________________
' હર્ષ, અહંકાર થતાં હોય. જ્ઞાની પુરુષને તો તાદાત્મય સંબંધ હોતો જ તે નથી જેથી ઉપદેશ દેતાં રતિ, અરતિ ન થાય. રતિ, અરતિ થાય તે
‘પરઉપયોગ' કહેવાય.
સિદ્ધાંતના બાંધા વિષે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે તેથી તે વચનો અસતું છે એમ ન કહેવું; કારણ કે જેને તમે અસતું કહો છો, તે શાસ્ત્રથી જ પ્રથમ તો તમે જીવ, અજીવ એવું કહેતાં જ શીખ્યા છો.
0 ઉપદેશ છાયા ૩ સપુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે. મધ્યમ સપુરુષ હોય તો વખતે થોડા કાળે તેમને ઓળખાણ થવું સંભવે, કારણ કે
જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકાર 1 ભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને. પણ ઉત્કૃષ્ટ સતુપુરુષને
તો તેવી ભાવના હોય નહીં અર્થાત્ નિસ્પૃહતા હોવાથી તેવો ભાવ ' રાખે નહીં. તેથી કાં તો જીવ અટકી જાય અથવા મૂંઝાય અથવા તેનું ! ન થવું હોય તે થાય.
જેમ બને તેમ સવૃત્તિ અને સદાચાર સેવવાં. જ્ઞાનીપુરુષ કાંઈ વ્રત છે આપે નહીં અર્થાત્ જ્યારે પ્રગટ માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવાં. પણ ત્યાં સુધી યથાશક્તિ સદ્ગત અને જ સદાચાર સેવવાં એમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે.
દેવ અરિહંત, ગુરુ નિર્ચન્થ અને ધર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની છે. શ્રદ્ધાને જૈનમાં સમ્યકત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસતું હોવાથી દેવ અને
ધર્મનું ભાન નહોતું. સદ્ગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું.
તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યક્ત્વ. જેટલી જેટલી આસ્થા છે. અને અપૂર્વપણું તેટલું તેટલું સમ્યકત્વનું નિર્મળપણું સમજવું આવું
(
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org