________________
પ્રિન્ટરીના કાર્યવાહક આદિ સઘળા સહયોગી–મહાનુભાવોની કૃતજ્ઞતાપૂર્વક સ્મરણાંજલિ.
છેલ્લે આ પ્રકાશનમાં છદ્મસ્થતાના કારણે જે કઈ ક્ષતિઓ રહેવા પામી હોય તે માટે ક્ષમાયાચના સાથે પુસ્તક-પ્રકાશનને સદુપયોગ કરી પુણ્યવાન-વિવેકી આત્માઓ જીવનને તવદષ્ટિ સંપન્ન બનાવે એ જ મંગલ કામના.
નિવેદક વીર. નિ. સં. ૨૫૦૩
રમણલાલ જેચંદભાઈ શાહ વિ. સં. ૨૦૩૩
મુખ્ય કાર્યવાહક ધિ. શ્રા. વ. ૦)) મંગલ
શ્રી આગદ્વા૨ક ગ્રંથમાળા ૧૩–૯-૭૭
કપડવંજ (જી. ખેડા)
વિચાર કણિકા
આપણે ધર્મ કાર્ય કરતાં પહેલાં મને શું મળશે? કેવી રીતે મળશે ? કયારે મળશે? કેટલું મળશે? આ બધો વિચાર કરીએ છીએ, પણ આ વિચારોની ગડમથલમાં આપણી ફરજ તરીકે કરવા લાયક પ્રવૃત્તિરૂપ સમ્યફ કારણોને સેવવાથી જ આ કાર્ય થશે એ વાતને ભૂલી જઈએ છીએ.
S
એટલે કોઈ પણ ક્રિયા કરીએ ત્યારે તે રૂપ જે જ કારણ છે તે વિધિપૂર્વક સમ્યક પ્રકારે સેવન કરી શકીએ
તે રીતને પ્રવૃત્તિમાં આગ્રહ રાખી ક્રિયા કરીએ તે એવી શંકાનું સ્થાન હદયમાં રહી શકે નહિ.