SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨-જુ અધ્યવસાયને પ્રાપ્ત કરનાર પણ કેવું હોય તેને સમ્યગદર્શન થાય? તે કહે છે કે અનારિ–મિથ્યાષ્ટિ. મિથ્યાષ્ટિ બે પ્રકારના છે, એક સાદિ મિથ્યાદષ્ટિ, બીજે અનાદિ મિથ્યાદષ્ટિ. સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે ગયેલ હોય તે સાદિ મિથ્યાદષ્ટિ અને જેને કેઈપણ વખત સમ્યકત્વ પ્રાપ્ત થયું જ નથી, તે અનાદિ-મિથ્યાદષ્ટિ કહેવાય. અહિં અનાદિ મિથ્યાણિ લેવાને છે. અને આ પઢથી સાદિ-મિથ્યાષ્ટિનું પણ ગ્રહણ સમજવાનું છે. વળી ત: એ પદથી સદ્વર્તનવાળે જીવ લેવાનું છે. એટલે સંકિલષ્ટ પુરૂષએ આચરેલા ભાવે તેથી અતિક્રાન્ત એટલે તેવા દુષ્ટ ભામાં નહિ વર્તનાર પરંતુ સદ્દવિચારમાં રહેનાર આત્માને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. સદ્વર્તનવાળા અનાદિ-મિથ્યાદષ્ટિ તથા સાદિ-મિથ્યાષ્ટિને પણ પરિણામ વિશેષથી એવા પ્રકારનું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે. કે જેને ઉપદેશાદિ કોઈપણ બાહ્ય કારણ સિવાય પણ સમ્યગ દર્શન ઉત્પન્ન થાય છે. એમ ભાષ્યકારનું કથન છે. હવે તેમાં પરિણામ-વિશેષ એટલે શું? તેને માટે ટીકાકાર સ્પષ્ટ અર્થ કરે છે, પરિણામ એટલે અધ્યવસાય અથવા ચિત્ત. અહિં અયવસાયથી આત્મા લેવાનું છે. હવે પરિણામને અર્થ આત્મા ન થઈ શકે, પરંતુ પરિણામવાળે એ આત્મા બની શકે, તે તે કેમ થાય? તેને માટે વ્યાકરણને નિયમ છે કે “સનવ્યચમિતિો માવો દ્રષ્યવત જાગતે અવ્યયવાળા કૃદંત પ્રત્યે સિવાય બીજા કૃદંતપ્રત્યથી કહેવાયેલે ભાવ દ્રવ્યની માફક પ્રકાશે છે. આ નિયમથી પરિણામ એ ભાવ છતાં આત્મારૂપી દ્રવ્ય એ પરિણામ પદથી લઈ શકાય છે. અથવા ક્ષણે-ક્ષણ પરાવર્તન પામવાવાળા પરિણામથી અધ્યવસાય અર્થાત્ આત્માનું ગ્રહણ ન કરવું હોય તે મને વગણના આધારે ચિન્તન પરિણામ રૂપ જે ભાવ મન થાય છે, તે મન અહીં લેવું. તે પરિણામની અર્થાત્ અધ્યવસાયની વિશેષતા
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy