________________
D પત્ર ક્રમાંક ૮૩૩ (s સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી, સર્વ ભાવથી જે સર્વ પ્રકારે એ અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. .
જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેનો કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ, આદિધંધનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે
સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ છે સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે. તે મહપુરુષોને જીવન અને મરણ બંને સમાન છે.
જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ ક્રાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય * કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વભાવિક નિજસ્વરૂપ છે એવો . નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે.
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત * ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો કે નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ
વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ - અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ [ રહિત જ છે, તેમ સમ્યક્દષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ જ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે.
જેની ઉત્પત્તિ કોઈપણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય ?
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org