________________
ચુતઉપાસના
પ્રકરણ ૧ ગણધરમંદિરમાં આવેલા “ગણધરપટોનું બત્રીસ શ્લોકથી વર્ણન કર્યું છે અને તેથી આગળ ઉજજયંત ગીરનાર તીર્થનું વર્ણનશરૂ કર્યું. ત્યાં ૧૫ પંદર લોક આવતાં આ તીર્થમાળા અધુરી રહી છે.
(૮૨) ત્રથીતવદ્વાદશિકા સં૫. ૧૨, ચં. ૧૪, ૨.સં. ૨૦૦૫.
ઉત્પાદ વ્યય અને ધ્રુવ સ્વરૂપ જે માત્રુકાપદ છે, તે મય તમામ વસ્તુ જગતમાં છે, તેમ આ પ્રકરણમાં જણાવ્યું છે.
(૮૩) ત્રિપદી પંચષષ્ટિક સ, ૫. ૬૫, ગ્રં. ૭૫, ૨.સ. ૨૦૦૫
ઉત્પાદ વ્યય અને ધ્રુવ એ ત્રણે વસ્તુને “ત્રિપદી કહેવામાં આવે છે અને ગણધર ભગવંતે દીક્ષા લેતાં ભગ/ વંતના મુખથી એ ત્રિપદીને પામીને ‘દ્વાદશાંગી'ની રચના કરે છે. એ ત્રિપદીનું આ ગ્રંથમાં વર્ણન કરાયું છે. ઉત્પન્ન થવું એટલે શું ? નાશ થવું એટલે શું? અને સ્થિર રહેવું એટલે શું ? એનું સવિસ્તર વર્ણન આ ગ્રંથમાં કરાયું છે.
(૮૪) દયાવિષ સ, ૫. ર૧, ગ્રં. ૨૧, ૨.સં. ૧૯૮૪.
આ પ્રકરણની અંદર દયાને વિચાર કરાય છે. જીવદયા જે કોઈ સ્થળે હોય તે તે શ્રી તીર્થંકર પરમાત્માના શાસનમાં જ છે, બીજે નથી. તેમ હિંસામાં ધર્મ નથી, તે વાત આ પ્રકરણમાં જણાવાઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com