________________
જ (હાથનોંધ-૨, પૃ. ૧૭)
હે જીવ! સ્થિર દષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પરદ્રવ્યથી છે | મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. ' હે જીવ ! અસમ્યક્દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ અને ભય છે.
સમ્યકુદર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ છે ' થશે. ' હે સમ્યદર્શની ! સમ્મચારિત્ર જ સમ્યક્દર્શનનું ફળ ઘટે છે. આ તે માટે તેમાં અપ્રમત્ત થા. ' જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિનો હેતુ છે.
* હે સમ્મચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય છે | હતો તે નિવૃત્ત થયો, તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે
છે ? કે (હાથનોંધ-૨, પૃ. ૨૧) ૮ છે. દુ:ખનો અભાવ કરવાને સર્વ જીવ ઇચ્છે છે.
દુ:ખનો આત્યંતિક અભાવ કેમ થાય ? તે નહીં જણાવાથી દુ:ખ , ઉત્પન્ન થાય તે માર્ગને દુ:ખથી મુકાવાનો ઉપાય જીવ સમજે છે. '
જન્મ, જરા, મરણ મુખ્યપણે દુ:ખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છે : મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ.
પહેલા કારણનો અભાવ થયે બીજાનો અભાવ, પછી ત્રીજાનો, આ પછી ચોથાનો અને છેવટે પાંચમા કારણનો અભાવ થવાનો ક્રમ છે. મિથ્યાત્વ મુખ્ય મોહ છે. અવિરતિ ગૌણ મોહ છે.
- મોક્ષમાર્ગ પ્રકાશ
૧૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org