________________
આ ઉપરાંત આ સંપાદનમાં આજ્ઞા થતાંની સાથે નાની-મોટી દરેક જાતની કામગીરી કરી વિનીતભાવ દર્શાવનાર ધર્મ સ્નેહી મુનિશ્રી નિરૂપમ સાગરજી, મુનિશ્રી નયશેખર સાગરમ, બાલમુનિશ્રી પુણ્યશેખર સાગરજી મ, આદિ અનેક મહાનુભાવોના સહયોગના ફળરૂપે આ સંપાદન વ્યવસ્થિત થઈ શકયું છે.
યથાશય જાગૃતિ રાખી ૫. આગમોહારક આચાર્યદેવશ્રીના આશય વિરુદ્ધ કંઈ ન થાય તેની તકેદારી રાખવા છતાં છદ્મસ્થતાના કારણે જિનાજ્ઞા કે પરંપરા વિરુદ્ધ કંઈ સંપાદન થવા પામ્યું હોય, તે તે બદલ ચતુર્વિધા શ્રીસંઘ સમક્ષ હાર્દિક મિથ્યા દુષ્કત દેવા સાથે પુણ્યવાન તત્વચિવાળા જિજ્ઞાસુ–મહાનુભાવે આ પ્રકાશનને જ્ઞાની–ગીતાર્થ–ગુરુ ભગવંતની નિશ્રાએ” વાંચી-વિચારી અંતરંગતત્વદષ્ટિની સફળ કેળવણી કરી સંપાદકના અનુભવની જેમ પોતે પણ જિનશાસનની રસાસ્વાદપૂર્વક સફળ-આરાધનાનો લાભ “ લેવા ભાગ્યશાળી બને, એજ મંગળ અભિલાષા.
નિવેદક
વીર સ. ૨૫૦૩, વિ. સં. ૨૦૩૩ ના . વિ ૧૦ | દિ. શ્રા વ. ૧૧ શુક્ર અઠ્ઠાઈધર દિન, ૯-૯-૭૭ શેઠશ્રી નેમુભાઈની વાડી જૂની અદાલત, ગોપીપુરા સુરત-૨
શ્રી શ્રમણ સંય સેવક પૂ. ઉપાધ્યાય તપસ્વી ગુરુદેવ શ્રી ધર્મસાગર ગણિવર ચરણસેવક
અભયસાગર