________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
સ્વભાવનો અભાવ થયો નથી. જો અંદર શુદ્ધતારૂપે થવાની શક્તિ ન હોય તો, પુણ્ય-પાપના પરિણામ વખતે શક્તિરૂપ શુદ્ધતાનો નાશ થયો હોય તો, પર્યાયમાં શુદ્ધતા આવે કયાંથી ? દ્રવ્યમાં શક્તિપણે શુદ્ધતા ભરી છે તો પર્યાયમાં શુદ્ધતા પ્રાપ્ત થાય છે; પ્રાસમાંથી પ્રાપ્તિ થાય છે; જેમાં હોય તેમાંથી પ્રગટે, જેમાં ન હોય એમાંથી શું પ્રગટે? ૨૨૬.
૧૨૪
*
પરલક્ષે થનારા રાગાદિ ભાવ તો પરવશ થવાનું કારણ છે; તેનાથી તો કર્મબંધન થાય છે ને શરીર મળે છે; તેનાથી કાંઈ અશરીરી થવાતું નથી. સ્વવશ એવો જે શુદ્ઘરત્નત્રયભાવ છે તે જ કર્મબંધન તોડીને અશરીરી સિદ્ધ થવાનો ઉપાય છે. જેને મોક્ષ પામવો હોય, સિદ્ધ થવું હોય તેને તો આ જ જરૂર કરવા જેવું કાર્ય છે, એટલે કે અંતર્મુખ થઈને આત્માના આશ્રયે સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન ને એકાગ્રતા કરવાયોગ્ય છે; તેના વડે નિયમથી મુક્તિ થાય છે. ૨૨૭.
*
બહારના ક્રિયાકાંડમાં લોકોને ૨સ લાગી ગયો છે, ને અંદરની આ જ્ઞાયકવસ્તુ રહી ગઈ છે. વસ્તુ શી છે? તેનું સ્વરૂપ કેવું છે? વગેરે પ્રકારે એનું ઘોલન થવું જોઈએ. વસ્તુસ્વરૂપને સમજ્યા વિના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com