કરનારાની જેમ આકાશમાંથી સ્વતંત્ર વૈક્રિય પુગલ લેવાવાળા નથી–તે સર્વને સ્થૂળ શરીર ધારણ કરવામાં ખેરાક આદિ માટે વરસાદની જરૂર રહે તે સ્વાભાવિક છે. અને તે વરસાદ કેઈપણ વ્યક્તિ કે સમુદાયના કાબુમાં નથી, પણ ફક્ત તે વરસાદની ઉપર આધાર રાખનારા પ્રાણીઓના પુણ્યપ્રભાવના જ કાબુમાં છે.
વરસાદના જુદા જુદા પ્રવાહો જુદા જુદા દેશ ઉપર જુદી
Page #136
--------------------------------------------------------------------------
________________
આગમત
જુદી રીતે ગમન કરવાવાળા માનવામાં આવેલા છતાં પણ સર્વ ક્ષેત્રમાં સર્વ વર્ષોમાં સરખી રીતે તે તે ક્ષેત્રને અંગે આવતા તે તે પ્રવાહનું નિયમિત ગમન નથી હોતું, તે હકીક્ત વિચક્ષણની નજર બહાર નથી, પણ પૂર્વભવમાં જેઓએ પુણ્ય ઉપાર્જન કરેલું હોય તે જીવોના પ્રમાણમાં જ વરસાદનું વરસવું થાય છે. અને તેથી વરસાદ તે પૃથ્વીને તે પ્રમાણમાં જ નવપલ્લવિત કરે છે. કે જેમાં જેટલા પુણ્યવાળા જેટલા પ્રાણીઓ રહેતા હોય.
સર્વકાળે, સર્વ ક્ષેત્રમાં એક સરખે સમુદ્રને પ્રવાહ અને વૃષ્ટિને પ્રવાહ રહ્યું નથી અને રહેતે નથી એ વાત ભૌગોલિક વિદ્વાની ધ્યાન બહાર નથી.
જુદે જુદે કાળે, જુદા જુદા ક્ષેત્રમાં, પ્રકર્ષ, મધ્યમ અને જઘન્ય પુણ્યવાળા પ્રાણીઓ વસે, જન્મ, તેમજ પ્રકર્ષ, મધ્યમ અને જઘન્ય પાપવાળા પણ વસે અને જન્મ અને તેથી વૃષ્ટિ-પ્રવાહનું અનિયમિત પણું થાય-એ હકીક્ત વિચારતાં પુણ્ય (ધર્મ) ને વરસાદના મુખ્ય કારણ તરીકે માને તે સ્વાભાવિક છે.
જો કે કેટલાકે પૃથ્વી પર વસવાવાળા જીના જીવનની રક્ષા માટે વરસાદની જરૂરીઆત માને છે, પણ તે વરસાદની સ્થિતિને યજ્ઞ અને સૂર્ય દ્વારા અવલબેલી રાખી યજ્ઞની સિદ્ધિ કરવાના દુરાગ્રહને પિષવા મથે છે,
પણ આર્યાવર્ત કે જ્યાં સરખી રીતે યજ્ઞને સંભવ હોય છે, ત્યાં પણ દરેક વર્ષોમાં સરખી રીતે વરસાદને સભાવ હોતું નથી અને અનાર્ય ક્ષેત્રે અને દરિયા વિગેરે જલના સ્થાનમાં કોઈપણ યજ્ઞ વિગેરે કરતું નથી, છતાં તે અનાર્ય ક્ષેત્ર અને જસ્થાનમાં વરસાદ નથી વરસતે એમ નથી. માટે વરસાદના કારણ તરીકે દુરાગ્રહ તરીકે યજ્ઞકિયાને ન ગોઠવતાં તે તે જીના પૂર્વભવના પુને સર્વવ્યાપક હેવાથી માનવાં વ્યાજબી છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું
ધ્યાનમાં રાખવું કે વનસ્પતિ આદિ સ્થાવર છે અને ત્રાસજાનવર કીડી-મકોડી વગેરે યજ્ઞનું નામમાત્ર પણ સાંભળવાને બેનસીબ છે, છતાં તેઓને પણ વરસાદ દ્વારા પિષણ મળે છે, માટે આખા જગતને વરસાદ જે પિષણ દે છે તેમાં જગતના જીના પૂર્વસંચિત પુણે જ કારણ છે.
જગતમાં મનુષ્યવર્ગમાં ઘણે ભાગ અગ્નિથી જ આહાર-પાકાદિકને લાભ મેળવી જીવન-નિર્વાહ કરનારા હોય છે. એ અગ્નિ મનુષ્યના જીવન-નિવહિને માટે કેટલે બધે જરૂરી છે! તેની જિજ્ઞાસાવાળાઓએ ભગવાન શ્રી આદિનાથજીના ચરિત્રમાં આહાર–પાકનું આખું પ્રકરણ વિચારી જોવાની જરૂર છે.
આવે જરૂરી ગણાયેલે અગ્નિ જે ઊર્વશિખાવાળે ન હેત તે અગ્નિ પદાર્થની હયાતી છતાં પણ તેનાથી કોઈપણ પ્રકારની કાર્યસિદ્ધિ થાત ખરી? પણ તે ઊર્ધ્વશિખાવાળે છે તેથી આહારપાકાદિકની સર્વ ક્રિયા થઈ શકે છે. અને તે ઊર્ધ્વજવલન સ્વભાવ પ્રત્યક્ષસિદ્ધ છે, અને તેજ સ્વભાવ પુણ્યશાળી–પ્રાણીઓનેઆહારપાકાદિકમાં મદદ કરનારા કેઈ અગ્નિનું ઊર્ધ્વજવલન પુણ્ય (ધર્મ) ના પ્રભાવે થાય છે એમ માનવામાં કોઈપણ પ્રકારની હરકત નથી.
પદાર્થના ગુણને જાણનારા મનુષ્ય પિતાને કેઈપણ પદાર્થથી થયેલા ગુણને જ ધ્યાનમાં રાખનારા હોય છે, જો કે તે પદાર્થો ગુણને ગુણ કરવા માટે જ તેમ કર્યું હોય, પણ ગુણમનુષ્ય તે બુદ્ધિપૂર્વક કે ઈતરથા પણ પિતાના થયેલા ગુણના કારણેને જરૂર ઉપકાર માને છે અને જો એમ ન ગણે તે લોકોત્તર-દષ્ટિએ દેવ કે ગુરુને અને લૌકિક દૃષ્ટિએ મા-બાપ કે કલાચાર્ય વિગેરેને ઉપકાર માનવાને વખત રહે નહીં. !
આ વાત તે જગતમાં પ્રસિદ્ધ છે કે વાયરાનું વાવું એ ઘણું ભાગે તીજ બને છે. અને તેથીજ વાયુના ભેદ પૂર્વવાત, પશ્ચિમવાત. ઉત્તરવાત, દક્ષિણવાત વિગેરેના નામે શાસ્ત્રકારે જણાવે છે તે વાયુનું તિરછું વાવું તે સિદ્ધજ છે. અને જે તે વાયુનું તિષ્ણુ
Page #138
--------------------------------------------------------------------------
________________
આગમત વાવું ન થતું હોય તે એક આંખને પલકારે માર કે શ્વાસ લે તે પણ જગતને મુશ્કેલ પડત.
વનસ્પતિ વિગેરેને તે તિછ ભાગમાં વાતા વાયરાથી કેટલું બધું પોષણ મળે છે? તે વાત વનસ્પતિ વિદ્યાને જાણનારાઓથી અજાણ નથી.
આવી રીતે જગતના જીવના જીવનનિર્વાહમાં ઉપકારી વસ્તુએને વ્યવસ્થિત કરનાર વાયુનું તિછું વાવું તે જીના પુણ્યને જ આભારી છે.
જગતમાં પુણ્યને બંધ કરતી વખતે અનેક પ્રકારના શુભ અધ્યવસાયવાળા હોય છે. અને પવિત્ર અધ્યવસાયથી કરેલા પવિત્ર કાર્યોથી લોકોને અનેક પ્રકારના ઉપકાર થાય છે. માટે એક જ ધર્મ (પુણ્ય)થી અનેક પ્રકારના અનેક વસ્તુ દ્વારા જુદાં જુદાં કાર્ય થાય તેમાં આશ્ચર્ય નથી.
સમુદ્ર વિગેરેની સ્થિતિને ધર્મ દ્વારા ગોઠવાતી જોઈ કેટલાક મનુષ્યને અતિશયોક્તિ લાગવાને સંભવ છે, પણ તે સમુદ્ર વિગેરેની વિરૂદ્ધ વર્તણુંક થતાં જે જે કારમાં બનાવ બને છે. તે બનાવે તરફ બારીકાઈથી જોવામાં આવે તે કારમાં બનાવથી એટલે કાળ જે જે પ્રાણીઓ બચ્ચા તેમાં તે તે પ્રાણીઓને તેટલે કાળ ધર્મ પ્રભાવ માન્યા સિવાય છૂટકે જ નથી.
ધ્યાનમાં રાખવું કે સમુદ્રાદિનું મર્યાદાસર રહેવું તે વિરૂદ્ધ વર્તનના અભાવરૂપ નથી, કે જેથી વ્યવસ્થાસરનું થતું વર્તન તે પાપના અભાવથી થયેલું માની શકાય, અર્થાત્ કારમા કેર વર્તાવનારૂ વિરૂદ્ધ વર્તન જેમ જગતના તે તે જીવેના પાપના ઉદયથી થાય તેવી જ રીતે તે સમુદ્રાદિનું વ્યવસ્થાસર વર્તન જગતને તે તે જીના પુણ્યના ઉદયે માનવું તે જ યુક્તિસંગત છે.
જગતના મનુષ્ય જાનવર વિગેરે સર્વ ને આ પ્રત્યક્ષ દેખાતી પૃથ્વી આધારભૂત છે. એ પૃથ્વી જેમ ઉપરથી આધાર વગરની છે. તેવી જ રીતે નીચે પણ આધાર વગરની છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
પુસ્તક 8-થું
જે કે પૃથ્વીને માટે કેટલાકની માન્યતા છે કે તે શેષનાગના માથા ઉપર રહેલી છે, પણ તે માન્યતા માત્ર ભક્તિની પ્રધાનતાએ ઉદ્ભવી જણાય છે, કેમકે શેષનાગ કે તેના સ્થાનભૂત જલને સમુદાય જે અન્ય આધારે રહેલે માનીએ તે તે અન્ય આધારને સ્વયં રહેલે માનવે પડશે.
કારણ કે શેષનાગની નીચે રહેલી પૃથ્વીના આધારને માટે નવા શેષને કઈ માનવા તૈયાર નથી અને તેમ માને તે પણ તેમાં અનવસ્થા જ આવે. અને શેષનાગનું પ્રમાણ પણ પૃથ્વી જેવી મેટી, વસ્તુ ધારણ કરવાને અંગે કેવડુ માનવું પડે? વળી તેનું આય્ય કેવડું માનવું પડે? વળી તેની જાતિ કેવી માનવી પડે ? એ બધું વિચારવા બેસીએ તે ઘટી શકે તેમ નથી.
શાસ્ત્રદષ્ટિએ જે જણાવવામાં આવ્યું છે કે આકાશ એ એકજ માત્ર સ્વ-પ્રતિષ્ઠિત છે. કેમકે તે અરૂપી છે. અને તે આકાશમાં પાતળી હવાનું પડ, તેની ઉપર જાડી હવાનું પડ અને તેની ઉપર જામેલું પાણી જેને અનુક્રમે તનુવાત, ઘનવાત, અને ઘનેદધિ કહેવામાં આવે છે. તે અનુક્રમે રહેલા છે. અને તેની ઉપર આ પ્રત્યક્ષ જતી રત્નપ્રભા પૃથ્વી કે તેના જેવી બીજી પણ શકરા પ્રભાદિ પૃથ્વીઓ રહેલી છે.
વર્તમાનમાં બલુનની સ્થિતિને તપાસનારા કે છોકરાએ ફેંકના વાયુથી બેરના ઠળીયા વિગેરેને અદ્ધર રાખે છે. તે કીડાને જેનારા મનુષ્ય શાસ્ત્રની ઉપરની વાતને યુકિતસંગત માનવામાં કોઈપણ બુદ્ધિશાળી આનાકાની કરે નહી.
કેટલાક પદાર્થોને જે કે નીચેથી આધાર હેતે નથી તે પણ શીકું બંધાય છે. તેવી રીતે ઉપરની બાજુના આલંબનથી પણ વસ્તુનું ટકવું થાય છે. પણ આ પૃથ્વીને તેવું કઈપણ આલંબન નથી છતાં આ પૃથ્વી સ્થિર રહેલી છે.
કેટલાક આ પૃથ્વીને સૂર્યના આકર્ષણથી ખેંચાયેલી માનીને
Page #140
--------------------------------------------------------------------------
________________
આગમત
એક જગે ઉપર સ્થિર રહેલી માને છે. પણ તેમની એ માન્યતા આગમ, યુક્તિ કે તે બંનેથી વિચાર કરનારા કેઈપણ પ્રકારે સત્ય માની શકે તેમ નથી.
કારણ કે કોઈપણ પવિત્ર આગમ, સૂર્યના કિરણથી પૃથ્વીનું ખેંચાવું જણાવતું નથી, અને પૃથ્વી ઉપરથી ઉંચા ઉછાળેલા કેઈપણ પત્થર, ઈટ કે લુગડા જેવા સામાન્ય પદાર્થને પણ સૂર્ય આકપીને અદ્ધર રાખી શકતા નથી.
નવીનેની માન્યતા પ્રમાણે સૂર્ય, પૃથ્વી કરતાં ઘણું મોટો હોય તે પણ તે ઈટ અને પત્થર વિગેરે જેવા પદાર્થો કરતાં નાને એમ તે કહી શકાય જ નહિ, અર્થાત્ મટી વસ્તુ નાની વસ્તુને પિતાના તરફ ખેંચે છે. એ વસ્તુ જે સાચી માને તે પૃથ્વી ઉપરથી ઉડેલી ધૂળ તે બધી સૂર્ય ઉપરજ ભરાઈ જવી જોઈએ જે સૂર્યનું આકર્ષણ પૃથ્વી કરતાં જબરદસ્ત મનાય છે. તે સૂર્યના આકર્ષણ આગળ પૃથ્વીના મધ્યબિંદુના આકર્ષણને બચાવ યુક્તિ સંગત થઈ શકે તેમજ નથી. - જે કે સૂર્ય દ્વારા પૃથ્વીના આકર્ષણનું સત્યપણું માનનારાઓને પણ તેવી રીતે પણ રહેલું પૃથ્વીનું સ્થિરપણું જગતને જીને ઉપકારી હેવાથી ધર્મજન્ય તે માનવું જ પડશે,
પણ વાસ્તવિક રીતે પૃથ્વીનું પૂર્વે જણાવ્યા પ્રમાણે ઘને દધિ આદિમાં પ્રતિષ્ઠિતપણું હેવાથી ધર્મપ્રભાવ-સૂચકપણું છે, અને ઘને દધિ આદિના જગતના સડાપડનના નિયમ પ્રમાણે ચલાયમાનપણું થતું અનુભવ સિદ્ધ છે. અને તે પૃથ્વીને ચલાયમાનપણાને લીધે. વર્તનમાં થયેલા બિહારપ્રાંતની દશા વિચારનારાને પૃથ્વીના સ્થિરપણમાં ધર્મને પ્રભાવ માને એમાં કઈપણ પ્રકારે અતિશ. યેક્તિ લાગશે નહિ. આજ પુણ્યના પ્રભાવે સ્થિર રહેલી પૃથ્વી, જગતના સર્વ પ્રાણીઓને આધારભૂત છે. અને અનેક પ્રકારના ખનિજ પદાર્થો કે જે જગતના જીવને જીવન-નિવાહમાં ઘણા જ ઉપયોગી નિવડે છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું
આ શાળામાં સૂર્ય અને ચંદ્રના ઉપરી અર્જવ શાહ થાય છે. અને તે સૂર્ય-ચંદ્રના ઉદ જે નિયમિત માય છે તે કારણ જેને ભાગ્યદય જ છે. સૂર્ય અને ચંદ્રનું વાવે પણ પર્યટન થવસથી તેમના ઉદયાસ્ત થાય છે. પણ તેથી પ્રાણીઓને ઉપકાર થતે હેવાથી પૂર્વે જણાવ્યા પ્રમાણે તેને ઉમારી માત જરૂરી છે..
વર્તમાન કાળની સૂર્ય–ચંદ્રની સંયુક્ત સ્થિતિવાએ ક્ષેત્રે વિચાર કરતાં પણ ભાગ્યશાળી પુના સ્થાનભૂત એ જ તે સૂર્યચંદ્રના સમાન ચલનથી સમ–શીતષ્ણપણું હોય છે, અને તે અપેક્ષાએ પણ સૂર્ય-ચંદ્રના સરખા ચલનથી થતું સમશીતોષ્ણપણું અનુભવવાવાળા લેકે, ઈતર લેકે કરતાં તે બાબતમાં ભાગ્યશાળી હોય તેમાં આશ્ચર્ય જ નથી.
જે જીવને કેઈપણ કુટુંબી નથી હોતે તેવા અનાથ અને પણ સરખી રીતે આધાર આપી બચાવનાર જે કોઈપણ હોય તે તે ધર્મ (પુણ્ય) જ છે.
કેઈપણ પ્રકારના મિત્રને ન ધારણ કરનાર એવા પુરૂષને અમિત્ર પાસેથી પણ મિત્રનું કામ બજાવી આપી સહારે આપનાર કેઈપણ હોય તે તે ધર્મ જ છે. - ઈષ્ટ પદાર્થોને સંગ ન થ હોય તે તેને મેળવી આપનાર અને જે સંગ થયેલું હોય તે તેને ટકાવી રાખનાર એ નાથ કેઈપણ હોય તે તે ધર્મ જ છે.
આ પૂર્વે જણાવ્યા પ્રમાણે કેવળ આ જીવનના નિર્વાહમાં જ ધર્મનું ઉપયોગીપણું છે. એમ નહી, પણ પરભવમાં થતી નરકગતિથી આ જીવને બચાવી દેનાર કોઈપણ હોય તે તે ધર્મ જ છે.
ઉપર જણાવ્યા પ્રમાણે પુણ્યધર્મ જેમ અપૂર્વ કાર્યો કરે છે. તેવી જ રીતે નિર્જ નામને ધર્મ તે આ જીવને નિરતિશય એવા સર્વજ્ઞપણના વૈભવને આપી, અવ્યાબાધ પદને પ્રાપ્ત કરાવી આપે છે.
આ. ૪–૨
Page #142
--------------------------------------------------------------------------
________________
॥ श्री वर्धमानस्वामिने नमः ॥
Anjali
WHI
१
[भागम-ममन, मश्रुत-शिशमा, तात्वि-देशना, सूक्ष्मપદાર્થ-નિરૂપક, આગમસમ્રાટું પૂછ આગમેદ્ધારક આચાર્યદેવશ્રીએ નાનાવિધ શાસનહિતકર-પ્રવૃત્તિઓના ભારણ–તળે પણ અનેક પ્રકારની સંસ્કૃત-પ્રાકૃત નાની-મેટી સેંકડે રચનાઓનું સર્જન કર્યું છે.
તેમાં બાળજને ઉપયોગી ભક્તિપ્રધાન સાહિત્ય પણ ખૂબ રહ્યું છે, તેમાંની થેડિક સામગ્રી વ્યવસ્થિત રીતે અહીં રજૂ કરાય છે.
श्री तारंगातीर्थी धिप-स्तुतिः
आनन्दोदधिचंद्रमाः भविमनःपंकेरुहाको जिनः
तारंगाधिप आत्मरूपरमणो ज्ञानामृतांभोनिधिः । श्रेयस्कन्दवितानवाग्दिनिभो मोक्षालयैकस्थितिः,
देयाच्छीअजितो जितान्तररिपुर्भद्राणि वः सर्वदा ॥१॥ पापांधकारदमनः शमनः क्रुधादेः तारंगपानुशिखरस्थित आप्तपूज्यः । यः पापकालदलनः कलनः क्रुशादेः, नारंभसाद्विशिखरोऽजित उत्तपूज्यः ॥२॥
Page #143
--------------------------------------------------------------------------
________________
Yस्त ४-थु
श्रीपोसीनपार्श्वनाथ-स्तुतिः
कल्याणांबुधिवर्धने शशधरं सद्बोधवल्लयंबुदं,
शुद्धज्ञानपयोजभेदनविधौ वैरोचनं निर्व्यथं । सच्चारित्रमणिप्रदानदलितोन्मोहादिशत्रूत्कर;
पोसीने जिनपार्श्वमाप्तमहितं स्तोम्यन्वहं भक्तिभाक् ॥३॥ यो जीमूतजलेन नाभिभवितुं दैत्येन शक्तोऽभवत् ,
नासाग्रपमितेन विधुदुदयैर्निर्धातिवृन्दैः सह । युक्तः प्रत्यहमात्मसाम्यजलधेः स्थैर्यामि मालालिना;
तं प्रत्यूहनिवारणैकनिपुणं पोसीनपार्श्व नमः ॥१॥ नमत पाश्चजिनं गतदूषणं, नगरपोसिनचैत्यविभूषणः । नतसुरासुरकिन्नरनायकं, भवहितामृतसिन्धुविधायकं ॥२॥
श्री वीतरागपरमात्म-स्तुतिः
अध मे सफलं जन्म, अद्य मे सफला तनुः ।
अद्य मे सफला वाचो, जिनेन्द्र ! तव संस्तुतेः ॥१॥ लब्धौ भवाम्बुधौ पादौ, ब्रूडता पोतसन्निभौ ।
सुखदारिद्यसंपूर्णो, लब्धवांस्ते वचोनिधि ॥२॥ कर्मरोगसमाकीर्ण-स्वां धन्वन्तरिमाश्रये ।
दोषदैत्यविधाताय, देवेन्द्रधि मुपाऽश्रये ॥३॥ गुणरत्नसमापत्य, गुणरत्नाकरं विभुं ।
साम्यामृतरमासिन्धुं ह प्राप्नवं शुभोदयात् ॥३॥
Page #144
--------------------------------------------------------------------------
________________
અગમતા क्रोधवह्निमहाम्भोधि, गर्वभूमृच्छिदेऽशनि ।
मायाहिनागदमनी, लोभरोषोगिरि नुवे ॥४॥ अज्ञानान्धे तमस्यर्क, हास्यार्कबादलोच्चयं ।
कामवादलवात्याभ, रतिबात्यागिरि श्रये ॥५॥ प्रेमसानुपवि वर्य, पविभृत्ततिसेवितं ।
त्वां सेवे सर्वदा लुब्ध-स्तवोक्तिसौरभोच्चये ॥६॥ सदाऽहं धारये चित्ते, जिनेन्द्र ! तव शासनं ।
पापगीं सुकृतश्लाघां, चतुःशरणसंश्रयं ॥णा
NATO
Page #145
--------------------------------------------------------------------------
________________
પૂ. આગાધારક આગમમા
આચાર્ય દેવશ્રીએ ભક્તિપ્રધાન સરળ શલિમાં રચેલ
ગૂર્જર-કૃતિઓ.
[ પૂ. આગામે દ્ધારક, બહુશ્રત, આચાર્ય ભગવંતે, વિવિધ ભક્તિપ્રધાન હદમિ વ્યક્ત કરવા બહેળા પ્રમાણમાં ગુજરાતી-હિંદીસંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં વિવિધ સ્તવને, ચૈત્યવંદને, આદિની રચના કરી છે. પ્રકાંડ અગાધ આગમિક-વિદ્વાન શ્રતધર પૂજ્યશ્રીની ભાષા સાહિત્ય પર કેવી પકડ હતી? તેના પરિચય માટે શેડીક “કૃતિઓ અહીં રજૂ કરી છે.
૪.]
શ્રી સિદ્ધાચલજી સ્તવન
(રાગ-ગઝલ)
તીરથ જગ સહુ સાચે; સમકિત શિવ ફળ જાગે એ ટેક. જગદીશ્વર વચને જામ્યા, પુંડરિક ગણધર શિવ પામ્યા,
મેહ નૃપને દઈ તમાચે તીરથ૦ ૧ સંજમ ને નાણને હેતુ, શિવ કમળા ઘરને સેતુ,
સમકિત ભાવનામાં સાચે ! તીરથ૨ In પાવન પુરૂષ શિરતાજા વિખ્યાત થયા ગિરિરાજા |
તીરથ પાવન નહિ કેય ! તીરથ૦ ૩. જિમ ક્ષેત્ર બળે જિન વિચરે, સવિકાલ વિદેહા વિચરે છે
અભવ્ય મન નવી રાચે ! તીરથ૦ ૪n થાનક દૂજે જે કરીએ, ખિણમાં અઘ તેહ વિખરિયે |
આનંદ યુગલ ધરી જા ! તીરથ૦ ૫ |
Page #146
--------------------------------------------------------------------------
________________
આગમન્યાત શ્રી સિદ્ધાચલજી સ્તવન
( રાગ-તું હી દેવ સાચો મીલિયો). ધન્ય જન્મ ગિરિવર નિરખે જોઈ રેમ રોમ મન હરખ્યારે ધન્ય. સતયુગસે આ કલિયુગ સારો, દર્શન દર્શન કરે છે ભવજલધિ પાર ઉતારે, તીરથ નહિ. જે પરખે રે ધન્ય. ૧ / સંઘ સહ મહાવદી આઠમે નીકળી આવ્યું તુજ દરબારે સૂરિપદ ગણિપદ ધારે; મુનિવર ગણધર સરખે રે ધન્ય. ૨ | ત્યાગી સચિત્તને બ્રહ્મવ્રતધારી, આવશ્યક દુગકારી ! ભૂમીસંથારી એકાસણુ સહપદચારી, તુજદર્શન શુદ્ધ મન રાખે
રે ધન્ય. ૩ સહ દરશન પટરી પાલે, શુદ્ધ ભાલન સહુ ચાલે ગિરિ ધ્યાન ધરે સવિકાલે નવી મનમાં ઉપાધિ ને રે ધન્ય. ૪ . ભરી થાલ મોતીડે વધાવું; નવ નવી આંગી રચાવું છે શાસનની શોભ ચઢાવું; પામ્ય જન્મ કૃતાર્થ હરખે રે ધન્ય. પn ઓગણીસે ઑતેર વરસે ચૈત્ર સુદી તૃતીયા દિવસે દેખે ગિરિરાજ અંતરસે નવલસુત જીવણ હરખે રે ધન્ય. ૬ લઘુકમી તુજ પદકજ પૂજે ભવ સંચિત અઘ પ્રજે નિજ આતમ રૂપ વિબુજે આજે આનંદ દીલભર પરખે રે ધન્ય છા
શ્રી અજિતનાથ સ્તવન
(રાગ-અમીરસ ભીને રે). ભેટયો ભાવ શુધ તારગે; દેખે અજિતજિનંદ મન રંગે, મંદિર જગમેં સબહી દેખે, જેડ નહિ કઈ ઈસકી . ગગનતલે જઈ બાત કરત એ; માનું ઈધરસે ચસકી-ભેટો. ૧ મંદિર પાસ ખડા હૈ દેખે શિખર ધ્વજા દંડ સાથે વાત વિના શિર પાઘ પડતી ત્યૌ સાહી (પકડી) નિજહાથે-ભેટ્યો. ૨
Page #147
--------------------------------------------------------------------------
________________
-પુસ્તક -થું મૂરત અજિત જિનંદકી દેખત માનત સુરગિરિ શોભે. નિશદિન નિજ દેદાર નિહાલે પ્રથમ અમૃત રસ લેભે-ભેટો. ૩ In અમીરસકી વૃષ્ટિ જિન દષ્ટિ, મુજ નયનાં બીચ આવે . કામ ક્રોધ સભી તાપ નિવારતક આપત શિવ નિજ ભાવે-ભેટયો. ૪ સંવત ઓગણીસ ચોરાશી વર્ષે માધ વદિ બીજા દિવસે ભેટે વિભુષણ જગક પાયે, આનંદ-અમૃત દિલ ઉલસે-ભેટયો. ૫
૪ શ્રી આદીશ્વર ભગવાન સ્તવન
(રાગ-પ્રથમ જિનેશ્વર પ્રણમીએ) આદીશ્વર જિન સેવીયે, મરુદેવા ઉરહંસ | નાભિનરેસર વંશ નભતલ હંસ જે, ભવિકમલાકર હંસ / જે રયણી અરિહંતજી, આવે જનની કૂખ ચઉદ સુપન લેહ નિમલ તેજ દિવાકર, માતા દેખે મતદુઃખ ારા સ્વપ્ન પાઠક નહિં તે સમે, જે કહે સ્વપ્નને લાભ નાભિ કહે મરુદેવાને સ્વપ્ન ફલે તદા, થાય જિન એહ લાભ iા માય પાસે આવી ઈન્દ્રજી કહે જિન જનમ ઉદાર ! ફાગણ વદ આઠમ દિને જન્મ લહે પ્રભુ, ભુવનમાં ય જ્ય કાર અજા ઈન્દ્ર વ્યાપે જિનવંશને, સે શિલ્પ કર્મ ચેસઠ જનહિતે શતપુત્રને રાજ્ય ભળાવીને, ધન વરસે ઉફિકઠ પા રાજ્ય કરી શુભ માગને રાહ કરી જિનચંદ | ઉડાડ અઢાર સાગરનું ટાળતા, અંતર આનદ ચંદ દા
૫ શ્રી સુપાર્શ્વનાથ સ્તવન સમરે સદા ભવિક એક ચિત્ત કામ કલિ કરવાલ સમે, એ દેવ ન દૂજે છે. પ્રભુ શુભ પાર્શ્વ સુપાર્થ બિરાજેભવિ હૃદયાબુજ નિત્યા માનું વર-વિરોધ સંભારી, મદ મેહાદિ અનિત્ય. સમરે. ૧
Page #148
--------------------------------------------------------------------------
________________
આગમત વિષમ વિપાક વિષય મહીરહને, છેદન તીર્ણ કુઠાર | ઘાતી કર્મ ચ અન્નપટલને ભેદન વાત વિસાર સુમરે રા તુજ વચને માનું દેષ અઢાર માનું રહિત તે દેવ ! જે હવે વત નિયમને ધરતા; ગુરૂ તસ કરશું સેવ સમરે. ૩ નય નિક્ષેપ પ્રમાણે સુંદર શમ દમ ગુણ ભંડાર ! તુજ સરખે નહિ જગમે જે ધરમ યણ ગુણસાર સમ. કા.
વ્યવહારે એ તત્ત્વત્રયી જે દર્શન જ્ઞાન ચરિત્ર | નિશ્ચયથી લહી તુજ મહિમાથી; ધરૂં આનન્દ પવિત્ર સમજે. પા
૬ સરસી મંડન શ્રી ચંદ્રપ્રભ સ્વતન
(રાગ-સમ્યગ્દર્શન પદ તુમે પ્રણો) ચંદ્રપ્રભ જિન ! ભવ ભમતાં રે મુને મળી અપૂરવ સેવ રે. સેવ અપૂરવ પાયે પુણ્ય
નહિ તસ સમ જગ કોય ૨-મુને. ૧ મુદ્રા તુજ નવી પાય દૂજે
સૂર તસ કર્યો કરૂં સેવ રે મુનેરા નિત રામા ઉત્સગ ધરતા
કરયુગમાં હથિયાર રે મુને. ફા ક્રોધ કૃશાનુ વદન જલત હે !
કરત માલાસે જાપ રે મુને. કા લેભી લંપટ દેવ દેખનસે |
આ તુજ પય પાસ રે-મુને. પા નહિ ઉધરે યદિ કરૂણ નાયક |
1 કિમ કહેવાશે નાથ રે મુને, દા ગ ને ક્ષેમ એ દુગને ધારે |
- તે તારે મહારાજ રે–મુને. છા સરસી મેં શુભ મંદિર નીરખી |
તુજ મૂરત મનુહાર રે-મુને. ૮ અંતરમેં ઘી દુશ જે આવે !
પામું આનન્દ અપાર રે મુને લા
Page #149
--------------------------------------------------------------------------
________________
श्री वर्धमान-स्वामिने नम:
'
'.
TA
MA?
[ પ્રાતઃસ્મરણીય, પુનિત નામધેય, આગમિક આર્ષ દષ્ટા, આગમિક વ્યાખ્યાધુરંધર, પ્રવચનિકમૂર્ધન્ય, પૂ. શ્રી આગમેદારક આચાર્ય દેવશ્રીએ પૂર્વભવમાં વિશિષ્ટ રીતે આરાધેલ શ્રુતજ્ઞાનના બળે મેળવેલ વિશિષ્ટ કૃતાનુસારિણ-પ્રતિભા વડે અનેક આગમિક દુરૂહપદાર્થોને પણ તલસ્પર્શી રીતે સ્પષ્ટ કર્યા છે,
વધુમાં સમયે સમયે ચતુર્વિધ શ્રી સંઘ તરફથી જિજ્ઞાસાપૂર્વક પૂછાયેલ અનેક શંકાઓના આગમ અને જનકલ્પ-પરંપરાને અનુસરતા વ્યવસ્થિત સચોટ ખુલાસાઓ આપેલ છે.
જેના વ્યવસ્થિત સંગ્રહરૂપે “સાગર-સમાધાન” ભા.૧૨ પ્રગટ થયેલ છે.
આ ઉપરાંત પૂ. મહારાજશ્રીએ અનેક જાતના પ્રશ્નોત્તરે છૂટક પણ ફરમાવ્યા છે, તેના પ્રકીર્ણ સંગ્રહમાંથી મળી આવેલ મહત્વના પ્રશ્નોત્તરે અહીં રજુ કરાય છે.
૪.]
Page #150
--------------------------------------------------------------------------
________________
છે પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રી .
પ્રસાદી....ત પાંચ મહાવ્રતને લગતા મહત્વના પ્રશ્નોત્તર
[ આ પ્રશ્નોત્તરે શ્રી સ્થાનાંગસૂત્રના વ્યાખ્યાનમાંથી ઉપયોગી સમજીને તારવેલા અહીં રજુ કરાય છે. પ્ર. ૧ મહાવતેમાં પ્રાણવધ, હિંસા, જીવવધ કેમ ન વાપર્યા ! ઉ. ગણધર મોક્ષના બારણું ઉઘાડવા બેઠેલ છે. તેથી દેરવાની
નીતિને અંગે પ્રાણાતિપાત વિરમણ મૂક્યું છે. પ્ર, ૨ બ્રહ્મચર્યને થે નંબરે રાખે, એ તે એની કિંમત ગઈ ને? ઉ. પહેલામાં આત્માની નુકશાની, બીજામાં આત્માના ગુણની
નુકશાની; ત્રીજામાં પાડોશીની નુકશાની, ચેથામાં શાસનને, ધર્મધ્વજને, સ્વર્ગની સીડીને અને આત્માને પણ નુકશાની, તથા પાંચમા માં મમત્વભાવ એ દુનિયામાં ડુબાડનાર છે, તેથી આ ક્રમ છે.
પ્ર. ૩ ચેાથું પાપસ્થાનક એ ચારે પાપસ્થાનકોને બાપ છે, તે પછી
એની વિરતિ પ્રથમ કેમ ન લીધી? ચેથું અમુકના બચાવ માટે, જ્યારે પહેલું સર્વના બચાવ માટે એટલે કે મિથુન એ સંગ રૂપ પ્રાસંગિક ચીજ છે.
મૃષાવાદને પ્રસંગ વીસ કલાકને, હાલતાં ચાલતાં.
ચેથા વ્રતના વિષયની અલ્પતા હોવાને લીધે અને મૃષાવાદમાં વિષયનું બહપણું હોવાને લીધે બીજે નંબરે મૃષાવાદ વિરતિ રાખવાની જરૂર છે.
અદત્તાદાનની અંદર મેટ વિષય છે. તેટલે મથુનવિરતિમાં નથી.
Page #151
--------------------------------------------------------------------------
________________
પુસતક ૪-થું
પ્રાણાતિપાતની વિરતિ સર્વપ્રાણીને નાશ અટકાવે તેથી પહેલે નંબરે! આત્માના એક ભાગના એક ગુણને અમુક અંશે લેપનાર મૃષાવાદ તે બીજે નંબરે
મૃષાવાદ સર્વ દ્રવ્ય પર્યાય વિષયક, જ્યારે અદત્તાદાના લેવા- મેલવાની ચીજ વિષયક...તેથી બીજે નંબરે ન રાખતાં ત્રીજે નંબરે મૂકયું.
મૈથુન રૂપ અને રૂપસહગતને માટે, તેથી એથે નંબરે. પ્ર. ૪ એક મનુષ્ય સાધુને નદી ઉતરતાં દીઠો, ત્યાં કહી દીધું કે
તમારૂં મહાવ્રત ગયું, સર્વપ્રાણાતિપાતના પચક્ખાણ કર્યા છે
કે નહિ અને અહીં હિંસા થાય છે કે નહિ? ઉ. સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું એ નયવાક્ય છે. માટે
અપવાદે ઉતરવી પડતી નદીને છોડીને આ પ્રતિજ્ઞા જાણવી. પ્ર. ૫ દયા. સત્ય, અદત્તાદાન એ ત્રણમાં જાળી–બારી મૂકી,
થામાં બારી કેમ ન મૂકી? આ ત્રણ મહાવ્રતમાં પરિણતિ અને પ્રવૃત્તિને જુદી રાખી. શકાય છે. માટે સ્વાવાદ કર ઉચિત છે. પણ ચેથામાં
પ્રવૃત્તિની સાથે પરિણતિ બગડે છે. એટલે ઉચિત નથી. પ્ર. ૬ પહેલા મહાવ્રતને અંગે, બીજાને અંગે, ત્રીજાને અંગે
જાળી, બારી, ખાળ, નહેર, પણ ચેથા વ્રતને અંગે જાળી બારી, વગેરે નહિ, આવા ચોથા મહાવ્રતને પહેલે નંબરે
ન મુકયું ને ચોથા નંબરે કેમ મૂકયું! ઉ, હિંસા મોક્ષના આચારને આચરતાં વચમાં આવે છે, પણ
મૈથુન એવી ચીજ નથી કે તમારા આચારની વચમાં આવે. પ્ર. ૭ જબરદસ્ત નિરપવાદ મહાવ્રતને એથે નંબરે મુકયું જેને
પહેલે નંબરે મુકવું જોઈતું હતું તેને પણ સત્યથાથી કહીને ચોથે સ્થાને જ મેલવાનું કારણ?
Page #152
--------------------------------------------------------------------------
________________
આગમજાત પહેલામાં છ એ જવનિકાયની દયા છે. ચેથામાં રૂપ અને રૂપગત આકૃતિ અને તે આકૃતિવાળા દ્રવ્ય જ વિષય છે,
તેથી એથે સ્થાને તેને નંબર છે. પ્ર. ૮ નવતત્વમાં સંવર કરતાં નિર્જરને આગળ સ્થાન કેમ નહિ? ઉ. સંવર એ જ ખરેખર નિર્જરાનું કાર્ય કરનાર સંવરને
પ્રભાવ જબરદસ્ત છે. તે અપેક્ષાએ પાંચ મહાવ્રત એ સંવર
રૂપ છે, પ્ર. ૯ આરંભ અને પરિગ્રહ, તેમાં પરિગ્રહ એ જડ છે. એ પરિગ્રહને
છેલ્લા નંબરે ક્યાંથી નાખે? ઉ. ચાર મહાવ્રતનું બળ ન મલ્યું તે જીવ મમતા ભાવમાં ઘૂસી જાય,
માટે પરિગ્રહ વિરતિ જરૂરી હેઈ પાંચમે સ્થાનકે મૂકી છે. . ૧૦ વિચારની સુંદરતા એ શાસ્ત્રકારનું ધ્યેય છે. તે પહેલાં
શાસ્ત્રકારે સૂયગડાંગ કેમ ન કર્યું? આચારને સજજડ પકડે તે જ વિચારમાં સજજડ થશે આથી પહેલું આચારાંગ કર્યું.
વિચારમાં ઓતપ્રેત થાય ત્યારે તેના વિચારને સુધારો કરવાની જરૂર તેથી આચારાંગ પછી સૂયડાંગ, પ્ર. ૧૧ પૂજા-પ્રભાવનાનું નિરૂપણ કરતાં પાંચ મહાવ્રતનું નિરૂપણ કેમ! ઉ, દેવ, ગુરૂને ધર્મની જડ મહાવ્રતને અંગે છે. માટે પહેલાં
મહાવ્રત જણાવ્યાં. પ્ર. ૧૨ પરિગ્રહ વિરમણ પાંચમે નંબર કેમ? ઉ. મૂછ છેડવાને વખત લાવવા માટે બહારની વસ્તુ છોડ
વાની જરૂર અલ્પ, બહુ છેડવા તેથી પાંચમે નંબરે તે રાખ્યું.
હિંસા વગેરે ચારમાં બંનેનું બગડે, પણ પરિગ્રહમાં લેનારનું જ બગડે મૂરછ કરનારનું બગડે.
Page #153
--------------------------------------------------------------------------
________________
પરતક –યું
- ૨૧ પ્ર. ૧૩ મહાને અર્થ “સર્વથી” વિરતિ, પાંચ પાપની સર્વથીe
વિરતિ થઈ પણ અઢારની કરવી જોઈએ ને ! અઢાર છોડવાના, તેમાં પાંચ છેડડ્યા, તેથી સર્વવિરતિ ક્યાંથી
આવી ગઈ! ઉત્તર અઢાર મરચા કમરાજાએ માંડેલા છે, પણ તે બધાનું
મુખ્ય સ્થાન આ પાંચ, પ્ર. ૧૪ પરિગ્રહ વિરમણ નામ શા માટે રાખ્યું? પરિ ઉપસર્ગ
શા માટે છે? ઉત્તર ઉપસર્ગથી વિશિષ્ટ એમ જણાવી સંયમ ઉપકરણ સિવાય
એમ જણાવ્યું,
પાંચમાની અંદર સંયમના સાધન સિવાયની ચીજ
લેવાની બંધ, તેથી “પરિગ્રહ” નામ રાખ્યું. પ્ર. ૧૫ મૂચ્છ એટલે શું ? મહાવતેની જરૂર ક્યાં સુધી? ઉત્તર જેની પાસે જે વખતે જે હોય તેમાં જે ઝકડાય
તે મૂચ્છ
ઝકડાઈ જવાને સંભવ અગિયારમા સુધી, તે અગિ
યારમાં બારમા સુધી પાંચ મહાવ્રતે જાણવાં, પ્ર. ૧૬ કઈ જગ્યા પર શ્રાવકના એકવીશ ગુણ કહ્યા, કઈ જગ્યા
પર માગનુસારીના પાંત્રીસ ગુણ કહ્યા. તે માનવા કયા! ઉત્તર કુટુંબને તૈયાર કરવા માટે માગનુસારીના પાંત્રીસ ગુણે અને પિતાના આત્માને તૈયાર કરવા માટે એકવીસ ગુણે,
વ્યક્તિ તરીકે એકવીસ ગુણે, કૌટુમ્બિક તરીકે પાંત્રીસ
ગુણની જરૂર પ્ર. ૧૭ દ્રવ્ય હિંસાથી વિરમાવે છે ને નામ આપવાનું મહાવત?
પ્રાણાતિપાત” શબ્દ લીધે એટલે બંદોબસ્ત કર્યો ખાળને, એટલે દરવાજે કઈ નહિ, ખાળે ચેકીદાર કે બીજું કંઈ?
Page #154
--------------------------------------------------------------------------
________________
૨૨
આગમજ્યોત ઉત્તર પ્રયોગ એ ચારેમાં રહેલું છે, માટે સાધારણ કારણ
પ્રમત્તગ કારણ હોવાથી તેનાથી વ્યપદેશ કર્યો નહિ.
પ્રાણનું વ્યપર પણ એ અસાધારણ કારણ છે, પહેલાં મહાવ્રતમાં સર્વથા પ્રાણાતિપાતથી વિરમવાનું કહ્યું.
અસાધારણથી વ્યપદેશ થાય, મહાવ્રત તરીકેને વ્યપદેશ અસાધારણ કારણને કરે તેથી તે વ્યપદેશ કર્યો, પ્ર. ૧૮ પ્રાણાતિપાત વિરમણ એ નામ કેમ રાખ્યું? હિંસા (વિરમણ)
કેમ ન રાખ્યું? ઉ. આ ચારને અંગે સૂત્ર રચાયેલું છે, તેથી ‘હિંસા” શબ્દ ના
લેતાં પ્રાણાતિપાત શબ્દ લીધે. પ્ર. ૧૯ નીવારંવાયાગો કેમ કહેતા નથી ને પ્રાણાતિપાત કેમ કહે છે? ઉ. ઉત્સર્ગ અને અપવાદ પ્રાણાતિપાત શબ્દ રાખે તે નિકળે,
જીવાતિપાત” શબ્દ રાખે તે ન નીકળે.
જીવાતિપાત રાખે તે પડિલેહણ, પ્રમાર્જનને દેશપલટો દેવે પડે છે,
ઉત્સર્ગ, અપવાદને અંગે વિચાર કરીએ, જીવને હિસાબે ત્રસને સ્થાવર સરખા છે. પ્રાણને હિસાબ સરખે નથી, અહીં જીવને હિસાબ નથી તેથી પ્રાણાતિપાત વિરમણ રાખ્યું,
દ્રવ્ય પ્રાણુમાં નહિ રહેતાં ભાવપ્રાણમાં આવશે ત્યારે
પ્રાણાતિપાત વિરમણ કેમ રાખ્યું? તે ખ્યાલમાં આવશે, પ્ર. ર૦ પ્રાણાતિપાત વિરમણ કેમ કહ્યું? જીવહિંસા (વિરમણ કેમ
કહ્યું નહી? જીવને નાશ બન્યું નથી. બનશે નહિ અને બને નહિ
જીવથી વિરમણ ન કહ્યું તેથી પ્રાણાતિપાત વિરમણ કહ્યું, પ્ર. ૨૧ “હિંસા ને બદલે “વધ શબ્દ રાખે હેત તે?
વધી શબ્દ હિંસાની વાંસે લટકે છે. હિંસાની સિદ્ધિ પ્રમાણે વધની સિદ્ધિ છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
तात्विक प्रश्नोत्तराणि ગ્રંથને સંક્ષિપ્ત ગુર્જરાનુવાદ
0
[ આગમસમ્રાટુ, આગમિક–પ્રતિભાસંપન્ન સૂક્ષ્મ તત્વચિંતક પૂ. આગમ દ્વારક–આચાર્યદેવશ્રીએ આજીવન ચિંતન-મનન દ્વારા આત્મસાત્ કરેલ આગમિક-પદાર્થોને રહસ્યને ટૂંકા પ્રશ્નોત્તરે રૂપે અધિકારી-જના હિતાર્થે સંસ્કૃતમાં “તારિવ4 પ્રશ્નોત્તાન' ગ્રંથ બનાવેલ છે, તે ગ્રંથના પ્રશ્નોત્તર “આગમત” (વર્ષ–૯ પુ. ૪ પૃ. ૨૫ થી ૩૦)માં પ્રશ્ન નં. ૮૮ થી ૯૨ સુધી આપેલ છે–બે વર્ષથી કારણવશ પ્રશ્નોત્તરે આપી નહીં શકેલ, તેની સખેદ નેધ સાથે આ વર્ષે પૃ. નં. ૯૭ થી ૯૭ પ્રશ્નો અર્થ સાથે આપવામાં આવે છે. ૪.] म. ९३ ननु निवृत्युपकरणे द्रव्येन्द्रियं लब्ध्युपयोगी भावेन्द्रियमिति परं
किमिन्द्रियं का दशां यावद् भवतीति । शरोरतया परिणतपुद्गलेभ्य इन्द्रियोग्यास्तानादायेन्द्रियस्थानेषु यावत् स्थापनं भवति तावनिर्वृत्तीन्द्रियं, स्थापितेषु च तेषु यद्यत्स्व-स्वविषयग्रहणसामर्थ्य तदुपकरणेन्द्रिय, पूर्वभवात्त-त्तदावरणक्षयोपशमो य आनीतः येन लब्धीन्द्रियेणान्तरगतो सेन्द्रियाः सर्वे भवन्ति, स क्षयोपशमो लब्धीन्द्रियं, यदा चात्मा तत्तद्विषयग्रहणे सावधानो भवति उपयोगेन्द्रियं, अनेन सर्वेऽपि जीवा एकेन्द्रियास्तत्रापि यत्रैव विषये, मनसस्तु
शरीरव्यापित्वं च न तदेकविषयनियामकम् ॥ પ્ર. ૯૩ નિવૃત્તિ અને ઉપકરણ એ બે દ્રવ્યેન્દ્રિય કહેવાય, અને
લબ્ધિ અને ઉપયોગ એ બે ભાવેન્દ્રિય કહેવાય. પણ જ્ઞાનની ભૂમિકાએ કયી ચેકસાઈથી કયી ઈન્દ્રિય કયારે પ્રવર્તે? તેની સમજુતી શી?
