________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
ગુરુદેવશ્રીનાં વચનામૃત
ને સમ્યજ્ઞાન છે. પ૬.
રાગમાં શુભ અને અશુભ એવા બે ભેદ ભલે પાડો, તેનો વિવેક ભલે કરો, પણ તે બન્ને ભાવ આસ્રવ છે ને બંધમાર્ગમાં સમાય છે, સંવર-નિર્જરામાં નહિ; તે એક ભેદ મોક્ષમાં કે મોક્ષના કારણમાં નથી આવતો. મોક્ષનો માર્ગ ને મોક્ષ-સંવર, નિર્જરા ને મોક્ષ- તો એ બન્નેથી જુદી જ જાતના છે. શુભ અને અશુભ બન્ને પ્રકારના રાગમાં કષાયનો સ્વાદ છે, આકુળતા છે, ચૈતન્યની શાંતિનો સ્વાદ, નિરાકુળતા તે બેમાંથી એકમાં નથી. પંચાસ્તિકાયસંગ્રહમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે:
તેથી ન કરવો રાગ જરીયે કયાંય પણ મોક્ષેચ્છુએ, વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.
આ જાણીને શું કરવું?-કે સર્વ પ્રકારના રાગ રહિત પોતાના ચિદાનંદતત્ત્વને બરાબર લક્ષમાં લઈ તેને જ ધ્યાવું. શુભાશુભ રાગને એટલે કે પુણ્ય-પાપને મોક્ષ કે મોક્ષમાર્ગમાં સહાયકારી ન જાણવા પણ વિદ્યકારી લુટારા સમજવા. અહ, વીતરાગ થવાની વીતરાગ પરમાત્માની આ વાત કાયર જીવો ઝીલી શકતા નથી; પુણ્યથી ધર્મ થાય નહિ—એ વાત સાંભળતાં જ ચોંકી ઊઠે છે–તેમનાં કાળજાં કંપી
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com