SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ ૪૩ કમ–મેલને લીધે આત્માને સંબંધ અગ્નિથી ગરમ લાલચોળ થયેલ લેઢાના ગોળા જે એકમેક થઈ ગયેલ છે. તેમ જાણવું. આત્મામાં કર્મ વધારે આવે તે પણ ભાર વધારે થાય તેવું નથી. માટે ક્ષીર નીરનું દૃષ્ટાંત ન લેતાં વાર લીધું છે. આત્માના દરેક પ્રદેશ સાથે કર્મ વળગેલું છે. તેને તપસ્યાથી જ જુદું પાડી શકાય છે. નવા કર્મને રેકવા માટે તે ચારિત્ર બસ છે. પણ જુના કર્મને માટે તે તપ જોઈએ જ 2ષભદેવજી ભગવાન ને મહાવીરભગવાન સરખા. તેઓ ચાર જ્ઞાની હતા છતાં તપસ્યા કરતા હતા તે આટલા માટે જ, બાંધેલા કર્મને રોકવા (ખપાવવા) તપસ્યા એજ સમર્થ છે. ને તે સમ્યગ્રદર્શન જ્ઞાન ને ચારિત્રવાળાને હેય. સ્વાધ્યાય રૂપ જ્ઞાનને તપ કહ્યો છે. તે ધ્યાનરૂપ અગ્નિના કારણે કહ્યો છે. તેથી જ્ઞાનના કારણે તપ તેડે અગર ન કરે એ અર્થ થતું નથી. તેથી શાસનને અંગે જે આઠમ-ચૌદશ, એાળી, પર્યુષણ માસી આદિ પર્વને અંગે તપસ્યા કહી છે. તે અવશ્ય કરવી જોઈએ, તે વખતે જ્ઞાન ન ભણાય તે તેમાં બાધ ગણાતું નથી. ભણ્યાનું ફલ પણ વિરતિ છે ને વિરતિ તે સંવર-નિર્જરા રૂપ છે. તેને માટેજ ભણવાનું છે. તે ઉપર લક્ષ્ય ન હોય તે ભણવાનું પણ નકામું છે. તે સમજવું. પાંચ કમાઈને પાંચ પૈસા પણ કાઢવાની ટેવ વાળે પચાસ કમાએ પચીસ કાઢી શકશે તે સિવાય ગમે તેટલું કમાશે તે પણ કાઢી શકશે નહીં માટે ભણવાને બહાને મૂળ વસ્તુ ન ઉડી જવી જોઈએ. આથી તપસ્યા જ કર્યા કરવી એવું હું કહેવા માંગતે નથી. તેથી અમસ્થા પણ ભણવાનું છોડી દેવું તેવું તે બીલકુલ ન થવું જોઈએ, તપસ્યા ટાણે તપસ્યા ! જ્ઞાન ટાણે ભણવાનું, એ બધું એ
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy