Book Title: Moksh Marg Prakash
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 400
________________ સામાન્ય ચેતન વિશેષ ચેતન સામાન્ય ચેતન તથા ગુણ શુધ્ધ છે પણ સામાન્ય ચેતનમાંથી વિશેષ ચેતનનો પ્રવાહ (પર્યાય અથવા પરિણતિ અથવા અવસ્થા) સમયે સમયે ચાલ્યો આવે છે તે જ પુદ્ગલની શુભાશુભ કાર્મણ વર્ગણા સાથે બંધાયેલ છે. પાંચ જ્ઞાન ઇન્દ્રિયોના વિષય તથા મનના સંકલ્પ વિકલ્પ પરિણામ એકમેક થઈ ગયેલ છે એટલે જ આપણે શુભાશુભ ઉદય વખતે આપણે શુદ્ધ ચેતન છીએ એવી શ્રદ્ધા રાગી જાગૃતિ રાખવી પડે છે. જેથી એ વિશેષ ચેતનનો પ્રવાહ શુધ્ધ થાય. વિશેષ ચેતનનો પ્રવાહ શુદ્ધ થાય એ જ્ઞાનધારા અને શુભાશુભ કર્મનો ઉદય અને તેનું સુખ દુઃખરૂપ કર્મધારા. સામાન્ય ચેતનની શ્રદ્ધાના જોરે જાગૃતિ રાખવાથી જ્ઞાનધારા શુદ્ધ થતી જાય છે. સમ્યગ્દષ્ટિ જીવ એવો અનુભવ કરે છે કે હું ચૈતન્ય માત્ર તેજ રૂપ વસ્તુ છું કે જેમાં કર્મના ઉદયનો લેશ પણ નહી એવો શાંત ભાવમય છું. અચળ છું. એટલે કે કર્મના ગમે તેવા ઉદયથી ચળાવ્યો ચળતો નથી. કારણ કર્મના ઉદયમાં આત્માને સ્વભાવમાંથી ચલાયમાન કરવાની શક્તિ નથી. મતલબ અભ્યાસનું બળ વધે તો આપણે આપણી શુદ્ધ જ્ઞાનધારા અનુભવી શકીએ. સંસારના માયિક પદાર્થો તેમજ શરીરના ધર્મોમાં કેવળ ઉદાસીનતા હોય તો ભેદ જ્ઞાનનું ધ્યાવન વિશેષ થઈ શકે. જ્ઞાનીઓ પૂર્વોપાર્જિત મોહનીયના ઉદયથી જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે મૂર્ખની પેઠે ખેદથી કરે છે. કૃપાળુ દેવ લખે છે. ‘જે દિવસ ઉદય પણ આત્માકાર બનશે તે ઉદયને ધન્ય છે.’ કાગળમાં કેટલું લખાય ? સમાગમમાં વિશેષ કહેવાનું બની શકે. લિ. છોટાલાલના આત્મવંદન શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા Jain Education International For Personal & Private Use Only 393 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448