SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ હોય પણ પુતળાનું અનુકરણ ન હોય તે આંખજુદા રંગની હેવી જ જોઈએ. અહિં તત્વ માત્ર આંખને રંગ જુદો જ હું જોઈએ, એટલું છે. કંઈ લાગવું ન જોઈએ એવા કદાગ્રહને લીધે ભગવાનની મૂર્તિની આંખ પણ ઉડાડી. સાધ્વીપણું, સ્ત્રીને કેવલજ્ઞાન, તીર્થકરને આહાર અને તેમનાં ચક્ષુઓ આ બધું માત્ર ગત વસ્ત્રપણાના (દિગંબરપણાના) કદાગ્રહ માટે છોડવું પડે છે. વેતાંબરેએ એવી માન્યતા રાખી જ નથી કે વસ્ત્ર વગર ક્ષે ન જવાય. બંને એમની તે માન્યતા છે. શક્તિવાળ વ ન રાખે તે મેક્ષ અટકતું નથી, તથા શક્તિ વગરને જીવ વસ રાખે તે પણ મેક્ષ અટકતું નથી. દિગંબરેએ કદાગ્રહના કારણે જ તે બંધ કર્યો છે. જિનકલ્પીની સ્થિતિ કઈ? આજે ગોચરી ગયા, શુદ્ધ આહાર ન મળે તે પાછા આવે, તે છ માસ સુધી એથે પહેરી બેસે ત્યારે પગ જ્યાં હોય ત્યાં જ રાખે, કાંટામાં તે કાંટામાં, બીજે દિવસે બાર વાગ્યા (મધ્યાન્હ) સુધી એ સ્થિતિ. સમય પણ સમરણશક્તિથી અવલકવાને છે. કાર્યોત્સર્ગ બીજા દિવસે બીજે પહેરે પારે. જંગલ ગયા હોય, શુદ્ધ જગ્યા ન મળે, તે ફરી, એમ કરતાં શુદ્ધ જગ્યા મળે ત્યારે છ માસે જાય. છ માસ સુધી તે દસ્તને પણ તેઓ રોકી શકે. એ સામર્થ્ય ધરાવનારજ જિનકલ્પી થઈ શકે છે. જિનકલ્પીપણની વાત કરનારાએ એ દશા, એ સામર્થ્ય, સમજવાં જોઈએ. અપ્રમાદીપણું અને અપ્રમત્ત ગુણસ્થાનક એ બે વસ્તુ જુદી છે. વળી જિનકલ્પી કે છઘસ્થ એવા તીર્થંકર નથી તે ઉપદેશ દેતા અને નથી તે દીક્ષા વગેરે આપતા, માટે જિનકલ્પપણું અને
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy