Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
અગત્યની સૂચનાઓ કરવાને તૈયાર નથી, સ્પૃસ્યાસ્પૃશ્યની માફક એક બીજાની સાથે આહાર-પાણી કરવાથી પણ અભડાય છે, શિષ્ય ગુરુને માનવા તૈયાર નથી, આવી રીતે બિલકુલ છિન્નભિન્ન-તિતબિતર થઈ ગયેલા પાંચસે સાધુઓને, વગર બલ્ય, વગર સ્પષ્ટીકરણ કરે, વગર હેતુ સમજાવે એકદમ એકત્રિત કરવાનો પ્રયત્ન થાય છે, એ કેટલું બેહુદાપણું સૂચવે છે, એનો કોઈ વિચાર કરે છે કે ?
“આ કામમાં આગેવાનીભર્યો ભાગ લેનારા આટલા થોડા સમયના અનુભવથી જોઈ શકયા હશે, કે મુનિરાજે મગનું નામ બેલતાં કેટલે બધે સકેચ રાખે છે. હૃદયને ખુલ્લા અવાજથી કઈ બોલી શકે છે? પોતાની માન્યતાઓમાં અને એક બીજાના ઉપર રહેલા ઠેષ કે ઈર્ષાભાવોને છેડે ઘણે અંશે પણ ભૂલવાની ઈચ્છાઓ ક્યાંય નિહાળી શકાય છે ? આવી અવસ્થામાં મૂંગેભાવે મુનિસમેલન ભરવાને પ્રયત્ન, એ શું બાલચેષ્ટા નથી? થોડા વખતને માટે ધારી લે કે જે સાધુઓ આચાર્યાદિ ન આવે તેને મૂકીને મુનિસમેલન ભરવામાં આવ્યું અને ચોક્કસ ઠરાવો પણ કરી નાંખવામાં આવ્યા, એથી સમ્મલનની સાર્થકતા શી થવાની હતી ? એવા એકપક્ષીય કરવાથી સાધુ સંસ્થાને ઉદ્ધાર શ થઈ જવાનું હતું ? અને અએવ જે સાધુ સંસ્થાના ઉદ્ધારને જ માટે મુનિસમેલન ભરવું છે; તે તેને પદ્ધતિસરને કાર્યક્રમ હાથમાં લેવાની ખાસ જરૂર છે અને તેમાં સૌથી પહેલા જેઓ મુનિસમેલન ભરવાનું પુણ્ય ઉપાર્જન કરવાની ભાવના રાખે છે, તેઓ પોતાની આત્મશુદ્ધિ પૂર્વક સમાજના અને શાસનના સેવક થઈને બહાર આવે. કોઈ પણું જાતની અંશમાં પણ મહત્વાકાંક્ષા રાખીને બહાર આવનાર માણસ મુનિસંમેલનને સફળ બનાવવા અને પિતાની મહત્વાકાંક્ષાનો કેડ પૂરે નહિ કરી શકે, એ આ વીસમી સદીને માટે નિર્માણ થઈ ચૂકયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org