________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
- ૨૧
શકે ને બરાબર ધ્યાન ન રાખીએ તો શરીર બગડી જાય, કુંભાર ઘડો બનાવી શકે, સોની દાગીના ઘડી શકે વગેરે. પણ “અન્ય જીવનું હિતાહિત હું જ કરું છું” એમ જે માને છે તે પોતાને અન્ય જીવરૂપ માને છે તેમ જ “પૌગલિક પદાર્થોની ક્રિયાને હું જ કરું છું” એમ જે માને છે તે પોતાને પુગલદ્રવ્યસ્વરૂપ માને છે. તેથી આવા પ્રકારની ભ્રામક માન્યતાઓ છોડવાયોગ્ય છે. “કર્તા એક દ્રવ્ય હોય અને તેનું કર્મ બીજા દ્રવ્યનો પર્યાય હોય એવું કદી પણ બની શકે જ નહિ, કારણ કે જે પરિણમે તે કર્તા, પરિણામ તે કર્મ અને પરિણતિ તે ક્રિયા-એ ત્રણેય એક જ દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે”. વળી એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય કારણ કે કર્તાકર્મપણું અથવા પરિણામ-પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી”. વળી વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી”. વસ્તુની તે તે સમયની જે જે અવસ્થા (અવ=નિશ્ચય+સ્થા=સ્થિતિ અર્થાત્ નિશ્ચયે પોતાની પોતામાં સ્થિતિ) તે જ તેની વ્યવસ્થા છે. તેથી તેની વ્યવસ્થા કરવા માટે કોઈ પણ પરપદાર્થની જરૂર પડતી નથી. આમ જેની માન્યતા થાય છે તે દરેક
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com