________________
કે ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાયે સ્પષ્ટ લખ્યું હતું, તે ચાહીને આ લખ્યું હતું. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં એમ જાણીને લખ્યું હતું. કંઈ કંઈ તે વાતના ચર્ચક જીવને જો તે વાત વાંચવામાં
આવે તો કેવલ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ એમ બને . [ કે જે પુરુષે આ વાક્યો લખ્યાં છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા | * છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે, છે એમ જાણી તેની તે પ્રત્યે કંઈ પણ ભાવના થાય. કદાપિ એમ ધારીએ છે કે તેને કંઈ કંઈ સંજ્ઞા તે વિષેની થઈ હોય, અને આ સ્પષ્ટ લખાણ જ વાંચવાથી તેને વિશેષ સંજ્ઞા થઈ પોતાની મેળે તે નિર્ધારમાં આવી
જાય. પણ તે નિર્ધાર એમ થતો નથી. યથાર્થ તેના સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં, અને તે કારણથી જીવને વિક્ષેપની ઉત્પત્તિ થાય છે કે આ વાત કોઈ પ્રકારે જાણવામાં આવે તો સારું. તો તે પ્રકારે પણ જે છે
પુરુષે લખ્યું છે તે પ્રત્યે તેને ભાવનાની ઉત્પત્તિ થવી સંભવે છે. - ત્રીજો પ્રકાર એમ સમજવા યોગ્ય છે કે પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ તેનો પરમાર્થ સરુષનો-સત્સંગ જેને આજ્ઞાંકિતપણે
થયો નથી, તેને સમજાવો દુર્લભ થાય છે, એમ તે વાંચનારને સ્પષ્ટ જ જાણવાનું ક્યારેય પણ કારણ થાય. જો કે અમે તો અતિ સ્પષ્ટ લખ્યું કે [ ન હતું તો પણ તેમને એવો કંઈ સંભવ થાય છે; પણ અમે તો એમ
ધારીએ છીએ કે અતિ સ્પષ્ટ લખ્યું હોય, તો પણ ઘણું કરી સમજાતું નથી. અથવા વિપરીત સમજાય છે, અને પરિણામે પાછો વિક્ષેપ ઉત્પન્ન થઈ સન્માર્ગને વિષે ભાવના થવાનો સંભવ થાય છે. એ પત્તામાં * અમે ઇચ્છાપૂર્વક સ્પષ્ટ લખ્યું હતું. છે તે જ પત્રના ચોથા પેરામાં શ્રીમદ્જીએ તે બીજજ્ઞાન માટે સાફ કરી સાફ અભિપ્રાય આપ્યો છે તે તેમના શબ્દોમાં નીચે પ્રમાણે છે : |
બીજો અમારો આશય તે જ્ઞાન વિષે લખવાનો વિશેષપણે અત્ર 1 લખ્યો છે. જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે જ અને વેદનપણે અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે
૧૯૬
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org