Page #156
--------------------------------------------------------------------------
________________
૨૪.
આગમત ઉત્તર શરીરપણે પરિણમેલ પુદ્ગલેમાંથી ઈન્દ્રિયને એગ્ય ઔદારિક
પગલે ઈન્દ્રિયના સ્થાનમાં સ્થાપિત થયેલ હોય તે નિવૃત્તીન્દ્રિય કહેવાય.
તે સ્થાપન થયેલ પુદ્ગલેમાં પિતાના વિષયને જાણવાનું જે સામર્થ્ય તે ઉપકરણ ઇન્દ્રિય.
વળી જ્ઞાનાવરણીયને જે પશમ કે જે પૂર્વભવથી સાથે લાવેલ છે, તથા જે લબ્ધિરૂપ કહેવાય છે, જેનાથી અપાન્તરોલ–ગતિમાં છે ઈન્દ્રિયવાળા કહેવાય છે, તે લબ્ધિઈન્દ્રિય.
તથા જયારે તે તે વિષયના જ્ઞાન માટે આત્મા સાવધ થાય છે, તેનું નામ ઉપગ ઇન્દ્રિય
આ ઉપગથી બધા જ એકેન્દ્રિય કહેવાય. મન
આખા શરીરમાં વ્યાપક છે. તે એક વિષય સાથે નિયમિત નથી. म. ९४ ननु 'मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परिषहा' इति सिद्धान्ते
सत्यपि केऽप्यदर्शनमेव दर्शन-मोहेऽवतार्य तमेवैकं मार्गाच्यवनार्थમાવતે, નેવિંશિ િર નિરર્થ, જે પ્રજ્ઞાgિફરિ થિ णूणं परे लोए' त्यादिकमदर्शनपरिषहं चावतारयन्ति तत्कथमिति ॥ विरद्वर्गमि विरोत्यादिगाथोक्तं स्वविषये चिन्तयतो ज्ञानावरणोदयः क्रियाया नैष्फल्यं चिन्तयतोऽदर्शनपरिषहः, स च मार्गाच्यवनार्थमेव सोढव्य इति, ज्ञापयति चानेन यदन्येऽपि क्षुदादयः परिषहा अदर्शभाविर्भावकाश्चद् भवेयुस्तदा तेऽपि तत्र गणनीया इति प्रज्ञाऽज्ञानयोर्भावाभावतया व्याख्यानाद् द्वयोः समावेशोऽपि
૩મયતિ. પ્ર. ૯૪ માર્ગમાંથી ખસી ન જવાય; અને કર્મની નિર્જરા માટે
પરિષહ સહન કરવા” એ જાતને સિદ્ધાંત હોવા છતાં દર્શન પરિષહને દર્શન મેહનીયમાં ઘટાવી માર્ગમાંથી
Page #157
--------------------------------------------------------------------------
________________
૨૫
પુસ્તક ૪-થું
ખસી ન જવાય. તે હેતુને દર્શન–પરિષહમાં ઘટાવે છે. અને બાકીના એકવીશ પરિષહને કમની નિર્જરા માટે કેટલાક જણાવે છે.
વળી બીજા આચાર્યો-પ્રજ્ઞા પરિષહને પણ મળી
રે રોણ” ઈત્યાદિરૂપે દર્શન પરિષહમાં ઘટાવે છે. તે આમાં સાચું શું? “ગિરસૂરિ વિરો. એ ગાથામાં કહ્યા પ્રમાણે પોતે ગ્લાનિ અનુભવે તે તેજ્ઞાનાવરણીયને ઉદય ગણાય. ક્રિયાની નિષ્કલતા ચિતવે તે દર્શનપરિષહ ગણાય. તે માર્ગમાંથી ન ખસી જવાય તે માટે જરૂર સહન કરે.
આ ઉપરથી એમ જણાવાય છે કે બીજા ક્ષુધા આદિ પરિષહ પણ જે મિથ્યાત્વને પ્રકટાવનાર બનતા હોય તે તે પરિષહ પણ તેમાં દર્શનની શુદ્ધિમાં ગણાય,
આ પ્રમાણે પ્રજ્ઞા અને અજ્ઞાન બંને ભાવ-અભાવ સ્વરૂપ
હોઈ બન્નેને બનેમાં સમાવેશ થઈ શકે. प्र. ९५ ननु रागद्वेषा दीनामकिश्चित्करत्वापादनेन नामनं आपातमयाभावाच्च
जयः सर्वैरपि श्रमणैर्विशेषतश्च सर्वैरपि वीतरागैः क्रियते एव, तत्कथमहल्लक्षणे तन्निवेश इति । सत्यं, शकादिकृतामसाधारणामशोकाधष्ट-प्रातिहार्यपूजामन्ययोगव्यवच्छेदमार्गेण यो जयः! रागद्वष-जयादीनित्वयोगव्यवच्छेदमार्गेणेति न कोप्याशङ्कोद्भवः, अज्ञानादीनामभावोऽप्यनेन मार्गेण
ચોથા પ્ર. ૯૫ રાગ-દ્વેષાદિ અંતરંગ શત્રુઓને અકિચિકર બનાવવા ' રૂપે નમાવવાનું કામ અને ફરી કદી માથું ન ઊંચકે તે રીતે
તેઓને જ્ય બધા સાધુઓ અને વિશેષ કરીને વીતરાગ એ. ૪-૩
Page #158
--------------------------------------------------------------------------
________________
આગમત અવસ્થાએ પહોંચેલ બધા પુણ્યવાને કરે જ છે. તે અરિહંત પરમાત્માના લક્ષણમાં રાગાદિ-શત્રુઓને જેઓએ જીત્યા છે. તેવી વાત શા માટે રજુ કરી? વાત તમારી સાચી! પણ અરિહંત પરમાત્માઓમાં જે રાગાદિ-શત્રુઓને જય છે તે ચેસઠ ઈન્દોએ કરેલ અસાધારણ અષ્ટ–મહાપ્રાતિહાર્યાદિ પૂજાના અન્યગ-વ્યવચ્છેદના ગર્ભિત સૂચનથી વિશિષ્ટ કેટિને છે.
જ્યારે બીજા વીતરાગ શ્રમણ ભગવંતોએ કરેલા રાગાદિને ય તે અગવ્યવછેટ રૂપે માત્ર તે દુષણના અભાવ રૂપે જાણે.
આ રીતે વિચારવાથી કોઈ શંકા ઉભી થાય તેમ નથી,
અજ્ઞાનાદિને અભાવ પણ આ રીતે ઘટાવો. - म. ९६ ननु परिषहाणामुपसर्गाणां कः प्रतिविशेषः ? सहक्रिया चोभयत्रापि
यतः समा दृश्यते इति । परिषहाणां व्यापकत्वात्तत्त्वतो न कश्चित् , सामान्यतस्तु परिषहेषु क्रियायाः प्राधान्यं, कर्तुश्चोपसर्गेषु, परिषहाणां यतनया प्रतिपक्षसेवयाऽपि संयमबाधो न; उपसर्गेषु तु सहनमेव संयम इति । तत उपसृज्यतेऽनेनेति करणेऽपि करणमिति, परिषहाणामुदीरणेनापि सहन निर्जराकारणम् उपसर्गाणां त्वागतानां, न हत पसर्गकारकास्तथाप्रवर्तनीयास्तथाकरणे साधुभिः,क्षुदादिपरिषहास्तु अभ्युषेयास्तत्तत्प्रासुकायाहारादित्यागादिभिरपि, परिष्हा इन्द्रियविषयाणां प्रातिकूल्ये एव, प्राय उपसर्गास्तु द्विषापि, स्त्रीसत्कारप्रज्ञा अनुकूलाभासाः भब्रह्माहंकारयोर्वर्जनार्थत्वान तेऽनुकूलास्तस्वतः, जिनपतीनां सति कैवल्ये आश्चर्यमुपसर्गस्योद्भवे, न परिषहाणां, किञ्च उपसर्गेषु तत्कारकपरिणामा हेतवः, परिषहास्तु संयमरक्षाभिप्रायभवा इति ॥
Page #159
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું પ્ર. ૮૬ પરિષહ અને ઉપસર્ગોમાં શો તફાવત? સહન-કિયા બનેમાં
એક સરખી દેખાય છે. પરિષોની વ્યાખ્યા વ્યાપક હોવાથી ખરેખર કંઈ ભેદ નથી! તેમ છતાં સામાન્યથી પરિષહમાં ક્રિયાની પ્રધાનતા છે. ઉપસમાં કર્તાની પ્રધાનતા છે.
વળી પરિષહમાં જ્યણાથી પ્રતિપક્ષ-ભાવના કરવાથી પણ સંયમ રહી શકે છે. પણ ઉપસર્ગોમાં તે સહન કરવાથી જ સંયમ રહે છે.
તેથી જ ઉપસર્ગોમાં કરણ અર્થમાં પ્રત્યય ધ હેવાથી જેના વડે આત્મા ઉપસજિત થાય= સહનક્રિયાથી સંયમમાં ટકે= એ અર્થ ઘટી શકે.
પરિષહ ઉદીરણું કરીને પણ સહન કરવાથી નિર્જરાનું કારણ બને, ત્યારે ઉપસર્ગોમાં તે આવેલાજ સહન કરવાના, ઉપસર્ગોમાં ઉદીરણ ન હોય કે ઉપસર્ગ કરનારાઓને પ્રેરણા ન કરાય!
સુધા આદિ પરિષહ તે તેવા પ્રાસુક આહારદિના આગ્રહ કે તેવા અનેષણીય આહારદિના ત્યાગથી સ્વેચ્છાપૂર્વક સામે આવીને પણ સહન કરી શકાય છે. તથા પરિષદે ઇન્દ્રિયના વિષયની પ્રતિકૂલતાએ હોય છે. જ્યારે ઉપસર્ગો તે અનુકૂલ-પ્રતિકૂલ બન્ને જાતના હોય, જોકે સ્થૂલ બુદ્ધિથી સ્ત્રી પરિષહ, સત્કાર પરિષહ અને પ્રજ્ઞાપરિષહ અનુકૂલ પરિષહ ગણાય છે. પણ હકીકતમાં આમાં અબ્રહ્મ-કામવાસનાને તથા અહંકારને ત્યાગ કરવાને હાઈ છેવટે તે આ પરિષહો પ્રતિકૂલ જ નિવડે છે. તથા શ્રી તીર્થંકર પરમાત્માને કેવલજ્ઞાન પછી ઉપસર્ગ થવાથી આશ્ચર્યમાં ગણના છે. જ્યારે પરિષહેને સંભવ છતાં તે આશ્ચર્યમાં ગણાતું નથી. વળી ઉપસર્ગોમાં ઉપસર્ગ કરવાના પરિણામ કારણ છે. પરિષહમાં તે સંયમની રક્ષાના અભિપ્રાય મુખ્ય છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
આગમત
म. ९७ ननु' रागद्वेषयोर्जयोक्त्या कषायेन्द्रियपरिषहाणां जयो गतार्थ एव,
तल्किमर्थ पृथक् तज्जयः स्तूयते । इति । भयोग-व्यवच्छेदपरा गाथैषा । मन्ये च धृतदेवाहवाना अपि रागादिभिर्व्यस्तैः समस्तैश्च पराजिताः, स चैकतमोऽप्यत्र रागादिपराजयो नात्राहतीति नात्रांशतोऽपि देवत्वस्यायोग इत्ययोग
व्यवच्छेदे सर्वेषां सार्थकता जयानामिति ।। પ્ર. ૭ રાગદ્વેષને જય કો એટલે કષા અને ઈન્દ્રિયે અને
પરિષહને જય આવી જ ગયે. તે શા માટે અરિહંત પરમાત્માના સ્વરૂપમાં રાગ-દ્વેષના જય ઉપરાંત કષાયાદિને પણ જય સ્મૃતિરૂપે જણાવ્યું છે? આ ગાથામાં અગવ્યવચ્છેદને દૃષ્ટિકોણ મુખ્ય છે. તેથી લૌકિક હરિ-હરાદિમાં દેવનું નામ ધરાવવા છતાં ઉપર જણવેલ રાગાદિ સમસ્ત કે તેમાંના છૂટક દોષથી તેઓ પરાભૂત છે. તે આ રાગાદિને પરાજ્ય અહીં ઈષ્ટ નથી એ તત્વ છે.
છે
.
છે શ્રી આગમત સ્થાયી નિધિમાં 8 છે. લાભ લેનાર ભાગ્યશાળીઓની
નામાવલિ
૧૦૦૦) પૂ. પં. શ્રી અભયસાગરજી મ.ના ઉપદેશથી
મહેસાણું જૈન સુધારા ખાતાની પેઢી તરફથી ૨૫) પૂ. પં. શ્રી સુર્યોદયસાગરજી મ.ના ઉપદેશથી
શેઠ ડોસાભાઈ અભેચંદની પેઢી તરફથી ૧૦૧ પૂ. પં. શ્રી સૌભાગ્યસાગરજી મ.ના ઉપદેશથી
જે. બી. પરીખ વડોદરાવાળા તરફથી
Page #161
--------------------------------------------------------------------------
________________
SB નમ્ર વિજ્ઞપ્તિ UR આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે તાત્ત્વિક દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે, જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયોગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપુર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે યોગ્ય અધિકારી સાધુ-સાધ્વી કે વિવેકી ગૃહસ્થને અથવા યોગ્ય જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તેવો પ્રબંધ કરવો.
કોઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
આનું પ્રકાશન દર વર્ષની આસો સુદ પૂર્ણિમાએ થાય છે. ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ, સાદવજી, જ્ઞાનભંડારો તથા તત્વરૂચિ ગુહસ્થ આદિને
વિના મૂલ્ય મેકલાય છે. ધર્મપ્રેમીઓને સ્થાઈ કેશમાં ૧૦૧ લખાવી સ્થાયી ગ્રાહક થવા ભલામણ છે.
-
૦૦
આર્થિક લાભ લેવાનું સરનામું શ્રી આગમે. ગ્રંથમાળા રમણલાલ જેચંદભાઈ શાહ
કાપડ બજાર, Po. કપડવંજ (જી. ખેડા)
પ્રાપ્તિસ્થાન : “આગમ જત કાર્યાલય
માસ્તર હરગોવનભાઈ મીઠાભાઈ ગુલાબચંદ જૈન ઉપાશ્રય દલાલવાડા, કપડવંજ
009000000000000000000
Page #162
--------------------------------------------------------------------------
________________ સાગરની * આપણા જીવનને ડાળી નાખનાર રાગ-દ્વેષ અને મહિને વધારનારા જગતના ભૌતિક-પદાર્થોને સુખશાન્તિ આપનારા માનવા તે ખરેખર વિચારક-બુદ્ધિની ખામી જણાય છે. અંક અશુભ કર્મોને બાજે દુઃખ અને અશાન્તિ ભોગવવા દ્વારા ઘટે છે, તો તેમાં ગભરાવાની જરૂર શી ? * સુખશાન્તિનાં સાધનોને ઉમંગપૂર્વક ભાગવવાથી બાંધીને લાવેલ શુભકર્મની મુંડી ખલાસ થાય છે, તે ગભરામણ થવાને બદલે હર્ષ-આનંદ કેમ ? આ હકીકત ખૂબ જ વિચારણીય છે. મુક વિચારોને અમલમાં મૂકતાં પહેલાં વિવેકબુદ્ધિથી પરિણામને વિચાર કરવો જરૂરી છતાં સંકારાના ધક્કાથી વિચારશક્તિ વિકૃત બની જવાથી વિપરીત માર્ગે આ પણી દોડધામ ચાલુ રહે છે. એક ગુણાનુરાગ અને સ્વદોષદર્શન આરાધક-ભાવને વધારવા ટકાવવા ઉપચાગી બાબત છે. - એક ડાહ્યા અને સમજુ ગણાતા માનવે પણ વિકારી–ભાવના ઉદયમાં વિવેકહીન બની જાય છે, તેથી આંતરની જાગૃતિથી ઉદયમાં આવતા વિકારી ભાવોને ફળશૂન્ય બનાવવા પ્રયત્ન કરવા જરૂરી છે. ભાગની વાસના મનને બહેકાવી દે છે, તેથી સદ્દવિચાર વિવેક કે સમજણને વ્યવહારૂ બનવા માટેની ભૂમિકા ખલાસથઈ જાય છે. ## જ્ઞાનીઓના ચરણે વિનયથી બેસી દૃષ્ટિની કેળવણી કર્યા વિના વસ્તુનું સાચું સ્વરૂપ સમજાતું નથી. આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૩૮૦૦૦૧