________________
જ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની “અનન્ય
આશ્રયભક્તિ' પરિણામ પામ્યથી થાય છે. ઘણું કરી એકબીજાં કારણોને અન્યોન્યાશ્રય જેવું છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સપુરુષની ‘આશ્રયભક્તિ' અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે.
છે. ૩. ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો છે
હેતુ થાય છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી. સ પુરુષમાં વર્તે છે.
0 પત્ર ક્રમાંક ૭૦૮ : અં. જ જૈન દર્શનની રીતિએ જોતાં સમ્યગુદર્શન અને વેદાંતની રીતિએ * જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે, જૈનમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે છે, તે જ માત્ર સમજાવું મુશ્કેલ થઈ પડે છે. વળી વર્તમાનમાં તે 1 જ્ઞાનનો તેણે જ નિષેધ કર્યો છે, જેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ - સફળ ન દેખાય. છેજૈનપ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે. તો કોઈપણ પ્રકારે છે તે માર્ગનો ઉદ્ધાર અમે જેવાને ધારે વિશેષ કરીને થઈ શકે, કેમકે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ. વર્તમાનમાં જૈનદર્શન
એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે * કે, તેમાંથી જાણે જિનને... ગયો છે. અને લોકો માર્ગ પ્રરૂપે છે. બાહ્ય ૪. 4 કટારો વધારી દીધો છે, અને અંતર્માર્ગનું ઘણું કરી જ્ઞાન વિચ્છેદ જેવું છે ' થયું છે. વેદોક્ત માર્ગમાં બસે ચારસેં વર્ષે કોઈ કોઈ મોટા આચાર્ય થયા જ દેખાય છે કે જેથી લાખો માણસને વેદોક્ત રીતિ સચેત થઈ પ્રાપ્ત થઈ
હોય. વળી સાધારણ રીતે કોઈ કોઈ આચાર્ય અથવા તે માર્ગના જાણ જ સારા પુરુષો એમ ને એમ થયા કરે છે, અને જૈનમાર્ગમાં ઘણાં વર્ષ
થયાં તેવું બન્યું દેખાતું નથી. જૈનમાર્ગમાં પ્રજા પણ ઘણી થોડી રહી
- મોક્ષમાર્ગ પ્રકાશ
૯૧
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org