________________
સત્તાગત સ્થૂળ કષાય બળ પૂર્વક સ્વરૂપસ્થિતિ તે નવમ ગુણસ્થાનક સત્તાગત સૂક્ષ્મ કષાય બળ પૂર્વક સ્વરૂપસ્થિતિ તે દશમ ગુણસ્થાનક
ઉપશાંત કષાય બળ પૂર્વક સ્વરૂપસ્થિતિ તે એકાદશમ ગુણસ્થાનક આ ક્ષીણ કષાય બળ પૂર્વક સ્વરૂપસ્થિતિ તે દ્વાદશમ ગુણસ્થાનક છે
0 હાથનોંધ - ૩ ૪ (હાથનોંધ-૩, પૃ. ૧૫)
ૐ નમ: સર્વ જીવ સુખને ઇચ્છે છે. દુ:ખ સર્વને અપ્રિય છે ' દુ:ખથી મુક્ત થવા સર્વ જીવ ઇચ્છે છે. વાસ્તવિક તેનું સ્વરૂપ ન જ સમજાવાથી તે દુ:ખ મટતું નથી.
તે દુ:ખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ. અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. સમ્યાન વિના વીતરાગ થઈ શકાય નહીં. સમ્યક્દર્શન વિના જ્ઞાન અસમ્યક કહેવાય છે. વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યકજ્ઞાન કહીએ છીએ. (હાથનોંધ-૩, પૃ. ૧૭) ૩
સમ્યજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. છે. એ ત્રણેની એકતાથી મોક્ષ થાય.
જીવ સ્વાભાવિક છે. પરમાણું સ્વાભાવિક છે. જીવ અનંત છે. પરમાણું અનંત છે. જીવ અને પુદ્ગલ સંબંધ છે ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય. ભાવકર્મનો કર્તા જીવ છે. ભાવકર્મનું બીજું નામ વિભાવ કહેવાય
૧૭૬
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org