________________
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. (૯૮)
કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે. અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાન પ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે, ૯૮..
રાગ દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે, અર્થાત્ એ વિના કર્મનો બંધ ન થાય, તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. ૧૦૦
રાગ, દ્વેષ અજ્ઞાન, એ મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. (૧૦૦)
૯૬
કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ;
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. (૧૦૩)
એ મોહનીય કર્મ બે ભેદે છે, એક ‘દર્શનમોહનીય' એટલે પરમાર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થ બુદ્ધિરૂપ, બીજી ‘ચારિત્રમોહનીય’ તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કાર રૂપ કષાય અને નોકષાય તે ચારિત્રમોહનીય.
દર્શનમોહનીયને આત્મબોધ, અને ચારિત્રમોહનીયને વીતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્યાબોધ તે દર્શનમોહનીય છે, તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. અને ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે. તે તેનો અચૂક ઉપાય છે, તેમ બોધ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org