________________
સદ્ગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદ્વિચાર અને સંયમાદિ તેનાં સાધન
છે.
આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચાં છે, કેમકે પ્રગટ અનુભવમાં આવે છે.
ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે.
કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે.
ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટઅશુભ સુધીનાં સર્વ ન્યુનાધિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે.
નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે.
તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યક્ત્વ છે.
નિરંતર તે પ્રતીતિ વર્ત્યા કરે તે ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ છીએ. ક્વચિત મંદ, ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ, એમ પ્રતીતિ રહે તેને ક્ષયોપશમ સમ્યક્ત્વ કહીએ છીએ.
તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ.
આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યક્ત્વ કહી છીએ.
તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સબંધી અહંમમત્વાદિ હર્ષ, શોક કમે કરી ક્ષય થાય.
મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
૯૩
www.jainelibrary.org