________________
a છ વખારવામિને
પ્રકાશકીય
શા ીય
પ્રજ
નમ્ર નિવેદન
મહામંગળકારી શ્રી જિનશાસનની પરમકૃપા અને તારક શ્રી દેવગુરુના પ્રતાપે વીસમી સદીના મહાન આગમતિર્ધર, બહુકૃત, આચાર્ય—ધુરંધર પૂ. આગમ દ્ધારક આચાર્ય ભગવંતશ્રીના તાત્ત્વિક–આગમિક-વ્યાખ્યાનના સંકલન રૂપે વિ. સં. ૨૦૨૨ થી ૫૦ સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રીના મંગળ આશીર્વાદથી શરૂ થયેલ “ શ્રી આગમોત નું વાર્ષિક પ્રકાશન આજે બારમા વર્ષમાં પગલાં માંડે છે, તે અમારે મન ખૂબ - આનંદની વાત છે.
અમારી શક્તિ-સીમા બહારનું ભગીરથ આ કાર્ય સ્વ. પૂ. ગચાધિપતિશ્રીના આશીર્વાદ તથા સાગર સમુદાયના પૂ. સાધુ-સાધ્વીજી ભગવતના ઉપદેશ, પ્રેરણા, તેમજ તત્વચિવાળા જેન શ્રી સંધે તેમજ ધર્મપ્રેમી ગુણાનુરાગી-ગૃહસ્થના મંગળ સહકારથી આ કાર્ય સફળતાપૂર્વક ચાલી રહ્યું છે.
અમારી ગ્રંથમાળાના વિવિધ પ્રકાશમાં આ પ્રકાશન ગુજરાતી ભાષામાં આગમિક–પદાર્થોની રજૂઆત અધિકારી જીવો સમક્ષ કરનારું સુરુચિકર શિલિથી સંપાદિત થઈ પ્રગટ થાય છે. તે સૌથી વધુ મહત્વનું અમે લેખીએ છીએ.
પ્રસ્તુત પ્રકાશનમાં પક્ષ અને અપરોક્ષ રીતે સહાય આપનારા સહુની ગુણાનુરાગભરી અનુમોદન કરવા સાથે વિશેષમાં જણાવવાનું કે આ પ્રકાશનના આર્થિક ક્ષેત્રને સુસમૃદ્ધ બનાવવા ખંતભર્યો શ્રમ ઉઠાવનાર પૂ. પં. શ્રી સૂર્યોદય સાગરજી મ. શ્રીના ધર્મપ્રેમની બહુમાનભરી અનમેદન.