SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત ગયા છે, બાલકની મને વૃત્તિ એકાંતમાં ખુલે છે, વાસ્વામીજી પિતાનું ગુરૂનું આસન તથા બીજાઓના આસને ગુરૂ-શિષ્ય બેઠા હોય તે રૂપમાં ગોઠવી પછી પ્રશ્ન-પરંપરા ચલાવે છે. અને ઉત્તર પણ પોતે જ આપે છે. પ્રશ્નો પણ મામૂલી નહિ! આચારાંગાદિના! પહેલાં તે આચાર્યજીએ બહારથી તે સાંભળ્યું, નવાઈ પામ્યા કે “આ વજી ! એ હે ! આ તે અગિયારે અંગ ભણેલે છે!” પણ તે જણાવવા આચાર્યજીએ એક દિવસ બહારગામ જવાની ઈચ્છા પ્રગટ કરી અને જતી વખતે શિષ્યોને વેગ કરવા તથા વાચના શ્રી વજસ્વામીજી પાસે લેવા ફરમાવ્યું. શિષ્યએ કબૂલ રાખ્યું, શ્રીવજીસ્વામીએ સુંદર રીતે વાચના આપી, ભલે! દેખાવમાં નાના હતા પણ જ્ઞાનમાં તે અધિક જ મેટા જ) હતા, વાચના એવી તે સરસ આપી કે વાચના લેનાર શિષ્યના મનમાં એ વિચાર થયે કે ગુરૂજી બહારગામ બે દિવસ વધારે રહે તે ઠીક કે જેથી આમની વાચનાને લાભ મળે. ગુરૂજી (આચાર્યશ્રી) તે તરત પાછા પધાર્યા, એમને બહાર ગામમાં બીજું કયું કામ હતું? માત્ર વાસ્વામીજીના જ્ઞાનને જાહેર કરવાની તક જવી હતી, ગુરૂએ શિષ્યને પૂછયું કેમ? વાચના ચાલી શિષ્યોએ કહ્યું-ગુરૂદેવ! શ્રેષ્ઠતમ ચાલી ! હવે તે અમારા એજ વાચનાચાર્ય થાઓ !! આચાર્ય શ્રી સિંહગિરિજી ના કહેતાં જણાવે છે કે એ તે કાનચેરીઓ છે! જુઓ! વજીસ્વામીજી માટે કર્યો શબ્દ વાપર્યો ? વિધિ-સહિત જ્ઞાન સંપાદન નથી કર્યું, માટે તેમ કહ્યું છે, વાચનાચાર્ય થવા માટે ગાદિ કલ્પની જરૂર પડે અને તેથી શ્રી વજીસ્વામીજીને કલ્પથી ગવહન કરાવ્યા અને તેમને વાચનાચાર્ય તરીકે સ્થાપન ક્ય. શ્રુતજ્ઞાન માટે જ ઉપધાન છે, મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન માટે ઉપધાન નથી, કૃતને અંગે અનિવપણું એટલે જે ગુરૂ પાસે જ્ઞાન લીધું હોય તેને ઓળવવા
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy