________________
) પત્ર ક્રમાંક 33૯ ૪ છે કોઈનો દોષ નથી. અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. તે
અમને તો માત્ર અપૂર્વ એવા સત્ના જ્ઞાન વિષે જ રૂચિ રહે છે. બીજું જે કંઈ કરવામાં આવે છે, કે અનુસરવામાં આવે છે, તે બધું ! આસપાસના બંધનને લઈને કરવામાં આવે છે.
હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ, તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતો નથી. ક્વચિત્ પૂર્વકર્માનુસાર વર્તાવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યાં છે તે કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા 1 અર્થે, થોડા કાળમાં ભોગવી લેવાને અર્થે, આ વેપાર નામનું વ્યાવહારિક 1 છે. કામ બીજાને અર્થે સેવીએ છીએ. . હાલ જ કરીએ છીએ તે વેપાર વિષે મને વિચાર આવ્યા કરેલ, ' અને ત્યાર પછી અનુક્રમે તે કામની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કંઈ વૃદ્ધિ થયા કરી છે.
અમે આ કામ પ્રેરેલ માટે તે સંબંધી બને તેટલું મજુરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી છે. નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. પણ...ને દોષ-બુદ્ધિ આવી
જવાનો સંભવ, તે અનંત સંસારનું કારણ....ને થાય એમ જાણી જેમ
બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું છે છે એમ હાલ તો ધાર્યું છે.
આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે. અને તેથી અમે ઘણું કરીને તેમની વૃત્તિને ન અનુસરી શકીએ એવું છે; તથાપિ જેટલું બન્યું છે તેટલું અનુસરણ
તો જેમ તેમ ચિત્ત સમાધાન કરી રાખ્યા કર્યું છે. છે. કોઈ પણ જીવ પરમાર્થને ઇચ્છે અને વ્યાવહારિક સંગમાં પ્રીતિ જ ( રાખે, ને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં.
મોક્ષમાર્ગ પ્રકાશ
૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org